આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, પરિવારમાં શોકનો માહોલ
અમેરિકામાં રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આ ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો.
મળતી વિગતો અનુસાર મૂળ ગુજરાતનાં આણંદ જીલ્લાનાં રહેવાસી અને અમેરિકામાં સ્થાયી થયેલા પટેલ પરિવાર ગત રોજ આભ તૂટી પડ્યું હતું. જ્યારે અમેરિકાનાં સાઉથ કેરોલીનાનાં ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ વાસણા (બો) ગામની વતની છે. જ્યારે એક મહિલા કાવીઠા ગામનાં મૂળ વતની છે. ત્યારે અકસ્માતમાં ગાડીમાં સવાર હજુ એક વાસણા ગામની મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વહેલી સવારે મહિલાઓ એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીનાં જઈ રહી હતી. તે દરમ્યાન તેઓની કારને અકસ્માત નડ્યો હતો. ત્યારે પ્રાથમિક તારણ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે, કાર ઓવર સ્પીડમાં હોવાનાં કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે અમેરિકાની પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી હાથ ધરી હતી.
આંતરરાષ્ટ્રીય
ઉતર કોરિયાનું મોડર્ન આર્કિટેક્ચર આકર્ષણનું કેન્દ્ર
કોઇપણ શહેરની આગવી ઓળખ તેના અનોખા અને શાનદાર આર્કિટેક્ચર થકી હોય છે. ઉતર કોરિયાની ગગનચુંબી ઇમારતો અને નયનરમ્ય વસાહતો આર્કિટેક્ચર ક્ષેત્રના લોકોને કાયમ આકર્ષો છે. તસ્વીરોમાં હવાસેઓગ જિલ્લાનો રહેણાંક વિકાસ, પ્યોગયાંગની મિરે સાયન્ટિસ્ટ શેરી સહિતના અવનવા આર્કિટેક્ચર નજરે પડે છે.
આંતરરાષ્ટ્રીય
જમૈકા કબૂતરબાજીમાં ચાર ગુજરાતી એજન્ટોના નામ ખુલ્યા
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરે તે પહેલાં જમૈકામાં ઝડપાયેલ 75 ગુજરાતીઓ સહિત 253 ભારતીયોને ફરી દુબઈ ધકેલી દેવાયા, ભારતીય એજન્સીઓ પણ એલર્ટ
ભારતથી વાયા દુબઈ થઈને અમેરિકા ઘુસણખોરી માટે જઈ રહેલ 253 ભારતીયો સાથેનું આખુ વિમાન કેરેબિયન ટાપુ જમૈકામાં ઝડપાયા બાદ સતત એક અઠવાડિયા સુધી તમામ મુસાફરોની પુછપરછ અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી બાદ ગઈકાલે તમામ 253 મુસાફરોને જમૈકા સરકારે પરત દુબઈ ધકેલી દીધા હોવાનું જાણવા મળે છે. આ મુસાફરો વહેલી સવારે દુબઈ પહોંચ્યા છે, હવે ગુજરાતી-પંજાબીઓ સહિતના ભારતીય નાગરિકો પરત ભારત આવે ત્યાર બાદ ભારતીય એજન્સીઓ દ્વારા તેમની પુછપરછ કરવામા આવનાર છે.
બીજી તરફ આ કબુતર બાજીમાં ગુજરાતના ચાર એજન્ટોના નામ ખુલતા સ્થાનિક પોલીસે ઉતરગુજરાતના ઘનશ્યામ અને હસમુખ કટ્ટી સહિતના એજન્ટોની શોધખોળ શરૂ કરી છે.
અમેરિકા, બ્રિટન, કેનેડા જવા માટે ગુજરાતીઓ પડાપડી કરી રહ્યાં છે. આ વચ્ચે હવે તેઓ વિદેશમાં જવાના ગેરકાયદેસર રસ્તા અપનાવી રહ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘુસવા જતા ભારતીયોનું એક વિમાન જમૈકા એરપોર્ટ રોકી દેવાયું હતું. આ શંકાસ્પદ વિમાનમાં કુલ 253 મુસાફર હતા, જેમાં 75 ગુજરાતીઓઅને 172 પંજાબીઓ હોવાનું ખુલ્યું હતું. મોટાભાગના મુસાફરો ઉત્તર ગુજરાત, મહેસાણાના છે. જેમાં મહેસાણાના શંકરપુરા ગામના એજન્ટોની સંડોવણી બહાર આવી છે. એજન્ટ ઘનશ્યામ અને હસમુખ કટ્ટીની પણ સંડોવણી હોવાની માહિતી છે.
એજન્ટ રવિ મોસ્કો અને બોબી બ્રાઝિલ સંડોવાયેલા હોવાનું જાણવા મળે છે. તેમજ તમામ પ્રવાસીઓને અટકાયતમાં લઈને પૂછપરછ માટે હોટલમાં લઈ જવામાં આવ્યા. ટૂરિસ્ટ વિઝાના નામે ગુજરાત સહિત દેશભરમાંથી લોકોને અમેરિકા લઈ જવાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. થોડા મહિનાઓ પહેલાં પણ, અમેરિકા પહોંચવા માંગતા પ્રવાસીઓથી ભરેલું એક આખું વિમાન જપ્ત કરવામાં આવ્યું હતું, ડિફ્લેટ કરીને ભારત પરત મોકલવામાં આવ્યું હતું.
આ પ્લેનમાં 253 લોકો સવાર હતા જેમાંથી 150થી વધુ ભારતીયો હતા અને તેમાં પણ ગુજરાતીઓ અને પંજાબીઓ વધુ હતા. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પણ નાગરિકો હતા. આ ઘટના જો કે લગભગ 6 દિવસ પહેલાની છે. મળતી માહિતી મુજબ જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ પર 2 મેના રોજ એક ફ્લાઈટ લેન્ડ થઈ હતી. એરપોર્ટ પરના અધિકારીઓને પૂછપરછ દરમિયાન તેમના પર શંકા ગઈ હતી. આ તમામ મુસાફરો ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવા ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
હાલમાં તમામ મુસાફરોને જમૈકા એરપોર્ટ પરથી જ દુબઇ પાછા મોકલી દેવાયા હતા. આ પહેલા તેમને હોટલમાં રોકીને તપાસ શરૂૂ કરવામાં આવી હતી. અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે વિવિધ દેશના વિઝિટર વિઝા લઈને એક અથવા બીજા દેશમાં ભારતીય મુસાફરો પહોંચતા હોય છે. ત્યાંથી અમેરિકાની બોર્ડર પર પહોંચીને જમીન અથવા દરિયાઈ માર્ગે મુસાફરો અમેરિકામાં ઘૂસતાં હોવાનું ખુલ્યું છે.
ઉલ્લેખનીય છે કે જમૈકા એ એક નાનું કેરેબિયન ક્ધટ્રી છે. ઘણા કબૂતરબાજો અમેરિકામાં ઘૂસવા માટે અમેરિકાની નીચે આવેલા નાના દેશોના વિઝિટર વિઝા લે છે, જે સરળતા મળતા હોય છે. જમૈકા પણ આવો જ એક દેશ છે. અહીં પહોંચી ગયા બાદ તેઓ કોઈપણ રીતે દરિયા કે જમીનના રસ્તે મેક્સિકો સુધી પહોંચે છે અને ત્યાંથી અમેરિકામાં ઘૂસે છે.
વર્ષ 2023માં દુબઈથી ગેરકાયદે વિમાન ભાડે કરીને અમેરિકા જતા 260 ભારતીયો સાથે 300 જેટલા લોકોને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ફ્યુલ પુરાવતા સમયે સ્થાનિક પોલીસે શંકાને આધારે ઝડપી લીધા હતા. આ 260 ભારતીયો પૈકી 66 જેટલા ગુજરાતી હતા. કબૂતરબાજીના ગુજરાતના સૌથી મોટા કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂૂ કરાઈ હતી, જેમાં તમામ ગુજરાતીઓની પૂછપરછમાં 15 એજન્ટના નામ ખૂલ્યા હતાં. આ લોકોએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા વ્યક્તિદીઠ રૂૂ. 80 લાખની ડીલ નક્કી કરી હતી.
ચાર્ટર્ડ ફ્લાઈટમાં ભારતીયો જમૈકા ફરવા ગયા હતાં: વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
સમગ્ર ઘટનાક્રમ પર ભારતીય વિદેશી મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 2 મેના રોજ જર્મની રજીસ્ટ્રેશનવાડી ચાર્ટડ ફ્લાઈટ દૂબઈથી જમૈકાની રાજધાની કિંગસ્ટન ગઈ હતી જે ટુરીઝમ માટે ગઈ હતી અને ત્યાં તે લોકોના હોટલ બુકિંગ્સ પણ હતા પરંતુ જમૈકાની સરકારને આ લોકો પ્રવાસીઓ જેવા ન લાગતા તેમણે ફ્લાઈટને પાછી મોકલી આપી હતી. તેમણે જતા પહેલા ત્યાંના બધા ટ્રાવેલ બુકિંગ પણ કરાવેલા હતાં
આંતરરાષ્ટ્રીય
પન્નુ મામલે ભારતની તપાસથી અમેરિકા સંતુષ્ટ
ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ કહ્યું છે કે ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં બિડેન પ્રશાસન ભારતની જવાબદારીથી સંતુષ્ટ છે. એરિક ગારસેટીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ રશિયાના વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે અમેરિકા કોઈ પણ વિશ્વસનીય પુરાવા વિના ભારત પર આરોપ લગાવી રહ્યું છે. રશિયાએ એમ પણ કહ્યું કે અમેરિકા એક રાજ્ય તરીકે ભારતનો અનાદર કરી રહ્યું છે. રશિયાના નિવેદન બાદ જ અમેરિકી રાજદૂતનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે તેઓ ભારતની તપાસથી સંતુષ્ટ છે.
યુએસ થિંક ટેન્ક કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા એરિક ગારસેટીએ કહ્યું, જ્યારે હું સંબંધોમાં ઉતાર-ચઢાવની વાત કરું છું, ત્યારે અમારા સંબંધોમાં આ પહેલી મોટી લડાઈ છે. મારે કહેવું છે કે અમે અત્યાર સુધી કરેલી માંગણીઓમાં બાઇડેન સરકાર ભારતની જવાબદારીથી સંતુષ્ટ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકન ધરતી પર અમેરિકન નાગરિકની હત્યાનો કોઈપણ પ્રયાસ યુએસ માટે લાલ રેખા છે.
જ્યારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુરપતવંત સિંહ પન્નુ કેસની તપાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તપાસ હજુ ચાલી રહી છે અને જ્યાં સુધી આરોપો સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ આના પર કંઈ કહેશે નહીં.
-
રાષ્ટ્રીય2 months ago
સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા, 70,000ની નજીક પહોંચ્યું 10 ગ્રામ સોનું
-
ગુજરાત2 months ago
“ખંભાળિયાના ભજીયા એટલે વર્લ્ડ ફેમસ” મુકેશ અંબાણીએ મેસુબનો અને ભજિયાંનો સ્વાદ માણ્યો
-
રાષ્ટ્રીય2 months ago
BCCIએ જાહેર કર્યું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સનું લીસ્ટ: ઈશાન કિશન અને શ્રેયર અય્યર બહાર, આ ખેલાડી નંબર વન પર
-
ગુજરાત5 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ગુજરાત2 months ago
દેવભૂમિ દ્વારકામાંથી એલએચડી કોચ સાથેની ટ્રેનનું પ્રસ્થાન
-
પોરબંદર4 months ago
ભાણવડમાં બેભાન યુવાનનું સારવાર મળે તે પહેલાં જ મોત
-
પોરબંદર4 months ago
ઝેરી દવા પી જતા ટિંબડીના આધેડનું મૃત્યુ
-
ગુજરાત4 months ago
પોરબંદરના પ્રૌઢનું કલ્યાણપુરના ખીરસરા ગામે હાર્ટએટેકથી મોત