Connect with us

રાષ્ટ્રીય

હવે રિલાયન્સ ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સના ધંધામાં ઝંપલાવશે

Published

on

ઉર્જાથી માંડીને ફેશન સુધી, ઇન્ટરનેટથી માંડીને લોટ-દાળ સુધી… રિલાયન્સનું 1985000 કરોડ રૂૂપિયાનો બિઝનેસ દિવસે ને દિવસે ફેલાતો જાય છે હવે મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે. રિલાયન્સ ઇંડ્સ્ટ્રીઝ કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસને લઇને મોટો પ્લાન બનાવી રહી છે.
ગયા વર્ષે જ રિલાયન્સ ક્ધઝ્યુમરે મેડ ફોર ઈન્ડિયા ક્ધઝ્યુમર ગુડ્સ બ્રાન્ડ ઈન્ડીપેન્ડન્સ લોન્ચ કરી હતી.

આ બ્રાન્ડ હેઠળ રિલાયન્સે બજારમાં લોટ, ચોખા, દાળ જેવા સસ્તા ખાદ્ય ઉત્પાદનો લોન્ચ કર્યા. હવે કંપની સસ્તા એસી, ફ્રીજ, ટીવી જેવા ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. અહેવાલ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ક્ધઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ સેગમેન્ટમાં વિદેશી કંપનીઓના વર્ચસ્વને ખતમ કરવાની યોજના ધરાવે છે.એસી, ફ્રિજ, ટીવી જેવા સેગમેન્ટમાં, એલજી, Samsung, Whirlpool, Haier, Daikin જેવી બ્રાન્ડ્સે બજાર કબજે કર્યું છે. મુકેશ અંબાણી આ દબદબાને ખતમ કરવા માંગે છે.

ભારતમાં હોમ એપ્લાયન્સિસ અને નાના ઉપકરણોનું માર્કેટ 1.1 લાખ કરોડ રૂૂપિયાનું છે, જેમાં વિદેશી કંપનીઓ LG, Samsung, Whirlpool, Haier વગેરેનો 60% હિસ્સો છે. જ્યારે એસી માર્કેટમાં ટાટાની વોલ્ટાસનો દબદબો છે.તાજેતરમાં જ રિલાયન્સ રિટેલે ઠુુિ બ્રાંડથી એર કૂલર લોન્ચ કર્યું. હવે કંપની હોમ એપ્લાયન્સ સેક્ટરમાં દબદબો વધારવા માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરીંગ કંપનીઓ ડિક્સન ટેક્નોલોજી અને મિર્ક ઇલેક્ટ્રોનિક્સ સાથે વાતચીત કરી રહી છે.

રિલાયન્સ પાસે વિશાળ રિટેલ નેટવર્ક છે. એવું માનવામાં આવે છે કે કંપની ડિજિટલ સ્ટોર્સ તેમજ સ્વતંત્ર ડીલર્સ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને ઈ-કોમર્સ સાઇટ્સ જેવી પ્રાદેશિક રિટેલ ચેન દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. રિલાયન્સ પાસે Jio Mart, Reliance Store જેવા ઘણા વિકલ્પો છે. એવું માનવામાં આવે છે કે રિલાયન્સ Wyzr ની પ્રોડક્ટ્સ LG, Samsung અને Whirlpoolજેવી બ્રાન્ડ્સ કરતાં ઘણી સસ્તી હશે.

રિલાયન્સ સસ્તા અને સસ્તું ભાવે તેના ઉત્પાદનો લોન્ચ કરીને તે ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવામાં નિષ્ણાત છે. પછી તે ઉંશજ્ઞનું લોન્ચિંગ હોય કે ઉંશજ્ઞ સિનેમા. સસ્તી અને ફ્રી ઑફર્સના આધારે તેઓએ ટેલિકોમ અને ઈન્ટરનેટ માર્કેટ પર કબજો જમાવ્યો. હવે વારો છે હોમ એપ્લાયન્સ અને હોમ ઈલેક્ટ્રોનિક માર્કેટનો. આ સમાચાર આવતાની સાથે જ મોટી કંપનીઓના પગ ધ્રુજવા લાગ્યા છે.

 

 

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sports

દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો!! કેપ્ટન રિષભ પંત એક મેચ માટે સસ્પેન્ડ, ફટકાર્યો લાખોનો દંડ, જાણો શું સમગ્ર મામલો

Published

on

By

દિલ્હી કેપિટલ્સને જોરદાર ઝટકો લાગ્યો છે. BCCIએ ટીમના કેપ્ટન રિષભ પંતને સસ્પેન્ડ કરી દીધો છે.રિષભ પંતને રાજસ્થાન રોયલ્સ સામે મેચમાં દિલ્હી કેપિટલ્સના સ્લો ઓવર-રેટ ગુનાના કારણે એક મેચ માટે બેન કરી દેવાયો છે. પંત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને IPL કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન કરવા માટે એક મેચ માટે બેન કરવામાં આવ્યો છે. પંતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે IPL 2024ની મેચ 56 દરમિયાન સ્લો ઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 7 મે 2024એ થઈ હતી. પંતે મિનિમમ ઓવર રેટ સંબંધિત ઓફેન્સ હેઠળ IPLના કોડ ઓફ કંડક્ટ હેઠળ પંતની ટીમનો આ સિઝનનો આ ત્રીજો ગુનો હતો. તેથી રિષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવાયો અને એક મેચ માટે બેન કરવામાં આવ્યો. હવે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકી સભ્યો પર વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા કે તેની સંબંધિત મેચ ફી ના 50 ટકા જે પણ ઓછો દંડ લગાવાયો છે.

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે મેચ રેફરીએ પંતને આ સજા આપી હતી. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, ત્યારબાદ BCCI લોકપાલે તેના પર વર્ચ્યુઅલ સુનાવણી કરી હતી.તે બાદ મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા માનવામાં આવ્યો. માત્ર પંત જ નહીં, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ અન્ય ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયરોને પણ 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.

Continue Reading

રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 65.68% મતદાન, ચૂંટણી પંચે 4 દિવસ બાદ જાહેર કર્યા આંકડા, જાણો ગુજરાતમાં કેટલું થયું વોટીંગ?

Published

on

By

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. ત્યારે મતદાનના ચાર દિવસ બાદ ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા છે. જેમાં સામે આવ્યું છે કે ચૂંટણીના ત્રીજા તબક્કાનું ફાઈનલ મતદાન 65.68 ટકા છે. ચૂંટણી પછી પણ ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યો હતો. જેમાં 64.40 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું હતું, જો કે શનિવારે જાહેર કરવામાં આવેલ ડેટા ચૂંટણીના દિવસે જાહેર કરવામાં આવેલા આંકડા કરતા લગભગ 1 ટકા વધુ છે.

ત્રીજા તબક્કામાં કયા રાજ્યમાં કેટલું મતદાન?

ત્રીજા તબક્કામાં આસામમાં 85.45 ટકા, છત્તીસગઢમાં 71.98 ટકા, બિહારમાં 59.15 ટકા, ગુજરાતમાં 76.06 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.53 ટકા, યુપીમાં 57.55 ટકા, કર્ણાટકમાં 71.84 ટકા અને મધ્યપ્રદેશમાં 66.75 ટકા મતદાન નોંધાયું હતું. 2019ના મતદાનની ટકાવારીની સરખામણીમાં, 2024ના ત્રીજા તબક્કાની કુલ મતદાન ટકાવારીમાં લગભગ બે ટકા ઓછું મતદાન નોંધાયું છે.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ પૂર્ણ થયું હતું. આ દિવસે 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ત્રીજા તબક્કામાં પુરુષોનું મતદાન 66.89 ટકા, મહિલાઓનું મતદાન 64.41 ટકા અને ત્રીજા લિંગનું મતદાન 25.2 ટકા હતું.

કોંગ્રેસ પાર્ટીએ અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ કરવા બદલ ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચનું આ વલણ યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે, ડેટા મોડો જાહેર કરવા પાછળનું કારણ શું છે? તેમણે કહ્યું કે અગાઉની ચૂંટણીઓમાં પંચ 24 કલાકની અંદર અંતિમ આંકડા જાહેર કરી દેતું હતું પરંતુ હવે વિલંબ કેમ થઈ રહ્યો છે. જો કે ચૂંટણી પંચે ખડગેના સવાલ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. પંચે કહ્યું છે કે ખડગે દ્વારા જે પ્રકારના નિવેદનો અને આક્ષેપો કરવામાં આવ્યા છે તે સ્વસ્થ લોકતંત્ર માટે સારા નથી. આનાથી નિષ્પક્ષ મતદાન અંગે મૂંઝવણ ફેલાઈ શકે છે.

Continue Reading

રાષ્ટ્રીય

‘જો મોદી જીતશે તો આવતા વર્ષે શાહને PM બનાવશે…યોગીને CM પદ પરથી હટાવશે’ જેલમાંથી બહાર આવ્યા બાદ બોલ્યા અરવિંદ કેજરીવાલ

Published

on

By

39 દિવસ બાદ જેલમાંથી બહાર આવેલા સીએમ કેજરીવાલ પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમની સાથેપંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહ્યા હતાં.કેજરીવાલે પણ ભાષણ શરુ કરતા જ જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતુ કે અપેક્ષા નહોતી કે ચૂંટણી સમયે હું બહાર આવી શકીશ.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે જો પીએમ મોદી આ ચૂંટણી જીતી જશે તો બે મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બદલાઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદી આવતા વર્ષે 75 વર્ષના થઈ રહ્યા છે અને દાવો કર્યો કે તેઓ 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. PM મોદી આવતા વર્ષે અમિત શાહને PM બનાવશે. મોદીજી પોતાના માટે વોટ નથી માંગી રહ્યા, તેઓ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે.

સીએમ કેજરીવાલે કહ્યું કે અમારી પાર્ટી અને દેશવાસીઓ બજરંગબલીના આશીર્વાદ ધરાવે છે. એક ચમત્કાર થયો અને હું તમારી વચ્ચે છું. હું જેલમાંથી સીધો જનતા સમક્ષ આવ્યો છું. આપણી આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે જે માત્ર 2 રાજ્યોમાં છે. પીએમ મોદીએ અમારી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જો મોટી પાર્ટીઓના ચાર મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવે તો પાર્ટી બરબાદ થઈ જાય છે પરંતુ AAP સાથે આવું ન થયું. આ એક વિચાર છે જે હંમેશા વધશે.

કેજરીવાલે કહ્યું કે જે લોકો પીએમ મોદીને મળવા જાય છે, તેઓ પણ અમને ઓળખે છે. તે અમને કહે છે કે જ્યારે પણ પીએમ મોદી તેમને મળે છે, ત્યારે તેઓ ફક્ત કેજરીવાલ અને AAP વિશે પૂછે છે.

કેજરીવાલે કહ્યું કે પીએમ મોદી કહે છે કે તેઓ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે પરંતુ તેમણે દેશના સૌથી મોટા ચોરોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. તેમણે આવા લોકો સામે ED-CBIના તમામ કેસ બંધ કરી દીધા. હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે જો તેઓ ભ્રષ્ટાચાર સામે લડવા માંગતા હોય તો કેજરીવાલ પાસેથી શીખો.

Continue Reading

Trending