Connect with us

ગુજરાત

શહેરના 392700 પ્રમાણિક કરદાતાઓએ પ્રથમ વખત સંપૂર્ણ મિલકત વેરો ભર્યો

Published

on

  • રીકવરી ઝુંબેશના છેલ્લા ત્રણ દિવસ વધુ 17 મિલ્કત સીલ, 10ને જપ્તીની નોટિસ

વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ જાન્યુઆરી માસથી રિકવરી ઝુંબેશ શરૂ કરી છે જેના કારણે આ વખતે રેકર્ડબ્રેક કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છે. પ્રથમવખત શહેરના 392700 કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છતાં આજે વધુ 17 મીલ્કત સીલ કરી 10ને જપ્તીની નોટીસ ફટકારી 3 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂપિયા 71.16 લાખની વસુલાત કરી હતી.

વેરાવિભાગ દ્વારા કુવાડવા રોડ પર આવેલ બજરંગ કાસ્ટીંગ ગ્રાઉન્ડ ફ્લોર 1-યુનિટને સીલ મારેલ, ભાવનગર રોડ પર આવેલ અનમોલ પાર્કમા 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.40,000, કુવાડવા રોડ પર આવેલ શ્રી સત્ય એપાર્ટમેન્ટ શોપ નં-1 પટેલ આઇસ ચેમર્બ્સ ની નોટીસ સામે રીકવરી રૂૂ.48,110, મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિશાન સોસાયટી 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.08 લાખ, મનહર સોસાયટીમા 1-નળ કનેક્શન ક્પાત, પેડક રોડ પર આવેલ જાનકી ચેમ્બર્સ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 ને સીલ કરેલ, પેડક રોડ પર આવેલ જાનકી ચેમ્બર્સ ફર્સ્ટ ફ્લોર શોપ નં-105 ને સીલ કરેલ, સંત કબીર રોડ પર આવેલ શેરી નં-2 શોપ નં-1ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.58,410ની કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા સંત કબીર રોડ પર અવેલ ઉમાવંશી બ્રાસ બેડસ શોપ નં-1 ફળા; 2ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.3.98 લાખ, સંત કબીર રોડ પર આવેલ ભોલારામ સોસાયટીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.56,400, સંત કબીર રોડ પર આવેલ રાજારામ સોસાયટીમાં 1-નળ કનેક્શન ક્પાત સામે રીકવરી રૂૂ.33,306, ભક્તિનગર સ્ટેશન પ્લોટ અવધ આર્કેડ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-116 ને સીલ મારેલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ ડાયાભાઇ કિલનિક ની નોટીસ સામે રીકવરી રૂૂ.1.14 લાખ, જાગનાથ પ્લોટ શેરી નં-4 1-યુનિટની સામે રીકવરી 1.45 લાખ, યાજ્ઞિક રોદ પર આવેલ રાજેશ્વરી કોમ્પ્લેક્ષ દેવ કોમ્પ્યુટરન થર્ડ ફ્લોર શોપ નં-303 ને સીલ મરેલ, મોટામોવા રંગોલી પાર્કમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.22 લાખ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ ટ્રિવિન સ્ટાર પાસે નાઇથ ફ્લોર ઓફિસ નંબર 902 નાબાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.52,758, વાવડી વિસ્તારમાં રાજલક્ષ્મી ઇન્ડ. એરીયામાં 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.70 લાખની કરી હતી.

ગુજરાત

CBSEનું પરિણામ જાહેર: ધોરણ 10નું 93.60 ટકા તો ધોરણ 12નું 87.98 ટકા પરિણામ

Published

on

By

CBSE બોર્ડ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ધો.10નું 93.60% અને ધો. 12માં 87.98% પરિણામ આવ્યું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.

આ વર્ષે એટલે કે, 2024નું CBSEનું 87.98% પરિણામ આવ્યું છે. ધોરણ 12માં 24,000થી વધુ વિદ્યાર્થીએ 95 ટકા તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓ 90 ટકા મેળવ્યા છે. આ પરિણામમાં છોકરીઓએ 6.40 ટકાથી વધુ પોઈન્ટ્સથી છોકરાઓને પાછળ છોડી દીધા છે. 91 ટકાથી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે.

ધો.10માં 22,38,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 20,95,467 વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ધો.10નું 0.48 ટકા રિઝલ્ટ વધુ આવ્યું છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 94.75 ટકા છે અને વિદ્યાર્થિનીઓનું રિઝલ્ટ 92.72 ટકા છે.

Continue Reading

ગુજરાત

રાજકોટમાં 4 માસની માસૂમ બાળાને તાવ ભરખી ગયો

Published

on

By


રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ રોગચાળો દિવસે દિવસે જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાય છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં આવેલા રેનબસેરામાં માતા સાથે આશ્રય લઈ રહેલી ચાર માસની માસુમ બાળકીનું તાવની બિમારી સબબ મોત નિપજ્યું હતું. બાળકીના મોતથી જનેતા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં આવેલા રેનબસેરામાં રહેતી સીમાબેન નામની મહિલાની ચાર માસની પુત્રી પુજાબેન અશોકભાઈ બીસ્તાને તાવ ચડયો હતો જનેતાએ માસુમ પુત્રીને તાવ ચડતાં પ્રાથમિક સારવાર આપી હતી અને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં માસુમ બાળકીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન માસુમ બાળકીનું હોસ્પિટલના બીછાને મોત નિપજતાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક પૂજાબેન બિસ્તા અને તેની માતા સિમાબેન બન્ને રેનબસેરામાં આશ્રય લઈ રહ્યાં હતાં અને માસુમ બાળકી પુજાબેનનું તાવની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

કાલાવડના પીપરી ગામે મિત્રો સાથે નહાવા ગયેલો અવધ નમકીનનો કર્મી ડૂબી જતાં મોત

Published

on

By

ચોરવાડના કુકસવાડાનો યુવાન દોઢ માસ પૂર્વે જ મજૂરી કામ કરવા આવ્યો’તો


ચોરવાડના કુકાસવાડ ગામનો યુવાન દોઢેક માસ પૂર્વે નિકાવા પાસે આવેલી અવધ નમકીન કંપનીમાં કામ કરવા માટે આવ્યો હતો. ગઈકાલે રવિવારની રજા હોવાથી યુવાન પોતાના મિત્રો સાથે પીપરી ગામે મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયો હતો જ્યાં યુવકનું ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના નિકાવાવ પાસે આવેલી અવધ નમકીનમાં કામ કરતો દેવ કરશનભાઈ ભરડા નામનો 19 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના બારેક વાગ્યાના અરસામાં પીપરી ગામે આવેલા તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.


પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ચોરવાડના કુકાસવાડ ગામનો વતની અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. દોઢ માસ પૂર્વે અવધ નમકીનમાં કામ કરવા આવ્યો હતો. ગઈકાલે રવિવારની રજા હોવાથી રૂમ પાર્ટનર મિત્રો સાથે પીપરી ગામે તળાવમાં ન્હાવા ગયો હતો ત્યારે ડૂબી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending