Connect with us

કચ્છ

કચ્છ ટ્રક ઓનર્સ એસો.ની ચૂંટણી ભારે ધમાલ વચ્ચે પ્રમુખ તરીકે નવઘણ આહીર ચૂંટાયા

Published

on

કચ્છમાં 10 હજાર ટ્રક માલિકોના હિતો માટેના સંગઠનની આજ રોજ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ટ્રક ઓનર્સ એસોશિયેશનના હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવાને લઇ ચર્ચા કરવામાં આવી હતી.જોકે હોદ્દેદારો બદલવાને લઇ બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આખરે કચ્છ જિલ્લા ટ્રક ઑનર્સ એસોએસિયનની બેઠક ઉગ્ર બોલાચાલી વચ્ચે પૂર્ણ થઇ છે. આખરે સતત ત્રીજી વખત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે નવઘણ આહીરની વરણી કરવામાં આવી છે. પૂર્વ રાજય મંત્રી વાસણ આહીરના પુત્ર નવઘણ આહીર સતત ત્રીજી વખત ટ્રાન્સપોર્ટ એસોએસિયનના પ્રમુખ બન્યા છે.

મળતી માહિતી મુજબ, કચ્છમાં વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બે જૂથ પડી ગયા છે. જેમાં ખાસ કરીને ટ્રક ઓનર્સ એસોશિયેશનના હોદ્દેદારો બદલવા કે યથાવત રાખવાને લઇ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના સમર્થકો અને હાલના કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહીરના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. બેઠકમાં ગરમાગરમી બાદ પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા પ્રયત્નો કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે,અબડાસાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહીર વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે સતત ત્રીજી વખત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે નવઘણ આહીરની વરણી કરવામાં આવી છે. પૂર્વ રાજય મંત્રી વાસણ આહીરના પુત્ર નવઘણ આહીર સતત ત્રીજી વખત ટ્રાન્સપોર્ટ એસોએસિયનના પ્રમુખ બન્યા છે.

કચ્છ

કચ્છના માધાપર અને ભરૂચમાં બોગસ મતદાનની ફરિયાદો

Published

on

By


ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયુ છે. પરંતુ અમુક સ્થળે બોગસ વોટિંગની ફરિયાદો ઉઠી હતી. જોકે, આવી એકલ દોકલ ઘટનાઓ સિવાય ખાસ કોઇ સ્થળે નોંધપાત્ર ઘટના નહીં બનતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.


કચ્છના માધાપર અને ભરૂચમાં અમુક લોકોના મત બારોબાર નખાઇ ગયાની ફરિયાદો ઉઠી હતી, કચ્છના માધાપરમાં નિવૃત આર્મીમેન રણજીતસિંહ જાડેજા નામે અન્ય જ કોઇ મતદાન કરી ગયુ હતુ. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, મતદાન સ્ટાફે રણજીતસિંહના નામ સામે જે ઇલેકેશ કાર્ડના નંબર લખ્યા હતા તે પણ અન્ય કોઇના નામના હતા, ઉપરાંત રજિસ્ટરમાં સહીની જગ્યાએ અંગુઠાનું નિશાન લગાવેલ હતુ.


આ સિવાય ભરૂચમાં એક ડોકટરને ત્યાં સારવાર લઇ રહેલા 50 જેટલા દર્દીઓની આંગળીઓ ઉપર કાળી શાહી લગાડી તેના નામે બારોબાર મતદાન કરાવી દેવાયુ હતુ. મોટાચાગના ઠાકોર સમાજના લોકોના મત બારોબાર દેવાઇ ગયાનો આક્ષેપ કરાયો છે. સાથોસાથ ડોકટરે પૈસા લઇ આ કૃત્યકર્યુ હતું.

Continue Reading

કચ્છ

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો ઉપર 92 ઉમેદવારોનું ભાવિ કેદ

Published

on

By

ભાવનગરમાં ગઠબંધન અને ભાજપ તો રાજકોટ-પોરબંદર-જામનગર-અમરેલી-ભાવનગર-સુરેન્દ્રનગર અને કચ્છમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર

ક્ષત્રિય આંદોલનની જનક રાજકોટ બેઠક સૌથી હાઈ વોલ્ટેજ તો જામનગર બેઠકમાં આંદોલનની સૌથી વધુ અસરના કારણે જ્ઞાતિ ફેક્ટર નિર્ણાયક

ભાવનગર-સુરેન્દ્રનગરમાં કોળી ઉમેદવારો વચ્ચે મુખ્ય ટક્કર, ક્ષત્રિય આંદોલન અને જ્ઞાતિ ફેક્ટરના પણ ગણિત-વિજ્ઞાન

પોરબંદર અને અમરેલીમાં લેઉવા પાટીદારો વચ્ચે ફાઈટ, ક્ષત્રિય આંદોલનની ખાસ અસર નહિવત, પોરબંદરમાં એક તરફી તો અમરેલીમાં બે તરફી લડાઈ

જૂનાગઢમાં કોળી અને આહિર ઉમેદવારોની લડાઈમાં વાદ-વિવાદ અને છબી ઉપર મુખ્ય મદાર, કચ્છમાં પણ જૂના-નવા ખેલાડીઓની લડાઈમાં ક્ષત્રિય આંદોલનની અસર

દેશના 10 રાજ્યો એન બે કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભાની 93 બેઠકો ઉપર સવારથી મતદાનનો પ્રારંભ થયેલ છે ત્યારે સવારે અમુક મતદાન મથકો ઉપર ઈવીએમમાં ફોલ્ટ સર્જાતા થોડો સમય માટે મતદાન અટકાવી નવા ઈવીએમ કરવામાં આવ્યા હતાં.


સૌરાષ્ટ્રની રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ એમ આઠ લોકસભા બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. આ આઠ બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. આ આઠ બેઠકો ઉપર કુલ 92 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થયું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં માણાવદર અને પોરબંદર ધારાસભાની બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઈ રહી હોય, આ બન્ને બેઠકોના ઉમેદવારોના ભાવિ પણ વોટીંગ મશીનમાં કેદ થયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો ઉપર 2019ની ચૂંટણીમાં સરેરાશ 59 ટકા જેટલું મતદાન થયું હતું આ વખતે મતદાન વધે તે માટે મતદાનનો સમય 11 કલાકનો રાખવામાં આવ્યો છે.


આ આઠ બેઠકો પૈકી રાજકોટ બેઠક ઉપર ભાજપના કેન્દ્રીયમંત્રી પરસોતમભાઈ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે મુખ્ય જંગ છે આ સિવાય અન્ય સાત ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. ક્ષત્રિય આંદોલનનું સર્જન રાજકોટ બેઠક ઉપરથી થયું હોવાથી રાજકોટની બેઠક હાઈવોલ્ટેજ બની ગઈ છે અને દેશભરના રાજકીય નિષ્ણાંતોની નજર રાજકોટ બેઠક ઉપર મંડાયેલ છે. સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, ભાજપના ગઢ અને સૌરાષ્ટ્રના કેપિટલ સમાન રાજકોટની બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટીના ઉમેદવારો અમરેલીથી આયાત થયેલા છે.
આ સિવાય જામનગરની બેઠક ઉપર ભાજપે પૂનમબેનને ત્રીજી વખત રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે તેની સામે નવા ચહેરા જેવા જે.પી. મારવિયાને ટિકિટ આપી છે આ બેઠક ઉપર કુલ 14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે આ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલની સૌથી વધુ અસર હોવાથી ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે.


આજ રીતે પોરબંદર બેઠક ઉપર ભાજપે વર્તમાન સાંસદ રમેશ ધડુકને કાપી કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે પણ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ઉતાર્યા છે આ બેઠક ઉપર કુલ 12 ઉમેદવારો લડી રહ્યા છે. પરંતુ મુખ્ય સ્પર્ધા ભાજપ-કોંગ્રેસ વચ્ચે છે.


ભાવનગરની બેઠક ઉપર કુલ 13 ઉમેદવારો નશીબ અજમાવી રહ્યા છે. અહીં ભાજપે વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને કાપી નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે તો કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ ‘આપ’ના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ઉપર પણ બન્ને મુખ્ય ઉમેદવારો કોળી હોવાથી ક્ષત્રિય આંદોલન નિર્ણાયક ફેક્ટર બની શકે છે. સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ 14 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે અહીં ભાજપે કેન્દ્રીયમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાને કાપીને ચંદુભાઈ શિહોરાને અને કોંગ્રેસે જુના ખેલાડી રૂત્વિક મકવાણાને ટિકિટ આપી છે. આ બેઠક પણ ક્ષત્રિય સમાજના આંદોલનથી પ્રભાવિત છે.


જૂનાગઢ બેઠક ઉપર કુલ 11 ઉમેદવારો મેદાનમાં છે ભાજપ કોળી સાંસદ રાજેશ ચુડાસમાને ભારે વિવાદો વચ્ચે રિપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસ આહિર જ્ઞાતિના હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે આ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલન કરતા વાદ-વિવાદ અને વ્યક્તિગત છબી ઉપર હાર-જીતનો વધુ મદાર દેખાય છે. અમરેલી બેઠક ઉપર ભાજપના સાંસદ નારણ કાછડિયાને કાપી ભરત સુતરિયાને ટિકિટ આપી છે તો કોંગ્રેસે જેનીબેન ઠુંમરને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય અન્ય છ ઉમેદવારો પણ અહીં ચૂંટણી લડી રહ્યા છે. લેઉવા પટેલોની આ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલનની ખાસ અસર નથી.


કચ્છની અનામત બેઠક ઉપર પણ ભાજપે વિનોદ ચાવડાને ફરી ટિકિટ આપી છે તો કોંગ્રેસે કોરીપાટી જેવા નિતેશ લાલણને ટિકિટ આપી છે. આ બેઠક ઉપર કુલ 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને ક્ષત્રિય આંદોલનની સારી એવી અસર પણ આ બેઠક ઉપર છે જો કે, આ આંદોલન પરિણામ બદલી શકે છે કે નહીં? તે તો તા. 4 જૂને જ ખબર પડી શકે.

સૌરાષ્ટ્રની કઈ બેઠક પર કેટલા ઉમેદવાર
સુરેન્દ્રનગર 14
રાજકોટ 9
પોરબંદર 12
કચ્છ 11
જૂનાગઢ 11
જામનગર 14
ભાવનગર 13
અમરેલી 8
ટોટલ 92

Continue Reading

કચ્છ

કચ્છી પાટીદારોએ રિવાજો બદલ્યા, ક્રાંતિકારી સામાજિક પરિવર્તન

Published

on

By

પ્રિ-વેડિંગ ફોટો શૂટ, હલદી રસમને તિલાંજલી, ભોજન સમારંભમાં પણ નક્કી કરેલા મહેમાનોને જ આમંત્રણ

વરરાજાને ફેન્સી દાઢી રાખવાની પણ મનાઈ, સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભ લેવાશે


આજના જમાનામાં લગ્ન કે સામાજિક પ્રસંગો દેખાદેખીના થઈ ગયા છે. ખાસ લગ્નમાં ધુમ ખર્ચાઓ ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. લગ્નના તાંતણે બંધાવાનો પ્રસંગ ધાર્મિક ઓછો અને સામાજિક વધુ બની ગયો છે. અને આજે તો તેમાં પ્રિ-વેન્ડિંગ, જાતભાતની ફેશનો અને વ્યસનોને કારણે તે ટોક ઓફ ટાઉન બનતા હોય છે. ત્યારે કચ્છના કડવા પાટીદાર સમાજે એક અનોખી પહેલ કરી છે. લગ્નમાં વ્યસન અને ફેશન, હલ્દી રસમ અને પ્રિ-વેન્ડિંગને તિલાંજલી આપવી ફેશનેબલ દાઢી નહીં રાખવા સહિતના નિર્ણયો લેવાયા હતાં.


લગ્ન એટલે સાત જનમોને સાથ. લગ્ન એટલે એક-બીજાના થવાનો પવિત્ર સંબંધ…લગ્ન એટલે અગ્નિની સાક્ષીએ જનમો જનમ સાથે રહેવાનું અપાતું વચન. એકબીજા પ્રત્યેના પ્રેમને લગ્નના પવિત્ર તાંતણે બાંધી નવો જીવનસંસાર શરૂૂ કરતાં આજના યુગલો દેખાદેખીમાં ધૂમ ખર્ચાઓ કરે છે. જાતભાતની નવી નવી રસમો ઉભી કરીને લગ્નને એક દેખાદેખીનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે. પહેલાના લગ્નમાં હલદી રસમ કે પ્રિ-વેન્ડિંગ જેવું કંઈ નહતું, છતાં પણ આજે એ તમામ લોકો સુખી સંસાર માણી રહ્યા છે. પરંતુ આજના આધુનિક લગ્નો પાછળ લાખોનો ખર્ચ છતાં પણ અનેક લગ્નો તુટી જાય છે. ત્યારે કચ્છના કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન આગામી અખાત્રીજના દિવસે યોજાવાના છે. આ લગ્નમાં પાટીદાર સમાજે એક એવી પહેલ કરી છે જેની બિરદાવવા લાયક છે.


કચ્છના ઉમિયા માતાજીના સંસ્થાન વાંઢાય ખાતે યોજાનારા આ સમૂહલગ્નમાં સમાજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેની વાત કરીએ તો, કોઈ વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખે, કોઈ પણ યુગલ પ્રિ-વેન્ડિંગ ફોટાશૂટ નહીં કરાવે, હલદી રસમ નહીં રાખે, લગ્ન બાદ ફેશન અને વ્યસનથી મુક્ત રહેશે. અખાત્રીજના દિવસે યોજાનારા આ સમૂહલગ્નમાં 22 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્ન પહેલાં ઉમિયા માતાજી સમક્ષ તમામ વરઘડિયાઓને આ નિર્ણયની જાણકારી આપવામાં આવી. સાથે જ ઉમિયા માતાજીની સાક્ષીએ વ્યસન અને ફેશનથી મુક્ત રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા.


પાટીદાર સમાજના આ સમૂહલગ્નમાં કોઈ દેખાદેખીથી બિનજરૂૂરી ખોટા ખર્ચા નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. ક્ધયાઓને પાનેતર અને વર પક્ષને તલવાર દાતાઓને સહયોગથી આપવામાં આવ્યા છે. કોઈ ક્ધયા પોતાની રીતે પાનેતરની ખરીદી નહીં કરી શકે. તો ભોજન સમારંભમાં પણ નક્કી કરેલા મહેમાનોને જ લાવવાનું રહેશે. તો જે પણ યુગલ આ સમૂહલગ્ન સમારંભ લગ્નના તાંતણે બંધાશે તેમને સાત ફેરા અને કુંવરબાઈની મામેરુ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.


કચ્છ કડવા પાટીદાર સમાજની આ પહેલ ખરેખર બિરદાવવા લાયક છે. આવી પહેલ આજના દરેક સમાજે કરવી જોઈએ. તો જે લોકો સમૂહલગ્ન નથી કરતાં અને લાખોનો ખર્ચ કરીને ચર્ચાનું કેન્દ્ર બને છે તેવા લોકોએ શીખ લેવી જોઈએ. દેખાદેખીના લગ્નનો પૈસાનો વેડફાટ જ થાય છે. તેથી ગુજરાતની તમામ જ્ઞાતિઓ અને સમાજોએ એક થઈને કચ્છના કડવા પાટીદાર સમાજની માફક પહેલ કરીને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

કેવા નિર્ણયો કરાયા
કોઈ વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખે
કોઈ પણ યુગલ પ્રિ-વેન્ડિંગ ફોટાશૂટ નહીં કરાવે
હલદી રસમ નહીં રાખે
લગ્ન બાદ ફેશન અને વ્યસનથી મુક્ત રહેશે
ફેશન-વ્યસનને તિલાંજલી
દેખાદેખીથી નહીં સંસ્કારોથી લગ્ન માટે પહેલ

Continue Reading

Trending