Connect with us

રાષ્ટ્રીય

એડવિનાને લખેલા કાગળો સહિતના દસ્તાવેજો પરત કરવા પીએમ મ્યુઝિયમનો રાહુલને પત્ર

Published

on


નેહરુ મેમોરિયલના સભ્ય ઈતિહાસકાર રિઝવાન કાદરીએ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે સોનિયા ગાંધીની કસ્ટડીમાં નેહરુ સંબંધિત કાગળો છે, તે પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને પરત કરવામાં આવે. આ પહેલા તેમણે સોનિયા ગાંધીને પણ આ અંગે પત્ર લખ્યો હતો. આ પત્ર એડવિના માઉન્ટબેટન સાથેના તેમના પત્રવ્યવહાર સાથે સંબંધિત છે.


તેમણે લખ્યું, પહું આજે તમને વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલય (PMML) વિશે લખી રહ્યો છું, જે પહેલા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય (NMML) તરીકે ઓળખાતું હતું. જેમ તમે જાણો છો, PMML સામ્રાજ્યવાદ વિરોધી સંઘર્ષ સહિત ભારતના આધુનિક અને સમકાલીન ઈતિહાસને જાળવવામાં અને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જવાહરલાલ નેહરુ મેમોરિયલ ફંડે 1971માં જવાહરલાલ નેહરુના ખાનગી કાગળો PMMLને ઉદારતાથી ટ્રાન્સફર કર્યા. આ દસ્તાવેજો ભારતીય ઈતિહાસના મહત્વના સમયગાળા વિશે અમૂલ્ય માહિતી પૂરી પાડે છે.
નહેરુ પરિવાર માટે દસ્તાવેજો મહત્વપૂર્ણ છે.

તેમણે આગળ લખ્યું, પ2008માં તત્કાલિન યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની વિનંતી પર, આ દસ્તાવેજોનો સંગ્રહ PMMLમાંથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. અમે સમજીએ છીએ કે નહેરુ પરિવાર માટે આ દસ્તાવેજોનું વ્યક્તિગત મહત્વ હશે. જો કે, PMML માને છે કે આ ઐતિહાસિક સામગ્રીમાં જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, અરુણા આસફ અલી, વિજય લક્ષ્મી પંડિત, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત જેવા વ્યક્તિત્વો સાથેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે. સંશોધકોને આ પત્રવ્યવહારથી ઘણો ફાયદો થશે. સંભવિત ઉકેલો શોધવામાં તમારા સહકાર બદલ અમે આભારી રહીશું.

રાષ્ટ્રીય

સોશિયલ મીડિયામાં લેટર વાઇરલ, અલ્લુ અર્જુનની મુશ્કેલી વધશે

Published

on

By

સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનને 13 ડિસેમ્બરના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે, તેના કારણે અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી શકે છે અને તેને ફરીથી જેલ જવું પડી શકે છે.
સોશિયલ મીડિયા પર એક લેટરનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લેટર પોલીસ દ્વારા જારી કરવામાં આવ્યો હતો.

જેમાં તેમણે લખ્યું હતું કે, સુરક્ષા કારણોસર પુષ્પા 2ના સ્ટાર્સ થિયેટરમાં ન આવે. એક રિપોર્ટ પ્રમાણે આ પત્ર ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન દ્વારા જારી કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સંધ્યા થિયેટરમાં એક જ પ્રવેશદ્વાર છે. એટલે જ્યારે કોઈ સેલિબ્રિટી આવે છે તો ભીડને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલી પડે છે. લેટરમાં છેલ્લે લખ્યું હતું કે, 4 ડિસેમ્બરે ફિલ્મની ટીમે ત્યાં ન આવવું.


જો આ લેટર સાચો હશે, તો અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી શકે છે. તેઓ હાલમાં 12 જાન્યુઆરી સુધી જામીન પર છે. જો એવું સાબિત થાય છે કે, તેની ટીમે પોલીસની સલાહને અવગણી હતી તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.


હકીકતમાં 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2ના પ્રીમિયર શો દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ નાસભાગમાં રેવતી નામની મહિલાનું શ્વાસ રૂૂંધાવાથી મોત થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન, તેની સિક્યુરિટી ટીમ અને સિનેમા હોલ મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

Continue Reading

રાષ્ટ્રીય

વ્હીપ છતાં ગેરહાજર રહેનારા સિંધિયા સહિતના 20 સાંસદોને ભાજપની નોટિસ

Published

on

By

વન નેશન-વન ઈલેક્શન બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, પાર્ટીએ ગૃહમાં ગેરહાજર રહેલા ભાજપના સાંસદોને નોટિસવન નેશન-વન ઈલેક્શન બિલ પર આજે સંસદમાં ચર્ચા કરવામાં આવી હતી અને તેના પર મતદાન થયું હતું. આ બિલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે બંધારણમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.


ભાજપે પોતાના સાંસદોને આ મહત્વપૂર્ણ અવસર પર ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો. પરંતુ તેમ છતાં ભાજપના 20 થી વધુ સાંસદો મતદાન સમયે ગેરહાજર રહ્યા, જેના કારણે પાર્ટી નારાજ છે. આ મહત્વના પ્રસંગે ભાજપના 20થી વધુ સાંસદોની ગેરહાજરીને કારણે પાર્ટીના મતોમાં થોડો ઘટાડો થયો હતો. ભાજપે તેના ઘણા સાંસદોને નોટિસ મોકલી છે અને અન્યને પણ નોટિસ મોકલવાની છે.


નોટીસ અપાઇ છે તેમાં જગદંબિકા પાલ, નીતિન ગડકરી, જયોતિરાદિત્ય સિંધિયા, શાંતનુ ઠાકુર, ગિરિરાજ સિંહ, જગન્નાથ સરકાર, ઉદયરાજે ભોંસલે, વિજય બઘેલ, અને બીએસ રાઘવેન્દ્રનો સમાવેશ થાય છે.


કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બંધારણ (129મો સુધારો) બિલ, 2024 અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) બિલ, 2024 રજૂ કર્યા હતા. બિલની રજૂઆત દરમિયાન ગૃહમાં જોરદાર ચર્ચા થઈ હતી અને વિપક્ષે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ચર્ચા બાદ મતદાન થયું ત્યારે બિલની તરફેણમાં 269 અને વિરુદ્ધમાં 198 મત પડ્યા. આ બિલ આખરે સંસદની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવ્યું હતું.

Continue Reading

રાષ્ટ્રીય

કિસાન સન્માન નિધિની રકમ બમણી કરવા MSPની કાયદાકીય ગેરન્ટી આપવા ભલામણ

Published

on

By


PM કિસાન સન્માન નિધિને લઈને એક મોટા સમાચાર છે. અહેવાલમાં જણાવાયું છે કે સંસદીય પેનલે સૂચવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ નાણાકીય સહાય તરીકે આપવામાં આવતી રકમ 6,000 રૂૂપિયાથી વધારીને 12,000 રૂૂપિયા કરવી જોઈએ. આ સિવાય ખેડૂતોને MSPની કાયદેસર ગેરંટી આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોના વિરોધ વચ્ચે સંસદીય પેનલનું આ સૂચન આવ્યું છે. અહેવાલ મુજબ કોંગ્રેસના સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની આગેવાની હેઠળની કૃષિ, પશુપાલન અને ખાદ્ય પ્રક્રિયા પરની સ્થાયી સમિતિએ તેના પ્રથમ અહેવાલ (18મી લોકસભા)માં આ ભલામણો કરી છે. આ ભલામણો મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની પગ્રાન્ટ્સ માટેની માગણીઓ (2024-25)થ પર કરવામાં આવી છે.


આ ઉપરાંત કમિટીએ એવી પણ ભલામણ કરી છે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગનું નામ બદલીને પકૃષિ, ખેડૂત અને ખેત મજૂર કલ્યાણ વિભાગ કરવામાં આવે. સમિતિએ એમ પણ કહ્યું કે તે માને છે કે ખેડૂતોને આપવામાં આવતા મોસમી પ્રોત્સાહનો શેરખેડનારાઓ અને ખેત મજૂરો સુધી પણ લંબાવી શકાય છે.
તેની ભલામણોમાં સમિતિએ કહ્યું છે કે તે માને છે કે કૃષિ વિભાગે ખેડૂતોને કાયદાકીય ગેરંટી તરીકે ખજઙના અમલ માટે શક્ય તેટલી વહેલી તકે રોડમેપ જાહેર કરવો જોઈએ. સમિતિએ એમ પણ કહ્યું કે વેપાર નીતિ સંબંધિત કોઈપણ જાહેરાત કરતા પહેલા ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનો અને લોકો સાથે ચર્ચા કરવી જોઈએ.


સમિતિએ કહ્યું કે તે માને છે કે કૃષિ ઉત્પાદનો પર બદલાતી આંતરરાષ્ટ્રીય આયાત-નિકાસ નીતિને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. સમિતિ ભારપૂર્વક ભલામણ કરે છે કે CACP (કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ)ની તર્જ પર કાયમી સંસ્થા/સંસ્થાની રચના કરવામાં આવે અને તેમાં કૃષિ નિષ્ણાતો તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય.

Continue Reading
ક્રાઇમ4 minutes ago

તળાજાના દકાના ગામમાંથી વિદેશી દારૂની 1848 બોટલ, 264 ટીન ઝડપાયા

ગુજરાત5 minutes ago

લીંબડી જેલમાં DYSPનું રાત્રે ઓચિંતુ ચેકિંગ, ‘ઘેર’ હાજર ચાર પોલીસમેન સસ્પેન્ડ

ગુજરાત8 minutes ago

સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી કાઢવાની મંજૂરી ગેરકાયદેસર

ગુજરાત8 minutes ago

મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ઘાતક નિવડતા મળ્યું મોત

ગુજરાત17 minutes ago

PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની બે હોસ્પિટલ સસ્પેન્ડ

ગુજરાત38 minutes ago

ભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયા

ગુજરાત40 minutes ago

સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મામલે જૂથ અથડામણ : આરોપીઓનો ‘વરઘોડો’ નીકળ્યો

ગુજરાત43 minutes ago

ખંભાળિયામાં બોગસ દસ્તાવેજમાં સંડોવાયેલ પાંચ આરોપી ઝડપાયા

ગુજરાત47 minutes ago

ભાદર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયું, શિયાળુ પાકને થશે ફાયદો

ગુજરાત59 minutes ago

જસદણ-ભાડલા રૂટની બસ બંધ થતા છાત્રોનો ચક્કાજામ

રાષ્ટ્રીય2 days ago

અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા

આંતરરાષ્ટ્રીય21 hours ago

આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો

આંતરરાષ્ટ્રીય2 days ago

જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ

રાષ્ટ્રીય22 hours ago

‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા

ગુજરાત2 days ago

યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન

ગુજરાત2 days ago

રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન

ગુજરાત2 days ago

સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા

ગુજરાત2 days ago

શનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રી

ગુજરાત2 days ago

દસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટર

ગુજરાત2 days ago

આધુનિકતાની આડમાં વિસરાતા સંસ્કારો: ચાર પુત્રોએ માતાને તરછોડ્યા

Trending