જ્યોર્જિયાથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં એક ભારતીય રેસ્ટોરાંમાંથી 12 જેટલાં લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ રેસ્ટોરાંનું નામ ગુડાઉરી સ્કી રિસોર્ટ નામે ઓળખાય છે. મૃતકોમાં 11 વિદેશી જ્યારે અન્ય 1 જ્યોર્જિયન નાગરિકનો સમાવેશ છે.
જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે રેસ્ટોરાંના બીજા માળેથી 12 લોકોનાં મૃતદેહો મળી આવ્યા હતા જ્યાં આ લોકોના સુવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
એવી માહિતી છે કે મૃતકો રેસ્ટોરાંના સ્ટાફના સભ્યો જ હતા. જોકે તપાસમાં જાણવા મળ્યું કે મૃતકોના મૃતદેહો પર કોઈ શોષણ કે ઈજાના નિશાન નહોતા. પ્રારંભિક ધોરણે જનરેટરનો ઉપયોગ કરતી વખતે શોર્ટ સર્કિટમાં આ લોકોનો મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. કારણે, ઘરમાં બેડની નજીક રાખવામાં આવેલું જનરેટરની સ્વિચ ચાલુ હતી. પોલીસ ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક પોલીસ ફોરેન્સિક ટીમ સાથે મળી મોતનો કોયડો ઉકેલવા પ્રયાસ કરી રહી છે.
પ્રારંભિક ધોરણે જણાવ્યું હતું કે, રૂૂમમાં જનરેટર માટે મર્યાદિત જગ્યા હોવાથી કાર્બન મોનોકસાઈડનું પ્રમાણ વધ્યું હતું. જેના લીધે રૂૂમમાં ઝેરી વાયુ પ્રસરતા મોત થયુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી રિસોર્ટની સુરક્ષા મુદ્દે સવાલો ઉભા થયા છે. ખાસ કરીને ઓછી જગ્યામાં જનરેટરનો ઉપયોગ જોખમી હોવા છતાં રિસોર્ટમાં જનરેટર લગાવાયા હતા. જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રીએ આ કોયદો ઝડપથી ઉકેલવા આદેશ આપ્યા છે.
