Connect with us

રાષ્ટ્રીય

અહીંથી પાર્કિન્સનના દર્દીઓને મળે છે જીવન જીવવાનું જોમ

Published

on

  • આવતીકાલે વિશ્વ પાર્કિન્સન દિવસ
  • BKP PDMDSમાં નિ:શુલ્ક ફિઝિયોથેરાપી સ્પીચ, થેરાપી કોગ્નિટિવ,ઓક્યુપેશનલ ડાન્સ, આર્ટ, ક્રાફ્ટ સાયકોલોજિકલ કાઉન્સિલિંગ વગેરે નિ:શુલ્ક કરાવવામાં આવે છે
  • પાર્કિન્સન દર્દીઓના સ્વજન બની સમજણ અને સારવાર આપે છે ડો.નમ્રતા ચાવડા

કોઈ વ્યક્તિ હાલતા ચાલતા સામાન્ય જિંદગી જીવતું હોય, ખાઈ પી અને મોજ કરતું હોય અને એવામાં શરીરનું કોઈ એક અંગ સતત ધ્રુજવાની બીમારીમાં સપડાઈ જાય તો શું સ્થિતિ થાય? અને ફક્ત એક અંગ જ નહીં ધીમે ધીમે બીજા અંગો પણ ધ્રુજવા લાગે આવી કંંપવાની બીમારી આવે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.શારીરિક બીમારી સાથે માનસિક સંતુલન પણ ખોરવાઈ જાય છે. દેખીતી રીતે કોઈ ગંભીર બીમારી ન જણાવા છતાં આ બીમારીના કારણે ગંભીર પ્રશ્નો ચોક્કસ સર્જાતા હોય છે પરંતુ જો અમુક બાબતનો ખ્યાલ રાખવામાં આવે તો ચોક્કસ આ બીમારીની સાથે પણ સરસ મજાનું જીવન જીવી શકાય છે. આ બીમારી એટલે કંપવા એટલે કે પાર્કિન્સન રોગ. આવતીકાલે વિશ્વ પાર્કિન્સન દિવસ છે ત્યારે આ રોગના દર્દીઓ માટે છેલ્લા સાત વર્ષથી કાર્યરત ડો.નમ્રતા ચાવડાની કામગીરી જાણવા જેવી છે.
ફિઝિયોથેરાપીસ્ટ ડો.નમ્રતા ચાવડાનો જન્મ રીબડા ખાતે મઘ્યમ વર્ગીય પરિવારમાં થયો. પિતાજી ક્લાર્ક હતા અને માતા જેતપુર ખાતે શિક્ષિકાની ફરજ બજાવતા.બંનેની નોકરીના કારણે ત્રણ વર્ષની ઉંમરથી જ પોતાના કામ જાતે કરવા ટેવાયેલા હતા.

તેઓ જણાવે છે કે,‘માતા-પિતાએ અમારું બાળપણ જોયેલ નથી અને અમે પણ એ પ્રેમથી વંચિત રહ્યા છીએ. સંજોગોના કારણે કોઈ વસ્તુ જીદ કરીને માગી નથી’. રાજકોટ આવ્યા બાદ સંગીત, નૃત્ય, ટ્રેકિંગ વગેરેમાં રસ લીધો.બાળપણથી જ અનેક સંઘર્ષોને સાથી બનાવનાર નમ્રતાબેનના દાદીને કોબ્રા કરડતા કોમામાં સરી પડ્યા હતા અને તેને જોઈને મેડિકલ લાઈનમાં જવાની ઈચ્છા મજબૂત બની.રાજકોટના કે.કે.શેઠ ફિઝિયોથેરાપી કોલેજમાં સાડા ચાર વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો.ઇન્ટર્નશિપ કરી. અનેક જગ્યાએ સેવાઓ આપી તથા પર્સનલી પણ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ આપવા જતાં .આ સમય દરમિયાન રાજકોટમાં સ્થપાયેલ બળવંત કે.પારેખ પાર્કિન્સન ડીસીસ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટીની જાણ થઈ.જાણે કુદરતે સામેથી સેવાનો મોકો આપ્યો જે નમ્રતાબેને ઝડપી લીધો. આજે તેઓ આ સંસ્થામાં કોઓર્ડિનેટર કમ ફિઝિયોથેરાપિસ્ટની કામગીરી બજાવે છે.

આ સંસ્થા વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘આ સંસ્થામાં કંપવાના દર્દી તેમજ તેમના સગા-વ્હાલાઓ માટે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી સ્પીચ, થેરાપી કોગ્નિટિવ ઓક્યુપેશનલ ડાન્સ, આર્ટ, ક્રાફ્ટ, સાયકોલોજિકલ કાઉન્સિલિંગ વગેરે કરાવવામાં આવે છે. દર્દીને શરૂઆતમાં ધ્રુજારી, જકડામણ અને પહેલાં કરતા રોજિંદુ કામકાજ ધીમું થવું એવા લક્ષણો જોવા મળે છે સમય જતાં પગ ચોંટી જવા, બેલેન્સમાં ગરબડ, ચાલવામાં તકલીફ, મોઢાના હાવભાવ લાગણી દર્શાવવી બોલવામાં તકલીફ, સુગંધ પારખવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. આ સિવાય ચિંતા, ઉદાસી, ઊંઘમાં તકલીફ, આભાસ થવો, કબજિયાત વગેરે તકલીફોનો સામનો કરવો પડે છે.આ બધી તકલીફો સામે તકલીફ વગર જીવન કંઈ રીતે જીવવું તેની અહીં સમજ આપવામાં આવે છે.’

હાલ નમ્રતાબેન ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ સાથે નિયમિત રીતે આ દર્દીઓના સ્વજન બની તેમને સમજણ અને સારવાર આપે છે. નમ્રતાબેન જણાવે છે કે આ દર્દીઓ સાથે કામ કરીને જીવનનો એક સંતોષ મળે છે અને જાણે જિંદગીને એક મંઝિલ મળી ગઈ હોય તેવો અનુભવ થાય છે. આ દર્દીઓ માટે જ તેઓ ભવિષ્યમાં વધુ કામગીરી કરવા માગે છે. તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા.વધુ માહિતી માટે 83206 45080 આ નંબર પર સંપર્ક કરી શકો છો.

કોઈપણ સંજોગો સામે હાર ન માને એ જ નારી શક્તિ
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે જ્યારે પરિવારના કોઈ સ્વજન પાર્કિન્સન રોગથી પીડાતા હોય ત્યારે જે મહિલા સભ્યો હોય તેણે ધીરજ રાખવી અને ખૂબ સમજણપૂર્વક તેમની સાથે વર્તન કરવું જોઈએ. બહેનો કોઈપણ કામ ધીરજ, ખંતપૂર્વક અને મહેનતથી કરે તેવું ઈશ્વરે તેમને વરદાન આપ્યું છે તેથી કોઈપણ કામમાં તે હાર માનતી નથી.

શા માટે થાય છે પાર્કિન્સન રોગ?
પાર્કિન્સન રોગ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરતો ડિજનરેટિવ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. આપણા શરીરને ઉપયોગી એવું એક મગજનું રસાયણ – ડોપામાઈનને રિલીઝ કરતા મગજના કોષો અમુક કારણસર નાશ પામવાના કારણે શરીરના જુદા જુદા અવયવોને અસર કરે છે. આ રોગના લક્ષણોને મુખ્યત્વે બે ભાગમાં જુદા પાડી શકાય છે. Motor (હલનચલનને લગતા) લક્ષણો કે જેમાં ધ્રુજારી, સ્નાયુમાં જકડન, હલન ચલન ધીમી થવી, સમતોલનમાં તકલીફ થવીનો સમાવેશ થાય છે. બીજા પ્રકારના લક્ષણોને Non-Motorકહેવાય છે. જેમાં કબજિયાત, વિચાર શક્તિ અને મૂડમાં ફેરફાર થવો, સેક્સ્યૂઅલ પ્રોબ્લેમ્સ. દુખાવો, ઊંઘમાં તકલીફ થવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

‘સંગાથે સહુ આગળ વધીએ’ના સૂત્ર સાથે જાગૃતતા લાવે છે BKP PDMDS
બળવંત કે.પારેખ પાર્કિન્સન ડિસીસ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી એટલે કે  BKP PDMDS સંસ્થા 2015થી કંપવાના દર્દીઓ માટે કાર્યરત છે.ગુજરાત ખાતે રાજકોટ સહિત 14 જેટલા સેન્ટર કાર્યરત છે. જે નિ:શુલ્કં કંપવા દર્દી અને તેમના સગાઓ માટે ઓનલાઇન અને ઓફલાઈન સુવિધા પૂરી પાડે છે. ‘સંગાથે સહુ આગળ વધીએ’ના સૂત્ર સાથે લોકોમાં જાગરૂકતા વધારે છે. રાજકોટ ખાતે છેલ્લા 9 વર્ષથી સર લાખાજીરાજ લાઈબ્રેરી ખાતે BKP PDMDS ફ્રી સેવા દર શનિવારે સાંજે 4-6 વાગે ગ્રુપ થેરાપી દ્વારા કંપવાના દર્દી અને તેમના સગા-વ્હાલાને ડોક્ટરોની મદદ વડે થેરાપી અને માર્ગદર્શન આપવામાં આવે છે. આવતીકાલે આ દિવસની ઉજવણી દર્દી ડાન્સ કરી ઉજવશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sports

દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો!! કેપ્ટન રિષભ પંત એક મેચ માટે સસ્પેન્ડ, ફટકાર્યો લાખોનો દંડ, જાણો શું સમગ્ર મામલો

Published

on

By

દિલ્હી કેપિટલ્સને જોરદાર ઝટકો લાગ્યો છે. BCCIએ ટીમના કેપ્ટન રિષભ પંતને સસ્પેન્ડ કરી દીધો છે.રિષભ પંતને રાજસ્થાન રોયલ્સ સામે મેચમાં દિલ્હી કેપિટલ્સના સ્લો ઓવર-રેટ ગુનાના કારણે એક મેચ માટે બેન કરી દેવાયો છે. પંત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને IPL કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન કરવા માટે એક મેચ માટે બેન કરવામાં આવ્યો છે. પંતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે IPL 2024ની મેચ 56 દરમિયાન સ્લો ઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 7 મે 2024એ થઈ હતી. પંતે મિનિમમ ઓવર રેટ સંબંધિત ઓફેન્સ હેઠળ IPLના કોડ ઓફ કંડક્ટ હેઠળ પંતની ટીમનો આ સિઝનનો આ ત્રીજો ગુનો હતો. તેથી રિષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવાયો અને એક મેચ માટે બેન કરવામાં આવ્યો. હવે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકી સભ્યો પર વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા કે તેની સંબંધિત મેચ ફી ના 50 ટકા જે પણ ઓછો દંડ લગાવાયો છે.

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે મેચ રેફરીએ પંતને આ સજા આપી હતી. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, ત્યારબાદ BCCI લોકપાલે તેના પર વર્ચ્યુઅલ સુનાવણી કરી હતી.તે બાદ મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા માનવામાં આવ્યો. માત્ર પંત જ નહીં, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ અન્ય ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયરોને પણ 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.

Continue Reading

રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 65.68% મતદાન, ચૂંટણી પંચે 4 દિવસ બાદ જાહેર કર્યા આંકડા, જાણો ગુજરાતમાં કેટલું થયું વોટીંગ?

Published

on

By

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. ત્યારે મતદાનના ચાર દિવસ બાદ ચૂંટણી પંચે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મતદાનના આંકડા જાહેર કર્યા છે. જેમાં સામે આવ્યું છે કે ચૂંટણીના ત્રીજા તબક્કાનું ફાઈનલ મતદાન 65.68 ટકા છે. ચૂંટણી પછી પણ ચૂંટણી પંચે ડેટા જાહેર કર્યો હતો. જેમાં 64.40 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું હતું, જો કે શનિવારે જાહેર કરવામાં આવેલ ડેટા ચૂંટણીના દિવસે જાહેર કરવામાં આવેલા આંકડા કરતા લગભગ 1 ટકા વધુ છે.

ત્રીજા તબક્કામાં કયા રાજ્યમાં કેટલું મતદાન?

ત્રીજા તબક્કામાં આસામમાં 85.45 ટકા, છત્તીસગઢમાં 71.98 ટકા, બિહારમાં 59.15 ટકા, ગુજરાતમાં 76.06 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.53 ટકા, યુપીમાં 57.55 ટકા, કર્ણાટકમાં 71.84 ટકા અને મધ્યપ્રદેશમાં 66.75 ટકા મતદાન નોંધાયું હતું. 2019ના મતદાનની ટકાવારીની સરખામણીમાં, 2024ના ત્રીજા તબક્કાની કુલ મતદાન ટકાવારીમાં લગભગ બે ટકા ઓછું મતદાન નોંધાયું છે.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ પૂર્ણ થયું હતું. આ દિવસે 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ત્રીજા તબક્કામાં પુરુષોનું મતદાન 66.89 ટકા, મહિલાઓનું મતદાન 64.41 ટકા અને ત્રીજા લિંગનું મતદાન 25.2 ટકા હતું.

કોંગ્રેસ પાર્ટીએ અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ કરવા બદલ ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચનું આ વલણ યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે, ડેટા મોડો જાહેર કરવા પાછળનું કારણ શું છે? તેમણે કહ્યું કે અગાઉની ચૂંટણીઓમાં પંચ 24 કલાકની અંદર અંતિમ આંકડા જાહેર કરી દેતું હતું પરંતુ હવે વિલંબ કેમ થઈ રહ્યો છે. જો કે ચૂંટણી પંચે ખડગેના સવાલ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. પંચે કહ્યું છે કે ખડગે દ્વારા જે પ્રકારના નિવેદનો અને આક્ષેપો કરવામાં આવ્યા છે તે સ્વસ્થ લોકતંત્ર માટે સારા નથી. આનાથી નિષ્પક્ષ મતદાન અંગે મૂંઝવણ ફેલાઈ શકે છે.

Continue Reading

રાષ્ટ્રીય

‘જો મોદી જીતશે તો આવતા વર્ષે શાહને PM બનાવશે…યોગીને CM પદ પરથી હટાવશે’ જેલમાંથી બહાર આવ્યા બાદ બોલ્યા અરવિંદ કેજરીવાલ

Published

on

By

39 દિવસ બાદ જેલમાંથી બહાર આવેલા સીએમ કેજરીવાલ પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમની સાથેપંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહ્યા હતાં.કેજરીવાલે પણ ભાષણ શરુ કરતા જ જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતુ કે અપેક્ષા નહોતી કે ચૂંટણી સમયે હું બહાર આવી શકીશ.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે જો પીએમ મોદી આ ચૂંટણી જીતી જશે તો બે મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બદલાઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદી આવતા વર્ષે 75 વર્ષના થઈ રહ્યા છે અને દાવો કર્યો કે તેઓ 17 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. PM મોદી આવતા વર્ષે અમિત શાહને PM બનાવશે. મોદીજી પોતાના માટે વોટ નથી માંગી રહ્યા, તેઓ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે.

સીએમ કેજરીવાલે કહ્યું કે અમારી પાર્ટી અને દેશવાસીઓ બજરંગબલીના આશીર્વાદ ધરાવે છે. એક ચમત્કાર થયો અને હું તમારી વચ્ચે છું. હું જેલમાંથી સીધો જનતા સમક્ષ આવ્યો છું. આપણી આમ આદમી પાર્ટી એક નાની પાર્ટી છે જે માત્ર 2 રાજ્યોમાં છે. પીએમ મોદીએ અમારી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જો મોટી પાર્ટીઓના ચાર મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવે તો પાર્ટી બરબાદ થઈ જાય છે પરંતુ AAP સાથે આવું ન થયું. આ એક વિચાર છે જે હંમેશા વધશે.

કેજરીવાલે કહ્યું કે જે લોકો પીએમ મોદીને મળવા જાય છે, તેઓ પણ અમને ઓળખે છે. તે અમને કહે છે કે જ્યારે પણ પીએમ મોદી તેમને મળે છે, ત્યારે તેઓ ફક્ત કેજરીવાલ અને AAP વિશે પૂછે છે.

કેજરીવાલે કહ્યું કે પીએમ મોદી કહે છે કે તેઓ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે પરંતુ તેમણે દેશના સૌથી મોટા ચોરોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. તેમણે આવા લોકો સામે ED-CBIના તમામ કેસ બંધ કરી દીધા. હું પીએમ મોદીને કહેવા માંગુ છું કે જો તેઓ ભ્રષ્ટાચાર સામે લડવા માંગતા હોય તો કેજરીવાલ પાસેથી શીખો.

Continue Reading

Trending