અમરેલી
ધારીમાં આંબા નીચે રમતી બાળકી ઉપર દિપડાનો હુમલો
અમરેલીના ધારીના જળજીવડી ગામની સીમમાં વાડી વિસ્તારમાં ધોળા દિવસે દીપડાએ બાળકી ઉપર હુમલો કર્યો હતો. જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. બાળકી પર હુમલો થતાં તેને મોઢા સહિતમાં ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. તેમજ વનવિભાગની ટીમને જાણ થતાં ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટીમે આંબાવાડીમાંથી જ દીપડાને પકડી પાંજરે પૂર્યો હતો.
ધારીના જળજીવડી ગામમાં કેરીના બગીચા નીચે બાળકી રમી રહી હતી. તેમજ તેની બાજુમાં તેના પિતા સુરેશભાઈ રાઠોડ સહિત મજૂર પરિવાર કામ કરી રહ્યો હતો. આ દરમિયના અચાનક આંબાના છાયડા નીચે રમી રહેલી ગોપી નામની 5 વર્ષની બાળકી પર પાછળથી આવી દીપડાએ હુમલો કરી દીધો હતો. જેથી ભારે બુમાબુમ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બાળકીના પિતા સહિતનાઓ દીપડાની પાછળ દોડ્યા હતા. જેથી દીપડો બાળકીને મુકીને ભાગી ગયો હતો. દીપડાના હુમલાથી ગોપી નામની બાળકી લોહિલુહાણ થઈ હતી. જોકે, બાળકી મોતના મુખમાંથી બચી ગઈ છે. બાળકીને તાત્કાલીક ધારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ગોપીની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. હાલ ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ પણ દોડી આવી છે.
દીપડાના હુમલાની ઘટનાને લઈ ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલા દ્વારા દલખાણીયા રેન્જને સૂચના આપવામાં આવતા વનવિભાગની ટીમ ઘટનાની ગંભીરતા દાખવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટના કેવી રીતે સર્જઈ તેને લઈ પરિવાર પાસેથી માહિતી મેળવી હતી. હાલ વનવિભાગ દ્વારા 5 જેટલા પાંજરા મુકવા માટેની કવાયત શરૂૂ કરવામાં આવી છે.
ધારીના જલ જીવડી ગામની સીમમાં આંબા વાડીમાથી જ વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુર્યો હતો. પ્રથમ બેભાન કરી પકડી પાડવામાં વનવિભાગને સફળતા મળી હતી. ઘટના બાદ 6 કલાકમાં દીપડાને પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
અમરેલી
વડિયા-બગસરામાં અનરાધાર 5 ઇંચ વરસાદ
અમરેલીના વડિયા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા સોમવારના સાંજે પાંચ વાગ્યાં સુધીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદ પેહલા વાવણી કરેલા કપાસિયા અગાવના થોડા વરસાદ થી ઉગ્યા બાદ વરસાદના અભાવે હતા તે મુરજાતા પાક ને જીવત દાન મળતા ચાતક નજરે રાહ જોતા જગતાતમાં હરખની હેલી જોવા મળી છે. તો બીજી બાજુ વડિયા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન ગણાતા સુરવો ડેમ પણ તળિયા ઝાટક હતો તેમાં પણ છ ફૂટ નવા નિરની આવક થઇ છે તો વડિયાની ભાગોળે આવેલા સાંકરોળી ડેમમાં દસ ફૂટ નવા નિરની આવક થતા સમગ્ર પંથકમાં અવિરત મેંઘ સવારી થી ખુશીનો માહોલ છવાયો છે અને લાપસીના આંધણ મુકાતા જોવા મળી રહ્યા છે.
બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તાર
બગસરા તાલુકાના હડાળા માવજીજવા બાલાપુર પીઠડીયા નવા- જુના વાઘણીયા ખારી ખીજડીયા ચારણ પીપળી નાના મુંજીયાસર મોટા મુંજીયાસર રફાળા આદપુર સહિત સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદી પાણી ખેતરોમાં ભરાયા ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકને ફાયદાકારક સાબિત થશે હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂૂપે બગસરા પંથકમાં પણ સવારથી ધીમીધારે વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્યો બગસરાથી હડાળા રોડ પર ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અવરજવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યોહતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
અમરેલી
લીલિયા ચેમ્બર ઓફ કોમર્સના બંધને બહોળો પ્રતિસાદ
છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાના લીલીયાના લોકો ગટરની સમસ્યાને લઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેના પગલે લીલીયા ચેમ્બર્સ ઑફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. આજે લીલીયા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. બીજી તરફ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્યે ભાજપ સામે નિશાન સાધ્યું હતુ. જ્યારે સત્તાધીશ ભાજપ દ્વારા 10 હજાર કરોડની ગટર યોજના મંજૂર થઈ હોવાનું જણાવ્યું હતુ.
હકીકતમાં છેલ્લા 7-8 વર્ષથી લીલીયાના બજારોમાં ગટરના ગંદા પાણીઓ વહી રહ્યાં છે. જેના કારણે વેપારીઓ ઉપરાંત સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ મામલે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
આખરે આજે વેપારીઓ અને ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેને વ્યાપક પ્રતિસાદ સાંપડતા લીલીયા સજ્જડ બંધ રહ્યું હતુ. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વેપારીઓને પોતાનો ટેકો જાહેર કરીને સત્તાધીશ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.
બીજી તરફ ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા પણ વેપારી વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગટર માટે 10 કરોડની યોજના માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતુ.
અમરેલી
અમરેલીના રામપરા ગામે સિંહોના ધામા : ગ્રામજનોમાં ભયનો માહોલ
સરપંચે વનમંત્રીને રજૂઆત કરતાં ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું
અમરેલીના રાજુલા તાલુકાના રામપરા ગામમાં આજે સતત બીજા દિવસે સિંહે ધામા નાખતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. રામપરા ગામમાં લોકોના ઘરના આંગણા પાસે જ બે સિંહોએ પશુનું મારણ કર્યું હતું. સિંહના મારણનોવીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ પણ રામપરા ગામમાં પહોંચી હતી.
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે જંગલ વિસ્તાર નજીકના ગામોમાં સિંહ અવારનવાર ચડી આવતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. રાજુલા તાલુકાના રામપરા ગામમા ંસતત બે દિવસથી સિંહ આવી ચડતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. ગતરાત્રિએ ગામમાં આવેલા બે સિંહોએ ત્રણ પશુઓનું મારણ કરતા ગામલોકોમાં ડરનો માહોલ છવાયો છે.
ગઈકાલે જ રાજુલાના રામપરા ગામના સરપંચ છનાભાઈ વાઘ દ્વારા રાજય સરકારના વનમંત્રી મુળુ બેરા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. સરપંચની રજૂઆતના બીજા દિવસે પણ ગામમાં સિંહ આવ્યાનો વીડિયો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ રામપરા દોડી ગઈ હતી અને સિંહને જંગલ વિસ્તાર તરફ ખસેડ્યા હતા.
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
ગુજરાત7 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ક્રાઇમ6 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર7 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
-
પોરબંદર7 months ago
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો
-
પોરબંદર7 months ago
પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત