રાષ્ટ્રીય
સંઘર્ષ અને સફળતાનું સરનામું એટલે ડો.નૂતન ગોકાણી
પોરબંદરનો દરિયો બચાવવાનો હોય કે બાલુબા ક્ધયા શાળાને ઊભી કરવાની હોય ડો.નૂતનબેન ગોકાણી હંમેશા તૈયાર હોય
15000 બહેનો સાથે કરેલી ‘આપણા નરેન્દ્રભાઈ લેડીઝ ફેન ક્લબ’ની સ્થાપના દ્વારા ડો.નૂતનબેન ગોકાણીને જીવનમાં એક નવો મુકામ મળ્યો
2007ના વર્ષની વાત છે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા. આ સમયે પોરબંદરમાં ‘આપણા નરેન્દ્રભાઈ લેડીઝ ફેન ક્લબ’ની સ્થાપના કરવામાં આવી. આ ફેન ક્લબમાં 15000 બહેનો જોડાઈ હતી જેમણે મુખ્યમંત્રીને રાખડી મોકલી હતી.આ ફેન ક્લબને એટલો બધો રિસ્પોન્સ મળ્યો કે ત્યારબાદ 26 જિલ્લાઓમાં આ ફેન ક્લબ શરૂ થઈ. બહેનોની ફેન ક્લબનો સીધો ફેર નરેન્દ્ર મોદીની ચૂંટણીની જીતમાં દેખાયો.આ ફેન ક્લબની લોકપ્રિયતા એટલી વધી કે સમગ્ર દેશમાં તેની નોંધ લેવાઈ અને મીડિયા દ્વારા આ સમાચાર નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચ્યા. તેઓએ આ ક્લબની સ્થાપના કરનાર મહિલાને મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. આ મહિલા એટલે પોરબંદરના ખૂબ જાણીતા, સેવાકીય કાર્ય અને લોકકલ્યાણના કાર્યોમાં આગળ પડતું યોગદાન આપનાર ડો.નૂતન ગોકાણી. આ વાતને યાદ કરતા નૂતનબેને જણાવ્યું કે સૌ પ્રથમ વખત નરેન્દ્રભાઈ મોદીને મળવા જવાનું થયું,રાખડી બાંધી,અનેક વિષય પર વાતચીત થઈ.ત્યારબાદ સાતેક વખત તેઓને મળવાનું બન્યું. દરેક મુલાકાત વખતે ભેટ તરીકે અમે પુસ્તકોની આપ લે કરતા. પોરબંદર આસપાસના વિસ્તારના વિકાસ અંગે પણ અનેક વખતે ચર્ચાઓ કરતા.
આજે વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્ર મોદી પોતાને નામ સાથે ઓળખે છે તેની ખુશી છે. દીકરાના લગ્ન સમયે પણ તેઓએ શુભેચ્છા સાથે પુસ્તકની ભેટ મોકલી હતી.નૂતનબેનનો જન્મ જામનગરમાં, 12 ધોરણ સુધીનો અભ્યાસ પોરબંદર અને ત્યારબાદ બીએએમએસ જામનગર કર્યું. માતા આશાબેન ગોકાણી, પિતા નાથાભાઈ ગોકાણીએ દીકરીને ખૂબ લાડકોડથી ઉછેરી હતી.સાધન સંપન્ન પરિવાર એટલે નાનપણથી ગાડી, બંગલા અને દરેક પ્રકારની જાહોજલાલી હતી પરંતુ નસીબ ક્યારે અવળા પાસા પાડે છે તે કોઈ જાણતું નથી. જામનગરમાં અભ્યાસ દરમિયાન પોતાની પસંદગીથી મહારાષ્ટ્રીયન યુવાન સાથે લગ્ન કર્યા.લગ્ન માટે ભવિષ્યના જે સ્વપ્નાઓ જોયા હતા તેનાથી વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ. પ્રેમના બદલે પીડા અને સ્નેહના બદલે સંઘર્ષ મળ્યો. દીકરાનો જન્મ થયો અને મુશ્કેલીઓની પરાકાષ્ઠા વચ્ચે 22 વર્ષની ઉંમરમાં લગ્ન સંબંધનો અંત આણ્યો.લાગણીઓ છિન્ન ભિન્ન થઈ,ડિપ્રેશન આવ્યું,ફરી થી અધુરો અભ્યાસ પૂરો કર્યો.હિંમત અને બહાદુરીપૂર્વક જીવનની બીજી ઇનિંગ શરૂૂ કરી.
સતત પ્રવૃત્ત રહેવા બીએએમએસ થઈ પ્રેક્ટિસ સાથે એલએલબી કર્યું, જર્નાલિઝમ, હોસ્પિટલ મેનેજમેન્ટ, ફેશન મેનેજમેન્ટ વગેરે કોર્સ કર્યા. એ સમયના લોકપ્રિય અભિનેતા રાહુલ રોય,નમ્રતા શિરોડકર અને સુમન રંગનાથન સાથે ફેશન શો માં પણ ભાગ લીધો. 2002ની સાલમાં ગ્લેડરેગ મિસિસ ઈન્ડિયાના ટોપ 20માં પણ સિલેક્ટ થયા. હતાશાને હરાવવા જાણે હામ ભીડી.સામાજિક અવગણના, આર્થિક ભીડ અને માનસિક પરિસ્થિતિ સામે રીતસર જંગ માંડ્યો. વાસ્તુશાસ્ત્ર, ફેંગ શૂઈ, લામાફેરા, યોગમાયા ક્રિસ્ટલ થેરેપી, કલર થેરેપી વગેરે અનેક થેરેપી શીખ્યા અને દુબઈ જઈ તેને આર્થિક ઉપાર્જનનું સાધન બનાવ્યું. અન્યને મદદ કરવાના નૂતન બેનના ગુણો પુત્ર સિદ્ધાર્થમાં પણ આબેહૂબ આવ્યા છે. દીકરાના વાઇલ્ડ લાઇફ પ્રત્યેના પ્રેમને તેઓ આવકારે છે. અજગર, મગર, પંખીઓને બચાવવાના કાર્યમાં નૂતનબેન પણ સાથ આપે છે. છેલ્લા 17 વર્ષથી આ કામગીરી કરે છે જેમાં અત્યાર સુધીમાં 195થી વધુ રેસ્ક્યુ કર્યા છે. દીકરાના લગ્ન થયા અને પુત્રવધૂ રીતીજ્ઞાના સ્વરૂૂપમાં જાણે દીકરી મળી. તેઓ જણાવે છે કે મકરસંક્રાંતિના દિવસોમાં અમે કોઈ જ પતંગ ઉડાવતા નથી પરંતુ પંખીઓને બચાવવાના કાર્યમાં લાગી જઈએ છીએ આ કાર્યમાં પૌત્રી ધન્યતા સહિતના સહુ કોઈ જોડાય છે.
આમ જીવન પ્રવૃત્તિમય બનતું ગયું. આજે નૂતનબેન ખૂબ સફળ અને સુખમય જિંદગી જીવે છે પરંતુ જિંદગી એ લીધેલ આકરી કસોટીને યાદ કરતા જણાવે છે કે, “ખૂબ ખરાબ સમય આવ્યો પરંતુ કોઈની પાસેથી આર્થિક મદદ લીધી નથી.આદર્શ અને સિદ્ધાંતો સાથે જીવન વિતાવ્યું છે લોકોએ ચારિત્ર પર પણ કાદવ ઉછાળ્યો છે છતાં સચ્ચાઈની જીત થઈ છે. ક્યારેય ખોટું કર્યું નથી તેથી કોઈપણ જાતનો ડંખ અને ડર નથી. ઈમાનદારી અને સિદ્ધાંતો સાથેના જીવનના કારણે આત્મસંતોષ છે. આજે કોઈપણ કાર્ય માટે પોરબંદરના દરેક લોકોનો સાથ મળી રહે છે તેનો આનંદ છે” છેલ્લા થોડા સમયથી ગણપતિ ઉત્સવમાં પણ ગણપતિને વિવિધ શણગાર કરીને એકિઝબિશન કમ સેલ કરે છે. તેઓને હજુ પણ ઘણું કરવું છે. તેમનું સ્વપ્ન છે કે પોરબંદર જિલ્લાની બહેનોનું એક મોટું ગ્રુપ બને જે પોરબંદરની સ્વચ્છતા, શિક્ષણ, ભ્રષ્ટાચાર, પર્યાવરણ વગેરે પ્રશ્નો માટે કામ કરે સાથે સાથે પોતાના વ્યક્તિત્વને પણ ખીલવે.નૂતનબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
WRITTEN BY: Bhavna Doshi
ધાર્મિક
31 ઓક્ટોબર કે 1 નવેમ્બર જાણો કયારે છે દિવાળી, અહીં જાણો સાચી તારીખ
દિવાળીના તહેવારની દરેક લોકો આતુરતાથી રાહ જુએ છે. આ શુભ દિવસે દેશભરમાં વિશેષ જાહોજલાલી જોવા મળે છે. દર વર્ષે આ તહેવાર ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણના 14 વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પરત ફરવાની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી સાથે રામની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને આર્થિક લાભની શક્યતાઓ રહે છે. દિવાળીના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે ચાલો જાણીએ દિવાળી પૂજાના શુભ સમય વિશે.
પંચાંગ અનુસાર કારતક મહિનાની અમાવસ્યા તિથિ 31 ઓક્ટોબરે બપોરે 03.52 કલાકે શરૂ થશે. તે જ સમયે, આ તારીખ 01 નવેમ્બરે સાંજે 06:16 વાગ્યે સમાપ્ત થશે. જ કારણ છે કે કેટલાક લોકો 31મી ઓક્ટોબરે દિવાળી ઉજવશે તો કેટલાક લોકો 1લી નવેમ્બરના રોજ ઉજવી રહ્યા છે.
દિવાળીના દિવસે દેવી લક્ષ્મી (દિવાળી 2024 શુભ મુહૂર્ત)ની પૂજા કરવાનો શુભ સમય સાંજે 05:36 થી 06:16 સુધીનો છે. આ સમય દરમિયાન તમે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરી શકો છો.
આ રીતે પૂજા કરો
દિવાળીની પૂજા શુભ મુહૂર્તમાં કરવી જોઈએ.
ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.
સાંજના સમયે માતા લક્ષ્મી-ગણેશની મૂર્તિને બીરાજમાન કરો.
હવે તેમને ફૂલની માળા, રોલી અને ચંદન અર્પણ કરો.
દીવો પ્રગટાવો અને આરતી કરો અને મંત્રોનો જાપ કરો.
ફળો અને મીઠાઈઓ અર્પણ કરો.
જીવનમાં સુખ અને શાંતિની કામના.
આ કામ કરો
આ દિવસે એક થાળીમાં પાંચ દીવા પ્રગટાવો. આ પછી આ દીવાઓને મંદિરમાં રાખો અને પૂજા કરો. આ પછી, દીવાને ઘરના અલગ-અલગ ભાગોમાં મૂકો. આ કામ કરવું શુભ માનવામાં આવે છે.
રાષ્ટ્રીય
આખી રાત મચ્છર મારવાનું મશીન ચલાવવું સવાસ્થ્ય માટે છે હાનીકારક, થઇ શકે છે ગંભીર બીમારીઓ
મોસ્કિટો વેપોરાઇઝરનો ઉપયોગ મચ્છરોને મારવા અને તેને દૂર રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ જો આખી રાત તેનો ઉપયોગ કરવામાં આવે તો તેની સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે.
વેપોરાઇઝરમાં ઘણા પ્રકારના રસાયણો હોય છે, જેમ કે પ્રલેથ્રિન અને એલેથ્રિન, જે જંતુઓને મારવામાં અસરકારક છે. જો કે, આ રસાયણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
શ્વાસ લેવામાં તકલીફ
વેપોરાઇઝર રસાયણોમાંથી ધુમાડો શ્વાસમાં લેવાથી ફેફસાંને અસર થઈ શકે છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અસ્થમા અથવા અન્ય શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકો માટે.
ત્વચા અને આંખની બળતરા
જો મચ્છર વેપોરાઈઝરનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તેના સંપર્કમાં આવવાથી આંખો અને ત્વચામાં બળતરા થઈ શકે છે. જો તમારી સાથે આવું કંઈક થઈ રહ્યું છે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને મચ્છર વેપોરાઈઝરનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ.
તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
વેપોરાઇઝરનો ઉપયોગ વેન્ટિલેટેડ વિસ્તારમાં કરો, જેથી ઘરની અંદર રસાયણો એકઠા ન થાય. વેપોરાઇઝરને લાંબા સમય સુધી સળગાવશો નહીં. સૂતા પહેલા તેને બંધ કરવું સારું છે. જો તમને અથવા તમારા ઘરના કોઈપણ સભ્યને શ્વાસની તકલીફ હોય, તો તેનો ઉપયોગ મર્યાદિત કરો.
ધાર્મિક
દિવાળીએ વાસ્તુ અનુસાર ઘરમાં કરાવો આ કલર, દેવી લક્ષ્મી કરશે ધનનો વરસાદ
હિંદુ ધર્મમાં દિવાળીને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, દિવાળી દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. લોકો આ દિવસની તૈયારી તેમના ઘરોમાં અગાઉથી સજાવટ કરે છે. દિવાળી પહેલા લોકો ઘરને રંગાવે છે અને સુંદર બનાવે છે. જાણો વાસ્તુ અનુસાર ઘરની દિવાલો પર કયો રંગ કરાવવો જોઈએ. જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે.
પૂર્વ દિશા – જો તમે દિવાળી પર ઘરની પૂર્વ દિશાને રંગ આપવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશાની દિવાલને સફેદ રંગથી રંગવી જોઈએ. આ એકદમ શુભ છે. તેનાથી પરિવારના સભ્યોના જીવનમાં ખુશીઓ આવે છે. સફેદ રંગ સકારાત્મક ઉર્જા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે, જેને જોવાથી માનસિક શાંતિ મળે છે.
ઉત્તર દિશા – વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલો રંગ પ્રકૃતિ અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે, તેની સકારાત્મક અસરને કારણે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ રહે છે. તેથી, જો તમે દિવાળી પહેલા તમારા ઘરને રંગવાનું કરાવતા હોવ તો ઘરની ઉત્તર દિશાની દિવાલને લીલો રંગ આપવો જોઈએ. તેનાથી ધંધામાં મોટો નફો થાય છે.
પશ્ચિમ દિશા – વાસ્તુશાસ્ત્ર અનુસાર વાદળી રંગ મનને શાંતિ પ્રદાન કરે છે. ઘરની પશ્ચિમ દિશામાં વાદળી રંગ લગાવવાથી મન અને હૃદયમાં સ્થિરતા આવે છે. ઘરનું વાતાવરણ પણ અનુકૂળ રહે. તેથી વાદળી રંગ પશ્ચિમ દિશામાં જ કરવો જોઈએ. જેના કારણે આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહે છે.
દક્ષિણ દિશા – વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમે દિવાળી પર ઘરને રંગ આપવા જઈ રહ્યા છો, તો દક્ષિણ દિશાની દિવાલને લાલ રંગથી રંગવી જોઈએ. લાલ રંગને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે, તેની સકારાત્મક અસરથી જીવનમાં ખુશીઓ રહે છે. આ સિવાય પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. આ ઉપરાંત, પરિવારમાં વ્યવસાય કરતા લોકો માટે પ્રગતિના માર્ગો ખુલે છે.
ઈશાન – જો કોઈ કારણ વગર લાંબા સમયથી પરિવારમાં અશાંતિ રહે છે. તેથી ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પીળો કે કેસરી રંગ લગાવવો શુભ માનવામાં આવે છે. આ બંને રંગોને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે, જે જીવનમાં કંઈક કરવાની પ્રેરણા આપે છે. તેમજ માનસિક શાંતિ પણ મળે છે.
-
ગુજરાત7 hours ago
સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે
-
ગુજરાત1 day ago
ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો
-
ગુજરાત1 day ago
કૃષિ રાહત પેકેજ આવકાર્ય પણ સમયસર ચૂકવાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં કામ આવે
-
ગુજરાત1 day ago
રાજકોટ જેલના કેદીઓની કામગીરીની પ્રશંસા કરતું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ
-
ગુજરાત1 day ago
ડિપાર્ટમેન્ટના અધ્યાપકોને હાંસિયામાં ધકેલી કોલેજોના આચાર્યોને બનાવાયા ભવનના વડા
-
ગુજરાત1 day ago
વેજાગામ-વાજડી-સોખડા-મનહરપુર સહિત 3 ટીપી સ્કીમનો મુસદ્દો જાહેર
-
ગુજરાત1 day ago
CBSC દ્વારા ધો.10 અને 12ની પ્રેેક્ટિકલ પરીક્ષા તા.1 જાન્યુઆરીથી શરૂ
-
ગુજરાત1 day ago
ગંદકી સબબ 40 વેપારીઓ પાસેથી મનપાએ રૂા.19150નો દંડ વસુલ્યો