Connect with us

અમરેલી

ધારીમાં આંબા નીચે રમતી બાળકી ઉપર દિપડાનો હુમલો

Published

on

અમરેલીના ધારીના જળજીવડી ગામની સીમમાં વાડી વિસ્તારમાં ધોળા દિવસે દીપડાએ બાળકી ઉપર હુમલો કર્યો હતો. જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. બાળકી પર હુમલો થતાં તેને મોઢા સહિતમાં ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. તેમજ વનવિભાગની ટીમને જાણ થતાં ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટીમે આંબાવાડીમાંથી જ દીપડાને પકડી પાંજરે પૂર્યો હતો.

ધારીના જળજીવડી ગામમાં કેરીના બગીચા નીચે બાળકી રમી રહી હતી. તેમજ તેની બાજુમાં તેના પિતા સુરેશભાઈ રાઠોડ સહિત મજૂર પરિવાર કામ કરી રહ્યો હતો. આ દરમિયના અચાનક આંબાના છાયડા નીચે રમી રહેલી ગોપી નામની 5 વર્ષની બાળકી પર પાછળથી આવી દીપડાએ હુમલો કરી દીધો હતો. જેથી ભારે બુમાબુમ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બાળકીના પિતા સહિતનાઓ દીપડાની પાછળ દોડ્યા હતા. જેથી દીપડો બાળકીને મુકીને ભાગી ગયો હતો. દીપડાના હુમલાથી ગોપી નામની બાળકી લોહિલુહાણ થઈ હતી. જોકે, બાળકી મોતના મુખમાંથી બચી ગઈ છે. બાળકીને તાત્કાલીક ધારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ગોપીની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. હાલ ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ પણ દોડી આવી છે.


દીપડાના હુમલાની ઘટનાને લઈ ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલા દ્વારા દલખાણીયા રેન્જને સૂચના આપવામાં આવતા વનવિભાગની ટીમ ઘટનાની ગંભીરતા દાખવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટના કેવી રીતે સર્જઈ તેને લઈ પરિવાર પાસેથી માહિતી મેળવી હતી. હાલ વનવિભાગ દ્વારા 5 જેટલા પાંજરા મુકવા માટેની કવાયત શરૂૂ કરવામાં આવી છે.


ધારીના જલ જીવડી ગામની સીમમાં આંબા વાડીમાથી જ વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુર્યો હતો. પ્રથમ બેભાન કરી પકડી પાડવામાં વનવિભાગને સફળતા મળી હતી. ઘટના બાદ 6 કલાકમાં દીપડાને પાંજરે પુરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.

અમરેલી

તુલસીશ્યામના જંગલમાં શિયાળને અજગર ગળી ગયો

Published

on

By

જંગલ વિભાગ દ્વારા રેસ્કયૂ કરાયું

અમરેલી જિલ્લામાં ચોમાસામાં અજગર નીકળવાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે જંગલ વિસ્તાર છોડી અજગરો રેવન્યુ વિસ્તાર અને ખેડૂતોના વિસ્તારમાં વધુ પડતા બહાર આવી રહ્યા છે તે જોખમી સાબિત થાય છે તુલસીશ્યામ ખાંભા રેન્જમાં પીપળવા રાઉન્ડના નાની ધારી ગામ નજીક આવેલ પ્રદીપભાઈ વાળાની વાડીમાં મહાકકાય અજગર આવતા શિયાળને દબોચી લીધા બાદ થોડીવાર શિયાળએ રાડા રાડ કરી અંતે અજગર આખું શિયાળ ગળી જતા જીવ છોડ્યો હતો.

સ્થાનિક ખેડૂત દ્વારા વનવિભાગને જાણ કરતા આરએફઓ રાજલ પાઠકની ટિમ દોડી રેસ્ક્યુ કરી અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવતા સ્થાનિક ખેડૂતોએ રાહત અનુભવી છે.ખાંભા સહીત જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીમ વિસ્તારમાં અજગરોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે જેના કારણે ખેડૂતો મજૂરો વાડી વિસ્તારમાં કામ કરતા ભય અનુભવતા હોય છે વન્યપ્રાણી સિંહો દીપડા બાદ હવે ચોમાસાની ઋતુમાં અજગરો વધુ રેવન્યુ વિસ્તારમાં વસવાટ સાથે અવર જ્વર કરી રહ્યા છે જે ખેડૂતો માટે ચિંતા જનક બની શકે છે.

Continue Reading

અમરેલી

ધંધુકા-બગોદરા હાઇવે પર પાણીના ખાળિયામાં કાર ખાબકતાં ત્રણનાં મોત

Published

on

By

અમરેલીના લીલિયાથી પરિવાર સુરત જઈ રહ્યો હતો:કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયાં

અમરેલી જિલ્લાના વતની પરિવાર સુરત જઈ રહ્યો હતો. ત્યારે ધંધુકા તાલુકાના હરીપુરના પાટિયા પાસે રસ્તા પર પડેલી કપચીને કારણે કાર પલટી મારી જઈ પાણી ભરેલા ખાળિયામાં ખાબકતા પટેલ પરિવારના મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં ધંધુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.


અમરેલી જિલ્લાના લીલિયા ખાતેથી શુક્રવારે એક પરિવાર કારમાં સવાર થઈ સુરત તરફ જઈ રહ્યો હતો. દરમિયાનમાં સાંજના સમયે ધંધુકા-બગોદરા રોડ પર હરીપુરના ફાટિયા પાસે પહોંચતા કપચીને કારણે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા પરથી નીચે ઉતરી પલટી મારીને પાણી ભરેલા ખાળિયામાં ખાબકી ગઈ હતી. જે બનાવમાં અમરેલી જિલ્લાના ફતેપુર અને લીલિયા ગામે રહેતા બચુભાઈ ગોવિંદભાઈ કાસડિયા, મગનભાઈ રૂૂડાભાઈ દૂધાત અને અજવાળીબેન મગનભાઈ દૂધાતના ઘટના સ્થળે જ કરૂૂણ મોત થયા હતા. કાર પલટી મારી ગયાની જાણ થતાં લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી કારમાં ફસાયેલા રૂૂત્વિકભાઈ ભરતભાઈ કાસડિયા (ઉ.વ.27) અને નીકિતાબેન રૂૂત્વિકભમાઈ કાસડિયા (ઉ.વ.25)ને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે અકસ્માતની કરૂૂણ ઘટનામાં મોતને ભેટેલા મહિલા સહિતના ત્રણેય હતભાગીઓના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી ધંધુકા પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું ધંધુકા પીએસઆઈએ જણાવ્યું હતું.

Continue Reading

અમરેલી

અમરેલીમાં પુર્વ કૃષિમંત્રી ભાદાણીના પુત્રનો સાળો 12 લાખની નક્લી જંતુ નાશક દવા સાથે ઝડપાયો

Published

on

By

ખેડૂત આગેવાનોના જિલ્લા તરીકે ગણાતા અમરેલી જિલ્લામા ખેડૂતો સાથે નરી છેતરપીંડી થઇ રહી છે. અમરેલીમા બાયપાસ પર પોલીસે આજે બનાવટી જંતુનાશક દવાની એક ફેકટરી પર દરોડો પાડી 12.39 લાખનો મુદામાલ કબજે લીધો હતો. કોઇ જ લાયસન્સ વગર અહી આ ફેકટરી ધમધમતી હતી. પુર્વ કૃષિમંત્રી બેચર ભાદાણીના પુત્રએ આ કારખાનુ તેના એક સાળાને ભાડે આપ્યું હતુ.


અમરેલીમા પોલીસે આજે બાતમીના આધારે સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રસ્તા પર પડસાલા ગેસના ગોડાઉન સામે ભાદાણીની વાડીમા આ બિન અધિકૃત ફેકટરી ઝડપી પાડી હતી. ખેતીવાડી અધિકારી અને પોલીસની ટીમે અહી સંયુકત રીતે દરોડો પાડતા અમરેલીમા મન સીટીમા રહેતો અલ્કેશ ભાનુભાઇ ચોડવડીયા (ઉ.વ.47) નામનો શખ્સ અહી બનાવટી જંતુનાશક દવા બનાવતો ઝડપાઇ ગયો હતો. આ જગ્યા અલ્કેશે તેના બનેવી અતુલ ભાદાણી પાસેથી છ માસ પહેલા ભાડે રાખી હતી. જેમા ખેતીવાડીમા વપરાતી જંતુનાશક દવાની ગેરકાયદે ફેકટરી ખોલી નાખી હતી. આ શખ્સ પાસે જંતુનાશક દવા બનાવવાનુ કે વેચાણ કરવા અંગેનુ કોઇ લાયસન્સ ન હતુ. છતા તેણે જુદી-જુદી બ્રાંડની જંતુનાશક દવાની 876 બોટલ ભરી રાખી હતી. આ ઉપરાંત દવાઓના કેરબા પણ ભરી રખાયા હતા. જેમાથી તંત્ર દ્વારા જુદાજુદા 11 નમુનાઓ લેવામા આવ્યા હતા. અહી તૈયાર થયેલી બોટલો કાર્ટુનમા પેક કરવામા આવી હતી.


તંત્ર દ્વારા મેન્યુફેકચર અને એકસ્પાયર તારીખ ચોટાડવાનુ મશીન, એક ફિલીંગ મશીન ઉપરાંત ઢાંકણા ફિટ કરવાના મશીન, રેપીંગ કરવાનુ મશીન વિગેરે સાત મશીન પણ કબજે લેવામા આવ્યા હતા. જે તમામને હાલમા સીલ મારી દેવાયુ છે. ખેડૂતોની બહુમતી ધરાવતા અમરેલી જિલ્લામા ખેડૂતો સાથે જ મોટા પ્રમાણમા ખુલ્લેઆમ છેતરપીંડી થઇ રહી છે અને નેતાઓ મૌન બની તમાસો જોઇ રહ્યાં છે. પોલીસે આ બારામા અલ્કેશ ચોડવડીયા સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ખેતીવાડી અધિકારીની હાજરીમા જંતુનાશક દવાના જથ્થામાથી જુદાજુદા 11 નમુના લેવાયા હતા. આ દરેક નમુના ત્રણ ત્રણ ભાગમા લેવાયા હતા અને પ્રયોગશાળામા ચકાસણી માટે મોકલાયા હતા.

Continue Reading

Trending