Connect with us

ગુજરાત

ગીર સોમનાથ જિલ્લાનાં ઉનામાં ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયું: ત્રણ શખ્સની કરાઇ ધરપકડ

Published

on

ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં ડુપ્લીકેટ આધાર કાર્ડ મામલે ઉત્તરપ્રદેશના પાંચ શખ્સોની મદદથી બે વર્ષમાં 1200 જેટલા આધારકાર્ડ બનાવેલ જેમાંથી 40 ડુપ્લીકેટ બનાવ્યાનો પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થતા હાલ મુખ્ય સુત્રધાર સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી આગળ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું ક્રાઈમ હોવાથી સુરક્ષાની વિવિધ એજન્સી તપાસમાં જોડાઈ છે. આગામી દિવસોમાં વધુ કેટલાક લોકોની સંડોવણી સામે આવે તેવી શકયતાઓ વર્તાઈ રહી હોવાનું પોલીસે જણાવ્યુ છે.

દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર સવાલ ઉભા કરનાર કૌભાંડનો જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ અંગે જીલ્લા પત્રકાર પરીષદમાં માહિતી આપતા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, ઉના ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં દરબારી આધાર સેન્ટરમાં ડુપ્લિકેટ કાર્ડ નીકળતા હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે ત્યાં જે લોકોના આધારકાર્ડ નિકળી શકે તેમ ન હોય તેવા લોકોના આધાર કાર્ડ કાઢવા માટે જરૂૂરી ડોક્યુમેન્ટ ખોટા તૈયાર કરવાની કામગીરી થતી હોવાનું જોવા જાણવા મળેલ હતું.

સેન્ટરમાંથી પાંચ રજીસ્ટરો જેમાં વર્ષ 2021 થી 2023 દરમ્યાન કાઢેલ કુલ 1281 થી વધારે કાઢેલ કાર્ડની એન્ટ્રી તેમજ ગ્રાહકો પાસેથી મેળવેલ કુલ રોકડ રકમ રૂા.16,97,590 થી વધારાનો હિસાબ હતો. આ ઉપરાંત કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, લેમીનેશન મશીન, વેબકેમેરો, ફિંગરપ્રિન્ટ, કટર મશીન, 27 આધારકાર્ડ, 6 ચૂંટણી કાર્ડ, 5 પાન કાર્ડ, 2 પાસપોર્ટ, 2 રેશનકાર્ડ, 2 ડ્રાઇવીંગ લાયસન્સ, શ્રમયોગી-આયુષમાન કાર્ડ, 14 જન્મ તારીખના દાખલા તથા રોકડ રૂા.10 હજાર મળી કુલ 97 હજારનો મુદામાલ મળી આવતા જપ્ત કરવામાં આવેલ હતો.

વધુમાં પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ કહેલ કે, આ કૌભાંડ બે-એક વર્ષથી ચાલી રહ્યુ હતું. જેમાં મુખ્ય સુત્રધાર અસલમ ઈસ્માઈલ શેખ વર્ષ 2022 થી દરબારી આધાર સેન્ટર ખોલી તેમાં સરકારી યોજનાના ફોર્મ ભરવાનું અને ડોક્યુમેન્ટ કાઢી આપવાનું કામ કરતો હતો. આ કામગીરીમાં શબ્બીર સુમરા 6 હજારના પગારથી સેન્ટરમાં કોમ્પ્યુટરની ઓનલાઈન કામગીરી કરતો જયારે જાવીદ ઉર્ફે ભુરો ઈબ્રાહીમ મન્સુરી ગ્રાહકો લઈ આવી સેન્ટરના ચોપડામાં નોંધ કરવાની કામગીરી કરવાની 6 હજારના પગારથી નોકરી કરતો હતો.

આ કૌભાંડમાં મુખ્ય સુત્રધાર અસલમ શેખએ અત્યાર સુધીમાં 1281 જેટલા કાર્ડ બનાવ્યા હોય જેમાંથી 40 ડુપ્લીકેટ બનાવ્યા હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. આ શખ્સો નવું આધાર કાર્ડ કાઢી આપવાના રૂૂા.4 થી 23 હજારની રકમ વસુલતા, જન્મ તારીખના દાખલામાં સુધારાના રૂૂા.3 હજાર વસુલતા, મેરેજ સર્ટીફીકેટમાં સુધારાના રૂૂા.5 હજાર વસુલતા, નવો જન્મ તારીખનો દાખલો કાઢવા રૂા.2500 વસુલતા, સીનીયર સીટીઝનોનું આધારકાર્ડ કાઢવા માટે રૂૂા.15 હજાર વસુલતા, એન.આર.આઇ. લોકોના આધારકાર્ડ કાઢી આપવા રૂૂ.8 હજાર વસુલતા, નવું મેરેજ સર્ટી કાઢવાના રૂા.23 હજાર વસુલતા હતા.

અસલમ શેખ પાસે વર્ષ 2022 સુધી પોતાના આધારકાર્ડ કાઢવાના લાયસન્સ દરમ્યાન પોતે બનાવેલા ખોટા ડોક્યુમેન્ટ ઓનલાઈન સબમીટ કરાવી અન્યત્ર સીએસસી સેન્ટરમાં ફિંગરપ્રિન્ટ લેવડાવતો હતો. બાદમાં સરકાર તરફથી સીએસસી સેન્ટરોમાં આધારકાર્ડ બનાવવા તથા સુધારા કરવાની કામગીરી બંધ કરવાની આવતા અસલમ શેખએ ઉત્તરપ્રદેશના પાંચ શખ્સોનો સંપર્ક કરી ત્યાંથી ડુપ્લીકેટ આધારકાર્ડ કાઢવાની કામગીરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હોય જેને લઈ આગળ તપાસ હાથ ધરી છે.

મુખ્ય ભેજાબાજ ઉચ્ચ અભ્યાસ ભણેલો
આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર અસલમ શેખ વર્ષ 2015 માં બી.સી.એ.નો અભ્યાસ પુર્ણ કરી ઉનાના આધારકાર્ડ સેન્ટરમાં નોકરી કરી હતી. બાદમાં 2017 માં સી.એસ.સી. નું લાઈસન્સ મેળવી ધોરાજી મામલતદાર કચેરીમાં આધારકાર્ડનો કોન્ટ્રાક્ટ રાખેલ જે પુર્ણ થયા બાદ 2019 માં ઉનાની એસ.બી.આઇ. બેંકમાં નોકરી કરી હતી. આમ આ બધી નોકરીથી અસલમ શેખ આધારકાર્ડ કાઢવાની સમગ્ર કામગીરીથી સારી રીતે વાકેફ હોવાનું તપાસમાં સામે આવ્યુ હોવાનું એલસીબી પીઆઈ એસ.એમ.ઈશરાણીએ જણાવેલ છે.

Uncategorized

આખો દિવસ મોબાઇલ-મોબાઇલ, ઘરમાંય ધ્યાન આપ, પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત

Published

on

By

કોઠારિયા રોડ ભોમેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી લિક્વિડ પી જીવ ટૂંકાવી લીધો


આજના યુગમાં બાળકથી માંડીને પ્રોઢ લોકોને મોબાઈલનુ ઘેલુ લાગ્યું છે.એમાં પણ ખાસ કરીને તરુણો મોટાભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે.બાળકોના માનસ પર વિપરીત ગાઢ અસર ઉભી કરે છે.મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો તેના કારણે જ કેટલાક કામો ઘર બેઠા બેઠા જ થઈ જાય છે.

મનોરંજન કે માહિતી મેળવવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે.ત્યારે આજના યુગમાં મોબાઈલ માત્ર સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેનો ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે.આજે બાળકથી લઇ મોટેરા ઓને મોબાઈલ વગર નથી ચાલતું!
રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ પર ભોમેશ્વર સોસાયટીમાં રહેતા પરિણીતાને તેમના પતિએ ઘરકામમાં ધ્યાન દેવાનું કહેતા અને મોબાઇલમાં ઓછો ઉપયોગ કરવાનું કહેતા તેમને લાગી આવ્યું હતું અને પરિણીતાએ લાદી સાફ કરવાનું ઝેરી લીક્વીડ પી આપઘાત કરી લીધો હતો.

આ મામલે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ પરમારે વધુ તપાસ શરૂૂ કરી છે. વધુ મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર આવેલા કનૈયા ચોક પાસે ભુવનેશ્વર સોસાયટીમાં રહેતા રૂૂપાબેન ઋત્વિકભાઈ કરતાગીયાં 22 વર્ષના પરિણીતાએ ગઈ તા.26 ના રોજ રાત્રિના સમયે લાદી સાફ કરવાનું લિક્વિડ પી જતા તેમણે તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેઓનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રીના મોત નીપજ્યું હતું.તેમના પતિ મજૂરી કામ કરે છે.તેમને ગઈ તા.26ના રોજ આખો દિવસ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા અને ઘરમાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કરી લીધો હતો.આ અંગે હવે આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.

Continue Reading

ગુજરાત

ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઝીંકાયો રૂા.1નો વધારો

Published

on

By

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહનચાલકોના ગજવા પર ભારણ વધશે. ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રીક્ષાઓ પર બોજો વધશે. રીક્ષા ચાલકોની મુશ્કેલી વધશે. તો સાથે જ રીક્ષાના ભાડામાં પણ વધારો થશે, જેની અસર મુસાફરોના બજેટ પર પડશે.


ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજો આવશે. છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.


આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરાયો છે.

Continue Reading

ગુજરાત

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવો : વિનોદભાઇ વાલાણી

Published

on

By


જસદણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને જેપી નડાને પત્ર પાઠવતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીઍ પત્ર પાઠવીનૅ જણાવ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા દરેક સમાજને સાથે રાખી ચાલનારા અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વખત સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરાઈ છે સતત અઢાર કલાક કામ કરનારા અને જાગૃત પ્રતિનિધિત્વ કરતા અભ્યાસુ અને બહોળો અનુભવ ધરાવતા કુંવરજીભાઈ બાવળીયા વિધાનસભામાં સતત સાત વાર અને લોકસભામાં એક વાર ચૂંટાય આવ્યા છે, કોંગ્રેસ પક્ષમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાતા કુંવજીભાઈ બાવળિયા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને કુંવરજીભાઈ સાથે બહોળો વર્ગ જોડાયો છે ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા કુંવરજીભાઈનો સિંહ ફાળો રહ્યો છે ઓબીસી નેતા અને 32 ટકા કોળી સમાજની વસ્તી ધરાવતા સમુદાયની લાગણી અને માંગણીને ધ્યાને લઇ ગરવી ગુજરાતના લોકસેવક અને સૌરાષ્ટ્રની ધરાને નંદનવન બનાવવા સૌરાષ્ટ્રના સાથી કુંવરજીભાઇ બાવળિયાને તક મળે તેવી લાગણી રજૂ કરી છે.કોળી સમાજ તેમજ બીજા અન્ય સમાજનાં લોકો ઇચ્છે કે કુંવરજીભાઇ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે.


ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવેલ ચીમનભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સી ડી (કોળી) પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને સાત સાત કોળી સમાજના મંત્રીઓ સરકારમા પ્રતિનિધિત્વ કરતા હતા સર્વ સમાજને સાથે રાખી ચાલનારા ઓબીસી નેતા કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વિનોદભાઈ વાલાણીએ નરેન્દ્રભાઈ મોદીને આગ્રહ ભરી વિનંતી સાથે પત્ર પાઠવ્યો છે.

Continue Reading

Trending