Connect with us

ગુજરાત

ખંભાળિયા: આયુર્વેદિક સિરપ પ્રકરણમાં 8 ઝડપાયા

Published

on

સિરપની 90 બોટલ કબજે: રિમાન્ડ પર લેવાની તજવીજ


ખંભાળિયામાંથી થોડા દિવસો પૂર્વે ઝડપાયેલો નુકસાનકર્તા એવી આયુર્વેદિક સિરપની બોટલો સંદર્ભેના પ્રકરણમાં જિલ્લા પોલીસે કડક હાથે કાર્યવાહી કરીને ખંભાળિયા, ભાવનગર, રાજકોટ, વડોદરા, મુંબઈ અને વાપીના કુલ આઠ શખ્સોની અટકાયત કરી, રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.


ખંભાળિયામાં રહેતા પ્રકાશ કિશોરભાઈ આચાર્ય નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂૂ. 13,460 ની કિંમતની વડોદરાની કંપનીની ચોક્કસ નામની આયુર્વેદિક સીરપનો જથ્થો કબજે કર્યો હતો. જે સંદર્ભે પોલીસે ઉપરોક્ત મુદ્દામાલ સી.આર. પી.સી. કલમ 102 મુજબ શક પડતી મિલકત તરીકે કબજે લઈ અને આ બોટલના પૃથક્કરણ અર્થે મોકલવામાં આવી હતી.


આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી સ્થાનિક પોલીસ તેમજ એલસીબી પોલીસે થોડા સમય પૂર્વે લાખો રૂૂપિયાની કિંમતની સ્વાસ્થ્યને નુકસાનકર્તા એવી આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપના કાળા કારોબાર પરથી પડદો ઊંચકાવીને આ પ્રકારના પીણાની ફેક્ટરીના મૂળ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.


દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રકારની પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે એલસીબી, એસઓજી સહિતની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની કામગીરી કરવામાં આવી હતી.
જે અંતર્ગત આગળની કાર્યવાહીમાં ઉપરોક્ત સીરપની બોટલમાં આઇસોપ્રોપાઈલ તથા ઇથેનોલ આલ્કોહોલની ટકાવારી કાયદાકીય રીતે નિયત કરતા વધુ પ્રમાણમાં હોવાનું જાહેર થયું હતું. જે સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં આઈપીસી કલમ 120 (બી), 274, 275, 328, 465, 467, 468, 471 તેમજ પ્રોહિ. એક્ટની કલમ મુજબ નોંધાયેલા ગુનામાં તપાસનીસ અધિકારી પી.આઈ. તુષાર પટેલ દ્વારા મુખ્ય આરોપી પ્રકાશ કિશોરભાઈ આચાર્ય સાથે ખંભાળિયાના રહીશ ગઢવી સામત ખીમા જામ, ભાવનગરના રહીશ લગધીરસિંહ ઊર્ફે લખધીરસિંહ કાળુભા જાડેજા, રાજકોટના મેહુલ અરવિંદભાઈ જસાણી અને ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ નટવરલાલ ડોડિયા, વડોદરાના નીતિન અજીતભાઈ કોટવાણી, મુંબઈના તૌફીક હાસીમ મુકાદમ અને વાપીના આમોદ અનિલભાઈ ભાવે નામના કુલ આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે ચોક્કસ કંપનીની સીરપની 90 બોટલ કબજે લીધી છે. ખાસ કરીને ફક્ત અને ફક્ત ગુજરાત રાજ્ય અને ટાર્ગેટ કરી, નશાબંધી યુક્ત રાજ્યમાં નશાબંધીની બદીમાં વૃદ્ધિ કરનાર સેલવાસ ખાતેની એમ.એ.બી. તથા હર્બોગ્લોબલ કંપનીના માલિકો તથા તેમના મળતીયાઓ તેમજ વડોદરાની કંપનીના માલિકો વિગેરે દ્વારા સમાજમાં વ્હાઈટ કોલર બુટલેગરો તરીકેની ભૂમિકા જણાઈ આવી હતી. તેઓ વિરુદ્ધ અગાઉ પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારના આયુર્વેદિક દવાની આડમાં નશાયુક્ત પીણા અંગેના વિવિધ ગુનાઓ નોંધાયા હોવાનું પણ જાહેર થયું છે.


દેવભૂમિ દ્વારકા પોલીસે ઉપરોક્ત આરોપીઓની અટકાયત કરી, વિવિધ દિશાઓમાં તપાસ જારી રાખી છે. આ પ્રકરણ સંદર્ભે પોલીસે આરોપીઓના રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરી છે.આ સાથે એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા, દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ, એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પ્રશાંત સીંગરખીયા, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી તેમજ ટીમ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી હતી.

Uncategorized

આખો દિવસ મોબાઇલ-મોબાઇલ, ઘરમાંય ધ્યાન આપ, પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત

Published

on

By

કોઠારિયા રોડ ભોમેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી લિક્વિડ પી જીવ ટૂંકાવી લીધો


આજના યુગમાં બાળકથી માંડીને પ્રોઢ લોકોને મોબાઈલનુ ઘેલુ લાગ્યું છે.એમાં પણ ખાસ કરીને તરુણો મોટાભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે.બાળકોના માનસ પર વિપરીત ગાઢ અસર ઉભી કરે છે.મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો તેના કારણે જ કેટલાક કામો ઘર બેઠા બેઠા જ થઈ જાય છે.

મનોરંજન કે માહિતી મેળવવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે.ત્યારે આજના યુગમાં મોબાઈલ માત્ર સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેનો ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે.આજે બાળકથી લઇ મોટેરા ઓને મોબાઈલ વગર નથી ચાલતું!
રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ પર ભોમેશ્વર સોસાયટીમાં રહેતા પરિણીતાને તેમના પતિએ ઘરકામમાં ધ્યાન દેવાનું કહેતા અને મોબાઇલમાં ઓછો ઉપયોગ કરવાનું કહેતા તેમને લાગી આવ્યું હતું અને પરિણીતાએ લાદી સાફ કરવાનું ઝેરી લીક્વીડ પી આપઘાત કરી લીધો હતો.

આ મામલે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ પરમારે વધુ તપાસ શરૂૂ કરી છે. વધુ મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર આવેલા કનૈયા ચોક પાસે ભુવનેશ્વર સોસાયટીમાં રહેતા રૂૂપાબેન ઋત્વિકભાઈ કરતાગીયાં 22 વર્ષના પરિણીતાએ ગઈ તા.26 ના રોજ રાત્રિના સમયે લાદી સાફ કરવાનું લિક્વિડ પી જતા તેમણે તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેઓનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રીના મોત નીપજ્યું હતું.તેમના પતિ મજૂરી કામ કરે છે.તેમને ગઈ તા.26ના રોજ આખો દિવસ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા અને ઘરમાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કરી લીધો હતો.આ અંગે હવે આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.

Continue Reading

ગુજરાત

ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઝીંકાયો રૂા.1નો વધારો

Published

on

By

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહનચાલકોના ગજવા પર ભારણ વધશે. ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રીક્ષાઓ પર બોજો વધશે. રીક્ષા ચાલકોની મુશ્કેલી વધશે. તો સાથે જ રીક્ષાના ભાડામાં પણ વધારો થશે, જેની અસર મુસાફરોના બજેટ પર પડશે.


ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજો આવશે. છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.


આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરાયો છે.

Continue Reading

ગુજરાત

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવો : વિનોદભાઇ વાલાણી

Published

on

By


જસદણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને જેપી નડાને પત્ર પાઠવતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીઍ પત્ર પાઠવીનૅ જણાવ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા દરેક સમાજને સાથે રાખી ચાલનારા અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વખત સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરાઈ છે સતત અઢાર કલાક કામ કરનારા અને જાગૃત પ્રતિનિધિત્વ કરતા અભ્યાસુ અને બહોળો અનુભવ ધરાવતા કુંવરજીભાઈ બાવળીયા વિધાનસભામાં સતત સાત વાર અને લોકસભામાં એક વાર ચૂંટાય આવ્યા છે, કોંગ્રેસ પક્ષમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાતા કુંવજીભાઈ બાવળિયા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને કુંવરજીભાઈ સાથે બહોળો વર્ગ જોડાયો છે ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા કુંવરજીભાઈનો સિંહ ફાળો રહ્યો છે ઓબીસી નેતા અને 32 ટકા કોળી સમાજની વસ્તી ધરાવતા સમુદાયની લાગણી અને માંગણીને ધ્યાને લઇ ગરવી ગુજરાતના લોકસેવક અને સૌરાષ્ટ્રની ધરાને નંદનવન બનાવવા સૌરાષ્ટ્રના સાથી કુંવરજીભાઇ બાવળિયાને તક મળે તેવી લાગણી રજૂ કરી છે.કોળી સમાજ તેમજ બીજા અન્ય સમાજનાં લોકો ઇચ્છે કે કુંવરજીભાઇ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે.


ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવેલ ચીમનભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સી ડી (કોળી) પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને સાત સાત કોળી સમાજના મંત્રીઓ સરકારમા પ્રતિનિધિત્વ કરતા હતા સર્વ સમાજને સાથે રાખી ચાલનારા ઓબીસી નેતા કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વિનોદભાઈ વાલાણીએ નરેન્દ્રભાઈ મોદીને આગ્રહ ભરી વિનંતી સાથે પત્ર પાઠવ્યો છે.

Continue Reading

Trending