Connect with us

ગુજરાત

દ્વારકા: સમસ્ત ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શ્રીકોટી ગાયત્રી યજ્ઞની પૂર્ણાહુતિ

Published

on

  • ભૂદેવો દ્વારા લગભગ 1 કરોડ 30 લાખ ગાયત્રી મંત્રોનું જપ, અનુષ્ઠાન કરાયું: પૂર્વ પ્રમુખ સ્વ.વિનુભાઈ ઉપાધ્યાયે આપેલ એકતા અને સદ્ધરતાનું સૂત્ર સાર્થક કર્યુ

દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા તેમજ યજમાન વૃત્તિ કરનાર શ્રી ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારકા દ્વારા 19 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી આયોજિત શ્રી કોટી ગાયત્રી યજ્ઞની સફળતાપૂર્વક પુર્ણાહુતિ થયેલી છે.પાંચ દિવસ ના આ યજ્ઞ કાર્યમાં ભૂદેવો દ્વારા લગભગ 1 કરોડ 30 લાખ ગાયત્રી મંત્રોનું જપ અનુષ્ઠાન કરવામાં આવ્યું તેમજ 13 લાખ જેટલા ગાયત્રી મંત્રો દ્વારા અગ્નિ નારાયણને આહુતિ આપવામાં આવી. 21 યજમાનો તેમજ જ્ઞાતિ પ્રતિનિધિ સહિત કુલ 22 યજ્ઞ કુંડોમાં આ કર્મ સંપન્ન થયું.જ્ઞાતિના પૂર્વ પ્રમુખ સ્વ. વિનુભાઈ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવેલ એકતા અને સધ્ધરતાનું સૂત્ર દ્વારકા ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિજનોએ સંપૂર્ણ સાર્થક કર્યું છે.દ્વારકેશ 505 સ્કૂલ મેદાન સુધી પહોંચવા વાહનોની વ્યવસ્થા,યજ્ઞશાળાની વ્યવસ્થા, ભોજન પ્રસાદની વ્યવસ્થા,હોમાત્મક કર્મ કરવા હુતદ્રવ્યની વ્યવસ્થા, ચા પાણી ઠંડા પીણાની વ્યવસ્થા,ભારત સહિત દેશ વિદેશમાં લાઈવ ટેલીકાસ્ટ જોઈ શકાય તે માટે મીડિયાની વ્યવસ્થા તેમજ અન્ય અગત્યની વ્યવસ્થાઓ જ્ઞાતિ વ્યવસ્થાપક સમિતિ સદસ્યો, કારોબારી સદસ્યો,મધ્યસ્થ સભા સદસ્યો,સલાહકાર સમિતિ સદસ્યો, મહિલા મંડળ સહિત જ્ઞાતિની નારી શક્તિ સંગઠન સદસ્યો દ્વારા ખૂબ જ સુંદર અને સુચારુ વ્યવસ્થા આપવામાં આવી.યજ્ઞ દરમિયાન દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સરસ્વતીજી મહારાજના આશીર્વાદ વચનો પ્રાપ્ત થયા.દયારામ બાપુ આશ્રમના મહંત બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના ગોવિંદ પ્રસાદજી,અનેક સંતો અને મહંતો, સોમનાથ તીર્થ ભૂદેવો,અખિલ ભારતીય પંડાસભા પ્રમુખ તેમજ મહામંત્રી,ધારાસભ્ય શ્રી પબુભા માણેક,જિલ્લા એસ.પી નિતેશ પાંડે પરિવાર, ડી.વાય.એસ.પી પરિવાર,લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર,સૌરાષ્ટ્ર ઝોન યોગ કોર્ડીનેટર પ્રીતિબેન શુકલ,જીલ્લા યોગ કોર્ડીનેટર ધનાભા જડિયા સહિત અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા.

 

ગઈકાલે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ સાંજના સમયે મહારાસ આયોજન દરમિયાન યજ્ઞ સમિતિ ક્ધવીનર તેમજ જ્ઞાતિના વર્તમાન સલાહકાર સમિતિ પ્રમુખ પ્રદીપભાઈ ઉપાધ્યાયનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.જ્ઞાતિ વર્તમાન પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાય,મંત્રી કપિલભાઈ વાયડા,સહમંત્રી ચેતનભાઇ પુજારી દ્વારા જ્ઞાતિ આચાર્ય શ્રી અશ્વિનભાઈ પુરોહિત, ઘનશ્યામભાઈ પુરોહિત, વત્સલભાઈ પુરોહિત, દિનેશભાઈ ત્રિવેદી,આચાર્યગણ સહિત જ્ઞાતિ યજમાનો તેમજ સમગ્ર જ્ઞાતિજનોનો આભાર માન્યો. અત્રે ઉલ્લેખનીય છે કે કોટી ગાયત્રી યજ્ઞ દરમિયાન જ્ઞાતિના અબાલ વૃદ્ધો સહિત અનેક નામી અનામી વ્યક્તિઓનો વિશેષ યોગદાન રહ્યું છે જેથી આ યજ્ઞ કાર્ય સંપૂર્ણ સફળ થયું.

Uncategorized

આખો દિવસ મોબાઇલ-મોબાઇલ, ઘરમાંય ધ્યાન આપ, પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત

Published

on

By

કોઠારિયા રોડ ભોમેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી લિક્વિડ પી જીવ ટૂંકાવી લીધો


આજના યુગમાં બાળકથી માંડીને પ્રોઢ લોકોને મોબાઈલનુ ઘેલુ લાગ્યું છે.એમાં પણ ખાસ કરીને તરુણો મોટાભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે.બાળકોના માનસ પર વિપરીત ગાઢ અસર ઉભી કરે છે.મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો તેના કારણે જ કેટલાક કામો ઘર બેઠા બેઠા જ થઈ જાય છે.

મનોરંજન કે માહિતી મેળવવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે.ત્યારે આજના યુગમાં મોબાઈલ માત્ર સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેનો ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે.આજે બાળકથી લઇ મોટેરા ઓને મોબાઈલ વગર નથી ચાલતું!
રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ પર ભોમેશ્વર સોસાયટીમાં રહેતા પરિણીતાને તેમના પતિએ ઘરકામમાં ધ્યાન દેવાનું કહેતા અને મોબાઇલમાં ઓછો ઉપયોગ કરવાનું કહેતા તેમને લાગી આવ્યું હતું અને પરિણીતાએ લાદી સાફ કરવાનું ઝેરી લીક્વીડ પી આપઘાત કરી લીધો હતો.

આ મામલે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ પરમારે વધુ તપાસ શરૂૂ કરી છે. વધુ મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર આવેલા કનૈયા ચોક પાસે ભુવનેશ્વર સોસાયટીમાં રહેતા રૂૂપાબેન ઋત્વિકભાઈ કરતાગીયાં 22 વર્ષના પરિણીતાએ ગઈ તા.26 ના રોજ રાત્રિના સમયે લાદી સાફ કરવાનું લિક્વિડ પી જતા તેમણે તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેઓનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રીના મોત નીપજ્યું હતું.તેમના પતિ મજૂરી કામ કરે છે.તેમને ગઈ તા.26ના રોજ આખો દિવસ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા અને ઘરમાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કરી લીધો હતો.આ અંગે હવે આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.

Continue Reading

ગુજરાત

ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઝીંકાયો રૂા.1નો વધારો

Published

on

By

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહનચાલકોના ગજવા પર ભારણ વધશે. ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રીક્ષાઓ પર બોજો વધશે. રીક્ષા ચાલકોની મુશ્કેલી વધશે. તો સાથે જ રીક્ષાના ભાડામાં પણ વધારો થશે, જેની અસર મુસાફરોના બજેટ પર પડશે.


ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજો આવશે. છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.


આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરાયો છે.

Continue Reading

ગુજરાત

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવો : વિનોદભાઇ વાલાણી

Published

on

By


જસદણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને જેપી નડાને પત્ર પાઠવતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીઍ પત્ર પાઠવીનૅ જણાવ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા દરેક સમાજને સાથે રાખી ચાલનારા અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વખત સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરાઈ છે સતત અઢાર કલાક કામ કરનારા અને જાગૃત પ્રતિનિધિત્વ કરતા અભ્યાસુ અને બહોળો અનુભવ ધરાવતા કુંવરજીભાઈ બાવળીયા વિધાનસભામાં સતત સાત વાર અને લોકસભામાં એક વાર ચૂંટાય આવ્યા છે, કોંગ્રેસ પક્ષમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાતા કુંવજીભાઈ બાવળિયા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને કુંવરજીભાઈ સાથે બહોળો વર્ગ જોડાયો છે ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા કુંવરજીભાઈનો સિંહ ફાળો રહ્યો છે ઓબીસી નેતા અને 32 ટકા કોળી સમાજની વસ્તી ધરાવતા સમુદાયની લાગણી અને માંગણીને ધ્યાને લઇ ગરવી ગુજરાતના લોકસેવક અને સૌરાષ્ટ્રની ધરાને નંદનવન બનાવવા સૌરાષ્ટ્રના સાથી કુંવરજીભાઇ બાવળિયાને તક મળે તેવી લાગણી રજૂ કરી છે.કોળી સમાજ તેમજ બીજા અન્ય સમાજનાં લોકો ઇચ્છે કે કુંવરજીભાઇ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે.


ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવેલ ચીમનભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સી ડી (કોળી) પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને સાત સાત કોળી સમાજના મંત્રીઓ સરકારમા પ્રતિનિધિત્વ કરતા હતા સર્વ સમાજને સાથે રાખી ચાલનારા ઓબીસી નેતા કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વિનોદભાઈ વાલાણીએ નરેન્દ્રભાઈ મોદીને આગ્રહ ભરી વિનંતી સાથે પત્ર પાઠવ્યો છે.

Continue Reading

Trending