અમરેલી
અમરેલીના દામનગરમાં ચાલતા જુગાર પર ધારાસભ્યની રેડ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/46.png)
શોપિંગ સેન્ટરમાં ઓનલાઇન જુગાર રમાડતા હોવાની રાવ: વીડિયો વાઇરલ
અમરેલી જિલ્લાના લાઠી-બાબરા વિસ્તારના દામનગર વિસ્તારમાં એક શોપિંગ સેન્ટરમાં ઓનલાઇન જુગારધામ ચાલતું હોવાની ફરિયાદો ધારાસભ્ય જનક તળાવીયાને મળતાં તેઓએ સ્થાનિકો સાથે ગતરાત્રે જનતા રેડ કરી હતી અને બાદમાં પોલીસ બોલાવતાં પોલીસે ઇલેક્ટ્રિક સામગ્રી જપ્ત કરી હતી. આ જનતા રેડનો વીડિયો પણ ધારાસભ્ય દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો અને બાદમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે, અમે રેડ કરી તો કેટલાક શખ્સો ફરાર થઇ ગયા હતા. જોકે, આ અંગે ઉુજઙએ હાઇકોર્ટના ચુકાદા સાથે જણાવ્યું હતું કે આ જુગારધામ નથી, છતાં કાયદાકીય સલાહ લઇને આગળની તપાસ કરાવામાં આવશે.
લાઠી-બાબરના ધારાસભ્ય જનક તળાવીયાને દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં ઓનલાઈન જુગાર રમાડતા હોવાની ફરિયાદ મળતા ધારાસભ્યે જનતા રેડ કરી દામનગર પોલીસને બોલાવી હતી. પોલીસે સ્થળ પરથી ઇલેક્ટ્રિક સામગ્રી જેમાં કઊઉ ઝટ,ઈઙઞ, કીબોર્ડ, મોબાઈલ ચાર્જર, વાઇફાઇ મોડેમ સહિત કુલ.રૂૂ.11,400નો મુદ્દાદામાલ અને દુકાનમાં રહેલા ટેબલ ઉપર પ્લાસ્ટિકના યંત્રના કાર્ડ નંગ 21 તથા ટેબલના ખાનામાંથી રોકડ રૂ.8,720, મળી કુલ રૂ.20,120નો મુદામાલ સી.આર.પી.સી.કલમ 102 મુજબ જપ્ત કરી આગળતની તપાસ હાથ ધરી છે. આ રેડ અંગે ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, હું દામનગર વિસ્તારમાં મુલાકાતે હતો, અગાઉ પણ ત્યાંના લોકોની દારૂૂ-જુગાર અંગેની ઘણીબધી રજૂઆતો હતી. અગાઉ પણ મેં ખાનગી રાહે તપાસ કરાવી હતી. જોકે, કંઇ ધ્યાને આવ્યું નહોતુ. પરંતુ ગઈકાલે ફરી મને ત્યાંથી જાણ કરવામાં આવી કે યંત્રની આડમાં જુગારધામ ચાલે છે. જેથી મેં ખુદ જઇને રેડ કરી હતી. જ્યારે રેડ કરી ત્યારે ત્યાંથી લોકો બધુ ખુલ્લું મુકીને ભાગી ગયા હતા. બાદમાં મેં પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત સ્થળ પર આવી હતી અને રોકડ સહિતની સામગ્રી જપ્ત કરી હતી. જનક તળાવીયાએ વધુમાં કહ્યું કે ધારાસભ્ય તરીકે પોલીસને હું ખાસ વિનંતી કરું છું કે મારા વિસ્તારમાં દારૂૂ જુગાર જેવી પ્રવૃતિ ચલાવવા નહીં દઉ. ફરીથી ક્યાયં મારે ખુદ રેડ કરવી પડે તેવા દિવસો ન આવે જેનું પોલીસ તંત્ર ધ્યાન રાખે.
આ અંગે અમરેલી ઉુજઙ રાઠોડે જણાવ્યું હતું કે, ધારાસભ્યની રેડ અને જુગારધામ બાબતે વીડિયો વાયરલ થતાં પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી તો જુગાર રમવાવાળા કે રમાડવાવાળા કોઇ હાજર નહોતા. પોલીસે સ્થળ પરથી કેટલાક યંત્ર, સાધનો અને રોકડ રકમ સીઆરપીસી 102 મુજબ કબ્જે કર્યા છે. આ ઉપરાંત દુકાનદારની પૂછપરછ કરી તો દુકાન માલિકે જણાવ્યું હતું કે, ઓનલાઈન બાબતે પોતે એચ.એચ. ફ્રેન્ચાઇસીઝ રાખેલ છે અને કરાર કરેલો છે. ઓનલાઈન માર્કેટીંગ મુજબ અને ગુજરાત હાઇકોર્ટમાં અલગ અલગ પિટિશન દાખલ થયેલી છે. જેના ઓર્ડરમાં સ્પષ્ટ છે કે ઓનલાઈન વાસ્તુ યંત્ર અને ઓનલાઈન વસ્તુ પૂજા યંત્ર વેચાણ અને મનોરંજન તરીકે ગણવામાં આવે છે, જે જુગારની વ્યાખ્યામાં આવતું નથી. તેમ છતાં આ બાબતે કાયદાકીય સલાહ લઈ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
અમરેલી
લીલિયા ચેમ્બર ઓફ કોમર્સના બંધને બહોળો પ્રતિસાદ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/70-2.png)
છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાના લીલીયાના લોકો ગટરની સમસ્યાને લઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેના પગલે લીલીયા ચેમ્બર્સ ઑફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. આજે લીલીયા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. બીજી તરફ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્યે ભાજપ સામે નિશાન સાધ્યું હતુ. જ્યારે સત્તાધીશ ભાજપ દ્વારા 10 હજાર કરોડની ગટર યોજના મંજૂર થઈ હોવાનું જણાવ્યું હતુ.
હકીકતમાં છેલ્લા 7-8 વર્ષથી લીલીયાના બજારોમાં ગટરના ગંદા પાણીઓ વહી રહ્યાં છે. જેના કારણે વેપારીઓ ઉપરાંત સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ મામલે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
આખરે આજે વેપારીઓ અને ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેને વ્યાપક પ્રતિસાદ સાંપડતા લીલીયા સજ્જડ બંધ રહ્યું હતુ. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વેપારીઓને પોતાનો ટેકો જાહેર કરીને સત્તાધીશ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.
બીજી તરફ ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા પણ વેપારી વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગટર માટે 10 કરોડની યોજના માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતુ.
અમરેલી
અમરેલીના રામપરા ગામે સિંહોના ધામા : ગ્રામજનોમાં ભયનો માહોલ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/53-1.png)
સરપંચે વનમંત્રીને રજૂઆત કરતાં ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું
અમરેલીના રાજુલા તાલુકાના રામપરા ગામમાં આજે સતત બીજા દિવસે સિંહે ધામા નાખતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. રામપરા ગામમાં લોકોના ઘરના આંગણા પાસે જ બે સિંહોએ પશુનું મારણ કર્યું હતું. સિંહના મારણનોવીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ પણ રામપરા ગામમાં પહોંચી હતી.
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે જંગલ વિસ્તાર નજીકના ગામોમાં સિંહ અવારનવાર ચડી આવતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. રાજુલા તાલુકાના રામપરા ગામમા ંસતત બે દિવસથી સિંહ આવી ચડતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. ગતરાત્રિએ ગામમાં આવેલા બે સિંહોએ ત્રણ પશુઓનું મારણ કરતા ગામલોકોમાં ડરનો માહોલ છવાયો છે.
ગઈકાલે જ રાજુલાના રામપરા ગામના સરપંચ છનાભાઈ વાઘ દ્વારા રાજય સરકારના વનમંત્રી મુળુ બેરા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. સરપંચની રજૂઆતના બીજા દિવસે પણ ગામમાં સિંહ આવ્યાનો વીડિયો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ રામપરા દોડી ગઈ હતી અને સિંહને જંગલ વિસ્તાર તરફ ખસેડ્યા હતા.
અમરેલી
ખાંભાના હનુમાનપુર ગામે વીજશોકથી બે સગાભાઇ અને ભત્રીજાના મોતથી માતમ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/dead.jpg)
અમરેલીના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં મકાનના કામ દરમિયાન રેતી વોશ કરતી સમયે મશીનમાં વીજકરંટ લાગતા બે ભાઈ અને ભત્રીજાના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં આવેલ ખાંભાના હનુમાનપુર ગામમાં રહેણાંક વિસ્તારમાં મકાનનું કામ ચાલતું હોવાને કારણે બોરીચા પરિવારના લોકો રેતી વોશ કરી રહ્યા હતા. ત્યારે મશીનમાં પથુભાઈ બોરીચા, માનસુબાઈ બોરીચા અને ભવદીપ બોરીચાને વીજકરંટ લાગતા ત્રણેયના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા ખાંભા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાઠી સમાજના આગેવાનો હોસ્પિટલ પર દોડી ગયા હતા. આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રેતી વોશિંગના મશીનમાં વીજ કરંટ લાગતા જે ત્રણ લોકોના મોત નિપજ્યા છે. તેમાં પથુભાઈ અને માનકુભાઈ બે સગાભાઈઓ છે. જ્યારે ભવદીપ બોરીચા તેનો ભત્રીજો થતો હોવાનું જાણવા મળ્યું છે.
-
ગુજરાત7 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ગુજરાત1 month ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત1 month ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
ક્રાઇમ6 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર6 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
-
પોરબંદર6 months ago
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો
-
પોરબંદર6 months ago
પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત