Connect with us

અમરેલી

અમરેલીમાં શ્ર્વાનના ટોળાંએ વૃદ્ધાને ફાડી ખાધા

Published

on

અમરેલી જિલ્લના તરકતળાવ ગામે ગઇકાલે દીપડાએ માસુમ બાળકને ફાડી ખાધા બાદ આજે અમરેલી શહેરના રોકડીયાપરામાં રહતા 80 વર્ષના વૃદ્ધા ઉપર રખડતા શ્ર્વાનના ટોળાએ હુમલો કરી લોહીલોહાણ કરી મુક્તા વૃદ્ધાનું મોત નિપજતા ભારે અરેરાટી મચી જવા પામેલ છે.

હજુ ગઇકાલે સાંજે જ અમરેલી તાલુકાના તરકતળાવ ગામે સીમમા કામ કરી રહેલા ખેતમજુર પરિવારના છ વર્ષના બાળકને દીપડાએ ઉપાડી જઇ ફાડી ખાધાની ઘટના તાજી છે. ત્યાં આવા જ હિંસક હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. અમરેલીના રોકડીયાપરામા રહેતા શાંતુબેન ભનાભાઇ દેગામા (ઉ.વ.80) નામના વૃધ્ધાને શ્વાન ટોળીએ હુમલો કરી શરીર પર અનેક બચકા ભરી જઇ લોહીલુહાણ કરી દેતા તેમનુ મોત થયુ હતુ.
આમ તો આ વૃધ્ધા ગજેરાપરા વિસ્તારમા રહેતા હતા. અને મંગળવારે રોકડીયાપરા વિસ્તારમા પોતાના પુત્રના ઘરે ગયા હતા. બીજા દિવસે માનસિક સ્થિતિના કારણે રાત્રીના સમયે પુત્રના ઘરેથી નીકળી ગયા હતા. અને સવારે ગજેરાપરા વિસ્તારમા સાવરકુંડલા રોડ પર શેરીમાથી પસાર થતા હતા. ત્યારે બચ્ચાવાળી કુતરી પાસેથી નીકળતા તેણે ઉશ્કેરાઇ હુમલો કરી દીધો હતો. અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાથી અન્ય ચાર પાંચ શ્વાન પણ દોડી આવ્યા હતા જે તમામે એકસાથે હુમલો કરી વૃધ્ધાને લોહીલુહાણ કરી દીધા હતા.

કોઇએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ત્યાં દોડી આવી હતી અને વૃધ્ધાને અમરેલી સિવીલમા ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. શહેરમા આ રીતે અવારનવાર હિંસક શ્વાનનો ભોગ લોકો બની રહ્યાં છે. ડોગ બાઇટની ઘટનાઓ પણ વધી છે. હદ તો એ છે કે આ વાતની તંત્રના ચોપડે કોઇ નોંધ પણ લેવાઇ ન હતી.

સામાન્ય રીતે શહેરમા રંજાડ કરતા આવારા શ્વાનને પકડી લોકોને સલામતી આપવી જોઇએ. પરંતુ અમરેલીમા પાલિકા દ્વારા શ્વાન પકડવાની કોઇ કામગીરી કરવામા આવતી નથી. બલકે રખડતા અન્ય પશુઓ પકડવાની પણ કોઇ કામગીરી થતી નથી.બનાવ અંગે વૃધ્ધાને 108 એમ્બ્યુલન્સ મારફત અમરેલી સિવીલમા તો ખસેડાયા હતા. પરંતુ ત્યારબાદ આ બારામા કોઇ પોલીસ કાર્યવાહી કરાઇ ન હતી.

અમરેલી

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી દુર્ઘટના, ઘઉંની બોરી ઉતારતા વખતે 5 શ્રમિકો દબાયા, 1 નું મોત

Published

on

By

અમરેલી માર્કેટયાર્ડમાં આજે મોટી દુર્ઘટના સર્જાઇ છે. યાર્ડમાંઘઉંની બોરીઓ ઉતારતી વખતે 5 મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત થયું છે. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના લઇને મજૂરો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓ 5 મજૂરોના ઉપર પડી હતી અને મજુરો દટાયા હતાં. ત્યારબાદ મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક મજુરનું મોત થયું છે. જયારે 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

આ દુર્ઘટનામાં ખીજડિયાના વિપુલ દિનેશ કનક નામના મજૂરનું મોત થયું હતું જ્યારે અન્ય 4 મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા.

Continue Reading

અમરેલી

દામનગરમાં SMCનો દરોડો: જુગારની ક્લબ સાથે દારૂની મહેફિલ ઝડપાઈ

Published

on

By

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર બસસ્ટેન્ડ નજીક શ્યામ કોમ્પલેક્ષમાં જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ગાંધીનગરનું સ્ટેટમોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડ્યો હતો. આ જૂગારની ક્લબમાં 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.


જ્યારે પોલીસના દરોડામાં પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતાં. જૂગારના દરોડામાં દારૂની 13 બોટલ પણ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે વાહન, પાંચ મોબાઈલ, દારૂની બોટલ સહિત રૂા. 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


મળતી વિગતો મુજબ આઈપીએસ નિર્લિપ્તરાયના તાબા હેઠળની સ્ટેટમોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જી.આર. રબારી અને ટીમે બાતમીના આધારે દામનગરના બસ્ટેન્ડ પાસે આવેલ શ્યામ કોમ્પલેક્ષમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી દારૂ જૂગારની ક્લબ મળી આવી હતી.


એસએમસીના દરોડામાં જૂગાર રમતા દામનગરના હિંમત ઉર્ફે કાળુ શ્યામજીભાઈ જયપાલ, હર્ષદ પ્રાગ્જીભાઈ જયપાલ, ગણેશ નાગજી પરમાર, અમિત દેવશીભાઈ પરમાર, સંજય દિનેશભાઈ સોલંકી અને ભાવેશ બાબુભાઈ જાંજડિયાની ધરપકડ કરી રૂા. 19,150ની રોકડ, 90000ના ત્રણ વાહનો તથા 1300 રૂપિયાની કિંમતની 13 બોટલ વિદેશી દારૂ મળી રૂા. 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં વરલી-મટકાનો ધંધો ચલાવનાર મુખ્ય સુત્રધાર ભરત જયંતિભાઈ ગોહિલ, ભાગીદાર અર્જુન જીવણભાઈ સાતડિયા, કેશિયર મુકેશ ઠાકોર દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી કૌશીક ભરતભાઈ ગોહિલ અને દારૂની ડિલેવરી આપનાર શૈલેષ અરવિંદભાઈ ચાવડિયા ફરાર થઈ ગયા હતાં. દારૂ અને વરલી-મટકાની ક્લબમાં તમામ સુવિધાઓ આપવામાં આવતી હોય આ મામલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છ.ે

Continue Reading

અમરેલી

જાફરાબાદના દરિયામાં માછીમારી બોટની જળસમાધિ, આઠનો બચાવ

Published

on

By

અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર વિસ્તારમાં મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે દરિયામાં બોટ ડૂબવાની અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આજે આવી જ એક ઘટના સામે આવી છે. જાફરાબાદના સીદીકભાઈની હુસેની નામની બોટમાં 8 ખલાસીઓ સવાર હતા. ત્યારે દરિયાની અંદર અકસ્માતે બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. બોટ પલટી મારતા 8 ખલાસીઓના જીવ જોખમમાં મુકાયો હતો.

આ દરમ્યાન જાફરાબાદની બોટ પસાર થતી હોવાને કારણે 8 ખલાસીઓને તેમની બોટમાં અંદર બેસાડી બચાવી લેવાયા હતા. હુસેની નામની બોટ દરિયામાં ડૂબી ગઈ છે.8 ખલાસીઓનો બચાવ થયો છે તેમને અન્ય બોટમાં જાફરાબાદ લાવી રહ્યા છે. મધ દરિયામાં ઘટના બની હોવાને કારણે વહેલી સવાર સુધીમાં જાફરાબાદ બંદર પર વતન લવાશે. હાલ જાફરાબાદ માછીમાર સમાજના આગેવાનોના સંપર્કમાં છે જેથી માછીમારના લોકોએ રાહત અનુભવી છે.


જાફરાબાદ માછીમાર સમાજ અગ્રણી કનેયાલાલ સોલંકીએ જણાવ્યું કે, એક બોટ ડૂબી હતી પરંતુ 8 ખલાસીઓને અન્ય બોટની મદદથી બચાવી લીધા છે. તેની બોટમાં બેસાડી દીધા છે તે ખલાસીઓ જાફરાબાદ આવી જશે સુરક્ષિત છે.

Continue Reading
ક્રાઇમ13 hours ago

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

રાષ્ટ્રીય14 hours ago

UP: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 20 લોકો દટાયા, SDRF-NDRF ઘટનાસ્થળે પહોંચી

ક્રાઇમ14 hours ago

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

આંતરરાષ્ટ્રીય14 hours ago

કેનેડામાંથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, પરિવારજનો શોકમાં

આંતરરાષ્ટ્રીય14 hours ago

ચીનમાં ‘યાગી’ વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

ગુજરાત14 hours ago

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

ગુજરાત14 hours ago

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

ગુજરાત14 hours ago

રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી

રાષ્ટ્રીય14 hours ago

ચાલુ ટ્રેને પેન્ટ્રી કારના કર્મચારી દ્વારા અપંગ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત14 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

રાષ્ટ્રીય2 days ago

અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને ભેટમાં આપ્યો સોનાનો મુગટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત2 days ago

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

રાષ્ટ્રીય22 hours ago

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

રાષ્ટ્રીય2 days ago

પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો

રાષ્ટ્રીય2 days ago

સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું

રાષ્ટ્રીય2 days ago

‘યુદ્ધ માટે તૈયાર રહો…’, સંરક્ષણ મંત્રી રાજનાથે કમાન્ડરોને આપ્યો આદેશ

Sports2 days ago

પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત2 days ago

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

ગુજરાત2 days ago

રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?

આંતરરાષ્ટ્રીય2 days ago

‘જુનાગઢ પાકિસ્તાનનો એક ભાગ, ભારતે ગેરકાયદેસર કર્યો કબજો..’ પાકિસ્તાને ફરી ઝેર ઓક્યું

Trending