Connect with us

ગુજરાત

ઈમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ કાયદેસર કરવા ફાયર એનઓસી ફરજિયાત

Published

on

સરકારે ઈમ્પેક્ટ ફી યોજનાની મુદત વધારવાની સાથે ફાયરના નિયમોનો સમાવેશ કર્યો

અગ્નિકાંડની ઘટના બાદ સરકારે બીયુ અંતર્ગત મિલ્કતોમાં સુધારા-વધારા સાથે કાયદેસર કરવા ઈમ્પેક્ટ ફી યોજનાની મુદતમાં વધારો કર્યો છે. પરંતુ નિયમો હેઠળ આવતી મિલ્કતોને ઈમ્પેક્ટ ફી યોજનાનો લાભ મેળવવા માટે હવે ફાયર એનઓસી ફરજિયાત લેવાની રહેશે. સરકારે આગજની ઘટના ન બને તે માટે હવે ઈમ્પેક્ટ ફી યોજનાના નિયમોમાં સુધારા કરી ફાયર સેફ્ટી અંગે કડક કાયદો અમલમાં મુકી ફાયર એનઓસીનો સમાવેશ કરવામા આવ્યો છે. જે અંતર્ગત હવે કોઈપણ બાંધકામ ઈમ્પેક્ટ ફી હેઠળ મુકવુ હશે અને ફાયર સેફ્ટીના નિયમો લાગુ પડતા હશે ત્યારે ફાયર એનઓસી રજૂ કર્યા બાદ ઈમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ કાયદેસર થઈ શકશે.


ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં બાંધકામ ગેરકાયદેસર હોવાનું ખુલવા પામ્યું છે. અને સાથો સાથ આ ગેમઝોનને ઈમ્પેક્ટ ફી હેઠળ આવરી લેવાના પ્રયાસો પણ થયા હતાં. તેવું બહાર આવ્યા બાદ સરકારે શનિવારે ઈમ્પેક્ટ ફી યોજનાની મુદતમાં વધારો કરવાની સાથો સાથ હવે વધારાનાું બાંધકામ કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ મુકાતા ડોક્યુમેન્ટમાં ફાયર એનઓસી ફરજિયાત રજૂ કરવાનો નિયમ અમલમાં મુક્યો છે. આ મુદ્દે ફાયર વિભાગમાંથી પ્રાપ્ત વિગત મુજબ અત્યાર સુધી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફીની ફાઈલ ઓનલાઈન રજૂ કરવામા આવશે ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા વધારાના બાંધકામ અંતર્ગત તપાસ હાથ ધરી મંજુરી અપાતી હતી. ત્યાર બાદ ઈમ્પેક્ટ ફીનો લાભ અરજદારને મળતો હતો. ત્યાર બાદ અરજદાર ફાયર એનઓસી માટે અરજી કરે તો ફાયર વિભાગ તપાસના અંતે ફાયર એનઓસી ફાળવતું હતું. અને અનેક બાંધકામો ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ મંજુર થઈ ગયા બાદ પણ અરજદારોએ ફાયર એનઓસી લેવાની કાળજી ન લેતા આગની દુર્ઘટના બનવાની સંભાવના વધી જાય છે. આથી સરકારે ઈમ્પેક્ટ ફી યોજનાની મુદત વધારવાની સાથો સાથ નિમયમોમાં પણ મોટા ફેરફારો કર્યા છે.


રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફી યોજનાની મુદત વધારવાની સાથો સાથ નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં પહેલા હતાં એ નિયમ મુજબ માર્જીનની સામે માર્જીન મુકી અને પાર્કિંગમાં બાંધકામ કરવામાં આવે તો નજીકના 500 મીટરની ત્રિજિયામાં અલગથી પાર્કિંગ દર્શાવવું સહિતના નિયમો અમલમાં હતાં જ્યારે ફાયર એનઓસી ફરજિયાત ન હતીં. પરંતુ હવે અગ્નિકાંડ બાદ સરકારે વધારાના બાંધકામો કરનાર અરજદાર ફાયરના નિયમનું ઉલંઘન ન કરે તે મુદદ્દે વિશેષ ધ્યાન આપ્યું છે અને નિયમોમાં સુધારા કરી ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો અને ફાયર એનઓસી હેઠળ આવતા હોય તેવા એકમોને ઈમ્પેક્ટ ફી હેઠળ વધારાના બાંધકામથી પરવાનગી મેળવવા માટે હવેથી ફાયર એનઓસી ફરજિયાત રજૂ કરવાનું રહેશે ત્યાર બાદ ઈમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ કાયદેસર કરવામાં આવશે.

અગાઉ થઈ ગયેલા બાંધકામોનો સરવે થશે
સરકારે ઈમ્પેક્ટ ફી યોજનામાં ચાર વખત મુદત વધારો કર્યો છે જે અંતર્ગત ગત શનિવારે 6 માસની મુદત વધારી ફાયર એનઓસી હેઠળ આવતા બાંધકામો માટે ફાયર એનઓસી ફરજિયાત બનાવવામાં આવી છે. પરંતુ આજ સુધી થઈ ગયેલા અનેક બાંધકામોને કાયદેસરતા આપવામાં આવી છે. છતાં આ બાંધકામો ફાયર એનઓસીના નિયમ હેઠળ આવે છે કે નહીં તે અંગે હવે અગાઉ થયેલા બાંધકામોનો પણ સર્વે કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

ટી.પી. અને ફાયર વિભાગ સંયુક્ત કાર્યવાહી કરશે
ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ મુદત વધારવામાં આવી છે. જેમાં નવા નિયમોનો ઉમેરો કરાયો છે. બાંધકામ પરમીશન અંતર્ગત ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે અરજદાર અરજી કરે ત્યાર બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા વધારાના બાંધકામની વિગત મેળવવા સ્થળ તપાસ કરવામાં આવશે અને સાથો સાથ ફાયર વિભાગ દ્વારા પણ અરજી મુજબના બાંધકામનું ચેકીંગ કરી આ બાંધકામ ફાયર એનઓસી હેઠળ આવે છે કે કેમ તે અંગે જાણકારી મેળવવામાં આવશે. આમ ટીપી વિભાગ અને ફાયર વિભાગના સર્વેના રિપોર્ટના આધારે બાંધકામ કાયદેસર કરવામાં આવશે.

Uncategorized

આખો દિવસ મોબાઇલ-મોબાઇલ, ઘરમાંય ધ્યાન આપ, પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત

Published

on

By

કોઠારિયા રોડ ભોમેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી લિક્વિડ પી જીવ ટૂંકાવી લીધો


આજના યુગમાં બાળકથી માંડીને પ્રોઢ લોકોને મોબાઈલનુ ઘેલુ લાગ્યું છે.એમાં પણ ખાસ કરીને તરુણો મોટાભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે.બાળકોના માનસ પર વિપરીત ગાઢ અસર ઉભી કરે છે.મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો તેના કારણે જ કેટલાક કામો ઘર બેઠા બેઠા જ થઈ જાય છે.

મનોરંજન કે માહિતી મેળવવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે.ત્યારે આજના યુગમાં મોબાઈલ માત્ર સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેનો ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે.આજે બાળકથી લઇ મોટેરા ઓને મોબાઈલ વગર નથી ચાલતું!
રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ પર ભોમેશ્વર સોસાયટીમાં રહેતા પરિણીતાને તેમના પતિએ ઘરકામમાં ધ્યાન દેવાનું કહેતા અને મોબાઇલમાં ઓછો ઉપયોગ કરવાનું કહેતા તેમને લાગી આવ્યું હતું અને પરિણીતાએ લાદી સાફ કરવાનું ઝેરી લીક્વીડ પી આપઘાત કરી લીધો હતો.

આ મામલે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ પરમારે વધુ તપાસ શરૂૂ કરી છે. વધુ મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર આવેલા કનૈયા ચોક પાસે ભુવનેશ્વર સોસાયટીમાં રહેતા રૂૂપાબેન ઋત્વિકભાઈ કરતાગીયાં 22 વર્ષના પરિણીતાએ ગઈ તા.26 ના રોજ રાત્રિના સમયે લાદી સાફ કરવાનું લિક્વિડ પી જતા તેમણે તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેઓનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રીના મોત નીપજ્યું હતું.તેમના પતિ મજૂરી કામ કરે છે.તેમને ગઈ તા.26ના રોજ આખો દિવસ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા અને ઘરમાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કરી લીધો હતો.આ અંગે હવે આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.

Continue Reading

ગુજરાત

ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઝીંકાયો રૂા.1નો વધારો

Published

on

By

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહનચાલકોના ગજવા પર ભારણ વધશે. ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રીક્ષાઓ પર બોજો વધશે. રીક્ષા ચાલકોની મુશ્કેલી વધશે. તો સાથે જ રીક્ષાના ભાડામાં પણ વધારો થશે, જેની અસર મુસાફરોના બજેટ પર પડશે.


ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજો આવશે. છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.


આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરાયો છે.

Continue Reading

ગુજરાત

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવો : વિનોદભાઇ વાલાણી

Published

on

By


જસદણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને જેપી નડાને પત્ર પાઠવતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીઍ પત્ર પાઠવીનૅ જણાવ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા દરેક સમાજને સાથે રાખી ચાલનારા અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વખત સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરાઈ છે સતત અઢાર કલાક કામ કરનારા અને જાગૃત પ્રતિનિધિત્વ કરતા અભ્યાસુ અને બહોળો અનુભવ ધરાવતા કુંવરજીભાઈ બાવળીયા વિધાનસભામાં સતત સાત વાર અને લોકસભામાં એક વાર ચૂંટાય આવ્યા છે, કોંગ્રેસ પક્ષમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાતા કુંવજીભાઈ બાવળિયા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને કુંવરજીભાઈ સાથે બહોળો વર્ગ જોડાયો છે ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા કુંવરજીભાઈનો સિંહ ફાળો રહ્યો છે ઓબીસી નેતા અને 32 ટકા કોળી સમાજની વસ્તી ધરાવતા સમુદાયની લાગણી અને માંગણીને ધ્યાને લઇ ગરવી ગુજરાતના લોકસેવક અને સૌરાષ્ટ્રની ધરાને નંદનવન બનાવવા સૌરાષ્ટ્રના સાથી કુંવરજીભાઇ બાવળિયાને તક મળે તેવી લાગણી રજૂ કરી છે.કોળી સમાજ તેમજ બીજા અન્ય સમાજનાં લોકો ઇચ્છે કે કુંવરજીભાઇ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે.


ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવેલ ચીમનભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સી ડી (કોળી) પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને સાત સાત કોળી સમાજના મંત્રીઓ સરકારમા પ્રતિનિધિત્વ કરતા હતા સર્વ સમાજને સાથે રાખી ચાલનારા ઓબીસી નેતા કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વિનોદભાઈ વાલાણીએ નરેન્દ્રભાઈ મોદીને આગ્રહ ભરી વિનંતી સાથે પત્ર પાઠવ્યો છે.

Continue Reading

Trending