ગુજરાત
સિવિલમાં આંદોલનો સમેટાયા, સુરક્ષા માટે બાઉન્સરો ગોઠવાયા
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/IMG20240611074515-scaled.jpg)
રેસિડેન્ટ તબીબોની માગણીઓ સંતોષાઈ જતાં ફરી કામે વળગ્યા, એજન્સીની મહિલા કર્મચારીની હાલ છૂટ્ટી, તપાસ બાદ આગળનો નિર્ણય
રાજકોટ સિવીલ હોસ્પિટલમાં શનિવારે થયેલી સ્ટાફ અને તબીબની માથાકૂટમાં સૌ પ્રથમ કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી અને બાદમાં તબીબોએ સૂત્રોચાર કરી માંગણી નહીં સ્વીકારાઇ તો મંગળવારથી હડતાળ પર જવા ચીમકી આપી હતી.આ ઘટના બાદ રાજકોટ સિવીલ સર્જન ડો.ત્રિવેદીએ જૂનિયર તબીબોની ત્રણ શરતો તાત્કાલિક ધોરણે માની લેતા હાલ હળતાલ મોકૂફ રાખવામાં આવી હતી.તો બીજી તરફ કોન્ટ્રાક્ટરે બે મહિલા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતા ટોળું તબીબી અધિક્ષકની ઓફિસે પહોંચી ગયું હતું.જોકે બાદમાં સિવિલ સાતજન અને સિનિયર તબીબોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો અને તબીબો અને કર્મચારીઓએ હડતાળ સમેટી લીધા હતા.
વધુ વિગતો મુજબ,સિવીલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ મહિલા કર્મચારી દ્વારા બે દિવસ પહેલા મહિલા તબીબ સાથે મારકૂટ કરવા મામલે જૂનિયર ડોક્ટર એસોસિયેશન મેદાને આવ્યુ હતું અને નોન-ઈમરજન્સી કામગીરીથી દૂર પોતાની સુરક્ષા માટે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.જેના પગલે સોમવારે જૂનિયર તબીબો ઓ.પી. ડી.ની કામગીરીથી અળગા રહિને મેડિકલ કોલેજ ખાતે એકઠા થયા હતા.જ્યા સિવીલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદી અને ડીન ડો.ભારતી પટેલ સમક્ષ તબીબ પર હુમલો કરનાર કોન્ટ્રાક્ટ બેઝ મહિલા કર્મચારીને છૂટા કરવા, ડોક્ટરોની રક્ષા માટે એક્સ-આર્મીમેનને સિક્યુટી ઓફિસર તરીકે નિમવા અને દરેક વોર્ડમાં બાઉન્સર રાખવા, દરેક વોર્ડના સીસીટીવી કેમેરા વધારવા, દર્દીના સગાઓને મળવા આવતા સગા માટે પાસ સિસ્ટમનું ચુસ્તપણે પાલન કરવું જેવી ચાર માંગણી કરી હતી.
જેમાંથી સત્તાધિશોએ ચાર માંગણી સ્વિકારી મહિલાને તાત્કાલિક ધોરણે છૂટા કરી સીસીટીવી કેમેરા વધારવા માટે થોડા સમયની માંગણી કરી હતી.જેના કારણે તમામ રેસીડેન્ટ ડોકટરો રાબેતા મુજબ ઓ.પી.ડી. પર પોતાની ફરજ પર હાજર થયા હતા અને જેના કારણે તબીબોની હળતાલ ટળી હતી.તો બીજી તરફ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતા સ્ટાફનું ટોળું તબીબી અધિક્ષકની ઓફિસે રજુઆત કરવા પહોચ્યું હતું.જોકે બાદમાં સિવિલ સર્જન અને તબીબોએ આ મામલો થાળે પાડ્યો હતો.સિવિલ સર્જન ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે,હાલ ઇમરજન્સી વિભાગ પાસે તેમજ અન્ય વોર્ડ પર બાઉન્સર રાખવામાં આવ્યા છે જે ખાલી બે દિવસ માટે જ છે.હવે થોડાક દિવસો બાદ એક્સ આર્મીમેંનની સિકયીરીટી તરીકે ભરતી કરવામાં આવશે.હાલ કર્મચારી રુકસાના બેનને થોડા દિવસ પાસે છુટા કરાયા છે આ મામલે હાલ કમિટી તપાસ કરશે ત્યારબાદ સંપૂર્ણ નિર્ણય લેવાશે.
તબીબોની સુરક્ષા માટે 60 એક્સ આર્મી મેનની ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ:ડો.ત્રિવેદી
ડો.ત્રિવેદીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે,બાઉન્સર બે દિવસ પૂરતા જ રાખવામાં આવ્યા છે.હવે સિવિલ હોસ્પિટલમાં તબીબોની માટે 60 જેટલાં એક્સ આર્મીમેનની ભરતી પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.હાલ 20 બાઉન્સરને હંગામી ધોરણે નોકરી પર રાખ્યા છે.આજથી કોવીડ બિલ્ડીંગમાં એક્સ આર્મીમેન માટે ઇન્ટરવ્યૂ ચાલુ થઇ ગયું છે.આજે બપોરે એકાદ વાગ્યા સુધીમાં લગભગ 27 જેટલાં એક્સ આર્મીમેને ઇન્ટરવ્યૂ આપ્યું છે.આર્મી મેન માટે સિવિલ હોસ્પિટલના અલગ અલગ 20 પોઇન્ટ ઉપર 60 કર્મચારીને તૈનાત કરવામાં આવનાર છે.
બાઉન્સરોની સુરક્ષા વચ્ચે દલિત નેતા સોલંકીનું બાઈક ઈમર્જન્સી સુધી પહોંચ્યું
સિવિલ હોસ્પિટલમાં એકબાજુ તંત્ર સલામતિ વધારવાના બહાના તળે ર્બાીંનસરોને ઉભા રાખી કામગીરી કાર્યવાહીના દેખાડા કરે છે તે જ સમયે અત્રે ઉભી કરેલી સુરક્ષાની વ્યવસ્થામાં છીંડા રાખી દેવાયા હોય તેમ દર્દીને લઈ આવતા સ્વજનો બાઈક સમેત છેક હોસ્પિટલમાં પ્રતિબંધિત વોર્ડ સુધી પહોંચી જતાં હોવાનો બનાવ સિવિલ હોસ્પિટલ બન્યો હતો. જાણકારોએ કહ્યું કે, બ્લેક ડ્રેસમાં અપ ટુ ડેઈટ ઉભેલા એક-બે નહીં 20-20 બાઉન્સરોની હાજરી વચ્ચે દલિતનેતા સોલંકીએ પોતાનું દદીર્ર્ સાથેનું બાઈક છેક ઈમરજન્સી વિભાગ સુધી પહોંચાડી દેતા અહીં સુરક્ષા-સલામતિ બાબતે ખાળે ડૂમા દરવાજા મોકળા જેવું સાબિત થયું હતું.
ગુજરાત
સુરતમાં યુવાન દોડતી ટ્રકના ટાયર નીચે કુદયો, જુઓ આ અકસ્માતનો ચોંકાવનારો વિડીયો
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/d3a7ea60-5f80-4f24-bf3b-f7f964def752.jpeg)
રાજ્યમાં દિવસે ને દિવસે અક્સંતોની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતનાઉધના રોડ પર થયેલા અકસ્માતમાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. CCTVમાં જોવા દેખાય છે કે, રોડની સાઇડ પર ઉભેલો યુવાન ટ્રક આવતા અચાનક નમ્યો હતો, ત્યારબાદ તે અચાનક ટ્રક નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માત અંગેની મળતી માહિતી અનુસાર ઉધના રોડ નં. 3 પર શનિદેવ મંદિરની પાસે ગઈકાલે રોડ અકસ્માતમાં એક ડિંડોલી વિસ્તારના યુવાનનું મોત થયું હતું. આ સમગ્ર મામલે હવે CCTV સામે આવ્યા છે, ત્યારબાદ સવાલ થઈ રહ્યાં છે કે આ આત્મહત્યા કે અકસ્માતની ઘટના છે.
CCTVમાં સ્પષ્ટ દેખાયરહ્યું છે કે રોડની એક તરફ યુવાન ઉભો છે અને જ્યારે ટ્રક આવે છે ત્યારે તે અચાનક નીચે નમી જાય છે ત્યારબાદ તે ટ્રક નીચે આવી જતા મોત તેનું મોત નીપજ્યું. ત્યરે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાત
ગૌણ સેવા મંડળની 8 પરીક્ષા સ્થગિત કરતી હાઇકોર્ટ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/Gujarat-High-Court-Issues-Notice-Over-Narol-Sarkhej-Highway.png)
પ્રિલિમિનરી પરીક્ષામાં કટ ઓફની મર્યાદા હટાવવા થયેલી રીટમાં છ વખત મુદ્ત આપવા છતાં સરકારે જવાબ નહીં આપતા હાઇકોર્ટ ભારે નારાજ
ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષા લેતી એજન્સીની આડોડાઇથી લાખો નોકરી વારછુંકુની કારર્કિદી પર પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. ગૌણ સેવા દ્વારા જાહેર કરેલી આઠ જેટલી સરકારી ભરતીની પરીક્ષા ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્થગિત કરી દેવામાં આવી છે.
આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આઠ જેટલી પરીક્ષાની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતા. આ પ્રિલીમરી પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં કવોલીફાઇ જવા માટે 40 માર્ક ફરજીયાતનો નિયમ કરવામાં આવ્યો છે. જે નિયમ રદ કરવા માટે ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
જાહેરહિતની અરજીમાં ઉમેદવારોએ જણાવ્યુ છે કે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી રહી છે. તેના પ્રશ્ર્નોપત્રનું અંગે્રજીમાંથી રૂપાંતરીત કરી અને ગુજરાતી ભાષામાં છપાવવામાં આવે છે જેના કારણે પેપરમાં ભાષાકિય ભૂલો હોય છે અને પેપર પણ હાર્ડ નિકળતા બન્ને સમસ્યા સાથે થતી હોય વિદ્યાર્થીઓને 40 ગુણ લેવા મુશ્કેલ પડી જાય છે અને મોટાભાગના ઉમેદવારો કટ ઓફ જેટલા ગુણ મેળવી શકતા નથી જેથી આ 40 ટકા માર્કનો નિયમ રદ કરવામાં આવે. આ બાબતે ગૌણ સેવા મંડળને પણ અનેક વખત રજુઆત કરી છે છતા પણ કોઇપણ જાતનું નિરાકરણ આવી રહ્યું નથી.
આ અંગેની અરજી થતા હાઇકોર્ટ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને જવાબ આપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમ વખત જવાબ રજુ નહી કરતા ફરીથી જવાબ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ જવાબ રજુ કરવા છ-છ મુદત આપવા છતા પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જવાબ રજુ નહી કરતા ગુજરાત હાઇકોર્ટ લાલધુમ થઇ ગઇ હતી અને મંડળ દ્વારા જાહેર કરેલી જાહેરાત ક્રમાંક 213થી 224 સુધીની 8 જેટલી ભરતીની વર્ગ-3ની પરીક્ષાઓ સ્થગીત કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સરકારી ભરતીમાં જે તે પરીક્ષાના 12 થી 13 લાખ જેટલા ફોર્મ ભરાતા હોય છે હાલ 8 જેટલી પરીક્ષા તા.8 ઓગસ્ટ સુધી સ્થગીત કરી દેવાતા લાખો નોકરી વાચ્છુકોની કારર્કીદી મુશ્કેલીમાં મુકાઇ છે અને નોકરીની રાહ જોતા ઉમેદવારોની મુશ્કેલી વધી ગઇ છે. ગુજરાત ગૌણ સેવાના કારણે ઘણા એવા ઉમેદવારો છે જેને વયમર્યાદા પણ પૂર્ણ થવા પર છે તેવા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે.
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/Capture-225-1024x481.jpg)
પોલીસ અધિકારીઓની બઢતી મામલે સરકાર સામે હાઇકોર્ટ લાલઘૂમ
તાજેતરમાં 252 જેટલા પોલીસ અધિકારીઓની બઢતી મામલે જીપીએસસીની મંજુરી માંગતા હાઇકોર્ટ લાલધુમ થઇ ગઇ છે અને કહ્યું હતું કે જીપીએસસીએ તમને અધિકારીઓ સોંપ્યા છે અને તમારી પાસે બોર્ડ પણ છે તો પછી બઢતી માટે જીપીએસસીની મંજુરી કેમ માંગવી પડે છે તેવા આકરા સવાલો કર્યા હતા અને બઢતી મામલે અલગ અલગ નીતિ સામે સવાલો કરી સરકારને ખખડાવી હતી.
ગુજરાત
આશ્ર્ચર્યમ: NEET-UGની નવી યાદીમાં ટોપર્સની સંખ્યા 61થી ઘટી 17 થઈ ગઈ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/111-4.png)
મેડિકલમાં એડમિશન માટે 50,000થી
1 લાખ વચ્ચેના વિદ્યાર્થીઓના સમીકરણો બદલાયા
NEET-UG પરીક્ષામાં ટોપર્સની સંખ્યા 61 થી ઘટીને 17 પર આવવાની તૈયારી છે જ્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NEET-UG) દ્વારા સંશોધિત મેરિટ લિસ્ટ સંભવત આજે જાહેર કરવામા આવી છે.
સુપ્રીમ કોર્ટના દાખલા પર કામ કરતી NEET-UG-દિલ્હીએ ભૌતિકશાસ્ત્રના પ્રશ્નપત્રમાં માત્ર એક જ વિકલ્પ સાચો હોવાની ભલામણ કર્યા પછી મેરિટ લિસ્ટમાં સુધારો કરવાની જરૂૂર પડી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે ગઈઊછઝના જુદા જુદા પુસ્તકો દ્વારા ચારમાંથી બે વિકલ્પોને યોગ્ય ગણી શકાય. માત્ર એક જ જવાબ સાચો માનવામાં આવતાં, જેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો હતો તેઓએ પાંચ માર્કસ ગુમાવ્યા (ખોટા જવાબ માટે ચાર ગુણ અને એક નકારાત્મક માર્ક), જેમાં પરીક્ષા આપનાર તમામની રેન્ક પર કાસ્કેડિંગ અસર થવાની ખાતરી હતી.આ નિર્ણય મુખ્યત્વે 4.2 લાખ ઉમેદવારોના સ્કોર્સને અસર કરશે, જેમાં 44 જેમણે 720 ના સંપૂર્ણ સ્કોર્સ હાંસલ કર્યા છે, કારણ કે તેઓએ ઈંઈંઝ-દિલ્હી દ્વારા ખોટા ગણાયેલા જવાબ માટે પસંદગી કરી હતી અને જેના માટે તેમને ગઝઅ દ્વારા અગાઉ ચાર માર્કસ આપવામાં આવ્યા હતા. ગઝઅ અધિકારીએ જણાવ્યું હતું કે, ટોપર્સની સંખ્યા, જે 61 છે, તે માર્કસની કપાત પછી ઘટીને 17 પર આવશે.
રેન્કિંગમાં ફેરફાર ઘણા વિદ્યાર્થીઓ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે કારણ કે દેશમાં 24 લાખથી વધુ ઉમેદવારોએ 1.08 મેડિકલ સીટ માટે ગઊઊઝ-ઞૠ લીધું હતું. તેમાંથી, 56,000 બેઠકો સરકારી સંસ્થાઓમાં છે, જે તેમની સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓછી ફી માટે ખૂબ માંગવામાં આવે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌથી વધુ અસર 50,000 થી 1 લાખની વચ્ચેના ઉમેદવારો પર પડશે કારણ કે 16,000 થી વધુ ઉમેદવારો, જેઓ અગાઉ મેડિકલ કોલેજમાં સીટ મેળવવાની શક્યતા ધરાવતા હતા.
તેઓ જૂથમાંથી બહાર જાય તેવી શક્યતા છે.
44 વિદ્યાર્થીઓ પર અસર થશે, જેઓ હવે ટોપર્સ રહેશે નહીં, કારણ કે તેઓ હજુ પણ 33,000 થી 50,000 ની રેન્ક જૂથમાં દર્શાવશે પરંતુ તેમની રેન્કમાં ફેરફારથી સરકારી મેડિકલ કોલેજોમાં બેઠકો મેળવવાની તેમની તકને અસર થશે.
-
રાષ્ટ્રીય4 days ago
બજેટમાં સોના-ચાંદી પર મોટી જાહેરાત, આટલા રૂપિયા થયું સસ્તુ
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
રાષ્ટ્રીય1 week ago
માતા બની હેવાન…માસૂમ પુત્રની છાતી પર ચઢી, ઢોર માર માર્યો, જુઓ વિડીયો
-
ગુજરાત8 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ક્રાઇમ7 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર7 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત