અમરેલી
બગસરામાં પાલિકાની બેદરકારીથી બજારમાં ગટરના પાણી ઊભરાયા
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/43.jpg)
મંદિરે જવું મુશ્કેલ, સાતલડી નદીમાં ભળતું દુષિત પાણી
લોકોના આસ્થાનું પ્રતીક એવા બગસરાના રત્નેશ્વર મહાદેવ મંદિર સામે ઉભરાતી ગટરોના લીધે ભાવિકોમાં રોષ જોવા મળ્યો છે બગસરામાં છેલ્લા ઘણા સમય થયા આસ્થાનું પ્રતિક એવા રત્નેશ્વર મહાદેવ મંદિર સામે ગટરો ઉભરાવાથી ભાવિકમાં કચવાટ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા આળસ ખંખેરી તાકીદે સફાઈ કરવામાં આવે એવી માંગણી ઉઠી છે.
વિગત અનુસાર બગસરા ગામની ગંગા જેવી પવિત્ર ગણાતી સાતલડી નદીને દૂષિત કરવાનું જાણે બીડું ઉઠાવ્યું હોય તેમ પાલિકા દ્વારા અવાર નવાર ગટરના દૂષિત પાણીને નદીમાં ઠાલવવામાં આવી રહ્યુ છે પાલિકાના સત્તાધીશોને જાણે એક લક્ષ્ય હોય તેમ આ નદીને ગમે તેમ કરીને દૂષિત કરવી તેવું લાગી રહયું છે. જ્યારે છેલ્લા બે વર્ષથી બગસરામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા સાતલડી નદીને સફાઈ કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા આ સફાઈ ઉપર મીંડું વળી દેતા હોય તેવું લાગી રહયું છે બીજી બાજુ ભાવિકોને પોતાના ઈષ્ટદેવ એવા મહાદેવના મંદિરે જવામાં ગટરના વહેતા પાણીમાંથી પસાર થઈ જવું પડે છે જેના લીધે ભાવિકો માં રોષ જોવા મળી રહ્યો છે પાલિકા દ્વારા ગટરના સફાઈના અભાવે છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી જાણે રોડ ઉપર ફુવારો છૂટતો હોય તેવી રીતે બહાર આવી રહ્યું છે આ દુગઁધ યુકત પાણી બહાર આવતા પાલિકા દ્વારા સફાઈ કરવાની તો દૂર પણ બગસરાની ગંગા જેવી પવિત્ર ગણાતી સાતલડી નદીમાં ઠાલવવાનું કામ ચાલુ કરેલ છે ત્યારે આ પાણી એટલું વાસ મારતું હોય છે જે પાણીને નદીમાં ઠાલવવા થી નદીનું પાણી પણ દુર્ગંધ યુકત થઈ ગયું છે જ્યારે આ નદીના પેલે પાર રહેતા લોકોને બેઠા પુલ પરથી પસાર થવું પણ જાણે માથાના દુ:ખાવા સમાન થય ગયુ છે જેના લીધે લોકો દ્વારા અનેક વખત પાલિકાને જાણ કરવામાં આવી છે પરંતુ પાલિકાના સત્તાધીશો તો બસ જાણે બગસરાની જનતાની કાય પડી ના હોય તેવું લાગી રહયું છે તો આવા દૂષિત પાણી નદીમાં ઠાલવવાથી અનેક પ્રકારના રોગ ચાળાની પણ વકી સર્જાય રહેલ છે આવા માથું ફાડી નાખી તેવી વાસ મારતા પાણી નદીમાં જમા થવાથી મચ્છર જન્ય રોગો પણ વધુ પડતાં થય સકે તેમ છે તો આ ગટરના પાણીને યોગ્ય રીતે સફાઈ કરીને ગટરનું પાણી ગટરમાં રહે તે રીતે પાલિકા દ્વારા ચોક્કસ પગલાં લે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
અમરેલી
વડિયા-બગસરામાં અનરાધાર 5 ઇંચ વરસાદ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/tcfygv.jpg)
અમરેલીના વડિયા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા સોમવારના સાંજે પાંચ વાગ્યાં સુધીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદ પેહલા વાવણી કરેલા કપાસિયા અગાવના થોડા વરસાદ થી ઉગ્યા બાદ વરસાદના અભાવે હતા તે મુરજાતા પાક ને જીવત દાન મળતા ચાતક નજરે રાહ જોતા જગતાતમાં હરખની હેલી જોવા મળી છે. તો બીજી બાજુ વડિયા વિસ્તારના લોકોની જીવાદોરી સમાન ગણાતા સુરવો ડેમ પણ તળિયા ઝાટક હતો તેમાં પણ છ ફૂટ નવા નિરની આવક થઇ છે તો વડિયાની ભાગોળે આવેલા સાંકરોળી ડેમમાં દસ ફૂટ નવા નિરની આવક થતા સમગ્ર પંથકમાં અવિરત મેંઘ સવારી થી ખુશીનો માહોલ છવાયો છે અને લાપસીના આંધણ મુકાતા જોવા મળી રહ્યા છે.
બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તાર
બગસરા તાલુકાના હડાળા માવજીજવા બાલાપુર પીઠડીયા નવા- જુના વાઘણીયા ખારી ખીજડીયા ચારણ પીપળી નાના મુંજીયાસર મોટા મુંજીયાસર રફાળા આદપુર સહિત સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદી પાણી ખેતરોમાં ભરાયા ખેડૂતો દ્વારા વાવેતર કરેલ પાકને ફાયદાકારક સાબિત થશે હવામાન ખાતાએ આપેલ આગાહીના ભાગરૂૂપે બગસરા પંથકમાં પણ સવારથી ધીમીધારે વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્યો બગસરાથી હડાળા રોડ પર ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અવરજવરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યોહતો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
અમરેલી
લીલિયા ચેમ્બર ઓફ કોમર્સના બંધને બહોળો પ્રતિસાદ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/70-2.png)
છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાના લીલીયાના લોકો ગટરની સમસ્યાને લઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેના પગલે લીલીયા ચેમ્બર્સ ઑફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. આજે લીલીયા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. બીજી તરફ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં પૂર્વ ધારાસભ્યે ભાજપ સામે નિશાન સાધ્યું હતુ. જ્યારે સત્તાધીશ ભાજપ દ્વારા 10 હજાર કરોડની ગટર યોજના મંજૂર થઈ હોવાનું જણાવ્યું હતુ.
હકીકતમાં છેલ્લા 7-8 વર્ષથી લીલીયાના બજારોમાં ગટરના ગંદા પાણીઓ વહી રહ્યાં છે. જેના કારણે વેપારીઓ ઉપરાંત સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ મામલે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
આખરે આજે વેપારીઓ અને ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેને વ્યાપક પ્રતિસાદ સાંપડતા લીલીયા સજ્જડ બંધ રહ્યું હતુ. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વેપારીઓને પોતાનો ટેકો જાહેર કરીને સત્તાધીશ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.
બીજી તરફ ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલા પણ વેપારી વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગટર માટે 10 કરોડની યોજના માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતુ.
અમરેલી
અમરેલીના રામપરા ગામે સિંહોના ધામા : ગ્રામજનોમાં ભયનો માહોલ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/53-1.png)
સરપંચે વનમંત્રીને રજૂઆત કરતાં ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું
અમરેલીના રાજુલા તાલુકાના રામપરા ગામમાં આજે સતત બીજા દિવસે સિંહે ધામા નાખતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. રામપરા ગામમાં લોકોના ઘરના આંગણા પાસે જ બે સિંહોએ પશુનું મારણ કર્યું હતું. સિંહના મારણનોવીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ પણ રામપરા ગામમાં પહોંચી હતી.
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે જંગલ વિસ્તાર નજીકના ગામોમાં સિંહ અવારનવાર ચડી આવતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. રાજુલા તાલુકાના રામપરા ગામમા ંસતત બે દિવસથી સિંહ આવી ચડતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. ગતરાત્રિએ ગામમાં આવેલા બે સિંહોએ ત્રણ પશુઓનું મારણ કરતા ગામલોકોમાં ડરનો માહોલ છવાયો છે.
ગઈકાલે જ રાજુલાના રામપરા ગામના સરપંચ છનાભાઈ વાઘ દ્વારા રાજય સરકારના વનમંત્રી મુળુ બેરા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. સરપંચની રજૂઆતના બીજા દિવસે પણ ગામમાં સિંહ આવ્યાનો વીડિયો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ રામપરા દોડી ગઈ હતી અને સિંહને જંગલ વિસ્તાર તરફ ખસેડ્યા હતા.
-
ગુજરાત7 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
ક્રાઇમ6 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર6 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
-
પોરબંદર6 months ago
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો
-
પોરબંદર7 months ago
પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત