રાષ્ટ્રીય
T-20 વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડને રગદોળી ભારત ફાઇનલમાં
આવતીકાલે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સાથે થશે ટક્કર, ધીમી પીચ ઉપર બેટિંગ- બોલિંગમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન
ટી-20 વર્લ્ડકપમાં ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે ગતરાત્રે રમાયેલી સેમીફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રને રગદોળી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે આવતીકાલે ફાઇનલ મેચમાં ભારતની ટક્કર દક્ષિણ આફ્રીકા સામે થશે. મોટાભાગની વલ્ડર ટુર્નામેન્ટોમાં ચોકર સાબીત થતુ દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યુ છે. જયારે ભારત દસકા બાદ ફાઇનલમાં પહોંચ્યુ છે. બન્ને શક્તીશાળી ટીમો વચ્ચે ભારતીય સમય મુજબ શનિવારે રાત્રે 8 વાગ્યે ફાઇનલ મેચ રમાનાર છે.
ગયાનાની ધીમી પીચ ઉપર ભારતે પડકારજનક 171 રનનો સ્કોર ખડકયા બાદ બોલરોએ ઇંગ્લીશ ટીમને 16.4 ઓવરમાં 103 રનમાં તંબુ ભેેગી કરી દીધી હતી. લગભગ બે વર્ષ પહેલા એડિલેડમાં સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને એકતરફી રીતે હરાવી ચૂકેલી રોહિત શર્માની ટીમ ઈન્ડિયાએ એ જ ઈંગ્લેન્ડને એટલી જ ખરાબ રીતે હરાવીને હિસાબ બરાબર કર્યો હતો. ગયાનામાં ટી20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 68 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
રોહિત શર્મા અને સૂર્યકુમારની મજબૂત ઇનિંગ્સની મદદથી, ભારતે મુશ્કેલ પીચ પર 171 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન સામે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ માત્ર 103 રનમાં સમેટાઈ ગયું હતું. છેલ્લા 2-3 દિવસથી વરસાદના કારણે આ મેચ પણ પાણીમાં ધોવાઈ જશે તેવો ડર હતો અને શરૂૂઆતમાં આવું જ દેખાયું હતું, જ્યારે મેચ લગભગ દોઢ કલાકના વિલંબથી શરૂૂ થઈ હતી. ત્યારપછી થોડાં સમય માટે ફરી વિરામ જોવા મળ્યો, પરંતુ આ પછી ગયાનાના વાદળો નહીં પરંતુ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પર આખે આખી વરસી હતી.
પહેલા કેપ્ટન રોહિત અને સૂર્યકુમાર વચ્ચેની શાનદાર ભાગીદારીએ ઈંગ્લેન્ડની સારી શરૂૂઆત બગાડી દીધી હતી. ત્યાર બાદ અક્ષરે પાવરપ્લેમાં વિકેટો ખેરવીને ઈંગ્લેન્ડની રમતનો અંત આણ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા 2014 બાદ પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે.આ વખતે પણ ટીમ ઈન્ડિયાની શરૂૂઆત ખરાબ રહી હતી અને વિરાટ કોહલી ફરી એકવાર જલદીથી આઉટ થઈ ગયો હતો, જ્યારે રિષભ પંત પણ લાંબો સમય ટકી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં પણ આવું જ કંઈક થયું હતું અને તે જ મેચની જેમ ફરી એકવાર કેપ્ટન રોહિત શર્મા (57)એ કમાન સંભાળી હતી, જ્યાં તેને સૂર્યકુમાર યાદવ (47)નો શાનદાર સાથ મળ્યો હતો. રોહિતે જોરદાર બેટિંગ કરી અને માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને સૂર્યા સાથે 73 રનની શાનદાર ભાગીદારી કરી હતી, જે મેચમાં સૌથી મોટો તફાવત સાબિત થયો.
આ બંનેના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઓવરોમાં ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સ રમી હતી અને ટીમને 171 રનના શાનદાર સ્કોર સુધી પહોંચાડી હતી. પ્રોવિડન્સ સ્ટેડિયમની ધીમી પીચ પર ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરના નિર્ણયથી ટીમ ઈન્ડિયા ખુશ થઈ ગઈ હતી. આટલા મોટા સ્કોરથી ટીમનો આત્મવિશ્વાસ પણ વધ્યો હતો.
ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદ અને લિયામ લિવિંગસ્ટનની સ્પિન જોડીએ 8 ઓવરમાં માત્ર 49 રન આપ્યા હતા અને ટીમ ઈન્ડિયાના સ્પિન આક્રમણ સામે ઈંગ્લેન્ડે વધુ સંઘર્ષ કરવો પડશે તે નક્કી છે. આ વાત સાચી પણ સાબિત થઈ છે. કેપ્ટન જોસ બટલરે (23) ઈંગ્લેન્ડ માટે ઝડપી શરૂૂઆત કરી હતી પરંતુ ચોથી ઓવરના પહેલા જ બોલ પર રિવર્સ સ્વીપ કરવાની અક્ષર પટેલની (3/23) ભૂલ તેને મોંઘી પડી હતી. આમાં તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને રિષભ પંતે આસાન કેચ લીધો. અહીંથી જ ઈંગ્લેન્ડના પતનનો પ્રારંભ થયો હતો.
રાષ્ટ્રીય
23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે કેન્દ્રીય બજેટ
નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બજેટ સત્રની તારીખોની જાહેરાત કરતા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારની ભલામણ પર 22 જુલાઈ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી બજેટ સત્ર બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે.
ચૂંટણી પરિણામો બાદ નવી સરકારનું સંપૂર્ણ બજેટ ગૃહમાં રજૂ થવાનું છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જે 44.90 લાખ કરોડ રૂપિયા હતી. જેમાં 11.11 લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચ તરીકે રાખવામાં આવ્યા હતા. જાણકારોના મતે આ વખતે સરકારી બજેટનું કદ વધુ વધી શકે છે. વચગાળાના બજેટમાં નાણામંત્રીએ આ વર્ષે પણ મૂડી ખર્ચ માટે રાજ્યોને પચાસ વર્ષની વ્યાજમુક્ત લોન આપવાની યોજના ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ માટે કુલ 1.3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
બજેટની રજૂઆત સાથે જ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ એક મોટો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. તે દેશના પહેલા નાણામંત્રી બનશે જે સતત 7મી વખત બજેટ રજૂ કરશે. હાલમાં તેઓ ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબર છે, જેમણે સતત 6 બજેટ રજૂ કર્યા હતા. એકવાર તેણી સંસદમાં 2024નું બજેટ રજૂ કરશે, તે પછી તે મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે અને સતત 7 બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બનશે. નિર્મલા સીતારમણ મોદી સરકારના 2014 અને 2019ના બંને કાર્યકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
રાષ્ટ્રીય
બિહારમાં વીજળીનો કહેર, એક જ દિવસમાં 18નાં મોત
સમગ્ર દેશમાં મેઘમહેર વચ્ચે બિહારથી એક દુ:ખદ અને ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વાસ્તવમાં શુક્રવારે વીજળી પડવાથી 18 લોકોના મોત થયા હતા. વિગતો મુજબ બિહારના ભાગલપુરમાં 4 અને બેગુસરાય અને જહાનાબાદમાં 3-3 લોકોના મોત થયા છે. મધેપુરા-સહરસામાં 2-2 લોકોના મોત થયા છે. કરકટ, વૈશાલી અને છપરામાં 1-1 વ્યક્તિનું મોત થયું છે.
આ તરફ બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને અપીલ કરી છે કે, ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરોમાં કે રસ્તા પર ન રોકાય. કોઈ પાક્કા મકાનમાં રહે.
આ બધાની વચ્ચે હવામાન વિભાગે ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આકાશ હજુ પણ વાદળછાયું છે, આકાશમાં ઘેરા વાદળો દેખાઇ રહ્યા છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને ગાજવીજની પણ શક્યતા છે. હવામાન વિભાગે લોકોને આ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે.
રાષ્ટ્રીય
મોબાઇલ કં.ઓ ગ્રાહકો પાસેથી 34824 કરોડ ખંખેરશે
ભારતમાં અગ્રણી મોબાઈલ સેવા આપતી કંપનીઓએ રિચાર્જમાં બેફામ વધારો કર્યો છે. આ વધારાને લઈને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.
ભારતની ત્રણ મોટી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ટેરિફ રેટમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે વિપક્ષે કેન્દ્ર સરકાર અને ટીઆરએઆઇ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ પોસ્ટ કરીને કહ્યું કે, ખાનગી મોબાઈલ ઓપરેટરોને એકપક્ષીય રીતે ટેરિફ વધારવાની મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારને પ્રશ્ન કરવા જોઈએ.
સેલ ફોન રિચાર્જના ટેરિફ રેટમાં વધારાને લઈને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારને કેટલાક મોટા પ્રશ્નો પૂછ્યા છે. પાર્ટીએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી અને લખ્યું કે, જ્યારે ખાનગી મોબાઈલ ઓપરેટરોએ તેમના આર્થિક માપદંડો અલગ હોવા છતાં ટેરિફમાં 15-16 ટકાનો વધારો કર્યો ત્યારે સરકારે આંખ આડા કાન કેમ કર્યા?
પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા 109 કરોડ યુઝર્સના ગ્રાહક આધાર સાથે તેમના ટેરિફમાં સરેરાશ 15 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે સામાન્ય માણસ પર ખર્ચનો વધારાનો બોજ 34,824 કરોડ રૂૂપિયા વધી જશે.
રણદિવ સુરજેવાલાએ જણાવ્યું કે, બે બાબતો અલગ છે. પ્રથમ ટેરિફ વધારાની જાહેરાતની તારીખ સ્પષ્ટપણે ત્રણેય કંપનીઓ એકબીજા સાથે પરામર્શ કરતી હોવાનું જણાય છે. વધેલા ટેરિફની અસરકારક અમલીકરણની તારીખ સમાન છે.
સરકારને કોંગ્રેસના પાંચ પ્રશ્ર્નો
- શું મોદી સરકારે 109 કરોડ સેલફોન વપરાશકર્તાઓ પર આશરે 35 હજાર કરોડનો બોજ લાદતા પહેલા કોઈ તપાસ કરી?
- શું મોદી સરકારે હરાજી દ્વારા સ્પેક્ટ્રમની ખરીદી પર કોઈ અસરનો અભ્યાસ કર્યો છે?
- શું મોદી સરકારે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પર અગાઉની છૂટની અસરનો અભ્યાસ કર્યો?
- તે કેવી રીતે બની શકે કે તમામ સેલ ફોન કંપનીઓ તેમના ટેરિફમાં 15-20% વધારો કરે, જ્યારે તેમનું રોકાણ, ગ્રાહક આધાર વગેરે બધું જ અલગ
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
ગુજરાત7 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ક્રાઇમ6 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર7 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
-
પોરબંદર7 months ago
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો
-
પોરબંદર7 months ago
પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત