Connect with us

ગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો ઉપર માથા સામે માથાની ટક્કર

Published

on

  • રાજકોટ-સુરેન્દ્રનગર-જામનગર-અમરેલી-પોરબંદર-જૂનાગઢ અને કચ્છમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ, ભાવનગરમાં આમ આદમી પાર્ટીને ચમત્કાર કરવાનો ચાન્સ
  • કોંગ્રેસને નેતા-કાર્યકરો-નાણાંની તંગી છતાં ટકોરાબંધ ઉમેદવારોના કારણે મતદારો ઉપર મોટો મદાર, ભાજપ પાસે સત્તા સંગઠનથી માંડી તમામ તાકાત છતાં ‘પાંચ લાખ’માં કસોટી

ગુજરાતમાં આગામી તા. 7 મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગેસમાંથી હજુ ચાર બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં બાકી છે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકોનું ચિત્ર પણ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાવનગર બેઠક કોંગેસ ‘આપ’ને આપી છે અને રાજકોટમાં હજુ સત્તાવાર જાહેરાત બાકી છે. પરંતુ પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ લડવાની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર બેઠક ઉપર ભાજપ અને આપ વચ્ચે તો રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ મુખ્ય લડાઈ થાય તેવું જણાય છે. જ્યારે ભાવનગર બેઠક ઉપર આમઆદમી પાર્ટીને ચમત્કાર કરવાનો ચાન્સ છે.

2019માં લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ આઠેય બેઠકો ઉપર ભાજપનો કેસરિયો લહેરાયો હતો જ્યારે આ વખતે ભાજપ તમામ બેઠકો પાંચ લાખ કરતા વધુલીડથી જીતવાનો દાવો કર્યો છે. ત્યારે જ્ઞાતિ-જાતિના સમિકરણો અને રાજકીય સરવાળા-બાદબાકીના અંતે જનતા જર્નાદન કોને વિજયની વરમાળા પહેરાવે છે તે જોવાનું રહ્યું.

ભાજપે રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને સુરેન્દ્રનગરના સીટીંગ સાંસદોને કાપીને નવા ઉમેદવારને ટિકીટો આપી છે. તેમાંય રાજકોટમાં કેબીનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલા અને પોરબંદરમાં કેબીનેટ મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે. તેથી આ બન્ને બેઠકો હાઈપ્રોફાઈલ થઈ ગઈ છે. ભાજપ પાસે સત્તા અને સંગઠન સહિત તમામ તાકાત છે જ્યારે કોંગ્રેસને મતદારોનો સહારો છે.

સામાપક્ષે કોંગ્રેસે રાજકોટમાં પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ઉતારીને રાજકીય તખ્તો ગરમ કરી દીધો છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હોવાથી કોંગ્રેસમાં નેતાઓ અને કાર્યકરો સાથે નાણાની પણ તંગી દેખાય છે. આમ છતાં કોંગ્રેસે પસંદ કરેલ ઉમેદવારો પણ ફાઈટર જેવા છે. તેથી સૌરાષ્ટ્રનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે.ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની ઉંમર, અભ્યાસ અને પાછલી ચૂંટણીમાં બન્ને પાર્ટીઓ વચ્ચે થયેલી હાર-જીતના આંકડા અત્રે પ્રસ્તૃત કરવામાં આવ્યા છે.

Uncategorized

આખો દિવસ મોબાઇલ-મોબાઇલ, ઘરમાંય ધ્યાન આપ, પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત

Published

on

By

કોઠારિયા રોડ ભોમેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી લિક્વિડ પી જીવ ટૂંકાવી લીધો


આજના યુગમાં બાળકથી માંડીને પ્રોઢ લોકોને મોબાઈલનુ ઘેલુ લાગ્યું છે.એમાં પણ ખાસ કરીને તરુણો મોટાભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે.બાળકોના માનસ પર વિપરીત ગાઢ અસર ઉભી કરે છે.મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો તેના કારણે જ કેટલાક કામો ઘર બેઠા બેઠા જ થઈ જાય છે.

મનોરંજન કે માહિતી મેળવવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે.ત્યારે આજના યુગમાં મોબાઈલ માત્ર સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેનો ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે.આજે બાળકથી લઇ મોટેરા ઓને મોબાઈલ વગર નથી ચાલતું!
રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ પર ભોમેશ્વર સોસાયટીમાં રહેતા પરિણીતાને તેમના પતિએ ઘરકામમાં ધ્યાન દેવાનું કહેતા અને મોબાઇલમાં ઓછો ઉપયોગ કરવાનું કહેતા તેમને લાગી આવ્યું હતું અને પરિણીતાએ લાદી સાફ કરવાનું ઝેરી લીક્વીડ પી આપઘાત કરી લીધો હતો.

આ મામલે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ પરમારે વધુ તપાસ શરૂૂ કરી છે. વધુ મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર આવેલા કનૈયા ચોક પાસે ભુવનેશ્વર સોસાયટીમાં રહેતા રૂૂપાબેન ઋત્વિકભાઈ કરતાગીયાં 22 વર્ષના પરિણીતાએ ગઈ તા.26 ના રોજ રાત્રિના સમયે લાદી સાફ કરવાનું લિક્વિડ પી જતા તેમણે તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેઓનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રીના મોત નીપજ્યું હતું.તેમના પતિ મજૂરી કામ કરે છે.તેમને ગઈ તા.26ના રોજ આખો દિવસ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા અને ઘરમાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કરી લીધો હતો.આ અંગે હવે આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.

Continue Reading

ગુજરાત

ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઝીંકાયો રૂા.1નો વધારો

Published

on

By

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહનચાલકોના ગજવા પર ભારણ વધશે. ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રીક્ષાઓ પર બોજો વધશે. રીક્ષા ચાલકોની મુશ્કેલી વધશે. તો સાથે જ રીક્ષાના ભાડામાં પણ વધારો થશે, જેની અસર મુસાફરોના બજેટ પર પડશે.


ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજો આવશે. છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.


આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરાયો છે.

Continue Reading

ગુજરાત

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવો : વિનોદભાઇ વાલાણી

Published

on

By


જસદણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને જેપી નડાને પત્ર પાઠવતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીઍ પત્ર પાઠવીનૅ જણાવ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા દરેક સમાજને સાથે રાખી ચાલનારા અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વખત સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરાઈ છે સતત અઢાર કલાક કામ કરનારા અને જાગૃત પ્રતિનિધિત્વ કરતા અભ્યાસુ અને બહોળો અનુભવ ધરાવતા કુંવરજીભાઈ બાવળીયા વિધાનસભામાં સતત સાત વાર અને લોકસભામાં એક વાર ચૂંટાય આવ્યા છે, કોંગ્રેસ પક્ષમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાતા કુંવજીભાઈ બાવળિયા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને કુંવરજીભાઈ સાથે બહોળો વર્ગ જોડાયો છે ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા કુંવરજીભાઈનો સિંહ ફાળો રહ્યો છે ઓબીસી નેતા અને 32 ટકા કોળી સમાજની વસ્તી ધરાવતા સમુદાયની લાગણી અને માંગણીને ધ્યાને લઇ ગરવી ગુજરાતના લોકસેવક અને સૌરાષ્ટ્રની ધરાને નંદનવન બનાવવા સૌરાષ્ટ્રના સાથી કુંવરજીભાઇ બાવળિયાને તક મળે તેવી લાગણી રજૂ કરી છે.કોળી સમાજ તેમજ બીજા અન્ય સમાજનાં લોકો ઇચ્છે કે કુંવરજીભાઇ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે.


ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવેલ ચીમનભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સી ડી (કોળી) પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને સાત સાત કોળી સમાજના મંત્રીઓ સરકારમા પ્રતિનિધિત્વ કરતા હતા સર્વ સમાજને સાથે રાખી ચાલનારા ઓબીસી નેતા કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વિનોદભાઈ વાલાણીએ નરેન્દ્રભાઈ મોદીને આગ્રહ ભરી વિનંતી સાથે પત્ર પાઠવ્યો છે.

Continue Reading

Trending