સૌરાષ્ટ્ર
સલાયાની સરકારી શાળા પર વરસી પડતા શિક્ષણ પ્રેમીઓ: 13.75 લાખનું અનુદાન મળ્યું
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/47.jpg)
શાળાના આચાર્ય જગમાલભાઇ ભેટારિયાની ટહેલને દાતાઓએ સ્વીકારી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામની સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યએ ફરજનિષ્ઠા સાથે પ્રેરણારૂૂપ પ્રવૃત્તિ કરી અને શિક્ષણ પ્રેમી સ્થાનિકોને ટહેલ નાખતા આ શાળા માટે રૂૂપિયા 13.75 લાખની કિંમતની ચીજ વસ્તુઓ સહિતનું નોંધપાત્ર અનુદાન સાંભળ્યું છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળા માટે સ્થાનિકો દ્વારા જરૂૂરી ચીજ વસ્તુઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે શાળાના આચાર્ય જગમાલભાઈ ભેટારીયાની પહેલથી સ્થાનિક અગ્રણી અજીતભાઈ કીરતસાતા, પરેશભાઈ કાનાણી, સચિનભાઈ જેઠવા, સુરેશભાઈ શાહ, જગદીશભાઈ ગોહિલ, અને એસ.જી. ચન્ને પ્રેરિત સલાયાની માધ્યમિક શાળાની ભવ્ય ઈમારતમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે જુદા જુદા આઠ દાતાઓ દ્વારા નોંધપાત્ર અનુદાન મળ્યું હતું.
જેમાં રૂૂપિયા 6 લાખના ખર્ચે કસ્તુરબેન મૂળજીભાઈ પારેખ ફાઉન્ડેશન (ભગવાનજીભાઈ પારેખ) દ્વારા દરેક વર્ગખંડમાં બેન્ચીસ અને તેમના દ્વારા જ રૂૂપિયા પાંચ લાખના ખર્ચે શિક્ષક અને સિનિટેશન માટેના વાર્ષિક પગાર ખર્ચ ઉપરાંત રૂૂપિયા એક લાખના ખર્ચ અને વોટર કુલર, રૂપિયા 15,000 ના ખર્ચે લેક્ચર સ્ટેન્ડનું અનુદાન મળ્યું છે.
આ ઉપરાંત સુલેમાન ઓસમાણ હાજી ભાયા દ્વારા રૂૂપિયા એક લાખના ખર્ચે સમગ્ર શાળામાં 12 સી.સી. ટી.વી. કેમેરા અને રૂૂ. 25,000ના ખર્ચે પંખા અને ટ્યુબ લાઈટ તેમજ રૂૂ. 35,000 ના ખર્ચે અલીભાઈ ગાયત્રી વાળા દ્વારા ઇન્વર્ટરનું અનુદાન મળ્યું છે.
આમ, સપ્તાહ દરમિયાન દાતાઓ દ્વારા શાળામાં સારી બ્રાન્ડની ચીજ વસ્તુઓ માટે તેમજ શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે હેતુથી રૂૂપિયા 13.75 લાખની ચીજો લોક ભાગીદારીથી આપવામાં આવી છે. આ એવા પ્રવૃત્તિ બદલ સલાયા માધ્યમિક શાળાના સ્ટાફ અને વાલીઓ વતી શાળાના આચાર્ય જગમાલભાઈ ભેટારીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત
લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/content_image_0a101930-f866-4023-98e0-51729e312a49.jpeg)
લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.
શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.
શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
ગુજરાત
જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/146.jpg)
અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ
જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.
આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.
ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.
જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.
શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.
ગુજરાત
વરસાદી માહોલ વચ્ચે ખાદ્ય પદાર્થો વેચતા 23 વિક્રેતાઓનેફ ત્યાં ફૂડ શાખાનું સઘન ચેકિંગ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/2.jpg)
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા વરસાદી સીઝનની વચ્ચે રોગચાળો ન ફેલાય, અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વિક્રતાઓ દ્વારા હાઇજેનિક કન્ડિશન રાખવામાં આવે, તે બાબતેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજાર કે જેની વચ્ચે ખાદ્ય પદાર્થનું વેચાણ કરવા વાળા તેમજ શહેરના અન્ય જુદા જુદા 23 જેટલા નાના ધંધાર્થીઓને ત્યાં હાઇજેનિક કન્ડિશન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને જરૂૂરી સુચના અપાઈ હતી. તેમજ આખાદ્ય ખોરાકનો સ્થળ પરજ નાશ પણ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા પ્રદશેન ગ્રાઉન્ડ મા ભરાયેલી શુક્રવારી બજાર મા તથા અલગ અલગ વિસ્તાર મા અલગ અલગ ખાણીપીણી જેવી કે ગોલા-ગુલ્ફી ,સરબત ,ઘૂઘરા ,ઘૂઘરા ની ચટણી ,શેરડી નો રસ , સોડા બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂૂબરૂૂ ઇન્સપેક્શન કરાયું હતું. જે મુલાકાત દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,ફરજીયાત નિયમિત પાણી મા કલોરીનેશન કરવા, અંગે સુચના આપવામાં આવી હતી. તેમજ કે ટોક અખાદ્ય ખોરાક ગણાય આવતા તેનો સ્થળ પર જ નાશ કરાવાયો હતો.
તદુપરાંત શહેર મા આવેલી આઈસ ફેક્ટરી જેવી કે બેડેશ્વર મા આવેલ આઝાદ આઈસ ફેક્ટરી , હાપા મા આવેલ શિતલ તેમજ અમી આઈસ ફેક્ટરી અને જેઠવા આઈસ ફેક્ટરી મા ઈન્સ્પેક્શન કરી , કોરોઝન યુક્ત આઈસ ક્ધટેનર બદલવા,પાણી મા સુપર ક્લોરીનેશન જાળવવા , ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકા ની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવેલ તેમજ દરેક ને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
-
ગુજરાત7 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
ક્રાઇમ6 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર6 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
-
પોરબંદર6 months ago
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો
-
પોરબંદર7 months ago
પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત