Connect with us

ગુજરાત

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ

Published

on

ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે.ગુજરાત બોર્ડ ધોરણ 12ના ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ, આર્ટસ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડમાં આપેલા રોલ નંબર અને રોલ કોડની મદદથી પરિણામ જોઈ શકે છે.

સામાન્ય પ્રવાહનું પરિણામ

આ પરીક્ષામાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 3,78,268 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,47,738 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 61,182 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 59,137 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 29,179 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 49.34 % ટકા આવેલ છે. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯૬૦) અંતર્ગત 29,455 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 28,021 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 15,407 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (6505) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 54.98 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯5૦5) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 13,412 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 12,805 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 6,420 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯૬૦) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 50.14 % ટકા આવેલ છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું 82.45 ટકા પરિણામ આવ્યું છે. કુલ 1,11,132 વિધાર્થીઓ પૈકી 91,625 ટકા વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા.ગત વર્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું 65.58 ટકા પરિણામ આવ્યું હતું. કુંભારીયા પરીક્ષા કેન્દ્ર 97.97 ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. બોડેલી પરીક્ષા કેન્દ્ર 47.98 ટકા પરિણામ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે ત્યારે મોરબી 92.80 ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો. છોટા ઉદેપુર 51.36 ટકા પરિણામ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. 100 ટકા પરિણામ ધરાવતી 127 શાળાઓનો સમાવેશ થાય છે. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 27 જેટલી છે. A1 ગ્રેડ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 1034 તો A2 ગ્રેડ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 8,983 છે. અંગ્રેજી માધ્યમના ઉમેદવારોનું પરિણામ 81.92 ટકા જયારે ગુજરાતી માધ્યમ ના ઉમેદવારોનું પરિણામ 82.94 ટકા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગેરિતિમાં પકડાયેલ 18 વિદ્યાર્થીઓનું પરિણામ સ્થગિત કરાયું

ગુજરાત બોર્ડ (Gujarat Board)ની ધોરણ 12ની પરીક્ષામાં કુલ 4.77 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાઓ 11 માર્ચથી 22 માર્ચ, 2024 દરમિયાન લેવાઈ હતી. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને માર્કશીટ ચકાસી શકે છે.

Uncategorized

આખો દિવસ મોબાઇલ-મોબાઇલ, ઘરમાંય ધ્યાન આપ, પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત

Published

on

By

કોઠારિયા રોડ ભોમેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી લિક્વિડ પી જીવ ટૂંકાવી લીધો


આજના યુગમાં બાળકથી માંડીને પ્રોઢ લોકોને મોબાઈલનુ ઘેલુ લાગ્યું છે.એમાં પણ ખાસ કરીને તરુણો મોટાભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે.બાળકોના માનસ પર વિપરીત ગાઢ અસર ઉભી કરે છે.મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો તેના કારણે જ કેટલાક કામો ઘર બેઠા બેઠા જ થઈ જાય છે.

મનોરંજન કે માહિતી મેળવવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે.ત્યારે આજના યુગમાં મોબાઈલ માત્ર સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેનો ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે.આજે બાળકથી લઇ મોટેરા ઓને મોબાઈલ વગર નથી ચાલતું!
રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ પર ભોમેશ્વર સોસાયટીમાં રહેતા પરિણીતાને તેમના પતિએ ઘરકામમાં ધ્યાન દેવાનું કહેતા અને મોબાઇલમાં ઓછો ઉપયોગ કરવાનું કહેતા તેમને લાગી આવ્યું હતું અને પરિણીતાએ લાદી સાફ કરવાનું ઝેરી લીક્વીડ પી આપઘાત કરી લીધો હતો.

આ મામલે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ પરમારે વધુ તપાસ શરૂૂ કરી છે. વધુ મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર આવેલા કનૈયા ચોક પાસે ભુવનેશ્વર સોસાયટીમાં રહેતા રૂૂપાબેન ઋત્વિકભાઈ કરતાગીયાં 22 વર્ષના પરિણીતાએ ગઈ તા.26 ના રોજ રાત્રિના સમયે લાદી સાફ કરવાનું લિક્વિડ પી જતા તેમણે તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેઓનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રીના મોત નીપજ્યું હતું.તેમના પતિ મજૂરી કામ કરે છે.તેમને ગઈ તા.26ના રોજ આખો દિવસ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા અને ઘરમાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કરી લીધો હતો.આ અંગે હવે આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.

Continue Reading

ગુજરાત

ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઝીંકાયો રૂા.1નો વધારો

Published

on

By

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે. આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહનચાલકોના ગજવા પર ભારણ વધશે. ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રીક્ષાઓ પર બોજો વધશે. રીક્ષા ચાલકોની મુશ્કેલી વધશે. તો સાથે જ રીક્ષાના ભાડામાં પણ વધારો થશે, જેની અસર મુસાફરોના બજેટ પર પડશે.


ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજો આવશે. છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.


આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરાયો છે.

Continue Reading

ગુજરાત

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવો : વિનોદભાઇ વાલાણી

Published

on

By


જસદણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને જેપી નડાને પત્ર પાઠવતા પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીઍ પત્ર પાઠવીનૅ જણાવ્યું છે કે કુંવરજીભાઈ બાવળિયા દરેક સમાજને સાથે રાખી ચાલનારા અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વખત સર્વ સંમતિથી બિન હરીફ વરણી કરાઈ છે સતત અઢાર કલાક કામ કરનારા અને જાગૃત પ્રતિનિધિત્વ કરતા અભ્યાસુ અને બહોળો અનુભવ ધરાવતા કુંવરજીભાઈ બાવળીયા વિધાનસભામાં સતત સાત વાર અને લોકસભામાં એક વાર ચૂંટાય આવ્યા છે, કોંગ્રેસ પક્ષમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાતા કુંવજીભાઈ બાવળિયા દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને કુંવરજીભાઈ સાથે બહોળો વર્ગ જોડાયો છે ગત લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા કુંવરજીભાઈનો સિંહ ફાળો રહ્યો છે ઓબીસી નેતા અને 32 ટકા કોળી સમાજની વસ્તી ધરાવતા સમુદાયની લાગણી અને માંગણીને ધ્યાને લઇ ગરવી ગુજરાતના લોકસેવક અને સૌરાષ્ટ્રની ધરાને નંદનવન બનાવવા સૌરાષ્ટ્રના સાથી કુંવરજીભાઇ બાવળિયાને તક મળે તેવી લાગણી રજૂ કરી છે.કોળી સમાજ તેમજ બીજા અન્ય સમાજનાં લોકો ઇચ્છે કે કુંવરજીભાઇ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે.


ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવેલ ચીમનભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સી ડી (કોળી) પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને સાત સાત કોળી સમાજના મંત્રીઓ સરકારમા પ્રતિનિધિત્વ કરતા હતા સર્વ સમાજને સાથે રાખી ચાલનારા ઓબીસી નેતા કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા વિનોદભાઈ વાલાણીએ નરેન્દ્રભાઈ મોદીને આગ્રહ ભરી વિનંતી સાથે પત્ર પાઠવ્યો છે.

Continue Reading

Trending