Connect with us

અમરેલી

અમરેલી: લાઠી તાલુકાના આંબરડી ગામમાં ખેત મજુરો પર વીજળી ત્રાટકી, બાળકો સહીત 5ના મોત

Published

on

અમરેલીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી લાઠીમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો હતો. આ વચ્ચે આંબરડી ગામમાં ખેત મજૂરો પર આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત થયા છે. આ ઘટનાથી ગામમાં મૃતકોના પરીવાર પર શોકનો માહોલ છવાયો છે. આ પાંચમાંથી એક જ પરિવારના ત્રણના મોત થયા હોવાની હાલ વિગત સામે આવી છે. બાળક, બાળકી અને માતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના અંગેની મળતી માહિતી મુજબ કપાસની ખેતીકામ કરી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન પાંચ મજૂરો પર વીજલો પડી હતી. જ્યારે ત્રણ લોકોને ગભીર ઈજાઓ પહોંચતા ઢંસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

અમરેલીના કલેક્ટર અજય દહિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, લાઠીના આંબરડી ગામમાં વીજળી પડવાના કારણે 5 લોકોના મોત થયા છે. મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ મારફતે લાઠી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં છે. જરૂરી કાર્યવાહી હાલ ચાલી રહી છે.

અમરેલી

ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થતા 2ના મોત

Published

on

By

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે અમરેલીના ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. રાજુલા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૨ લોકોના ઘટના સ્થળે જ મોત થયાં હતા.

આ અકસ્માતની મળતી માહિતી અનુસાર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

બે દિવસ પહેલા જ અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારે રોંગ સાઈડમાં આવતા બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હાતા. વાહન ચાલકોમાં અવેરનેસના અભાવે વાંરવાર અકસ્માતની ઘટનાઓ વધી છે.

Continue Reading

અમરેલી

અમરેલી જિલ્લામાં ખેડૂતોને સહાયચૂકવો: 4 ધારાસભ્યો-સાંસદની માગણી

Published

on

By

ભાજપમાં જ માંગણીઓનો ધોધ છૂટતા હવે સહાય જાહેર થવાની પૂરી શક્યતા

ખેડૂતોના પાકમાં નુકસાની આવી છે જોકે, હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ ખેડૂતોને મદદ કરવામાં આવી નથી. ત્યારે વહેલા સર્વે કરાવી સહાય આપવામા આવે તેવી સમગ્ર જિલ્લામાંથી માંગ ઉઠી છે. જો કે, સરકારે લગભગ સહાય ચુકવવા તૈયારી કરી લીધી છે. ત્યારે ભાજપના ધારાસભ્યોની માંગણી સુચક મનાય છે.


અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશીક વેકરીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆતો કરી છે. જેમાં જણાવ્યું છે કે, નવરાત્રિ દરમિયાન અમરેલી અને કુંકાવાવ વિસ્તાર અને જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોના વિવિધ પાકમાં ખુબજ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને આર્થીક રીતે મદદરૂૂપ થઇ શકાય તે માટે તાત્કાલિક સર્વે કરાવી રાજ્ય સરકાર સહાય પેકેજની જાહેરાત કરે તેવી ખેડૂતોએ મૌખિત રજૂઆતો કરી છે. ખેડૂતોના હિતમાં ધ્યાનમાં રાખી સત્વરે ઉચ્ચ કક્ષાએથી જરૂૂરી નિર્ણય કરી સહાય પેકેજ જાહેરાત કરવા ભલામણ કરવામાં આવી છે.


લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનક તળાવયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું કે, લાઠી બાબરા વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરી રાહત પેકેજ ચુકવવામાં આવે. હાલમાં ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન, શાકભાજી, સહિતમાં ખુબજ મોટું નુકસાન થયું છે. આપની કક્ષાએથી ખેડૂતોના હિત ધ્યાને રાખી પાકને થયેલા નુક્સાનો સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવવા ભલામણ કરી છે.


સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળાએ પત્રમાં જણાવ્યું કે, મારા વિસ્તાર સાવરકુંડલા તાલુકામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે આંબરડી, દોલતી, છાપરી, આદસંગ, મેરીયાણા, છાપરી, થોરડી સહિત વિસ્તારમાં વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાકમાં નુકસાન ગ્યાની રજૂઆતો મળી છે. રાજય સરકાર નિયમ પ્રમાણે સર્વે કરાવી સહાય ચુકવવામાં આવે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા મારી ભલામણ છે.
ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, બગસરા ધારી વિસ્તારમાં વરસાદના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે સરકાર સર્વે કરી ખેડૂતોને સહાય આપે તેવી પત્ર મારફતે ભલામણ કરવામાં આવી છે.


સાંસદ ભરત સુતરીયાએ ખેડૂતોના સમર્થનમાં પત્ર લખ્યો છે. અમરેલી સંસદ ભરત સુતરીયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન પડેલા વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના ગામડામા ખેડૂતોને નુકસાન ગયું છે. ખેડૂતોના વિવિધ પાકમાં નુકસાનના કારણે તાત્કાલિક સરકાર સર્વે કરી ખેડૂતોને સહાય આપે તેવી રજૂઆતો કરવામાં આવી છે.

Continue Reading

અમરેલી

રાજુલાના ચારનાળા નજીક કાર અડફેટે બાઇકચાલક સહિત બેનાં કરૂણ મોત

Published

on

By

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ચારનાળા બ્રિજ પર મહુવા તરફથી ફોરવિલ કાર પસાર થતી વખતે સામેથી બાઇક સવાર આવતા બંને સવારને ફોરવિલ કાર ચાલકે ઉલાળયા નીચે સર્વિસ રોડ ઉપર 50 ફૂટ નીચે પટકાતા બંનેના કમકમાટી ભર્યા મોત થયા ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલ્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ફરજ પરના ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા ઘટના સ્થળે રાજુલા પોલીસ દોડી તપાસ હાથ ઉપરાંત નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત થતા વાહન ચાલકો ઉભા રહેતા ટ્રાફિક જામ થયો હતો અકસ્માતમાં ફોરવિલ કાર ચાલક ફરાર થયા હતા રાજુલા પોલીસ અકસ્માતનો ગુન્હો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


મૃતક યુપી અને અને બંગાળ રાજ્યના રેહવાસી મૃતક દિપકકુમાર ગુપ્તા ઉંમર 29 યુપી રાજય,કૃષ્ણનંદ બાગ ઉંમર 27 વેસ્ટ બંગાળ રાજ્યના રેહવાસી બંનેના ઘટનાના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે મૃતકો સ્થાનિક નેશનલ હાઇવેમાં કામ કરતી ખાનગી કંપનીમાં કામ કરતા હતા હોસ્પિટલમાં ખસેડતા ખાનગી કંપનીના લોકો પણ દોડી આવ્યા હતા.

Continue Reading
અમરેલી6 hours ago

અમરેલી: લાઠી તાલુકાના આંબરડી ગામમાં ખેત મજુરો પર વીજળી ત્રાટકી, બાળકો સહીત 5ના મોત

ગુજરાત6 hours ago

જામનગર એરપોર્ટ પર સ્ટાર એરલાઇન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી મળી ધમકી, અજાણ્યા ઈમેલથી ખળભળાટ

રાષ્ટ્રીય7 hours ago

વારાણસીઃ જ્ઞાનવાપીના 33 વર્ષ જૂના મૌલિકતા કેસમાં ચર્ચા પૂરી, 25 ઓક્ટોબરે આવશે નિર્ણય

રાષ્ટ્રીય7 hours ago

ઓમર અબ્દુલ્લાના પ્રસ્તાવને LGની મંજૂરી, આ રીતે જમ્મુ-કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો

રાષ્ટ્રીય7 hours ago

ડોલરના વિકલ્પે વ્યાપાર મુદ્દે બ્રિકસ સમિટમાં ભારત ઉપર નજર

રાષ્ટ્રીય7 hours ago

ડયુટી પર દાઢી રાખવા બદલ સસ્પેન્ડ મુસ્લિમ કોન્સ્ટે.ની અરજી પર સુપ્રીમ સુનાવણી કરશે

ક્રાઇમ7 hours ago

કારખાનેદારના ફ્લેટમાં સફાઈ માટે આવેલા 4 શખ્સો 14 લાખની ‘સફાઈ’ કરી ગયા

રાષ્ટ્રીય7 hours ago

ડીજેના ભયાનક અવાજે 13 વર્ષના માસૂમનો ભોગ લીધો

ગુજરાત7 hours ago

મહિલાએ 108માં જ બેલડાંને જન્મ આપ્યો

રાષ્ટ્રીય7 hours ago

અંધશ્રદ્ધાએ પરિવારના બે યુવકનો ભોગ લીધો; બે બેભાન, એક પાગલ થઇ ગયો

ગુજરાત1 day ago

ભીમા દુલાની વાડીમાંથી શસ્ત્રોનો જથ્થો, 1 કરોડ રોકડા ઝડપાયા

આંતરરાષ્ટ્રીય1 day ago

વિશ્વમાં સૌથી વધારે ગરીબ ભારતમાં! પાકિસ્તાન આપણા કરતા ‘અમીર’, UNના રીપોર્ટમાં ખુલાસો

ગુજરાત1 day ago

કેશોદમાં 25મીએ ખેડૂત મહાપંચાયત

ક્રાઇમ2 days ago

ખંભાળિયામાં વેપારીને આંતરી રોકડની લૂંટ

ગુજરાત1 day ago

થાનગઢમાં સગીરા ઉપર સાત શખ્સોનું દુષ્કર્મ

ગુજરાત1 day ago

સિવિલ હોસ્પિટલમાં દોઢ માસથી એન્જિયોગ્રાફીનું મશીન બંધ

ક્રાઇમ1 day ago

મોરબી રોડ ઉપર બાઇક સ્લિપ થતા આરટીઓ એજન્ટનું મોત

ગુજરાત1 day ago

શિવમ ફ્રૂટમાંથી 1150 કિલો વાસી પલ્પ પકડાયો

ગુજરાત1 day ago

ફટાકડાના કાયમી લાઇસન્સ રદ કરવા 35 વેપારીને નોટિસ

ગુજરાત1 day ago

સંતકબીર રોડ પર જિંદગીથી કંટાળી શ્રમિક યુવાનનો આપઘાત

Trending