Connect with us

રાષ્ટ્રીય

વિજ્ઞાન અને આધ્યાત્મના સંગમરૂપ હવન પર અદ્ભુત રિસર્ચ

Published

on

અજમેરના ડો. વિજયલતા રસ્તોગીએ ‘સ્ટડી ઓન એન્ટિ બેક્ટેરિયલ ઈફેક્ટ એન્ડ કેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ હવન સ્મોક’ વિષય પર કર્યું છે રિસર્ચ

નાનકડા પાત્રમાં છાણાનો ટુકડો, કપૂર, અજમા ,જવ, ઘી વગેરેથી ફક્ત દસ મિનિટ આહુતિ આપવામાં આવે તો પણ ઘરનું વાતાવરણ દિવ્ય અનુભવાય: ડો.વિજયલતા રસ્તોગી

‘મેડિકલ ફિલ્ડમાં હોવા છતાં હર હંમેશ વિચાર આવતો કે વિજ્ઞાનથી પણ આગળ કંઈક છે. બાળપણથી જ વનસ્પતિ,વૃક્ષો,ફૂલો વગેરેમાં રસ હતો.બ્રાહ્મણ પરિવારમાં જન્મ હોવાથી પૂજા, પાઠ અને હવન નજર સમક્ષ જોયા હતા અને અનુભવ્યા હતા.2011ની સાલમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન સાસુ સાથે હવન કરતી વખતે જળના છંટકાવ સમયે જે પરમાણુઓ ઉત્પન્ન થાય છે તેની શું અસર થતી હશે તેવો વિચાર આવ્યો.શા માટે આવો વિચાર આવ્યો તે ખબર નથી પરંતુ આ વિષયમાં કંઈક કરવું જોઈએ કેવી લાગણી અંદરથી થવા લાગી. એ દરમિયાન કુદરતી હવનના રિસર્ચ માટે સંજોગો ઊભા થયા અને એક પછી એક ન ધારી હોય તેવી ઘટના બનતા હવન અંગેના રિસર્ચ પર કામ શરૂ થયું.’ આ શબ્દો છે અજમેર મેડિકલ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. વિજયલતા રસ્તોગીના. જેમણે ‘સ્ટડી ઓન એન્ટિ બેક્ટેરિયલ ઈફેક્ટ એન્ડ કેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ હવન સ્મોક’ એ વિષય પર રિસર્ચ કર્યું છે. હવન વિશે મેડિકલ ફિલ્ડમાંથી રિસર્ચ કરનાર તેઓ પ્રથમ છે.


તામિલનાડુના ત્રીચીમાં જન્મ અને ચેન્નઈમાં અભ્યાસ કર્યો.ધોરણ 10 બાદ અજમેર આવવાનું થયું. એમબીબીએસ કર્યા બાદ લગ્ન થયા. લગ્ન બાદ અનેક બદલાવ આવ્યા પરંતુ અંદર કંઈક ને કંઈક ચાલતું હોવાનું અનુભવ્યું. એક દીકરા અને દીકરીનો જન્મ થયો. મેડિકલ ફિલ્ડમાં કામગીરી ચાલુ જ હતી એ દરમિયાન આર્ય સમાજમાંથી એક સંન્યાસીને હવનના રિસર્ચ માટે મદદ કરવાનો પ્રસ્તાવ આવે છે જે તેઓ સહર્ષ સ્વીકારી લે છે આ બાબત તેઓ જણાવે છે કે, આ માટેના પ્લાન લખતી વખતે કોઈ લખાવતું હોય તેવો અનુભવ થયો. આ બધું એટલું જલદી થયું કે કોઈ અજ્ઞાત શક્તિ આ બધું કરાવી રહી હોય એવું લાગ્યું. શરૂઆત તો થઈ ગઈ પરંતુ લોકોને સમજાવવું અઘરું હતું કારણ કે હવન ધાર્મિક, આધ્યાત્મિક બાબત છે આમ છતાં હું તે કરવા મક્કમ હતી. રિસર્ચ વર્ક દરમિયાન હવન સામગ્રીના ઉપયોગ વિશે સ્વામીજીએ સમજાવ્યું આ ઉપરાંત બેક્ટેરિયા પર હવનના પરમાણુનો પ્રભાવ એ વિશે પણ અનેક ચર્ચા વિચારણા કરી એ સમયે પ્રયોગ પરથી સમજાયું કે હવનના કારણે નુકસાનકારક બેક્ટેરિયાની સંખ્યામાં અનેક ગણો ઘટાડો થાય છે. સામાન્ય રીતે મનુષ્યના શરીરનું સંતુલન બગડે છે ત્યારે બહારથી બેક્ટેરિયાનો હુમલો થાય છે જે બીમારી ઊભી કરે છે. જુદા-જુદા બેક્ટેરિયા શરીરમાં બીમારીને ફેલાવે છે. હવનમાંથી જે ધુમાડો નીકળે છે તે આ બીમારીમાં અનેક રીતે ફાયદાકારક હોય છે અને આ બાબત તેઓએ આયુષ મંત્રાલયને પણ પ્રપોઝલ મોકલી હતી. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડો. વિશ્વ મોહન કટોતચેને આ વિષય ગમ્યો તેઓએ આ બાબત માર્ગદર્શન આપ્યું અને મદદ પણ કરી.’


રિસર્ચની વાત કરતા તેણીએ જણાવ્યું કે, ‘રિસર્ચ માટે રાજસ્થાન ગવર્મેન્ટ દ્વારા 35થી 40 લાખ રૂપિયાનું ફંડ મળ્યું . આ રિસર્ચમાં કોપરવાળો હવન કુંડ તથા બીજી ચેમ્બર સ્મોક માટેની બનાવી બે વર્ષ સુધી સતત કામગીરી કરવામાં આવી હવનના ધુમાડાના સેમ્પલ લેવામાં આવ્યા તેને ટેસ્ટિંગ કરવામાં આવ્યું તેમાંથી વોટર એબસ્ટ્રેક, ઈથેનોલ એબસ્ટ્રેક વગેરે કાઢી 10 જુદા-જુદા બેક્ટેરિયા પર પ્રયોગ કર્યા જેમાં બેક્ટેરિયાની સંખ્યામાં 90%થી પણ વધારે ઘટાડો મળ્યો. ટીબી જેવી બીમારી પર પણ તેની ખૂબ સારી અસર થઈ છે. 2015માં તેમણે તેમના રીસર્ચની પેટન્ટ પણ લઇ લીધી છે. કારણ કે આ આપણા ઋષિમુનિઓની પરંપરા આપણી પાસે રહેવી જોઈએ.’

સમર્પણ ધ્યાન સંસ્કારમાં ચિત્તશુદ્ધિ માટે હવન થાય છે
પોતાની આધ્યાત્મિક યાત્રા બાબત જણાવ્યું કે, ‘હું 2008થી સમર્પણ ધ્યાન સંસ્કાર સાથે જોડાયેલી છું.સમર્પણ અને તેના પ્રણેતા પૂ.શ્રી શિવકૃપાનંદજી સાથે કંઈક પ્રારબ્ધ લખાયેલું છે. તેમની કૃપાથી અનેક પ્રકારની અનુભૂતિઓ થઈ છે. જે વિચાર આવે તે તરત જ થવા લાગે તેનો અનુભવ પણ કર્યો છે. સમર્પણ ધ્યાન સંસ્કારના આશ્રમ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે જ્યાં દરરોજ સવાર,સાંજ નિયમિત રીતે ચિત્તશુદ્ધિ હવન થાય છે, જે અંદરથી તમને શુદ્ધ કરે છે અને ધ્યાન સાધના માટે શરીર અને આત્માને તૈયાર કરે છે.’

હવન કરવાના ફાયદા
હવનના ફાયદા જણાવતા તેઓએ કહ્યું કે, ‘હવનના પરમાણુઓ બીમારીના કીટાણુંને મારી ઇમ્યુનિટી વધારે છે. ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ આપેલ આ અદ્દભુત વિજ્ઞાન છે. જેનાથી બીમારી ઠીક થાય તેવી ઔષધિની જો અગ્નિમાં આહુતિ આપવામાં આવે તો તે અનેક લોકોને લાભાન્વિત કરે છે.’ હવન સાથે જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે તેનાથી સાત ચક્ર પર અસર થાય છે.એક એક નાડી ખુલે છે અને સ્વાસ્થ્યલક્ષી લાભ થાય છે. પર્યાવરણ પર તેની ખૂબ સારી અસર થાય છે. હવનમાં ફક્ત સામગ્રી અને મંત્રોચ્ચારનું મહત્ત્વ નથી સાથે બેસીએ છીએ ત્યારે એકતા આવે છે, હવનમાં હોમ કરીએ છીએ ત્યારે ત્યાગનો ભાવ આવે છે,આંતરિક શુદ્ધિ પણ થાય છે. હવનની રાખમાંથી પ્યોર ફર્ટિલાઇઝર બને છે તે વૃક્ષ-છોડમાં ઉપયોગી છે તેમજ કોઈને વાગ્યું હોય તેમાં પણ વાપરી શકાય છે. તે પ્યોર ઇકો ફ્રેન્ડલી છે.

બહેનો દરરોજ નાનકડો હવન કરે તે ફાયદાકારક
બહેનોને હવન બાબત તેઓએ જણાવ્યું કે, ‘સામાન્ય રીતે બહેનો ઘરમાં ધૂપ,દીપ,પૂજન,અર્ચન કરતા હોય છે જો તેઓ નિયમિત રીતે નાનકડો હવન કરે તો સમગ્ર ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે. આ હવનમાં ભાવ ખૂબ જ મહત્ત્વનો છે અને બહેનોમાં ભાવનાત્મક પાસુ મજબૂત હોય છે તેથી જો બહેનો ઘરમાં નિયમિત હવન કરે તો ચોક્કસ ઘરનું વાતાવરણ દિવ્ય અને તેજસ્વી થઈ શકે. આ હવન માટે નાનકડા પાત્રમાં ફક્ત છાણાનો ટુકડો, કપૂર, અજમા ,જવ, ઘી વગેરેથી ફક્ત દસ મિનિટ આહુતિ આપવામાં આવે તો પણ અદ્દભુત પરિણામ મળે છે.’

written by: Bhavna Doshi

ધાર્મિક

વાદળો પર આવેલા આ મંદિરમાં ભગવાન કાર્તિકેયની અસ્થિની કરવામાં આવે છે પૂજા, જાણો શું છે રહસ્ય

Published

on

By

ઉત્તરાખંડમાં ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે, અહીં દેવી-દેવતાઓના પ્રાચીન અને ભવ્ય મંદિરો પણ આવેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્તરાખંડમાં પ્રકૃતિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળે છે. કાર્તિક સ્વામી મંદિર ઊંચા શિખર પર આવેલું છે. આ મંદિરની ભવ્યતા, પૌરાણિક કથા અને મહત્વ તો માત્ર તેનું મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ સાથે જ મંદિરની આસપાસનો નજારો પણ ભક્તોને આકર્ષે છે.

કાર્તિક સ્વામી મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. તે રુદ્રપ્રયાગ-પોખરી રોડ પર કનક ચૌરી ગામ નજીક 3050 મીટરની ઉંચાઈ પર ક્રૌંચ ટેકરીની ટોચ પર આવેલું છે. ઉત્તર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જ્યાં ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેય બાળ સ્વરૂપમાં વિરાજમાન છે.

દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવે તેમના બે પુત્રો કાર્તિકેય અને ગણેશને બ્રહ્માંડની 7 પરિક્રમા કરવા કહ્યું. પિતાની આજ્ઞા મળતાં જ કાર્તિકેય બ્રહ્માંડની 7 પરિક્રમા કરવા નીકળી પડ્યા. તે જ સમયે, ગણેશજીએ તેમના માતા-પિતાના સાત ફેરા લીધા અને કહ્યું કે તમે મારું સમગ્ર બ્રહ્માંડ છો.

ભગવાન ગણેશની વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ ખુશ થયા અને આશીર્વાદ આપ્યા કે આજથી વિશ્વમાં તેમની પ્રથમ પૂજા કરવામાં આવશે. બીજી તરફ, જ્યારે કાર્તિક બ્રહ્માંડના 7 પરિક્રમા પૂર્ણ કરીને પાછો ફરે છે, ત્યારે તેને આ માહિતી મળે છે. આ પછી કાર્તિકે આ સ્થાન પર પોતાના શરીરનો ત્યાગ કર્યો અને પોતાના અસ્થિઓ ભગવાન શિવને અર્પણ કર્યા.

દર વર્ષે કાર્તિક સ્વામી મંદિરના દર્શને આવતા ભક્તોની સંખ્યા વધી રહી છે. ભગવાન કાર્તિક સ્વામી દક્ષિણ ભારતમાં સ્થિત કાર્તિક મુરુગન સ્વામી તરીકે પણ ઓળખાય છે. મંદિર પરિસરમાં લટકતી સેંકડો ઘંટડીઓનો સતત અવાજ લગભગ 800 મીટરના અંતરે સંભળાય છે. અહીં રોડ પરથી 80 સીડીઓ ચઢીને મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી શકાય છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

INSTAGRAM એકવાર ફરી થયું ડાઉન, સોશિયલ મીડિયા પર હાહાકાર મચ્યો

Published

on

By

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈન્સ્ટાગ્રામ ડાઉન થયું હતું. ભારત સહિત સમગ્ર વિશ્વમાં હજારો અને લાખો વપરાશકર્તાઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ ફીડ જોઈ શકતા નથી, રીલ જોવામાં કે અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામના ઘણા ફીચર્સનો ઉપયોગ કરવામાં પણ સમસ્યા આવી રહી છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી છે.

DownDetector, એક વેબસાઇટ કે જે ઓનલાઈન આઉટેજ પર નજર રાખે છે, તેણે 29 જૂન, 2024 ના રોજ બપોરે 12.02 વાગ્યે ભારતમાંથી 6,500 અહેવાલો રેકોર્ડ કર્યા, જેમાં વપરાશકર્તાઓએ નોંધ્યું કે તેમને Instagramના ઘણા લક્ષણોનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. 58% એટલે કે મોટાભાગના યુઝર્સને ઈન્સ્ટાગ્રામની ન્યૂઝ ફીડ જોવામાં તકલીફ થઈ રહી હતી.

તે જ સમયે, 32% લોકોએ કહ્યું કે તેમને એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે, જ્યારે 10% વપરાશકર્તાઓએ કહ્યું કે તેમને સર્વર કનેક્શનમાં મુશ્કેલી આવી રહી છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર, આ પીક ટાઈમ હતો જ્યારે ઈન્સ્ટાગ્રામ ડાઉન હતું.

ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની સમસ્યા ભારતના ઘણા શહેરોમાં જેમ કે દિલ્હી, જયપુર, લખનૌ, મુંબઈ, અમદાવાદ, લખનૌ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈમાં પણ જોવા મળી છે. આ તમામ શહેરોના યુઝર્સે ફરિયાદ નોંધાવી છે. આ શહેરો સિવાય અન્ય ઘણા શહેરોના યુઝર્સને પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

કેટલાક યુઝર્સે X (Twitter) પર લખ્યું છે કે તેઓ ન્યૂઝ ફીડ જોઈ શકતા નથી, લોગઈન કરી શકતા નથી, લોગઈન કર્યા પછી સ્ક્રોલ કરી શકતા નથી. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામે આ સમસ્યા વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી અને ન તો આ સમસ્યાનું કારણ જણાવ્યું છે.

Continue Reading

રાષ્ટ્રીય

બજેટ પહેલાં સરકારને રાહત, બે માસમાં રાજકોષિય ખાધ કુલ અંદાજના માત્ર 3 ટકા

Published

on

By


બજેટ 2024 પહેલા દેશની અર્થવ્યવસ્થાને લઈને સતત સારા સમાચાર આવી રહ્યા છે. જ્યાં વિદેશી રેટિંગ એજન્સીઓ દેશના જીડીપી અંદાજમાં વધારો કરી રહી છે. બીજી તરફ કેટલીક એજન્સીઓએ પણ રેટિંગ વધાર્યું છે. શુક્રવારે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે દેશની ગઠબંધન સરકારને પણ રાહતનો શ્વાસ મળી શકે છે.


હકીકતમાં, નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં દેશની રાજકોષીય ખાધ કુલ અંદાજના માત્ર 3 ટકા જ જોવા મળી છે, જે મોટી રાહતના સમાચાર છે. લોકસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ થવાને કારણે સરકારી ખર્ચ ઘણો ઓછો રહ્યો છે. જેના કારણે રાજકોષીય ખાધમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


રાજકોષીય ખાધ, સરકારના ખર્ચ અને કમાણી વચ્ચેનો તફાવત, ગયા નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં 2023-24ના બજેટ અંદાજના 11.8 ટકા હતો. વર્તમાન નાણાકીય વર્ષ (2024-25) માટે સરકારનો અંદાજ છે કે રાજકોષીય ખાધ રૂ. 16,85,494 કરોડ એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદન (ૠઉઙ)ના 5.1 ટકા રહેશે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (ઈૠઅ) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, એપ્રિલ-મે 2024ના સમયગાળામાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ રૂ. 50,615 કરોડ હતી, એટલે કે નાણાકીય વર્ષ 2024-25ના કુલ બજેટ અંદાજના 3 ટકા. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં, તે બજેટ અંદાજના 11.8 ટકા હતું. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ચોખ્ખી કર આવક રૂ. 3.19 લાખ કરોડ હતી એટલે કે નાણાકીય વર્ષ 2024-25ના બજેટ અંદાજના 12.3 ટકા. નાણાકીય વર્ષ 2023-24ના સમાન સમયગાળામાં તે 11.9 ટકા હતો. મે 2024 ના અંતમાં સરકારનો કુલ ખર્ચ 6.23 લાખ કરોડ રૂૂપિયા હતો એટલે કે વર્તમાન નાણાકીય વર્ષના બજેટ અંદાજના 13.1 ટકા. એક વર્ષ અગાઉના સમયગાળામાં તે ઇઊ ના 13.9 ટકા હતો. ઓછા સરકારી ખર્ચનું કારણ એ છે કે ચૂંટણી દરમિયાન આચારસંહિતા લાગુ હોય ત્યારે સરકાર નવા પ્રોજેક્ટ પર ખર્ચ કરવાનું ટાળે છે.

Continue Reading

Trending