Connect with us

રાષ્ટ્રીય

વિજ્ઞાન અને આધ્યાત્મના સંગમરૂપ હવન પર અદ્ભુત રિસર્ચ

Published

on

અજમેરના ડો. વિજયલતા રસ્તોગીએ ‘સ્ટડી ઓન એન્ટિ બેક્ટેરિયલ ઈફેક્ટ એન્ડ કેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ હવન સ્મોક’ વિષય પર કર્યું છે રિસર્ચ

નાનકડા પાત્રમાં છાણાનો ટુકડો, કપૂર, અજમા ,જવ, ઘી વગેરેથી ફક્ત દસ મિનિટ આહુતિ આપવામાં આવે તો પણ ઘરનું વાતાવરણ દિવ્ય અનુભવાય: ડો.વિજયલતા રસ્તોગી

‘મેડિકલ ફિલ્ડમાં હોવા છતાં હર હંમેશ વિચાર આવતો કે વિજ્ઞાનથી પણ આગળ કંઈક છે. બાળપણથી જ વનસ્પતિ,વૃક્ષો,ફૂલો વગેરેમાં રસ હતો.બ્રાહ્મણ પરિવારમાં જન્મ હોવાથી પૂજા, પાઠ અને હવન નજર સમક્ષ જોયા હતા અને અનુભવ્યા હતા.2011ની સાલમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન સાસુ સાથે હવન કરતી વખતે જળના છંટકાવ સમયે જે પરમાણુઓ ઉત્પન્ન થાય છે તેની શું અસર થતી હશે તેવો વિચાર આવ્યો.શા માટે આવો વિચાર આવ્યો તે ખબર નથી પરંતુ આ વિષયમાં કંઈક કરવું જોઈએ કેવી લાગણી અંદરથી થવા લાગી. એ દરમિયાન કુદરતી હવનના રિસર્ચ માટે સંજોગો ઊભા થયા અને એક પછી એક ન ધારી હોય તેવી ઘટના બનતા હવન અંગેના રિસર્ચ પર કામ શરૂ થયું.’ આ શબ્દો છે અજમેર મેડિકલ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. વિજયલતા રસ્તોગીના. જેમણે ‘સ્ટડી ઓન એન્ટિ બેક્ટેરિયલ ઈફેક્ટ એન્ડ કેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ હવન સ્મોક’ એ વિષય પર રિસર્ચ કર્યું છે. હવન વિશે મેડિકલ ફિલ્ડમાંથી રિસર્ચ કરનાર તેઓ પ્રથમ છે.


તામિલનાડુના ત્રીચીમાં જન્મ અને ચેન્નઈમાં અભ્યાસ કર્યો.ધોરણ 10 બાદ અજમેર આવવાનું થયું. એમબીબીએસ કર્યા બાદ લગ્ન થયા. લગ્ન બાદ અનેક બદલાવ આવ્યા પરંતુ અંદર કંઈક ને કંઈક ચાલતું હોવાનું અનુભવ્યું. એક દીકરા અને દીકરીનો જન્મ થયો. મેડિકલ ફિલ્ડમાં કામગીરી ચાલુ જ હતી એ દરમિયાન આર્ય સમાજમાંથી એક સંન્યાસીને હવનના રિસર્ચ માટે મદદ કરવાનો પ્રસ્તાવ આવે છે જે તેઓ સહર્ષ સ્વીકારી લે છે આ બાબત તેઓ જણાવે છે કે, આ માટેના પ્લાન લખતી વખતે કોઈ લખાવતું હોય તેવો અનુભવ થયો. આ બધું એટલું જલદી થયું કે કોઈ અજ્ઞાત શક્તિ આ બધું કરાવી રહી હોય એવું લાગ્યું. શરૂઆત તો થઈ ગઈ પરંતુ લોકોને સમજાવવું અઘરું હતું કારણ કે હવન ધાર્મિક, આધ્યાત્મિક બાબત છે આમ છતાં હું તે કરવા મક્કમ હતી. રિસર્ચ વર્ક દરમિયાન હવન સામગ્રીના ઉપયોગ વિશે સ્વામીજીએ સમજાવ્યું આ ઉપરાંત બેક્ટેરિયા પર હવનના પરમાણુનો પ્રભાવ એ વિશે પણ અનેક ચર્ચા વિચારણા કરી એ સમયે પ્રયોગ પરથી સમજાયું કે હવનના કારણે નુકસાનકારક બેક્ટેરિયાની સંખ્યામાં અનેક ગણો ઘટાડો થાય છે. સામાન્ય રીતે મનુષ્યના શરીરનું સંતુલન બગડે છે ત્યારે બહારથી બેક્ટેરિયાનો હુમલો થાય છે જે બીમારી ઊભી કરે છે. જુદા-જુદા બેક્ટેરિયા શરીરમાં બીમારીને ફેલાવે છે. હવનમાંથી જે ધુમાડો નીકળે છે તે આ બીમારીમાં અનેક રીતે ફાયદાકારક હોય છે અને આ બાબત તેઓએ આયુષ મંત્રાલયને પણ પ્રપોઝલ મોકલી હતી. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડો. વિશ્વ મોહન કટોતચેને આ વિષય ગમ્યો તેઓએ આ બાબત માર્ગદર્શન આપ્યું અને મદદ પણ કરી.’


રિસર્ચની વાત કરતા તેણીએ જણાવ્યું કે, ‘રિસર્ચ માટે રાજસ્થાન ગવર્મેન્ટ દ્વારા 35થી 40 લાખ રૂપિયાનું ફંડ મળ્યું . આ રિસર્ચમાં કોપરવાળો હવન કુંડ તથા બીજી ચેમ્બર સ્મોક માટેની બનાવી બે વર્ષ સુધી સતત કામગીરી કરવામાં આવી હવનના ધુમાડાના સેમ્પલ લેવામાં આવ્યા તેને ટેસ્ટિંગ કરવામાં આવ્યું તેમાંથી વોટર એબસ્ટ્રેક, ઈથેનોલ એબસ્ટ્રેક વગેરે કાઢી 10 જુદા-જુદા બેક્ટેરિયા પર પ્રયોગ કર્યા જેમાં બેક્ટેરિયાની સંખ્યામાં 90%થી પણ વધારે ઘટાડો મળ્યો. ટીબી જેવી બીમારી પર પણ તેની ખૂબ સારી અસર થઈ છે. 2015માં તેમણે તેમના રીસર્ચની પેટન્ટ પણ લઇ લીધી છે. કારણ કે આ આપણા ઋષિમુનિઓની પરંપરા આપણી પાસે રહેવી જોઈએ.’

સમર્પણ ધ્યાન સંસ્કારમાં ચિત્તશુદ્ધિ માટે હવન થાય છે
પોતાની આધ્યાત્મિક યાત્રા બાબત જણાવ્યું કે, ‘હું 2008થી સમર્પણ ધ્યાન સંસ્કાર સાથે જોડાયેલી છું.સમર્પણ અને તેના પ્રણેતા પૂ.શ્રી શિવકૃપાનંદજી સાથે કંઈક પ્રારબ્ધ લખાયેલું છે. તેમની કૃપાથી અનેક પ્રકારની અનુભૂતિઓ થઈ છે. જે વિચાર આવે તે તરત જ થવા લાગે તેનો અનુભવ પણ કર્યો છે. સમર્પણ ધ્યાન સંસ્કારના આશ્રમ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે જ્યાં દરરોજ સવાર,સાંજ નિયમિત રીતે ચિત્તશુદ્ધિ હવન થાય છે, જે અંદરથી તમને શુદ્ધ કરે છે અને ધ્યાન સાધના માટે શરીર અને આત્માને તૈયાર કરે છે.’

હવન કરવાના ફાયદા
હવનના ફાયદા જણાવતા તેઓએ કહ્યું કે, ‘હવનના પરમાણુઓ બીમારીના કીટાણુંને મારી ઇમ્યુનિટી વધારે છે. ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ આપેલ આ અદ્દભુત વિજ્ઞાન છે. જેનાથી બીમારી ઠીક થાય તેવી ઔષધિની જો અગ્નિમાં આહુતિ આપવામાં આવે તો તે અનેક લોકોને લાભાન્વિત કરે છે.’ હવન સાથે જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે તેનાથી સાત ચક્ર પર અસર થાય છે.એક એક નાડી ખુલે છે અને સ્વાસ્થ્યલક્ષી લાભ થાય છે. પર્યાવરણ પર તેની ખૂબ સારી અસર થાય છે. હવનમાં ફક્ત સામગ્રી અને મંત્રોચ્ચારનું મહત્ત્વ નથી સાથે બેસીએ છીએ ત્યારે એકતા આવે છે, હવનમાં હોમ કરીએ છીએ ત્યારે ત્યાગનો ભાવ આવે છે,આંતરિક શુદ્ધિ પણ થાય છે. હવનની રાખમાંથી પ્યોર ફર્ટિલાઇઝર બને છે તે વૃક્ષ-છોડમાં ઉપયોગી છે તેમજ કોઈને વાગ્યું હોય તેમાં પણ વાપરી શકાય છે. તે પ્યોર ઇકો ફ્રેન્ડલી છે.

બહેનો દરરોજ નાનકડો હવન કરે તે ફાયદાકારક
બહેનોને હવન બાબત તેઓએ જણાવ્યું કે, ‘સામાન્ય રીતે બહેનો ઘરમાં ધૂપ,દીપ,પૂજન,અર્ચન કરતા હોય છે જો તેઓ નિયમિત રીતે નાનકડો હવન કરે તો સમગ્ર ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે. આ હવનમાં ભાવ ખૂબ જ મહત્ત્વનો છે અને બહેનોમાં ભાવનાત્મક પાસુ મજબૂત હોય છે તેથી જો બહેનો ઘરમાં નિયમિત હવન કરે તો ચોક્કસ ઘરનું વાતાવરણ દિવ્ય અને તેજસ્વી થઈ શકે. આ હવન માટે નાનકડા પાત્રમાં ફક્ત છાણાનો ટુકડો, કપૂર, અજમા ,જવ, ઘી વગેરેથી ફક્ત દસ મિનિટ આહુતિ આપવામાં આવે તો પણ અદ્દભુત પરિણામ મળે છે.’

written by: Bhavna Doshi

Sports

ડેવિડ મિલરને ખોટો આઉટ અપાયો? સૂર્યકુમારના ‘કેચ’ને લઇને વિવાદ

Published

on

By


T20 worldcup 2024: વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ આ જીતમાં સૂર્યકુમાર યાદવનો કેચ પણ મહત્વનો હતો, જેને તેણે બાઉન્ડ્રીની ખૂબ નજીકથી કેચ કર્યો હતો. આ કેચે મેચને ભારત તરફ ફેરવી દીધી હતી કારણ કે આ કેચ ડેવિડ મિલરનો હતો. પરંતુ હવે આ કેચને લઈને સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે કે સૂર્યકુમારનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી રહ્યો હતો અને આવી સ્થિતિમાં જો આ બોલ પર સિક્સર વાગી હોત તો ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત હતી. દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂૂર હતી. હાર્દિક પંડ્યાના પહેલા જ બોલ પર ડેવિડ મિલરે બેટ સ્વિંગ કર્યું અને બોલ હવામાં બાઉન્ડ્રી નજીક ગયો. આવી સ્થિતિમાં, જો કે સૂર્યકુમાર યાદવે કેચ પકડ્યો અને બાઉન્ડ્રીની બહાર ગયો, તેણે બોલને હવામાં ઉછાળ્યો અને ફરીથી બાઉન્ડ્રીની અંદર આવીને કેચ પકડ્યો.

મેચમાં, થર્ડ અમ્પાયરે ઘણા એંગલથી કેચને જોયો અને પછી મિલરને આઉટ આપવાનો નિર્ણય કર્યો. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ઘણા ભારતીય ખેલાડીઓની હરખના આંખોમાં આંસુ હતા, પરંતુ દક્ષિણ આફ્રિકા ફરી એકવાર નોકઆઉટ સ્ટેજમાં પહોંચી ગયું અને જીતથી દૂર રહી ગયું. આફ્રિકન ટીમના ખેલાડીઓ પણ ઉદાસ દેખાતા હતા, પરંતુ સૂર્યકુમાર યાદવના કેચને લઈને આફ્રિકાના ચાહકોમાં ગુસ્સો છે. એક ચાહકે લખ્યું કે રિપ્લેને બહુવિધ ખૂણાઓથી નજીકથી જોવું જોઈએ. જાણે સૂર્યકુમારનું જૂતું સીમાને સ્પર્શી ગયું હતું. એક વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે કેચ પકડવામાં આવે તે પહેલા જ બાઉન્ડ્રીને સહેજ પાછળ ધકેલી દેવામાં આવી હતી, પરંતુ તેના કોઈ પુરાવા સામે આવ્યા નથી. પરંતુ આઈસીસીના નિયમો કહે છે કે જો કોઈ વસ્તુ દ્વારા બાઉન્ડ્રી ચિહ્નિત કરવામાં આવે તો તેને સીમા ગણવામાં આવશે, તેની નીચેની સફેદ રેખા નહીં.

Continue Reading

Sports

જયસ્વાલ, ગિલ, અભિષેક, રાહુલ, ગાયકવાડ, કોણ બનશે ભારતનો ઓપનર બેટર

Published

on

By


રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. એક તરફ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ, પરંતુ થોડા સમય પછી રોહિત શર્માએ પણ ઈન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તેની ગેરહાજરીમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા કોણ ભજવશે ? રોહિતે ઓપનર તરીકે ભારત માટે 124 મેચોમાં 3,750 રન બનાવ્યા છે, તેથી તેની જગ્યા લેવી કોઈ પણ ખેલાડી માટે આસાન કામ નહીં હોય.

યશસ્વી જયસ્વાલને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. માત્ર એક વર્ષમાં તેણે ભારત માટે 17 ટી20 મેચમાં 502 રન બનાવીને પોતાની છાપ છોડી દીધી છે. તેણે એક સદી અને 4 અર્ધસદી પણ ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 162ની આસપાસ છે. જયસ્વાલે ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકામાં રમીને સારો દેખાવ કર્યો છે. તે રોહિત શર્માની જેમ ઝડપી રન બનાવવામાં સક્ષમ છે.


2019માં ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ શુભમન ગિલ વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. 2023 ઓડીઆઇ ક્રિકેટ વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા તેણે 9 મેચમાં 354 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટના ગિલ પરના વિશ્વાસનું પરિણામ છે કે તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાં 5 ટી20 મેચોની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ 5 મેચમાં પોતાના પ્રદર્શનના આધારે તે ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.


અભિષેક શર્મા હંમેશા ઝડપી ઈનિંગ્સ રમ્યો છે. પરંતુ તેણે ઈંઙક 2024માં તેના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારો પર ઊંડી છાપ છોડી છે. અભિષેકે આ સિઝનમાં 16 મેચમાં 204ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે. અભિષેકની બેટિંગ સ્ટાઈલ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સ્થિતિમાં પણ ઝડપી શરૂૂઆત કરવામાં મદદરૂૂપ થઈ શકે છે.


કે.એલ.રાહુલે ભારત માટે તેની છેલ્લી ટી20 મેચ ટી20 વર્લ્ડ કપ 2022 ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જો કે તે પછી પસંદગીકારોએ તેને ટૂંકા ફોર્મેટમાં તક આપી નથી, પરંતુ અનુભવના આધારે તેને રોહિત શર્માની જગ્યા આપવામાં આવી શકે છે. રાહુલે ભારત માટે 54 ટી20 મેચમાં ઓપનિંગ કરતા 1,826 રન બનાવ્યા છે. રાહુલના આવવાથી ટીમ ઈન્ડિયાને રોહિત જેવો અનુભવી બેટ્સમેન ટોપ ઓર્ડરમાં મળી શકે છે.


જો કે રુતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં વધુ તક મળી નથી, પરંતુ આઈપીએલની છેલ્લી બે સીઝનમાં તેણે ઈજઊં માટે 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે ઈંઙક 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 19 ઝ20 મેચોમાં 500 રન બનાવીને બતાવ્યું છે કે તે એક વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન છે.

Continue Reading

Sports

વિરાટ કોહલી, રોહિત, જાડેજા ગરિમાપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે

Published

on

By

ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે જાડેજા પણ આ બંને ક્રિકેટરો સાથે જોડાઈ ગયો અને તેણે પણ ઈન્ટરનેશનલ ટી 20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ત્રણ ધુરંધરો પૈકી સૌથી પહેલાં વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ વિરાટ કોહલીએ પ્રેઝન્ટેશન વખતે એલાન કરી દીધું કે, આ મારો છેલ્લો ટી 20 વર્લ્ડ કપ હતો અને ભારત માટે પણ આ મારી છેલ્લી ટી 20 મેચ હતી. વિરાટની જાહેરાતના એકાદ કલાક પછી કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. પ્રેઝન્ટેશન સેરેમની પતી પછી રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ છે અને ઈન્ટરનેશનલ ટી 20 ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આ બંને દિગ્ગજોની જાહેરાત પછી બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ પણ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ત્રણેયે એક સાથે નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને નાન઼કું સરપ્રાઈઝ આપી દીધું છે એમ કહી શકાય કેમ કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં લોકો ઝડપથી ખસતા જ નથી.

તેના જોરે બીજા ચાર-છ મહિના આરામથી ખેંચી શકે તેમ છે પણ એવું કરવાના બદલે તેમણે ગૌરવભેર ખસી જવાનું નક્કી કરીને ખરેખર બહુ શાણપણ બતાવ્યું છે. કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી નિવૃત્ત થવું બહુ અઘં હોય છે ને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજાએ ત્રણેયે એ અઘરૂ કામ કરી બતાવ્યું એ બદલ તેમને સલામ મારવી જોઈએ. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેયે સમયસર અને લોકોની નજરમાં હીરો છે ત્યારે જ નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની કારકિર્દીને વધારે યશસ્વી બનાવી દીધી છે એમ કહી શકાય. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા એ ત્રણેય ક્રિકેટરો છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે બોજ બનતા જાય છે એવી ટીકા થતી હતી. રોહિત અસાતત્યપૂર્ણ બેટિગ કરે છે જ્યારે વિરાટ ટી 20 માટે જરૂરી ઝડપે રમી શકતો નથી એવી ટીકાઓ થતી. જાડેજા મેચ વિનર બોલર કે બેટ્સમેન નથી એવું કહેવાતું. જાડેજાના વિકલ્પરૂપે અક્ષર પટેલ તૈયાર છે જ્યારે રોહિત અને વિરાટના વિકલ્પ તરીકે તો બહુ બધા બેટ્સમેન છે તેથી તેમની ખોટ નહીં સાલે પણ વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેય ગૌરવપૂર્ણ રીતે નિવૃત્તિ લેનારા ક્રિકેટરો તરીકે હંમેશાં યાદ રહેશે.

Continue Reading

Trending