Connect with us

કચ્છ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોરી, લૂંટ અને ધાડ કરવા આવેલી ટોળકી પકડાઈ

Published

on

ઘાતક હથિયારો અને સોના-ચાંદીના દાગીના સહિત 12 લાખનો મુદ્દામાલ કબજે

વલસાડ એલસીબીને મળેલી બાતમીના આધારે ટોળકીના છ શખ્સોને ઝડપી લીધા

સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં મોટા ગુનાને અંજામ આપવા પૂર્વ તૈયારી સાથે આવેલી ટોળકીને વલસાડ એલસીબીએ લૂંટને અંજામ આપે તે પૂર્વે પકડી પાડી હતી. આ ટોળકીના 6 શખ્સો પાસેથી સોના-ચાંદીના દાગીના અને ઘાતક હથિયારો સહિત 12 લાખનો મુદ્દામાલ એલસીબીએ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ટોળકી સુરેન્દ્રનગર, કચ્છ અને બનાસકાંઠા પંથકમાં ચોરી લૂંટ, ધાડ સહિતના ગુનાને અંજામ આપવાની હોવાનું તપાસમાં ખુલ્યું છે.


બનાવની વિગતો જોઈએ તો,વલસાડ એલ.સી.બી પોલીસની ટીમ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી એ વખતે બાતમી મળી હતી કે એક તૂશરિં કાર માં કેટલાક ઈસમો લૂંટના ઇરાદે બગવાડા વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે એલ.સી.બી પોલીસે વોચ ગોઠવતા કાર અટકાવી તપાસ કરી હતી. કારમાં 6 વ્યક્તિઓ સવાર હતા. બધું તપાસ કરતા કાર માંથી ચોરી કરવાના સાધનો અને ધારદાર તીક્ષણ હથિયાર પણ મળી આવ્યા હતા.
કારમાંથી હથિયારો સાથે 88.960 ગ્રામ સોનું , 529.780 ગ્રામ ચાંદી તેમજ સ્વિફ્ટ કાર મળી કુલ 12,20,340 ના મુદ્દામાલ કબજે કર્યો હતો .આમ બગવાડા વિસ્તાર માં એક ધાડને અંજામ આપવા નીકળેલા શખ્સો મોટો ગુન્હો કરે તે પહેલા જ ઝડપાઇ ગયા હતા. વલસાડ એલ.સી.બી પોલીસે તપાસ કરતા બહાર આવ્યું છે કે આ 6 ઈસમો સમગ્ર દેશ માં ધાડ ,લૂંટ અને હત્યા ને અંજામ આપનાર રાજસ્થાની ગેંગના સભ્યો છે.


ઝડપાયેલા તમામ આરોપીઓ દિનેશ પ્રસાદ ગોવિંદ મેઘવાલ રાજેન્દ્ર બાવરી, ધનરાજ બલાઈ, કાળુ બાવરી અને મુકેશ મેઘવાલ રાજસ્થાનના રહેવાસી છે. દિનેશ પ્રસાદ ગોવીંદ મેઘવાળ અને મુકેશ મેઘવાલ આ ગેંગના માસ્ટરમાઈન્ડ છે, પકડાયેલા તમામ ઈસમો રીઢા ગુનેગાર છે. જેમાં થી ત્રણ ઈસોમો સામે આ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે. પકડાયેલા આરોપી પૈકી મુકેશ મોહનલાલ મેઘવાલ સામે રાજસ્થાન રાજ્યના 40 થી વધુ ફોરવીલર વાહનો ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની કબુલાત કરી છે. જ્યારે દિનેશ માલી રાજસ્થાનના ભીલવારા પોલીસ સ્ટેશનના ટ્રીપલ મર્ડરના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે.હાલ તો પોલીસે તમામના રિમાંડ લેવાની તજવીજ હાથ ધરી છે .આથી આગામી સમયમાં પોલીસ રિમાન્ડમાં હજી વધારે ગુન્હાઓ ઉકેલાય તેમ મનાઈ રહ્યું છે.

કચ્છ

બૂટલેગર અને મહિલા કોન્સ્ટેબલે પોલીસ પર કાર ચડાવવા કર્યો પ્રયાસ

Published

on

By

ભચાઉ પાસે સમીસાંજે સર્જાયા ફિલ્મી દ્દશ્યો : થારમાં દારૂની મહેફિલ માણતા બૂટલેગર અને મહિલા કોન્સ્ટેબલને પકડવા જતાં પોલીસ પાર્ટી પર કાર ચડાવી દઈ હત્યાની પ્રયાસ

પોલીસે બૂટલેગરને પકડવા કર્યું ફાયરિંગ : બૂટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ : થારમાંથી બીયરના ટીન મળ્યાં : હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન ભંગનો નોંધાતો ગુનો

કચ્છના ભચાઉ પાસે ગઈકાલે સમીસાંજે દારૂના ગુનામાં વોન્ટેડ ચિરઈના કુખ્યાત બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર થાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે થાર ગાડી લઈ નાશી રહેલા કુખ્યાત શખ્સ પર એક રાઉન્ડ ફાયરીંગ કરી ઝડપી લીધા બાદ કારની તલાશી લેતા તેમાંથી 18 બિયરના ટીન મળી આવ્યા હતા અને મહિલા કોન્સ્ટેબલ પણ બુટલેગરની સાથે હોય પોલીસે તેની પણ ધરપકડ કરી બે અલગ અલગ ગુના દાખલ કર્યા છે.


આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભચાઉના પીએસઆઈ ડી.જી. ઝાલાએ સરકારપક્ષે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ચિરઈ ગામના કુખ્યાત શખ્સ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને મહિલા કોન્સ્ટેબલ નીતાબેન વશરામભાઈ ચૌધરીનું નામ આપ્યું છે.


પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ચિરઈ ગામના કુખ્યાત શખ્સ યુવરાજસિંહ જાડેજા સામે હત્યાના પ્રયાસ એટ્રોસીટી અને પ્રોહિબીશનના 16 જેટલા ગુના નોંધાયા હોય અને આ સખ્સ દારૂના ગુનામાં વોન્ટેડ હોય અને ગઈકાલે સાંજે આરોપી થાર ગાડીમાં આવી રહ્યો હોવાની માહિતી મળતા ભચાઉ પોલીસ અને એલસીબીના સ્ટાફે ભચાઉ નજીક ગોલ્ડન બ્રીજની નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી થાર ગાડી લઈ નિકળતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસ પાર્ટી પર થાર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો અને કાર લઈ ભાગી છુટ્યો હતો પરંતુ પોલીસે પીછો કરી થાર ઉપર ફાયરીંગ કરતા આરોપી ઉભો રહી ગયો હતો જેની પોલીસે ધરપકડ કરી થારની તલાશીલેતા તેમાંથી 18 બિયરનાટીન મળી આવ્યા હતાં.


કુખ્યાત બુટલેગરની સાથે મહિલા કોન્સ્ટેબલ મીતાબેન ચૌધરી પણ ગુનામાં સાથે હોય જેની સામે પણ હત્યાનો પ્રયાસ અને પ્રોહીબીશનભંગનો ગુનો નોંધી તેની આજે ધરપકડ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. આ કામગીરી ભચાઉ પોલીસની સાથે એલ સી બીનો સ્ટાફ પણ મદદમાં રહ્યો હતો.

Continue Reading

કચ્છ

માંડવી શહેર કોલેરાગ્રસ્ત જાહેર

Published

on

By

પાણીની લાઇનમાં ગંદાપાણી ભળી જતા ઝાડા-ઊલટીનો રોગચાળો


કોરોનાના કકળાટ પછી ગત વર્ષે બિપોરજોયે તાલુકાના જીવ અદ્ધર કરી દીધા તેમાંથી માંડ કળ વળે ત્યાં અપૂર્વ રીતે સમગ્ર શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં જનતાને ધ્રાસકો પડયો છે તેની સમાંતરે ગઈકાલે નગર સેવા સદન તંત્રે લોહાર ચોક પાસેના રામ મંદિર નજીક ગંદાં પાણીની ભેળસેળવાળા પેયજળને વહન કરતી લાઈનો ફોલ્ટ પોઈન્ટ શોધી અને લાઈન બંધ કરી દીધી હોવાનો દાવો કરાયો હતો.


ગરબી ચોક વિસ્તારમાંથી જૂના સ્વામિનારાયણ મંદિર, હવેલી ચોક, ખુની ચકલો વગેરે વિસ્તારને પાણીનો પુરવઠો પુરો પાડતી 18 ઈંચનો વ્યાસ ધરાવતી એ મુખ્ય લાઈન લોખંડના બંધિયા વડે બંધ કરીને સિમેન્ટ વડે સુરક્ષિત કરાઈ છે. એ સિવાયના શંકાસ્પદ એરિયા સેન્ટ્રલ બેંક પાસે ફોલ્ટ શોધવાનું અભિયાન જારી રખાયું છે. સમાંતરે માંડવી-મસ્કા વચ્ચે રહેણાક વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં ગટરલાઈન વ્યવસ્થા નહીં હોવાથી ગંધાતું પાણી ગંદુ જળાશય બિહામણા રોગચાળા વેળાએ જનઆરોગ્ય સામે ખતરાની ઘંટી હોવાનું જાગૃતોએ ભવાં ચડાવતાં દર્શાવ્યું હતું. દરમ્યાન કોલેરા નિયંત્રણ અધિકારી અને મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ પરિસ્થિતિ કાબુમાં હોવાનો સધિયારો આપતાં તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.


પાલિકાના ઓ. એસ. ચેતનભાઈ જોશી, પાણી પુરવઠા વિભાગના રાજેશ ગોરે લોહાર ચકલા પાસે મુખ્ય લાઈન પસાર થાય છે ત્યાં મોટી ક્ષતિ શોધી શકાઈ હોવાનો દાવો કરીને શંકાના દાયરામાં આવતા અન્ય વિસ્તારો ઉપર ફોલ્ટ શોધ જારી હોવાનું કહેતા સુપર કલોરીનેશન કામગીરી તેજ બનાવાઈ હોવાનું જણાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે જ્યાંથી પોઝીટીવ કેસ મળી આવ્યા છે અને ઝાડા ઉલ્ટીના કેસો પાધરા થયા છે એવો વિસ્તાર ગરીબ, રંક આબાદીનો છે.

આરોગ્ય કમિશનર દોડી આવ્યા
માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં તકેદારી લેવા રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદભાઇ પટેલ સ્થાનિકે દોડી આવ્યા હતા. સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ અને સાવચેતીનાં પગલાં લેવા તથા ઝાડા-ઊલટીના કેસોને નિયંત્રણમાં લાવવા અને વધે તો શું શું તૈયારી રાખવી જે અંગે તંત્રને વાકેફ કર્યા હતા. સરકારી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ તથા દાખલ થયેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા, તે અંગે સ્થિતિ જાણી હતી. તેમજ પૂર્વે મામલતદાર ઓફિસમાં પણ આરોગ્ય વિભાગની ટીમ, મામલતદાર, સુધરાઇની ટીમ અને તંત્ર વચ્ચે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યાં હતાં તેમણે જણાવેલ કે, ઝાડા-ઉલ્ટીના કુલ 78 કેસો નોંધાયા છે, જેમાંથી માત્ર એક કેસ કોલેરાગ્રસ્ત નોંધાયો છે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા આરોગ્યની 25ટીમ કાર્યરત છે

Continue Reading

કચ્છ

નખત્રાણામાં મેઘરાજાનો તાંડવ: આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય, બજારોમાં ફરી વળ્યા પાણી, જુઓ વિડીયો

Published

on

By

હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જીલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે કચ્છના નખત્રાણામાં મેઘરાજાનું રોન્દ્ર સવરૂપ જોવા મળ્યું છે. નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસતા બજારમાં નદીની માફક પાણી વહેતાં થયાં છે. નખત્રાણાના બજારોમાં પાણી ફરી વળ્યા હતા. નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી ફરી વળતા, બસ સ્ટેશન પાસેના વોકળામાં બાઇક તણાઈ હતી. જો કે બાઈક ચાલકને બચાવી લેવામાં આવ્યા હતો.

https://fb.watch/sZ78fsztZR

નખત્રાણામાં ભારે વરસાદ પડતાં મુખ્ય બજારોમાં નદીની જેમ પાણી વહેતાં થયાં છે. બપોરે ત્રણ કલાકે શરૂ થયેલો વરસાદ સતત દોઢ કલાક સુધી અવિરત વરસતાં નખત્રાણા શહેરમાં અંદાજીત દોઢ ઇંચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ ખાબકી પડતા નખત્રાણામાંથી પસાર થતો ભુજ લખપત ધોરીમાર્ગ પર વોકડો વહી નીકળતા બન્ને તરફ વાહનોની રફતાર થંભી ગઈ હતી. તો કેટલાય લોકોના વાહનોમાં પાણી ઘૂસી જતા બંધ પડી ગયા હતા. શહેરમાં જળ બંબાકારની સ્થિતિ નિર્માણ પામતી હોય છે.

Continue Reading

Trending