Connect with us

ગુજરાત

ગીર સોમનાથ, રાજુલા, હળવદ, બોટાદ, મોરબીમાં 1થી 2.5 ઇંચ વરસાદ

Published

on


સૌરાષ્ટ્ર કચ્છમાં સતત પાંચ દિવસ વરસાદ વરસ્યા બાદ ગઇકાલે છઠ્ઠા દિવસે પણ ગીર સોમનાથ, વિસાવદર, કોડીનાર, અમરેલી, બાબરા, મોરબી, હળવદ પંથકમાં અડધાથી બે ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. સોમનાથ, મોરબી, અમરેલી જિલ્લામાં એકથી બે ઈંચ,જુનાગઢ જિલ્લામાં છૂટોછવાયો અર્ધો ઈંચ તેમજ ભાવનગર જિલ્લામાં અઢી ઈંચ સુધી, સુરેન્દ્રનગર જિલ્લામાં તથા જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા તાલુકામાં એમ એકંદરે વ્યાપકપણે પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી નથી પરંતુ, આગામી દિવસોમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે હળવા-મધ્યમ વરસાદનું જોર જારી રહેશે. સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં રાત્રિ સુધીમાં કટકે કટકે પોણા બે ઈંચ, ઉનામાં સવા ઇંચ, ગીર ગઢડા અને કોડીનારમાં પોણો ઈંચ, વેરાવળમાં અર્ધો ઈંચ, તાલાલામાં ઝાપટાં વરસ્યા હતા. જ્યારે સૌથી વધુ વરસાદ બોટાદમાં અઢી ઈંચ નોંધાયો છે.

ભાવનગરના ગારિયાધર, પાલીતાણા, શિહોર, ભાવનગર શહેર સહિત પંથકમાં એકથી દોઢ ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં પણ એક ઈચ વરસાદ નોંધાયેલ છે. જુનાગઢના વિસાવદર અને માળીયા હાટીનામાં અર્ધો ઈંચ જ્યારે જુનાગઢ, મેંદરડા, વંથલી, ભેંસાણ સહિત વિસ્તારોમાં ઝાપટાં વરસ્યા હતા. મોરબી જિલ્લામાં પણ આજે મેઘરાજાનું આગમન થયું હતું. હળવદમાં અને મોરબીમાં એક ઈચ વરસાદ નોંધાયો હતો. મોરબીમાં આટલા વરસાદથી શહેરમાં જળબંબાકાર થયો હતો અને લોકોને હાલાકી પડી હતી. જળનિકાલની વ્યવસ્થા દેખાતી ન્હોતી. જિલ્લાના ટંકારામાં પણ પોણો ઈંચ વરસાદ વરસી રાજકોટ જિલ્લામાં મેઘરાજાનું જોર આજે ઓછુ હતું, જસદણમાં અર્ધો ઈંચ જેટલું પાણી વરસ્યું છે. રાજકોટમાં વાદળો ઘેરાયા પણ વરસ્યા ન્હોતા. વાંકાનેર અને ઉપલેટામાં હળવા ઝાપટાં વરસ્યા હતા. અમરેલીમાં અવિરત અમીવર્ષા જારી રહી છે. રાજુલામાં સવા ઈચ વરસાદથી બજારોમાં પાણી ભરાયા હતા અને વિજપૂરવઠો કેટલાક વિસ્તારમાં ખોરવાયો હતો. અને લિલીયામાં એક ઈંચ વરસાદ ઉપરાંત બાબરા, સાવરકુંડલા, અમરેલી, લાઠી વગેરે પંથકમાં અર્ધાથી એક ઈંચ સુધી વરસાદથી ડેમોમાં નવી આવક શરુ થઈ છે. અમરેલીમાં એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરાયેલી છે. જાફરાબાદના કાંઠાળ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.ભાવનગર જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર ચાલુ રહી છે. જિલ્લાના ગારીયાધારમાં દોઢ ઇંચ ,પાલીતાણા અને સિહોર માં એક- એક ઇંચ, જેસર,ભાવનગર શહેર અને તળાજા માં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 3, ઉમરાળા 3, ભાવનગર શહેર 14, ઘોઘા 11, શિહોર 21, ગારીયાધાર 38, પાલીતાણા 28, તળાજા 17 અને જેસરમાં 19 મી.મી. વરસાદ નોંધાયો છે. મોરબી શહેરમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ આખરે મેઘરાજાની મહેર વરસી હતી આજે બપોરના સુમારે ધોધમાર વરસાદ શરુ થયો હતો ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા મોરબી શહેરમાં ખુશીની લહેર છવાઈ છે.

14 જળશાયોમાં નવાં નીરની આવક
સૌરાષ્ટ્ર કચ્છમાં સતત છઠ્ઠા દિવસે ભારે વરસાદના પગલે 14 જળાશાયોમાં નવા નીરની આવક નોંધાઇ છેે. જેમાં આજી-1માં 0.3, મોજ ડેમ 1.77, ફુફડ 0.82, આજી-2 0.7, છાપરા વાડી-2 9.84, મચ્છુ -2 0.52, ન્યારી ડેમ 0.66, ઘોડાઘ્રોઇ 0.33, મચ્છુ-3 0.7, ઉંડ-3 0.98, ફુલઝર 2.30, ભોગાવો-2 0.16 ફૂટ સહિત 14 ડેમોની સપાટીમાં વધારો જોવા મળ્યો છે.

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

લીમડાલેન વિસ્તારમાં વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો: વીજપુરવઠો ખોરવાયો

Published

on

By

તંત્રએ તાત્કાલિક વીજપુરવઠો પૂર્વવત કરતા પ્રજાને રાહત


જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં કોંગ્રેસ ભુવનપાસે આવેલા ટ્રાન્સફોર્મર અને વીજ કેબલમાં આજે એકાએક સ્પાર્ક થયા પછી ભારે તણખા જર્યા હતા, અને ટ્રાન્સફોર્મર તેમજ કેબલ બળી જતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજતંત્રની ટુકડીએ વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મર તેમજ કેબલ વગેરે બદલીને યુદ્ધના ધોરણે કામગીરી પાર પાડી હતી, અને વીજ પુરવઠો રાબેતા મુજબ બનાવ્યો છે.

જામનગર ના લીમડા લાઈન વિસ્તાર માં કોંગ્રેસ ભવન ની બાજુમાં આવેલ 200 કેવી ટ્રાન્સફોર્મરસાથે જોડાયેલો 150 એમ.એમ.નો કેબલ વરસાદમાં ઇનસ્યુલેશન ડેમેજ થતાં બળી ગયો હતો, અને સ્પાર્ક સાથે ધડાકા થયા હતા.જ્યાં તાત્કાલિક અસરથી પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન વિભાગની ટીમ દ્વારા કેબલ બદલાવવાની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી કરવાની જરૂૂરિયાત ઊભી થઇ હોવાથી સલામતીના સાધનો અને સલામત કાર્યપદ્ધતિ સાથે ટેકનીકલ ટીમ તથા જુનિયર ઇજનેર ની હાજરીમાં સ્થળ પર આ ટ્રાન્સફોર્મર યુદ્ધના ધોરણે ટ્રાફિક વાળા વિસ્તારમાં ચાલુ વરસાદ દરમ્યાન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો તૂરતજ રાબેતા મુજબ બનાવી દેવાયો હતો.

Continue Reading

Trending