Connect with us

રાષ્ટ્રીય

ગેરરીતિની આશંકાથી ‘નેટ’ની પરીક્ષા રદ, 11 લાખથી વધુ પરીક્ષાર્થીઓનો ફજેતો

Published

on

‘નીટ’ના વિવાદ બાદ ‘નેટ’ની પરીક્ષાનું પેપર પણ લીડ થતાં એનટીએની નિયત ઉપર ઉઠતા સવાલો

એનટીએએ દેશના વિવિધ શહેરોમાં 18 જૂન-2024થી બે પાળીમાં ઓએમઆર (પેન અને પેપર) મોડમાં યુજીસી-નેટ જૂન-2024ની પરીક્ષાનું આયોજન કર્યું હતું. જોકે ગૃહમંત્રાલયને પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદના ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પહેલા NEETની પરીક્ષામાં પણ છબરડાં સામે આવ્યા અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, યુજીસી-નેટની જેમ નીટની પરીક્ષા પણ એનટીએ દ્વારા લેવામાં આવે છે.


શિક્ષણ વિભાગે પરીક્ષાની પ્રક્રિયામાં પારદર્શિતાની ખાતરી કરવા માટે નિર્ણય લીધો છે કે, યુજીસી-નેટ જૂન 2023ની પરીક્ષા રદ કરવામાં આવશે. હવે નવેસરથી પરીક્ષાનું આયોજન કરી અલગથી માહિતી શેર કરવામાં આવશે. આ ઉપરાંત આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.


શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, નવેસરથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને તેની માહિતી અલગથી અપાશે. સરકાર પરીક્ષાની અખંડિતતાની ખાતરી કરવા માટે અને વિદ્યાર્થીઓના હિતની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, દેશભરના 317 શહેરોમાં, 1205 પરીક્ષા કેન્દ્ર પર યુજીસી નેટ પરીક્ષા જૂન-2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11,21,225 ઉમેદવારોએ ભાગ લીધો હતો. UGC-NET જૂન-2024ની પરીક્ષા 18 જૂને બે શિફ્ટમાં લેવાઈ હતી. પ્રથમ શિફ્ટનો સમય સવારે 9.30 કલાકથી બપોરે 12.30 કલાક અને બીજી શિફ્ટનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી હતો.


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસે પહેલા જNEETની પરીક્ષાનો મુદ્દો ચગ્યો હતો અને આ પરીક્ષાનું આયોજન પણ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (ગઝઅ) દ્વારા કરાયું હતું, ત્યારે હવે ગઝઅની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા-2024ના પરિણામો મુદ્દે પહેલીવાર એવા નિર્ણયો લીધા છે, જેના કારણે પરીક્ષામાં અનિયમિતતા મુદ્દે સવાલો ઉઠ્યા છે.

રાષ્ટ્રીય

23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે કેન્દ્રીય બજેટ

Published

on

By

નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બજેટ સત્રની તારીખોની જાહેરાત કરતા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારની ભલામણ પર 22 જુલાઈ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી બજેટ સત્ર બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે.

ચૂંટણી પરિણામો બાદ નવી સરકારનું સંપૂર્ણ બજેટ ગૃહમાં રજૂ થવાનું છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જે 44.90 લાખ કરોડ રૂપિયા હતી. જેમાં 11.11 લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચ તરીકે રાખવામાં આવ્યા હતા. જાણકારોના મતે આ વખતે સરકારી બજેટનું કદ વધુ વધી શકે છે. વચગાળાના બજેટમાં નાણામંત્રીએ આ વર્ષે પણ મૂડી ખર્ચ માટે રાજ્યોને પચાસ વર્ષની વ્યાજમુક્ત લોન આપવાની યોજના ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ માટે કુલ 1.3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

બજેટની રજૂઆત સાથે જ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ એક મોટો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. તે દેશના પહેલા નાણામંત્રી બનશે જે સતત 7મી વખત બજેટ રજૂ કરશે. હાલમાં તેઓ ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબર છે, જેમણે સતત 6 બજેટ રજૂ કર્યા હતા. એકવાર તેણી સંસદમાં 2024નું બજેટ રજૂ કરશે, તે પછી તે મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે અને સતત 7 બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બનશે. નિર્મલા સીતારમણ મોદી સરકારના 2014 અને 2019ના બંને કાર્યકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

Continue Reading

રાષ્ટ્રીય

બિહારમાં વીજળીનો કહેર, એક જ દિવસમાં 18નાં મોત

Published

on

By

સમગ્ર દેશમાં મેઘમહેર વચ્ચે બિહારથી એક દુ:ખદ અને ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વાસ્તવમાં શુક્રવારે વીજળી પડવાથી 18 લોકોના મોત થયા હતા. વિગતો મુજબ બિહારના ભાગલપુરમાં 4 અને બેગુસરાય અને જહાનાબાદમાં 3-3 લોકોના મોત થયા છે. મધેપુરા-સહરસામાં 2-2 લોકોના મોત થયા છે. કરકટ, વૈશાલી અને છપરામાં 1-1 વ્યક્તિનું મોત થયું છે.


આ તરફ બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને અપીલ કરી છે કે, ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરોમાં કે રસ્તા પર ન રોકાય. કોઈ પાક્કા મકાનમાં રહે.


આ બધાની વચ્ચે હવામાન વિભાગે ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આકાશ હજુ પણ વાદળછાયું છે, આકાશમાં ઘેરા વાદળો દેખાઇ રહ્યા છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને ગાજવીજની પણ શક્યતા છે. હવામાન વિભાગે લોકોને આ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે.

Continue Reading

રાષ્ટ્રીય

મોબાઇલ કં.ઓ ગ્રાહકો પાસેથી 34824 કરોડ ખંખેરશે

Published

on

By


ભારતમાં અગ્રણી મોબાઈલ સેવા આપતી કંપનીઓએ રિચાર્જમાં બેફામ વધારો કર્યો છે. આ વધારાને લઈને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.

ભારતની ત્રણ મોટી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ટેરિફ રેટમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે વિપક્ષે કેન્દ્ર સરકાર અને ટીઆરએઆઇ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ પોસ્ટ કરીને કહ્યું કે, ખાનગી મોબાઈલ ઓપરેટરોને એકપક્ષીય રીતે ટેરિફ વધારવાની મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારને પ્રશ્ન કરવા જોઈએ.


સેલ ફોન રિચાર્જના ટેરિફ રેટમાં વધારાને લઈને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારને કેટલાક મોટા પ્રશ્નો પૂછ્યા છે. પાર્ટીએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી અને લખ્યું કે, જ્યારે ખાનગી મોબાઈલ ઓપરેટરોએ તેમના આર્થિક માપદંડો અલગ હોવા છતાં ટેરિફમાં 15-16 ટકાનો વધારો કર્યો ત્યારે સરકારે આંખ આડા કાન કેમ કર્યા?


પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા 109 કરોડ યુઝર્સના ગ્રાહક આધાર સાથે તેમના ટેરિફમાં સરેરાશ 15 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે સામાન્ય માણસ પર ખર્ચનો વધારાનો બોજ 34,824 કરોડ રૂૂપિયા વધી જશે.
રણદિવ સુરજેવાલાએ જણાવ્યું કે, બે બાબતો અલગ છે. પ્રથમ ટેરિફ વધારાની જાહેરાતની તારીખ સ્પષ્ટપણે ત્રણેય કંપનીઓ એકબીજા સાથે પરામર્શ કરતી હોવાનું જણાય છે. વધેલા ટેરિફની અસરકારક અમલીકરણની તારીખ સમાન છે.

સરકારને કોંગ્રેસના પાંચ પ્રશ્ર્નો

  • શું મોદી સરકારે 109 કરોડ સેલફોન વપરાશકર્તાઓ પર આશરે 35 હજાર કરોડનો બોજ લાદતા પહેલા કોઈ તપાસ કરી?
  • શું મોદી સરકારે હરાજી દ્વારા સ્પેક્ટ્રમની ખરીદી પર કોઈ અસરનો અભ્યાસ કર્યો છે?
  • શું મોદી સરકારે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પર અગાઉની છૂટની અસરનો અભ્યાસ કર્યો?
  • તે કેવી રીતે બની શકે કે તમામ સેલ ફોન કંપનીઓ તેમના ટેરિફમાં 15-20% વધારો કરે, જ્યારે તેમનું રોકાણ, ગ્રાહક આધાર વગેરે બધું જ અલગ
Continue Reading

Trending