Connect with us

સૌરાષ્ટ્ર

જામનગરના મોલના મામલે પૂર્વ મંત્રીને દુ:ખે છે પેટ અને કુટે છે માથુ

Published

on

મંત્રીએ પોતાના ઘર પાસે મોલ હોવાથી તેમના અહમને સંતોષવા અગાઉ પણ મોલ બંધ કરાવવા પ્રયાસો કર્યા હતાં

હાઇકોર્ટે પણ આ મામલે યોગ્ય કોમ્પલાયન્સ તપાસ્યા બાદ બેનને દાદ આપી નહોતી : તમામ કોમ્પલાયન્સ સાથે ચાલતાં ક્રિસ્ટલ મોલના પ્રમોટરો બદનક્ષી સહિતની કાનુની લડત આપશે


તાજેતરમાં રાજકોટમાં ટી.આર.પી. આગકાંડ બન્યો છે તેની આડમાં જામનગરમાં ભાજપના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ પોતાના ઘર નજીકના ક્રિસ્ટલ મોલને ફરી એક વખત નિશાન બનાવી પોતાનો અંગત અહમ સંતોષવા કાર્યરત થયા છે. આ અંગ્ ક્રિસ્ટલ મોલના પ્રમોટરો એ જણાવ્યુ છે કે વસુબેન ત્રિવેદીથી જામનગર પરિચિત છે. વસુબેન હાલમાં જે રાજકોટની ઘટના બની છે તેની આડ નીચે પોતાના અંગત રાગદ્વેષને સંતોષવા માંગે છે.

વાસ્તવમાં જયારે ક્રિસ્ટલ મોલ બન્યો ત્યારે પણ આ બહેનને તેમના ઘર પાસે મોલ ન બને તેવી માનસિકતા હતી. તેઓ પાવરમાં હોવાથી વિવિધ અધિકારીઓ દ્વારા હવનમાં હાડકાં નાંખવા કોશિષ કરતાં હતા. પરંતુ ક્રિસ્ટલ મોલના પ્રમોટરોએ તમામ પ્રકારની સરકારી એજન્સીઓના એન.ઓ.સી. મેળવી ક્રિસ્ટલ મોલનો પ્રારંભ કર્યો હતો. જેમાં જામનગર મહાનગર પાલિકાના પ્રવર્તમાન જીડીસીઆર મુજબ બાંધકામ મંજુરી આપવામાં આવી છે.તેજ ફાયર વગેરે એન.ઓ.સી. નિયમ મુજબ આપવામાં આવેલ છે.આ ઉપરાંત મુંબઇ સિનેમા રૂૂલ્સ તથા તેને લગતા ડઝનેશ ડિપાર્ટમેનનઆર.એન્ડ બી. ફાયર વગેરે એન.ઓ.સી કલેકટર કચેરી દ્વારા આપવામં આવેલ છે. આવતી તમામ ઓથોરિટીના કોમ્પલાયન્સનો સમાવેશ થાય છે. ક્રિસ્ટલ મોલ દેશમાં અનેક શહેરોમાં રાષ્ટ્રિય કક્ષાની અતિઆધુનિક પ્રોપર્ટી ડેવલપ કરવાનું અને તેને ઓપરેટ કરવાનો અનુભવ ધરાવે છે. ક્રિસ્ટલ ગ્રુપના એક પણ પ્રિમાઇસીસમાં લોકોની સલામતિ અને સવલતો અંગે સમાધાન કરવામાં આવતું નથી. જામનગરના ક્રસ્ટલ મોલમાં હાઇકોર્ટમાં પણ મામલો ગયો હતો. હાઇકોર્ટ સમક્ષ પણ ક્રિસ્ટલ મોલ અને સબંધિત તમામ સરકારી એજન્સીઓએ તેમના કોમ્પલાયન્સ મુકયા હતાં. બેનના આક્ષેપો હાઇકોર્ટમાં પણ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી.

આઇનોકસ,પીવીઆર અને રિલાયન્સ જેવી કોર્પોરેટ કંપનીઓ કોઇ પણ જગ્યાએ જોડાય ત્યારે સૌ પ્રથમ તેમની લીગલ ટીમ પ્રોપર્ટીની લીગાલીટી,સુરક્ષા,સરકારી એજન્સીઓના તમામ એપ્રુવલ અને પ્રમોટોરની ગુડવીલ જોઇને જ જોડાતાં હોય છે. વસુબેન જે તે સમયે સતામાં હતાં ત્યારે પોતાના અહમને સંતોષી શકયા નથી. આથી ટીઆરપી આગકાંડને પગલે તેઓ પુન: સક્રિય થયા છે. અને કેટલાક પાયાવિહિન મુદાઓ ઉભા કરી મિડિયાને ગેરમાર્ગે દોરી રહયા છે. વસુબેનના આક્ષેપ પણ માત્ર ક્રિસ્ટલ મોલ પૂરતાં જ છે. જો તેમને જામનગરમાં ચાલતાં અન્ય મોલ કે ગેરકાયદે બાંધકામ અંગે સવાલ ઉઠાવતાં નથી. આથી તેમની સામાજીક અને રાજકિય સેવા પણ શંકા પ્રેરિત છે. કોઇને આ ઝુંબેશથી ફાયદો કરાવી આપવાની પણ શંકા જાગે છે. વસુબેને કેટલાંક સવાલથી મિડિયાને ગુમરાહ કરવાની કોશિષ કરી છે તેની સ્પષ્ટતા જરૂૂરી લાગે છે. સૌ પ્રથમ તો મોલની જગ્યા બીન ખેતી કોમર્શિયલ છે. જિલ્લા કલેકટર તંત્રના તમામ એપ્રુવલ બાદ જ અન્ય સરકારી ખાતાઓની મંજુરી મળે એ સામાન્ય લોકો પણ સમજી શકે છે. સમગ્ર જામનગરમાં સૌથી મોટા રોડ ઉપર મોલ કોમર્શિયલ પ્લોટ ઉપર બન્યો છે.

મોલના માર્જીનમાં બહારની બાજુ લોખંડની સીડીનો મુદો ઉઠાવાયો છે. તે કાલ્પનિક છે. ફાયર સ્ટાફને આગના સમયે પ્રોપર્ટીમાં બહારથી પ્રવેશવા માટે મજબુત સીડીની જરૂૂર પડે. જે મોલના માર્જીનમાં આપીને ભવિષ્યની તકેદારી રાખવામાં આવી છે. આમુદો મનઘડત છે.એ જ રીતે પાર્કીંગના મુદે પણ મિડિયાને ગુમરાહ કરવામાં આવ્યુ છે. વાસ્તવમાં મોલમાં 1રપ કારનું સેલર પાર્કીંગ છે. મોલ છેલ્લા 1ર વર્ષથી ચાલે છે. વખતો વખત ફાયર સહિતની જુદી જુદી એજન્સીઓના એન.ઓ.સી. મેળવવામાં આવે છે. જરૂૂરી ચેકીંગ વગેરે થતાં રહે છે. એથી જ આજ સુધી કોઇ ક્રિસ્ટલ મોલની ફરિયાદ આવી નથી. ભવિષ્યમા પણ અમો આ જ તકેદારી જાળવી રાખવા કટીબધ્ધ છીએ. આ જ રીતે ટ્રાન્સફોર્મરનો મુદો ઉઠાવવામાં આવ્યો છે. જે ટ્રાન્સફોર્મર અદ્યતન ડ્રાય ફયુઅલનું છે તે આગ ન લાગે તેવુ ડ્રાય છે. સામાન્ય રીતે વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પણ ડિઝલ વગેરે ફયુઅલથી ચાલતાં હોય છે. આમ અહીં પણ ક્રિસ્ટલ મોલ સુરક્ષાની બાબતમાં એક કદમ આગળ છે.


ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

વરસાદી માહોલ વચ્ચે ખાદ્ય પદાર્થો વેચતા 23 વિક્રેતાઓનેફ ત્યાં ફૂડ શાખાનું સઘન ચેકિંગ

Published

on

By

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા વરસાદી સીઝનની વચ્ચે રોગચાળો ન ફેલાય, અને ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વિક્રતાઓ દ્વારા હાઇજેનિક કન્ડિશન રાખવામાં આવે, તે બાબતેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાતી ગુજરી બજાર કે જેની વચ્ચે ખાદ્ય પદાર્થનું વેચાણ કરવા વાળા તેમજ શહેરના અન્ય જુદા જુદા 23 જેટલા નાના ધંધાર્થીઓને ત્યાં હાઇજેનિક કન્ડિશન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને જરૂૂરી સુચના અપાઈ હતી. તેમજ આખાદ્ય ખોરાકનો સ્થળ પરજ નાશ પણ કરવામાં આવ્યો હતો.


જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા પ્રદશેન ગ્રાઉન્ડ મા ભરાયેલી શુક્રવારી બજાર મા તથા અલગ અલગ વિસ્તાર મા અલગ અલગ ખાણીપીણી જેવી કે ગોલા-ગુલ્ફી ,સરબત ,ઘૂઘરા ,ઘૂઘરા ની ચટણી ,શેરડી નો રસ , સોડા બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટર ને ત્યાં રૂૂબરૂૂ ઇન્સપેક્શન કરાયું હતું. જે મુલાકાત દરમિયાન સ્થળ પર ક્લોરીન મંગાવી પાણી મા કલોરીનેશન જાળવવા ,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા ,સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,ફરજીયાત નિયમિત પાણી મા કલોરીનેશન કરવા, અંગે સુચના આપવામાં આવી હતી. તેમજ કે ટોક અખાદ્ય ખોરાક ગણાય આવતા તેનો સ્થળ પર જ નાશ કરાવાયો હતો.
તદુપરાંત શહેર મા આવેલી આઈસ ફેક્ટરી જેવી કે બેડેશ્વર મા આવેલ આઝાદ આઈસ ફેક્ટરી , હાપા મા આવેલ શિતલ તેમજ અમી આઈસ ફેક્ટરી અને જેઠવા આઈસ ફેક્ટરી મા ઈન્સ્પેક્શન કરી , કોરોઝન યુક્ત આઈસ ક્ધટેનર બદલવા,પાણી મા સુપર ક્લોરીનેશન જાળવવા , ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકા ની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવેલ તેમજ દરેક ને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.

Continue Reading

Trending