Connect with us

રાષ્ટ્રીય

તાડફળી માત્ર ઉનાળામાં જોવા મળતું ફળ છે જે અનેક રોગો માટે ફાયદાકારક

Published

on

ઘણા લોકો તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર હોય છે.આજના સમયમાં કોણ સ્વસ્થ રહેવા માંગતું નથી. શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા લોકો ફળોનો આશરો લે છે. તો આપણે વિચારીશું કે શુ ફળોમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન્સ અને મ્નરલ્સ મળશે? કેટલાક એવાફળ છે જે ઋતુ અનુસાર ઉત્પન્ન થાય છે અને ફળમાં હાજર ગુણધર્મો શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.ગ્રીષ્મ ઋતુમાં ઘણા ફળો જોવા મળે છે જે ખાવાથી શરીરને અંદરથી ઠંડું રાખે છે અને આ ઋતુમાં થતા રોગોથી બચાવે છે. આ તાડફળી ખાસ કરીને દરિયા કીનારાનાં પ્રદેશોમાં જોવા મળતી હોય છે. જે નારીયેળ જેવા કદનું હોય છે, પરંતુ નાનું હોય છે. તાંડવથી પારદર્શક અને સફેદ જેલી જેવી હોય છે. જે ખાવામાં સ્વાદમાં પણ મીઠી હોય છે.આ ફળ પોષક તત્વોથી ભરપૂર છે.

જે શરીરમાં થતા ડીહાઈડ્રેશન સામે રક્ષણ આપે છે. આ ફળ થી શરીરને રોગપ્રતિકારક શક્તિ મળે છે. ચલો જાણીયે તાડફળીના ફાયદા.જે સમયે તમારા શરીર પર ગરમીના પ્રકોપને લીધે ચામડીના રોગો તેમજ શરીર પર બળતરા, ખંજવાળ, ફોડલાઓ પડી જાય ત્યારે આ ફળને ઉપયોગમાં લેવામાં આવે તો સારું પરિણામ આપે છે. ચામડીની સમસ્યાઓ દૂર થઈ જશે. આ ફળ પોટેશિયમ નામના તત્વથી ભરપૂર છે. જેના પરિણામે તે શરીરને સાફ કરવામાં ઉપયોગી થાય છે.
જયારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે. શરીરમાં પાણીનો અભાવ જોવા મળે તેવા સમયે તમને આ તાડફળી ખુબ જ ઉપયોગી થશે. જે તમારા શરીરમાં પાણીના જથ્થાને બનાવી રાખે છે. આ ફળ શરીરમાં ઠંડક બનાવી રાખવામાં ખુબ જ મદદરૂૂપ થાય છે. તાડફળી પેટની સમસ્યાઓમાં પણ ખુબ જ ઉપયોગી થતું હોય છે. જે પેટની સમસ્યાઓમાં કબજીયાત અને દુખાવામાં મદદરૂૂપ થાય છે.

તાડફળી ઘણા પ્રકારના પોષકતત્વો ધરાવતું હોવાથી તે શરીરમાં બીજા ઘણા પ્રકારના રોગોમાં ઉપયોગી થતું હોય છે. જે શરીરમાંથી પાણીની સાથે ઝેરી પદાર્થને દૂર કરે છે. જે શરીરમાં થતી પાચનની સમસ્યાને દૂર કરે છે. ઘણી તકલીફોને દૂર કરવામાં આ ફળ ઉપયોગી થાય છે.આ ફળના સેવનથી પેટના ખરાબ તત્વોને દૂર થાય છે અને પેટ એકદમ સ્વસ્થ રહે છે.વિટામિનની માત્રા વધારે હોવાને કારણે આ ફળ લીવરને સાફ રાખવામાં મદદ કરે છે.શરીરમાં પાણીની કમી દૂર કરવા માટે દરરોજ એક ગ્લાસ તાડફળીનું પાણી પીવું જોઈએ.

જો કોઈ સગર્ભા સ્ત્રી હોય,તો તેને તેના ખોરાકમાં આ ફળનો સમાવેશ કરવો જ જોઈએ.સગર્ભા સ્ત્રીઓને થતી તકલીફો જેમ કે કમરમાં દુખાવો,પેટનો દુખાવો કે અન્ય કોઈ તકલીફ થતી હોય,તો આ ફળના સેવનથી તે બધી તકલીફો દૂર થાય છે.માસિક ધર્મની સમસ્યાઓ માટે ખુબ જ ઉપયોગી થાય છે. જયારે માસિકની અનિયમિત સમસ્યાઓ, કમરનો દુખાવો, ખંજવાળ આવી બધી સમસ્યાઓમાં તે લાભદાયક છે. જે શરીરની નબળાઈને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે. તાડફળીનાં ફળમાં ખુબ જ સારા એવા પ્રમાણમાં પાણી રહેલું હોય છે.સાથે તે શરીરમાં લાગતી ભૂખ પર પણ સારા એવા પ્રમાણમાં કાબુ મેળવવા માટે ઉપયોગી થાય છે. ઉનાળાના સમયમાં આપણા શરીરમાં થતી પેશાબની સમસ્યામાં પણ આ તાડફળી ખુબ જ મદદ કરતું ફળ છે.

તેમાં રહેલા કુદરતી તૈલી પદાર્થના લીધે તે શરીરમાં થતા ચહેરા પરની ખીલની સમસ્યાને દૂર કરે છે. શરીરમાં ધીરે ધીરે પેશાબ આવવો, બળતરા થવી, પેશાબનાં સમયે થતા દુખાવાની સમસ્યામાં પણ આ ફળનો લાભ રાહત આપે છે.જેથી ઉનાળાના આવી સમસ્યાનો ઈલાજમાં ઉપયોગ થતો હોવાથી આ ફળનું ખુબ જ મહત્વ ખુબ છે.
વાળની સમસ્યાને દૂર કરવામાં તેમજ વાળને લીસ્સા કરવામાં અને ચમક આપવામાં લાભદાયક છે. આમ, આ રીતે તાડ ફળી ઉનાળા ફળમાં ખુબ જ સારું એવું મહત્વ ધરાવે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
ગ્રીષ્મ ઋતુમાં તાડફળીનો ઉપયોગ કરી રોગોથી દૂર રહો.

રાષ્ટ્રીય

23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે કેન્દ્રીય બજેટ

Published

on

By

નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બજેટ સત્રની તારીખોની જાહેરાત કરતા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારની ભલામણ પર 22 જુલાઈ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી બજેટ સત્ર બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે.

ચૂંટણી પરિણામો બાદ નવી સરકારનું સંપૂર્ણ બજેટ ગૃહમાં રજૂ થવાનું છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જે 44.90 લાખ કરોડ રૂપિયા હતી. જેમાં 11.11 લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચ તરીકે રાખવામાં આવ્યા હતા. જાણકારોના મતે આ વખતે સરકારી બજેટનું કદ વધુ વધી શકે છે. વચગાળાના બજેટમાં નાણામંત્રીએ આ વર્ષે પણ મૂડી ખર્ચ માટે રાજ્યોને પચાસ વર્ષની વ્યાજમુક્ત લોન આપવાની યોજના ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ માટે કુલ 1.3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

બજેટની રજૂઆત સાથે જ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ એક મોટો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. તે દેશના પહેલા નાણામંત્રી બનશે જે સતત 7મી વખત બજેટ રજૂ કરશે. હાલમાં તેઓ ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબર છે, જેમણે સતત 6 બજેટ રજૂ કર્યા હતા. એકવાર તેણી સંસદમાં 2024નું બજેટ રજૂ કરશે, તે પછી તે મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે અને સતત 7 બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બનશે. નિર્મલા સીતારમણ મોદી સરકારના 2014 અને 2019ના બંને કાર્યકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

Continue Reading

રાષ્ટ્રીય

બિહારમાં વીજળીનો કહેર, એક જ દિવસમાં 18નાં મોત

Published

on

By

સમગ્ર દેશમાં મેઘમહેર વચ્ચે બિહારથી એક દુ:ખદ અને ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વાસ્તવમાં શુક્રવારે વીજળી પડવાથી 18 લોકોના મોત થયા હતા. વિગતો મુજબ બિહારના ભાગલપુરમાં 4 અને બેગુસરાય અને જહાનાબાદમાં 3-3 લોકોના મોત થયા છે. મધેપુરા-સહરસામાં 2-2 લોકોના મોત થયા છે. કરકટ, વૈશાલી અને છપરામાં 1-1 વ્યક્તિનું મોત થયું છે.


આ તરફ બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને અપીલ કરી છે કે, ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરોમાં કે રસ્તા પર ન રોકાય. કોઈ પાક્કા મકાનમાં રહે.


આ બધાની વચ્ચે હવામાન વિભાગે ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આકાશ હજુ પણ વાદળછાયું છે, આકાશમાં ઘેરા વાદળો દેખાઇ રહ્યા છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને ગાજવીજની પણ શક્યતા છે. હવામાન વિભાગે લોકોને આ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે.

Continue Reading

રાષ્ટ્રીય

મોબાઇલ કં.ઓ ગ્રાહકો પાસેથી 34824 કરોડ ખંખેરશે

Published

on

By


ભારતમાં અગ્રણી મોબાઈલ સેવા આપતી કંપનીઓએ રિચાર્જમાં બેફામ વધારો કર્યો છે. આ વધારાને લઈને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.

ભારતની ત્રણ મોટી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ટેરિફ રેટમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે વિપક્ષે કેન્દ્ર સરકાર અને ટીઆરએઆઇ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ પોસ્ટ કરીને કહ્યું કે, ખાનગી મોબાઈલ ઓપરેટરોને એકપક્ષીય રીતે ટેરિફ વધારવાની મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારને પ્રશ્ન કરવા જોઈએ.


સેલ ફોન રિચાર્જના ટેરિફ રેટમાં વધારાને લઈને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારને કેટલાક મોટા પ્રશ્નો પૂછ્યા છે. પાર્ટીએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી અને લખ્યું કે, જ્યારે ખાનગી મોબાઈલ ઓપરેટરોએ તેમના આર્થિક માપદંડો અલગ હોવા છતાં ટેરિફમાં 15-16 ટકાનો વધારો કર્યો ત્યારે સરકારે આંખ આડા કાન કેમ કર્યા?


પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા 109 કરોડ યુઝર્સના ગ્રાહક આધાર સાથે તેમના ટેરિફમાં સરેરાશ 15 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે સામાન્ય માણસ પર ખર્ચનો વધારાનો બોજ 34,824 કરોડ રૂૂપિયા વધી જશે.
રણદિવ સુરજેવાલાએ જણાવ્યું કે, બે બાબતો અલગ છે. પ્રથમ ટેરિફ વધારાની જાહેરાતની તારીખ સ્પષ્ટપણે ત્રણેય કંપનીઓ એકબીજા સાથે પરામર્શ કરતી હોવાનું જણાય છે. વધેલા ટેરિફની અસરકારક અમલીકરણની તારીખ સમાન છે.

સરકારને કોંગ્રેસના પાંચ પ્રશ્ર્નો

  • શું મોદી સરકારે 109 કરોડ સેલફોન વપરાશકર્તાઓ પર આશરે 35 હજાર કરોડનો બોજ લાદતા પહેલા કોઈ તપાસ કરી?
  • શું મોદી સરકારે હરાજી દ્વારા સ્પેક્ટ્રમની ખરીદી પર કોઈ અસરનો અભ્યાસ કર્યો છે?
  • શું મોદી સરકારે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પર અગાઉની છૂટની અસરનો અભ્યાસ કર્યો?
  • તે કેવી રીતે બની શકે કે તમામ સેલ ફોન કંપનીઓ તેમના ટેરિફમાં 15-20% વધારો કરે, જ્યારે તેમનું રોકાણ, ગ્રાહક આધાર વગેરે બધું જ અલગ
Continue Reading

Trending