Connect with us

ગુજરાત

જવાહર ચાવડાએ તલવાર તાણી, કાર્યાલયમાંથી ‘કમળ’ કાઢયું

Published

on

મનસુખ માંડળિયાને પણ ફેંકી ચેલેન્જ, તમારે ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી

પૂર્વ મંત્રીએ કાર્યાલયમાંથી કમળનું નિશાન હટાવતો વીડિયો પણ મુકયો, બાગી તેવરથી ભાજપમાં નવા જૂનીના એંધાણ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વ થતા જ સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરીક જુથવાદ લબકારા માંડવા લાગ્યો છે. જીતેલા નેતાઓ પોતાને નડેલા નેતાઓ સામે ખુલ્લામાં પોતાનો રોષ વ્યકત કરી રહ્યાં છે ત્યારે ધીરે ધીરે ભાજપમાં આંતરીક તિરાળો વધવા લાગી છે. ખાસ કરીને પોરબંદર લોકસભા બેઠક ઉપર ચુંટાયા બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ વંથલી ખાતેના એક કાર્યક્રમમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાનું નામ લીધા વગર “કમળનું નામ વટાવવું હોય તો કમળનું કામ કરવું જ પડે” તેવા કરેલા વિધાનના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હોય તેમ આજે પૂર્વ મંત્રી જવાહર ચાવડા ખુલીને મેદાનમાં આવી ગયા છે અને તેમણે પેાતાના કાર્યાલયમાંથી કમળ હટાવી એક વિડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.


કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને મંત્રી પદ સુધી પહોંચ્યા બાદ ટીકીટ કપાતા સાઈડમાં ધકેલાઈ ગયેલા જવાહર ચાવડાએ હવે બાગી તેવર બતાવ્યા હોય તેમ માણાવદર ખાતેના પોતાના કાર્યાલયમાંથી કમળ હટાવતાં હોય તેવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે અને સાથે સાથે પોરબંદરમાંથી ચુંટાયેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાને પણ ચેલેન્જ ફેંકતા આગામી દિવસોમાં ભાજપમાં મોટી નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જવાહર ચાવડાના તેવર જોતા હવે તે ભાજપને રામ રામ કરી ફરી કોંગ્રેસનો હાથ પકડે તેવું જણાઈ રહ્યું છે.


આજે જવાહર ચાવડાએ સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલા વિડિયોમાં કાર્યાલયમાંથી કમળનું નિશાન હટાવે છે જેમાં નિશાન પાછળથી પ્રગટાવેલ મશાલ સાથે ઉભેલા યુવાનનું ચિત્ર દેખાઈ છે. ત્યારબાદ જવાહર ચાવડા વિડિયોમાં મશાલ વાળા ચિત્ર તરફ આંગળી બતાવી જણાવે છે કે મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય મારી ઓળખ આ હતી. 10 વર્ષ દરમ્યાન માણાવદર વંથલીના ખેડૂતોના બિયારણ-ખાતર, ધોવાણના હોય, પાક વિમાના પ્રશ્ર્નો હોય ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ર્ન અમારા વિસ્તારમાં હતો તે ડાર્ક ઝોનનો પ્રશ્ર્ન હતો તે માટે મે ત્રણ વર્ષ આંદોલન ચલાવ્યું હતું તે જ રીતે જૂનાગઢ માટે રૂા.600 કરોડ પાછા લેવાનુું અભિયાન, જૂનાગઢ જિલ્લામાં લોકશાહીનું અભિયાન ચલાવવા સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે બીપીએલ માટેનું અભિયાન ચલાવ્યું છે. આ ઉપરાંત પાંચ થી છ જિલ્લામાં 21 તાલુકામાં આ અભિયાન ચલાવ્યું હતું અને 75000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ અપાવ્યા હતાં. આ મારું કામ છે. આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી હતી. વધુમાં જવાહર ચાવડાએ વિડિયોમાં મનસુખ માંડવીયાને ચેલેન્જ ફેંકતા જણાવ્યું કે, એટલી હિંમત કે તાકાત તમારા હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો જવાહર ચાવડા આમ જવાહર ચાવડાએ સોશ્યલ મીડિયામાં પોતાનો વિડિયો વાયરલ કરી મોટો ખળભળાટ મચાવી દીધો છે. આગામી દિવસોમાં જવાહર ચાવડા કેવો અભિગમ અપનાવે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.

ઉલ્લેખનીય છે કે 2017 વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો પાલ્વ પકડયો હતો અને ધારાસભાની ચૂંટણી જીત્યા બાદ મંત્રી પણ બન્યા હતાં પરંતુ વિજયભાઈ રૂપાણીની આખી સરકારને ઘર ભેગી કરવામાં આવતાં જવાહર ચાવડા પણ ઘર ભેગા થયા હતાં અને છેલ્લે 2022 ડિસેમ્બરમાં યોજાયેલ ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં અરવિંદ લાડાણી સામે ચૂંટણી હારી ગયા હતાં ત્યારબાદ તાજેતરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય લાડાણી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતાં ભાજપે જવાહર ચાવડાને કાપી લાડાણીને માણાવદર ધારાસભાની પેટા ચૂંટણીમાં ટીકીટ આપી દીધી હતી. જેના કારણે જવાહર ચાવડા ભારે નારાજ જણાતા હતાં. ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાના પુત્રએ ભાજપ વિરોધી ખુલ્લે આમ પ્રચાર કર્યાનું પણ અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો હતો ત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો હતો. છેલ્લે લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ વંથલી ખાતેના કાર્યક્રમમાં જવાહર ચાવડાનું નામ લીધા વગર તેની ઉપર નિશાન સાધતા હવે જવાહર ચાવડાએ વળતો પ્રહાર કર્યો છે અને બાગી તેવર બતાવ્યા છે. આગામી દિવસોમાં મોટી નવા જુની થવાનું નિશ્ર્ચિત મનાય છે.

ગુજરાત

સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીનો આપઘાત

Published

on

By

ગઈકાલે કેદી પાર્ટીને ચકમો આપી ભાગી ગયેલા પાકા કામના કેદીએ લાલપરી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું, ભરણપોષણના ગુનામાં પડી હતી સજા


રાજકોટ જિલ્લા જેલમાં ભરણપોષણના કેસમાં સજા ભોગવતા પાકા કામના કેદીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ ગઈકાલે જાપ્તા પાર્ટીને ચકમો આપી કેદી ફરાર થઈ ગયો હતો ત્યારે આજે સવારે લાલપરી ડેમમાંથી ફરાર કેદીની લાશ મળી આવી હતી. પાકા કામના કેદીએ ફરાર થયા બાદ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જુના જકાત નાકા પાસે ચામડીયાપરામાં રહેતા અબ્દુલ બાબુભાઈ કારવા (ઉ.45) નામના પાકા કામના કેદીની રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપી રહ્યો હતો. દરમિયાન તેની તબીયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સિવિલના ઈમરજન્સી વોર્ડ નં.2માં દાખલ કરાયો હતો. જ્યાં તેની ઉપર પોલીસ જાપ્તો ગોઠવાયો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે આઠ વાગ્યાના અરસામાં તેને બાથરૂમ જવાનુ કહેતા પોલીસ જાપ્તાના પોલીસમેન પ્રતિપાલસિંહ ચુડાસમા તેને બાથરૂમ પાસે લઈ ગયા હતાં. કેદી અબ્દુલ ભાથરૂમમાં ગયા બાદ ઘણો સમય થવા છતાં બહાર ન નીકળતાં પોલીસ જાપ્તા કર્મચારી અંદર જોવા જતાં કેદી અબ્દુલ તેને ધક્કો મારી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો. પરંતુ તેને પકડવામાં સફળતા મળી ન હતી. આ અંગે પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં પોલીસે ફરાર કેદી વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.


દરમિયાન આજે સવારે લાલપરી ડેમમાં મંછાનગરના ઓવરફલો પાસે અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની સ્થાનિક લોકોએ જાણ કરતાં બેડીપરા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને રસ્સા વડે બહાર કાઢી બી-ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયેલા અબ્દુલના ભાઈએ દોડી આવી મળી આવેલી લાશ તેના ભાઈ અબ્દુલની જ હોવાનું જણાવતાં તેની ઓળખ મળી હતી. આ અંગે બી-ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક અબ્દુલના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


પ્રાથમિક તપાસમાં મૃતક અબ્દુલ બે ભાઈ ત્રણ બહેનમાં ત્રીજો નંબર હોવાનું અને રીક્ષા ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. તેના લગ્ન 2012માં મુમતાઝબેન વલીભાઈ લાખાણી સાથે થયા હતાં. વર્ષ 2014માં પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો હતો. જેમાં તેને 1355 દિવસની સજા પડી હતી. શરૂઆતમાં તે જૂનાગઢ જેલમાં બંધ હતો. દરમિયાન એક મહિના પહેલા તેને રાજકોટ જિલ્લા જેલમાં ખસેડાયો હતો. દરમિયાન તા.26ના રોજ તેને છાતીમાં દુ:ખાવો થતો હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં દાખલ કરાયા બાદ ગઈકાલે પોલીસ જાપ્તાને ચકમો આપી ફરાર થઈ ગયા બાદ લાલપરી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું ખુલવા પામ્યું છે. આ બનાવથી મૃતક કેદીના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

રાજકોટમાં સવારથી મેઘરાજા મંડાયા, સચરાચર વરસાદ

Published

on

By

સવારથી છૂટો છવાયો એક ઈંચ પડ્યા બાદ બપોરે ત્રણ વાગ્યાથી ભારે જમાવટ કરી, ઠેર ઠેર રસ્તાઓ ઉપર પાણી ભરાયાં

રાજકોટ શહેરમાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ત્યારે જ મેઘરાજાએ ખમૈયા કરતા સવારથી સચરાચર વરસાદ વરસવાનો શરૂ થયો છે. કાળાડીબાંગ વાદળો રાજકોટ ઉપર છવાઈ ગયા બાદ બપોર થતાં જ મુશળધાર વરસાદ તુટી પડ્યો હતો. જે બપોર સુધીમાં એક ઈંચથી વધુ પાણી વરસ્યાનું ફાયર વિભાગમાંથી જાણવા મળેલ છે. આજે સેન્ટ્રલઝોનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. આ લખાય છે ત્યારે પણ વરસાદ અનરાધાર ચાલુ હોય મોસમનો કુલ વરસાદ 4॥ ઈંચને પાર થઈ ગયો છે.


રાજકોટમાં સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું હતું. સુર્યનારાયણે દર્શન ન દેતા આજે વરસાદ તુટી પડશે તેવું શહેરીજનો કહી રહ્યા હતા. ત્યારે જ સવારે 10 વાગ્યાબાદ કાળાડીબીંગ વાદળોથી આકાશ છવાઈ જતાં પ્રથમ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેબપોરે એક વાગ્યા બાદ ધોધમાર વરસાદ તુટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બપોરે અઢી વાગ્યા સુધીમાં સેન્ટ્રલઝોનમાં 21 મીમી, કુલ વરસાદ 109 મીમી તથા વેસ્ટઝોનમાં 12 મીમી કુલ વરસાદ 98 મીમી અને ઈસ્ટઝોનમાં 23 મીમી સાથે સિઝનનો કુલ વરસાદ 110 મીમી વરસી ગયો હતો. જેના લીધે અત્યાર સુધીમાં 4॥ ઈંચથી વધુ વરસાદ શહેરમાં વરસી ગયો છે.


શહેરમાં આજે સવારથી વરસાદ શરૂ થતાં શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો હતો. બપોરે ભારે વરસાદમાં લોકો ન્હાવા માટે રોડ ઉપર નિકળી પડ્યા હતાં. જેની સામે ભારે વરસાદના પગલે રોડ-રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા હતા. જ્યારે અંડરબ્રીજમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી આગાહીના પગલે વરસાદની રાહ જોઈ રહેલા શહેરીજનોને બપોરે ભારે વરસાદ શરૂ થતાં રાહતનો શ્ર્વાસલીધો હતો. અને ગરમી માથી છુટકારો મળતા વરસાદી પાણીમાં ન્હાવા માટે બાળકોથી લઈને મોટેરાઓ નિકળી ગયા હતાં. આ લખાય છે ત્યારે બપોરે 3 વાગ્યે પણ શહેર ઉપર કાળાડીબાંગ વાદળો છવાયેલા હોય સાંજ સુધીમાં વધુ વરસાદ તુટીપડવાની સંભાવના જોવાઈ રહી છે. જેની સામે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરેલ હોય વધુ વરસાદ વરસે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.

આજી-2 ડેમ એલર્ટ પર : હેઠવાસના લોકોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ જિલ્લાના આજી-2 સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમ 90% ભરાયેલ હોઈ ડેમ પૂર્ણ ભરાતા રૂૂલ લેવલ સપાટી જાળવવા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે. આથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા,બાઘી, દહીંસરડા, ડુંગરકા,ગધાડા, હરીપર,ખંઢેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદારશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.

Continue Reading

ગુજરાત

નીટના ગોટાળામાં વર્તમાન સરકારની ગજબની ભૂમિકા: શક્તિસિંહ

Published

on

By

પરીક્ષા કેન્દ્ર સંચાલક સામે હાઈકોર્ટમાં ફરિયાદ છતા સરકાર ન જાણતી હોવાનો કરે છે ડોળ

સુપ્રિમ કોર્ટને ગેરમાર્ગે દોરનાર સરકાર સામે ક્ધટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ અન્યયે કાર્યવાહી કરો

નિટની પરીક્ષા પેપરલીક મામલે દેશભરમાં મૌકુફ રાખીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી ખુદ સરકારે જ બગાડી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો છે.આજે પત્રકારોને વિગતો આપતા અને વર્તમાન કેન્દ્ર-રાજ્ય સરકારને આડે હાથ લઇ આક્ષેપો કરતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, નીટની 5મી મેએ યોજાનાર પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાના 1લી મેના સીસી ફૂટેજ મળ્યા છે.


જય જલારામ એજ્યુકેશન નામના પરીક્ષા કેન્દ્રના સંચાલકો સામે હાઇકોર્ટમાં ફરિયાદ કરાઇ છે. હાઇકોર્ટે લાખે રૂપિયાનો દંડ ફટકાર્યો છે. છતા નીટની પરીક્ષામાં કોઇ ગોટાળો ન થયો હોવાનું વર્તમાન સરકારનું સુપ્રિમ કોર્ટ સમક્ષનું નિવેદન નર્યુ જૂઠ છે. સરકાર સામે ક્ધટેમ્પ્ટ ધી કોર્ટ અંતર્ગત પગલા ભરવા જરૂરી છે.ગોહિલે વધુ આક્ષેપ કરતા કહ્યું કે, ખુદ જિલ્લા પોલીસ વડાએ એફઆઇઆર કરીને આરોપીઓ વિરૂદ્ધ પેપર ફોડાયુ હોવાના પુરાવાઓ એકત્ર કરાયા છે. છતા કોર્ટ સમક્ષ જુઠાણું ચલાવનાર કોઇપણ કસુરવારને છોડવા ન જોઇએ. નીટ સહિત બીજી અગત્યની યુપીએસસી, ગુજસેટ, ગુજકેટ, જેવી બીજી કેટલી પરીક્ષાના કેન્દ્ર તરીકે જય જલારામ એજ્યુકેશન સેન્ટર તરીકે નિયુક્ત કરાયું છે. તે બાબતે વડાપ્રધાન, શિક્ષણમંત્રીએ દેશની પ્રજા સામે વિગતો જાહેર કરવી જોઇએ.


જય જલારામ એજ્યુકેશન સેન્ટરે ભાજપને ફંડમાં કરેલા રૂપિયા આપ્યા છે? આ કેન્દ્રના સંચાલકોને કેમ બચાવવામાં આવે છે? વિગેરે મામલે સરકારે સ્પષ્ટતા કરી કસુરવારોને ક્ડક સજા આપવા શક્તિસિંહ ગોહિલે માંગ કરી હતી.

NEET પરીક્ષા ગેરરીતિ મામલે જલારામ સ્કૂલના આચાર્યની ધરપકડ

ગોધરા બહુચર્ચિત NEETપરીક્ષામાં ગેરરીતિ મામલે ઈઇઈં તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જય જલારામ સ્કૂલના પ્રિન્સીપાલ પુરૂૂષોત્તમ શર્માએ જ NEETની પરીક્ષા માટે જય જલારામ સ્કૂલની ભલામણ કરી હોવાનું બહાર આવ્યું છે. ગઝઅ દ્વારા NEETની પરીક્ષાને લઇને 3 કોલેજ અને એક સ્કૂલની મંજૂરી માંગવામાં આવી હતી. NEETપરીક્ષા માટે નિયુક્ત સીટી કો ઓર્ડિનેટર તરીકે નિમાયેલા પુરૂૂષોત્તમ શર્મા પાસે અભિપ્રાય માંગતા તમામ સેન્ટરો દૂર પડશે તેવી ત્રુટી બતાવી હતી. NEETપરીક્ષા કૌભાંડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા પુરૂૂષોત્તમ શર્માની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. CBIની તપાસમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે. મહત્ત્વપૂર્ણ છે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રરન્સ ટેસ્ટ અથવા NEET UG2024નું આયોજન 5 મેએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે 24 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. NEET UGનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું જે બાદ ગુજરાત-બિહાર સહિત કેટલાક રાજ્યમાં ગેરરીતિ અને પ્રશ્નપત્ર લીક થવાના આરોપ લાગ્યા હતા.

Continue Reading

Trending