Connect with us

Sports

મહિલા એશિયા કપમાં 19 જુલાઇએ ભારત-પાકિસ્તાનનો મુકાબલો

Published

on

ટૂર્નામેન્ટમાં આઠ ટીમો, ચાર ગ્રુપમાં વહેંચણી, ACCની જાહેરાત

એશિયન ક્રિકેટ કાઉન્સિલએ મહિલા એશિયા કપના શિડ્યૂલમાં ફેરફાર કર્યો છે. આ ટુર્નામેન્ટ 19મી જુલાઈથી શરૂૂ થશે અને 28મી જુલાઈ સુધી ચાલશે. ભારતીય ટીમ પહેલા તેની મેચ 19મી જુલાઈએ ઞઅઊ સામે રમવાની હતી, પરંતુ શિડ્યૂલમાં ફેરફારને કારણે હવે ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે થશે, જે 19મી જુલાઈએ રમવાની છે.


આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે, જેને ચાર ટીમોના 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ અની વાત કરીએ તો ભારતની સાથે નેપાળ અને ઞઅઊને રાખવામાં આવ્યા છે.મહિલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 12 વખત આમને-સામને આવ્યા છે, જેમાંથી ટીમ ઈન્ડિયા 11 વખત વિજયી બની છે. પાકિસ્તાન ટીમની એકમાત્ર જીત 2022 એશિયા કપમાં થઈ હતી, જ્યાં ભારતને ગ્રુપ સ્ટેજમાં 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાનને હરાવીને એશિયા કપમાં તેની 12મી જીત નોંધાવવા માંગશે. બંને કટ્ટર હરીફો 2012 અને 2016 એશિયા કપની ફાઇનલમાં પણ સામસામે આવી ચૂક્યા છે અને બંને પ્રસંગોએ ભારતે વિજય મેળવ્યો હતો અને ટ્રોફી જીતી હતી.


ભારતને ગ્રુપ અમાં રાખવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન, નેપાળ અને ઞઅઊ પણ સામેલ છે. ટીમ ઈન્ડિયા તેના અભિયાનની શરૂૂઆત 19 જુલાઈએ પાકિસ્તાન સામેની મેચથી કરશે, જ્યારે 21 જુલાઈએ ટીમ ઞઅઊ સામે ટકરાશે. ગ્રુપ સ્ટેજમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ તેની છેલ્લી મેચ નેપાળ સામે રમશે. મહિલા એશિયા કપની શરૂૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી, ત્યારબાદ આ ટૂર્નામેન્ટ કુલ 8 વખત રમાઈ છે. એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે કે ભારત હંમેશા મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં અત્યાર સુધીમાં 8 ફાઈનલ રમી છે જેમાંથી તેણે 7 વખત એશિયાની સર્વશ્રેષ્ઠ ટીમ કહેવાનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ભારતનો એકમાત્ર પરાજય 2018માં બાંગ્લાદેશ સામે થયો હતો.

Sports

જયસ્વાલ, ગિલ, અભિષેક, રાહુલ, ગાયકવાડ, કોણ બનશે ભારતનો ઓપનર બેટર

Published

on

By


રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. એક તરફ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ, પરંતુ થોડા સમય પછી રોહિત શર્માએ પણ ઈન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તેની ગેરહાજરીમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા કોણ ભજવશે ? રોહિતે ઓપનર તરીકે ભારત માટે 124 મેચોમાં 3,750 રન બનાવ્યા છે, તેથી તેની જગ્યા લેવી કોઈ પણ ખેલાડી માટે આસાન કામ નહીં હોય.

યશસ્વી જયસ્વાલને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. માત્ર એક વર્ષમાં તેણે ભારત માટે 17 ટી20 મેચમાં 502 રન બનાવીને પોતાની છાપ છોડી દીધી છે. તેણે એક સદી અને 4 અર્ધસદી પણ ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 162ની આસપાસ છે. જયસ્વાલે ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકામાં રમીને સારો દેખાવ કર્યો છે. તે રોહિત શર્માની જેમ ઝડપી રન બનાવવામાં સક્ષમ છે.


2019માં ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ શુભમન ગિલ વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. 2023 ઓડીઆઇ ક્રિકેટ વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા તેણે 9 મેચમાં 354 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટના ગિલ પરના વિશ્વાસનું પરિણામ છે કે તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાં 5 ટી20 મેચોની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ 5 મેચમાં પોતાના પ્રદર્શનના આધારે તે ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.


અભિષેક શર્મા હંમેશા ઝડપી ઈનિંગ્સ રમ્યો છે. પરંતુ તેણે ઈંઙક 2024માં તેના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારો પર ઊંડી છાપ છોડી છે. અભિષેકે આ સિઝનમાં 16 મેચમાં 204ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે. અભિષેકની બેટિંગ સ્ટાઈલ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સ્થિતિમાં પણ ઝડપી શરૂૂઆત કરવામાં મદદરૂૂપ થઈ શકે છે.


કે.એલ.રાહુલે ભારત માટે તેની છેલ્લી ટી20 મેચ ટી20 વર્લ્ડ કપ 2022 ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જો કે તે પછી પસંદગીકારોએ તેને ટૂંકા ફોર્મેટમાં તક આપી નથી, પરંતુ અનુભવના આધારે તેને રોહિત શર્માની જગ્યા આપવામાં આવી શકે છે. રાહુલે ભારત માટે 54 ટી20 મેચમાં ઓપનિંગ કરતા 1,826 રન બનાવ્યા છે. રાહુલના આવવાથી ટીમ ઈન્ડિયાને રોહિત જેવો અનુભવી બેટ્સમેન ટોપ ઓર્ડરમાં મળી શકે છે.


જો કે રુતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં વધુ તક મળી નથી, પરંતુ આઈપીએલની છેલ્લી બે સીઝનમાં તેણે ઈજઊં માટે 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે ઈંઙક 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 19 ઝ20 મેચોમાં 500 રન બનાવીને બતાવ્યું છે કે તે એક વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન છે.

Continue Reading

Sports

વિરાટ કોહલી, રોહિત, જાડેજા ગરિમાપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે

Published

on

By

ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે જાડેજા પણ આ બંને ક્રિકેટરો સાથે જોડાઈ ગયો અને તેણે પણ ઈન્ટરનેશનલ ટી 20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ત્રણ ધુરંધરો પૈકી સૌથી પહેલાં વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ વિરાટ કોહલીએ પ્રેઝન્ટેશન વખતે એલાન કરી દીધું કે, આ મારો છેલ્લો ટી 20 વર્લ્ડ કપ હતો અને ભારત માટે પણ આ મારી છેલ્લી ટી 20 મેચ હતી. વિરાટની જાહેરાતના એકાદ કલાક પછી કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. પ્રેઝન્ટેશન સેરેમની પતી પછી રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ છે અને ઈન્ટરનેશનલ ટી 20 ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આ બંને દિગ્ગજોની જાહેરાત પછી બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ પણ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ત્રણેયે એક સાથે નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને નાન઼કું સરપ્રાઈઝ આપી દીધું છે એમ કહી શકાય કેમ કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં લોકો ઝડપથી ખસતા જ નથી.

તેના જોરે બીજા ચાર-છ મહિના આરામથી ખેંચી શકે તેમ છે પણ એવું કરવાના બદલે તેમણે ગૌરવભેર ખસી જવાનું નક્કી કરીને ખરેખર બહુ શાણપણ બતાવ્યું છે. કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી નિવૃત્ત થવું બહુ અઘં હોય છે ને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજાએ ત્રણેયે એ અઘરૂ કામ કરી બતાવ્યું એ બદલ તેમને સલામ મારવી જોઈએ. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેયે સમયસર અને લોકોની નજરમાં હીરો છે ત્યારે જ નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની કારકિર્દીને વધારે યશસ્વી બનાવી દીધી છે એમ કહી શકાય. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા એ ત્રણેય ક્રિકેટરો છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે બોજ બનતા જાય છે એવી ટીકા થતી હતી. રોહિત અસાતત્યપૂર્ણ બેટિગ કરે છે જ્યારે વિરાટ ટી 20 માટે જરૂરી ઝડપે રમી શકતો નથી એવી ટીકાઓ થતી. જાડેજા મેચ વિનર બોલર કે બેટ્સમેન નથી એવું કહેવાતું. જાડેજાના વિકલ્પરૂપે અક્ષર પટેલ તૈયાર છે જ્યારે રોહિત અને વિરાટના વિકલ્પ તરીકે તો બહુ બધા બેટ્સમેન છે તેથી તેમની ખોટ નહીં સાલે પણ વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેય ગૌરવપૂર્ણ રીતે નિવૃત્તિ લેનારા ક્રિકેટરો તરીકે હંમેશાં યાદ રહેશે.

Continue Reading

Sports

ટીમ ઇન્ડિયાને ચાર્ટર્ડ પ્લેનમાં યુરોપ અથવા અમેરિકા લઇ જવાશે

Published

on

By


ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં છે. વાસ્તવમાં, બાર્બાડોસમાં તોફાન છે અને તેના કારણે ટીમ ઈન્ડિયાના દરેક સભ્ય હજુ પણ ત્યાં અટવાયેલા છે. બાર્બાડોસમાં ચક્રવાતી તોફાનના કારણે વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે અને એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. એરપોર્ટ ક્યારે ખુલશે તે હજુ સુધી કોઈને ખબર નથી. જોકે, વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીસીઆઇએ પોતાના સભ્યોને બહાર કરવાની યોજના બનાવી છે.


બીસીસીઆઈના સચિવ જય શાહે મીડિયાને જણાવ્યું કે તેઓ ખેલાડીઓ અને ભારતીય મીડિયાકર્મીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના બનાવી રહ્યા છે. જય શાહે માહિતી આપી હતી કે બીસીસીસીઆઇ સોમવારે ચાર્ટર્ડ પ્લેનમાં બાર્બાડોસ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ એરપોર્ટ બંધ થવાને કારણે આ વિકલ્પ ખોવાઈ ગયો હતો. જય શાહે માહિતી આપી હતી કે બોર્ડ ચાર્ટર્ડ એરક્રાફ્ટ ચલાવતી કંપનીઓના સંપર્કમાં છે, બાર્બાડોસ એરપોર્ટ ખુલતાની સાથે જ ટીમ અમેરિકા અથવા યુરોપ જશે.


ટીમ ઈન્ડિયા માટે મંગળવારે પણ બાર્બાડોસ છોડવું મુશ્કેલ છે કારણ કે ત્યાં હજુ પણ તોફાનની સ્થિતિ યથાવત છે. જય શાહે મીડિયાને જણાવ્યું કે બીસીસીસીઆઇ એરપોર્ટ અધિકારીઓના સંપર્કમાં છે. એરપોર્ટનું સંચાલન શરૂૂ થતાં જ ટીમ ઈન્ડિયા ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા અથવા યુરોપ જશે. આ પછી ટીમ ઈન્ડિયા ત્યાંથી ભારત આવશે. જોકે, જય શાહે કહ્યું કે આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે પવનની ઝડપ ઘટશે. જય શાહે કહ્યું કે કુદરત સાથે કોઈ લડવા માંગતું નથી, તેથી રાહ જોવી વધુ સારું છે.

Continue Reading

Trending