Connect with us

ગુજરાત

હવે તો…રાજકોટ-અમદાવાદ હાઇવે પૂૂરો કરો!

Published

on

2020ના બજેટ સત્રમાં ડિસે.20ની અને ફેબ્રુ.24માં વિધાનસભામાં 31 માર્ચ 24ની ડેડલાઇનના ટપ્પા પળાયા હતા

ગતિશીલ ગુજરાતમાં 2017નું કામ 2024માં પુરું નથી થયું

રાજયમાં ઇન્ફ્રાસ્ટ્રકચર બાબતે સરકાર હંમેશા જાગૃત રહી છે અને ગુજરાતને દેશભરમાં રોડ મોડલ સ્ટેટ તરીકે ઓળખ અપાવવામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોમેન્ટનો મોટો હિસ્સો રહ્યો છે. પરંતુ સૌરાષ્ટ્રના લાખો લોકોને અમદાવાદ સાથે જોડતા રાજકોટ-અમદાવાદ હાઇવે હજી સુધી પુરો થવાનું નામ લેતો નથી. 2017ના વર્ષમાં વર્ક ઓર્ડરથી અપાયેલ કામ હજી આજની તારીખ સુધી પુરૂ થયું નથી અને છાશવારે સરકાર દ્વારા તારીખ પે તારીખ જાહેર કરીને કોન્ટ્રાકટરોને એકસટેન્શન અપાતા રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે માર્ગ અને મકાન વિભાગનો હવાલો છે ત્યારે આ મુદ્દે હજુ સુધી કોઇ અસરકારક પગલાની જાહેરાત પણ ન કરાઇ હોવાથી સૌરાષ્ટ્રના લોકોમાં વધુને વધુ રોષની લાગણી જોવા મળી રહી છે.


રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નેશનલ હાઇવે 47 અને 27 કે જે અમદાવાદ-રાજકોટ હાઇવે તરીકે પણ ઓળખાય છે તેનું એકસટેન્શન કરીને સિકસ લેન બનાવવાનું કામ 2017માં અલગ અલગ કંપનીઓને અલગ અલગ પેકેજમાં આપવામાં આવ્યું હતું. જે તે સમયે પ્રોજેકટની અંદાજીત કિંમત રૂા.2223.50 કરોડ આંકવામાં આવી હતી. આ પ્રોજેકટનું કામ 2018ના જાન્યુઆરી મહીનામાં ચાલુ કરવામાં આવ્યું હતું અને ઓરીજનલ ટેન્ડર પ્રમાણે જાન્યુઆરી 2020 સુધીમાં પ્રોજેકટનું કામ પુર્ણ કરવાનું હતું પરંતુ કોરોના સહીતના અનેકવિધ કારણોને લીધે લંબાતું રહ્યું હતું.


વર્ષ 2020ના બજેટ સત્રમાં સરકાર દ્વારા જાહેર કરાયું કે હવે આ હાઇવેનું કામ અગાઉ જાન્યુઆરી 2020ની બદલે ડિસેમ્બર 2020માં પુરૂ થઇ જશે. પરંતુ આ ફકત પહેલી વખતનો ટપ્પો હતો. હજી અનેક વખત સરકાર તારીખો લંબાવવાની હતી. બે વરસ પછી જુન 2023માં કાર્ય પુરૂ થઇ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખુદ મેદાનમાં આવીને કોરોના અને જમીન અધિગ્રહણમાં મોડુ થવાને લીધે આ પ્રોજેકટ ત્રણ વર્ષ કરતા વધુ સમય સુધી મોડું થવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે હવે આ કામ ડિસેમ્બર 2023 સુધીમાં પુરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત આ પ્રોજેકટમાં રૂા.97.81 કરોડનો વધારાનો ખર્ચ થયો હોવાની પણ મુખ્યમંત્રી દ્વારા વિધાનસભાને માહીતી અપાઇ હતી.


આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહીનામાં સરકારના મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા દ્વારા જાહેરાત કરાઇ હતી કે હાલમાં હાઇવેનું કામ 90 ટકા પુર્ણ થઇ ગયું છે અને 31 માર્ચ 2024 પહેલા આ કામ પુરૂ કરી દેવામાં આવશે. આ જાહેરાતને પણ ત્રણ મહીના પુરા થઇ જવા જઇ રહ્યા છે પરંતુ હજી સુધી આ કામ 100 ટકા પુર્ણ થયું નથી.

કોંગ્રેસ અગ્નિકાંડની માફક મુદ્ો ઉઠાવે તો મતદારોના આશીર્વાદ મળશે
રાજકોટ-અમદાવાદ સિકસલેન હાઇવેનો મુદ્દો છેલ્લા છ વર્ષથી લટકી રહ્યો છે અને અધુરા-અધકચરા કામના કારણે અનેક અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ આ મુદ્દે વિરોધપક્ષ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની પણ સંવેદના જાગતી નથી. રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો મોતને ભેટતા આ કરૂણ ઘટનામાં કોંગ્રેેસે અસરકારક આંદોલન કરીને વાહવાહી મેળવી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના વાહન ચાલકો માટે માથાના દુ:ખાવા રૂપ અને જોખમી બની ગયેલા રાજકોટ અમદાવાદ હાઇવેના મુદે પણ વિરોધ પક્ષો જનતા જનાર્દનની પડખે આવે તો ભવિષ્યમાં મતદારોના આશિર્વાદ મળે તેમ છે.

સૌરાષ્ટ્રના એક પણ ધારાસભ્યએ વિધાનસભામાં હાઇવે મુદ્દો ન ઉઠાવ્યો
સૌરાષ્ટ્રની નેતાગીરીમાં મોટી ખોટ પડી હોય તેમ લોકોના અવાજને રજુ કરવા માટેના ગૃહ વિધાન સભામાં પણ આ બાબતે કોઇ રજુઆત કરાઇ ન હતી. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કરોડો લોકો મુસાફરી કરતા હોય છે પરંતુ ધારાસભ્યોના પેટનું પાણી પણ હલ્યું નહીં. સૌરાષ્ટ્રના મોટા શહેરો રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલીમાંથી અમદાવાદ સાથે કાયમી ધોરણે લોકો આ હાઇવે પરથી પસાર થતા હોય છે. આ લોકોની વેદનાની વાચા બનવાની બદલે ધારાસભ્યોએ આપણે શું? જેવો રવૈયો અપનાવીને તમે તમારૂ જોઇ લ્યો તેવો ઘાટ સર્જાયો છે.

કયારે કયારે ટપ્પા પડ્યા…?!

  • 2017માં કામ અપાયું ત્યારે જાન્યુઆરી 2020ની ડેડલાઇન
  • જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2020
  • કોરોના આવતા જૂન 2023
  • જૂન 2023થી ડિસેમ્બર 2023
  • ડિસેમ્બર 2023 થી 31 માર્ચ 2024
  • 31 માર્ચ 2024 પછી ……. હજુ સુધી!

ગુજરાત

પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળ્યું

Published

on

By

જેલમાંથી એમ.ડી.સાગઠિયાનો કબજો લીધા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગર એસબીની ટીમનું ટ્વિન ટાવરમાં સર્ચ ઓપરેશન


રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસમાં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. આ અંગે એસીબીએ સાગઠીયાની વિશેષ પુછપરછ શરૂ કરી છે.


રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.


અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા પાંચ કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા વિરૂધ્ધ તપાસ કરી રહેલી એસીબીએ આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ છે. જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો લઈ તેને સાથે રાખી તેની જ સીલ કરાયેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ અને સોનુ મળી આવ્યું હોય તેમજ હજુ પણ તેના અન્ય બેંક લોકરો અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

સાગઠિયાની ઓફિસમાંથી થોકબંધ દસ્તાવેજો મળ્યા: કાળાકારોબારનો થશે પર્દાફાશ

સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન થોકબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટમાં અનેક નામાંકીત બિલ્ડરો સાથે આર્થિક વહીવટ કરનાર પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસરને ત્યાંથી મળેલા આ થોકબંધ દસ્તાવેજો તેના કાળાકારોબારનો પર્દાફાશ કરશે. સાગઠીયાના ભ્રષ્ટાચારની ચર્ચાઓ છડે ચોક થઈ રહી છે ત્યારે આ મામલે એસીબી તપાસ કરશે તો રાજકોટના બિલ્ડરો સાથેની તેની સાંઠગાંઠના પુરાવા એસીબીને મળી શકે છે. હાલ જેલમાંથી એસીબીએ સાગઠીયાનો કબજો લઈ તેની પુછપરછ શરૂ કરી છે ત્યારે આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

Continue Reading

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

Trending