Connect with us

ગુજરાત

જવાહર ચાવડાએ તલવાર તાણી, કાર્યાલયમાંથી ‘કમળ’ કાઢયું

Published

on

મનસુખ માંડળિયાને પણ ફેંકી ચેલેન્જ, તમારે ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી

પૂર્વ મંત્રીએ કાર્યાલયમાંથી કમળનું નિશાન હટાવતો વીડિયો પણ મુકયો, બાગી તેવરથી ભાજપમાં નવા જૂનીના એંધાણ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વ થતા જ સત્તાધારી પક્ષ ભાજપમાં આંતરીક જુથવાદ લબકારા માંડવા લાગ્યો છે. જીતેલા નેતાઓ પોતાને નડેલા નેતાઓ સામે ખુલ્લામાં પોતાનો રોષ વ્યકત કરી રહ્યાં છે ત્યારે ધીરે ધીરે ભાજપમાં આંતરીક તિરાળો વધવા લાગી છે. ખાસ કરીને પોરબંદર લોકસભા બેઠક ઉપર ચુંટાયા બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ વંથલી ખાતેના એક કાર્યક્રમમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાનું નામ લીધા વગર “કમળનું નામ વટાવવું હોય તો કમળનું કામ કરવું જ પડે” તેવા કરેલા વિધાનના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હોય તેમ આજે પૂર્વ મંત્રી જવાહર ચાવડા ખુલીને મેદાનમાં આવી ગયા છે અને તેમણે પેાતાના કાર્યાલયમાંથી કમળ હટાવી એક વિડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.


કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને મંત્રી પદ સુધી પહોંચ્યા બાદ ટીકીટ કપાતા સાઈડમાં ધકેલાઈ ગયેલા જવાહર ચાવડાએ હવે બાગી તેવર બતાવ્યા હોય તેમ માણાવદર ખાતેના પોતાના કાર્યાલયમાંથી કમળ હટાવતાં હોય તેવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છે અને સાથે સાથે પોરબંદરમાંથી ચુંટાયેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાને પણ ચેલેન્જ ફેંકતા આગામી દિવસોમાં ભાજપમાં મોટી નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જવાહર ચાવડાના તેવર જોતા હવે તે ભાજપને રામ રામ કરી ફરી કોંગ્રેસનો હાથ પકડે તેવું જણાઈ રહ્યું છે.


આજે જવાહર ચાવડાએ સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલા વિડિયોમાં કાર્યાલયમાંથી કમળનું નિશાન હટાવે છે જેમાં નિશાન પાછળથી પ્રગટાવેલ મશાલ સાથે ઉભેલા યુવાનનું ચિત્ર દેખાઈ છે. ત્યારબાદ જવાહર ચાવડા વિડિયોમાં મશાલ વાળા ચિત્ર તરફ આંગળી બતાવી જણાવે છે કે મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય મારી ઓળખ આ હતી. 10 વર્ષ દરમ્યાન માણાવદર વંથલીના ખેડૂતોના બિયારણ-ખાતર, ધોવાણના હોય, પાક વિમાના પ્રશ્ર્નો હોય ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ર્ન અમારા વિસ્તારમાં હતો તે ડાર્ક ઝોનનો પ્રશ્ર્ન હતો તે માટે મે ત્રણ વર્ષ આંદોલન ચલાવ્યું હતું તે જ રીતે જૂનાગઢ માટે રૂા.600 કરોડ પાછા લેવાનુું અભિયાન, જૂનાગઢ જિલ્લામાં લોકશાહીનું અભિયાન ચલાવવા સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે બીપીએલ માટેનું અભિયાન ચલાવ્યું છે. આ ઉપરાંત પાંચ થી છ જિલ્લામાં 21 તાલુકામાં આ અભિયાન ચલાવ્યું હતું અને 75000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ અપાવ્યા હતાં. આ મારું કામ છે. આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી હતી. વધુમાં જવાહર ચાવડાએ વિડિયોમાં મનસુખ માંડવીયાને ચેલેન્જ ફેંકતા જણાવ્યું કે, એટલી હિંમત કે તાકાત તમારા હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો જવાહર ચાવડા આમ જવાહર ચાવડાએ સોશ્યલ મીડિયામાં પોતાનો વિડિયો વાયરલ કરી મોટો ખળભળાટ મચાવી દીધો છે. આગામી દિવસોમાં જવાહર ચાવડા કેવો અભિગમ અપનાવે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.

ઉલ્લેખનીય છે કે 2017 વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો પાલ્વ પકડયો હતો અને ધારાસભાની ચૂંટણી જીત્યા બાદ મંત્રી પણ બન્યા હતાં પરંતુ વિજયભાઈ રૂપાણીની આખી સરકારને ઘર ભેગી કરવામાં આવતાં જવાહર ચાવડા પણ ઘર ભેગા થયા હતાં અને છેલ્લે 2022 ડિસેમ્બરમાં યોજાયેલ ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં અરવિંદ લાડાણી સામે ચૂંટણી હારી ગયા હતાં ત્યારબાદ તાજેતરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય લાડાણી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતાં ભાજપે જવાહર ચાવડાને કાપી લાડાણીને માણાવદર ધારાસભાની પેટા ચૂંટણીમાં ટીકીટ આપી દીધી હતી. જેના કારણે જવાહર ચાવડા ભારે નારાજ જણાતા હતાં. ચૂંટણી દરમિયાન જવાહર ચાવડાના પુત્રએ ભાજપ વિરોધી ખુલ્લે આમ પ્રચાર કર્યાનું પણ અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો હતો ત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો હતો. છેલ્લે લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ વંથલી ખાતેના કાર્યક્રમમાં જવાહર ચાવડાનું નામ લીધા વગર તેની ઉપર નિશાન સાધતા હવે જવાહર ચાવડાએ વળતો પ્રહાર કર્યો છે અને બાગી તેવર બતાવ્યા છે. આગામી દિવસોમાં મોટી નવા જુની થવાનું નિશ્ર્ચિત મનાય છે.

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

લીમડાલેન વિસ્તારમાં વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો: વીજપુરવઠો ખોરવાયો

Published

on

By

તંત્રએ તાત્કાલિક વીજપુરવઠો પૂર્વવત કરતા પ્રજાને રાહત


જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં કોંગ્રેસ ભુવનપાસે આવેલા ટ્રાન્સફોર્મર અને વીજ કેબલમાં આજે એકાએક સ્પાર્ક થયા પછી ભારે તણખા જર્યા હતા, અને ટ્રાન્સફોર્મર તેમજ કેબલ બળી જતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજતંત્રની ટુકડીએ વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મર તેમજ કેબલ વગેરે બદલીને યુદ્ધના ધોરણે કામગીરી પાર પાડી હતી, અને વીજ પુરવઠો રાબેતા મુજબ બનાવ્યો છે.

જામનગર ના લીમડા લાઈન વિસ્તાર માં કોંગ્રેસ ભવન ની બાજુમાં આવેલ 200 કેવી ટ્રાન્સફોર્મરસાથે જોડાયેલો 150 એમ.એમ.નો કેબલ વરસાદમાં ઇનસ્યુલેશન ડેમેજ થતાં બળી ગયો હતો, અને સ્પાર્ક સાથે ધડાકા થયા હતા.જ્યાં તાત્કાલિક અસરથી પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન વિભાગની ટીમ દ્વારા કેબલ બદલાવવાની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી કરવાની જરૂૂરિયાત ઊભી થઇ હોવાથી સલામતીના સાધનો અને સલામત કાર્યપદ્ધતિ સાથે ટેકનીકલ ટીમ તથા જુનિયર ઇજનેર ની હાજરીમાં સ્થળ પર આ ટ્રાન્સફોર્મર યુદ્ધના ધોરણે ટ્રાફિક વાળા વિસ્તારમાં ચાલુ વરસાદ દરમ્યાન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો તૂરતજ રાબેતા મુજબ બનાવી દેવાયો હતો.

Continue Reading

Trending