Connect with us

રાષ્ટ્રીય

વિજ્ઞાન અને આધ્યાત્મના સંગમરૂપ હવન પર અદ્ભુત રિસર્ચ

Published

on

અજમેરના ડો. વિજયલતા રસ્તોગીએ ‘સ્ટડી ઓન એન્ટિ બેક્ટેરિયલ ઈફેક્ટ એન્ડ કેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ હવન સ્મોક’ વિષય પર કર્યું છે રિસર્ચ

નાનકડા પાત્રમાં છાણાનો ટુકડો, કપૂર, અજમા ,જવ, ઘી વગેરેથી ફક્ત દસ મિનિટ આહુતિ આપવામાં આવે તો પણ ઘરનું વાતાવરણ દિવ્ય અનુભવાય: ડો.વિજયલતા રસ્તોગી

‘મેડિકલ ફિલ્ડમાં હોવા છતાં હર હંમેશ વિચાર આવતો કે વિજ્ઞાનથી પણ આગળ કંઈક છે. બાળપણથી જ વનસ્પતિ,વૃક્ષો,ફૂલો વગેરેમાં રસ હતો.બ્રાહ્મણ પરિવારમાં જન્મ હોવાથી પૂજા, પાઠ અને હવન નજર સમક્ષ જોયા હતા અને અનુભવ્યા હતા.2011ની સાલમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન સાસુ સાથે હવન કરતી વખતે જળના છંટકાવ સમયે જે પરમાણુઓ ઉત્પન્ન થાય છે તેની શું અસર થતી હશે તેવો વિચાર આવ્યો.શા માટે આવો વિચાર આવ્યો તે ખબર નથી પરંતુ આ વિષયમાં કંઈક કરવું જોઈએ કેવી લાગણી અંદરથી થવા લાગી. એ દરમિયાન કુદરતી હવનના રિસર્ચ માટે સંજોગો ઊભા થયા અને એક પછી એક ન ધારી હોય તેવી ઘટના બનતા હવન અંગેના રિસર્ચ પર કામ શરૂ થયું.’ આ શબ્દો છે અજમેર મેડિકલ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. વિજયલતા રસ્તોગીના. જેમણે ‘સ્ટડી ઓન એન્ટિ બેક્ટેરિયલ ઈફેક્ટ એન્ડ કેમિકલ કેરેક્ટરાઇઝેશન ઓફ હવન સ્મોક’ એ વિષય પર રિસર્ચ કર્યું છે. હવન વિશે મેડિકલ ફિલ્ડમાંથી રિસર્ચ કરનાર તેઓ પ્રથમ છે.


તામિલનાડુના ત્રીચીમાં જન્મ અને ચેન્નઈમાં અભ્યાસ કર્યો.ધોરણ 10 બાદ અજમેર આવવાનું થયું. એમબીબીએસ કર્યા બાદ લગ્ન થયા. લગ્ન બાદ અનેક બદલાવ આવ્યા પરંતુ અંદર કંઈક ને કંઈક ચાલતું હોવાનું અનુભવ્યું. એક દીકરા અને દીકરીનો જન્મ થયો. મેડિકલ ફિલ્ડમાં કામગીરી ચાલુ જ હતી એ દરમિયાન આર્ય સમાજમાંથી એક સંન્યાસીને હવનના રિસર્ચ માટે મદદ કરવાનો પ્રસ્તાવ આવે છે જે તેઓ સહર્ષ સ્વીકારી લે છે આ બાબત તેઓ જણાવે છે કે, આ માટેના પ્લાન લખતી વખતે કોઈ લખાવતું હોય તેવો અનુભવ થયો. આ બધું એટલું જલદી થયું કે કોઈ અજ્ઞાત શક્તિ આ બધું કરાવી રહી હોય એવું લાગ્યું. શરૂઆત તો થઈ ગઈ પરંતુ લોકોને સમજાવવું અઘરું હતું કારણ કે હવન ધાર્મિક, આધ્યાત્મિક બાબત છે આમ છતાં હું તે કરવા મક્કમ હતી. રિસર્ચ વર્ક દરમિયાન હવન સામગ્રીના ઉપયોગ વિશે સ્વામીજીએ સમજાવ્યું આ ઉપરાંત બેક્ટેરિયા પર હવનના પરમાણુનો પ્રભાવ એ વિશે પણ અનેક ચર્ચા વિચારણા કરી એ સમયે પ્રયોગ પરથી સમજાયું કે હવનના કારણે નુકસાનકારક બેક્ટેરિયાની સંખ્યામાં અનેક ગણો ઘટાડો થાય છે. સામાન્ય રીતે મનુષ્યના શરીરનું સંતુલન બગડે છે ત્યારે બહારથી બેક્ટેરિયાનો હુમલો થાય છે જે બીમારી ઊભી કરે છે. જુદા-જુદા બેક્ટેરિયા શરીરમાં બીમારીને ફેલાવે છે. હવનમાંથી જે ધુમાડો નીકળે છે તે આ બીમારીમાં અનેક રીતે ફાયદાકારક હોય છે અને આ બાબત તેઓએ આયુષ મંત્રાલયને પણ પ્રપોઝલ મોકલી હતી. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડો. વિશ્વ મોહન કટોતચેને આ વિષય ગમ્યો તેઓએ આ બાબત માર્ગદર્શન આપ્યું અને મદદ પણ કરી.’


રિસર્ચની વાત કરતા તેણીએ જણાવ્યું કે, ‘રિસર્ચ માટે રાજસ્થાન ગવર્મેન્ટ દ્વારા 35થી 40 લાખ રૂપિયાનું ફંડ મળ્યું . આ રિસર્ચમાં કોપરવાળો હવન કુંડ તથા બીજી ચેમ્બર સ્મોક માટેની બનાવી બે વર્ષ સુધી સતત કામગીરી કરવામાં આવી હવનના ધુમાડાના સેમ્પલ લેવામાં આવ્યા તેને ટેસ્ટિંગ કરવામાં આવ્યું તેમાંથી વોટર એબસ્ટ્રેક, ઈથેનોલ એબસ્ટ્રેક વગેરે કાઢી 10 જુદા-જુદા બેક્ટેરિયા પર પ્રયોગ કર્યા જેમાં બેક્ટેરિયાની સંખ્યામાં 90%થી પણ વધારે ઘટાડો મળ્યો. ટીબી જેવી બીમારી પર પણ તેની ખૂબ સારી અસર થઈ છે. 2015માં તેમણે તેમના રીસર્ચની પેટન્ટ પણ લઇ લીધી છે. કારણ કે આ આપણા ઋષિમુનિઓની પરંપરા આપણી પાસે રહેવી જોઈએ.’

સમર્પણ ધ્યાન સંસ્કારમાં ચિત્તશુદ્ધિ માટે હવન થાય છે
પોતાની આધ્યાત્મિક યાત્રા બાબત જણાવ્યું કે, ‘હું 2008થી સમર્પણ ધ્યાન સંસ્કાર સાથે જોડાયેલી છું.સમર્પણ અને તેના પ્રણેતા પૂ.શ્રી શિવકૃપાનંદજી સાથે કંઈક પ્રારબ્ધ લખાયેલું છે. તેમની કૃપાથી અનેક પ્રકારની અનુભૂતિઓ થઈ છે. જે વિચાર આવે તે તરત જ થવા લાગે તેનો અનુભવ પણ કર્યો છે. સમર્પણ ધ્યાન સંસ્કારના આશ્રમ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે જ્યાં દરરોજ સવાર,સાંજ નિયમિત રીતે ચિત્તશુદ્ધિ હવન થાય છે, જે અંદરથી તમને શુદ્ધ કરે છે અને ધ્યાન સાધના માટે શરીર અને આત્માને તૈયાર કરે છે.’

હવન કરવાના ફાયદા
હવનના ફાયદા જણાવતા તેઓએ કહ્યું કે, ‘હવનના પરમાણુઓ બીમારીના કીટાણુંને મારી ઇમ્યુનિટી વધારે છે. ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ આપેલ આ અદ્દભુત વિજ્ઞાન છે. જેનાથી બીમારી ઠીક થાય તેવી ઔષધિની જો અગ્નિમાં આહુતિ આપવામાં આવે તો તે અનેક લોકોને લાભાન્વિત કરે છે.’ હવન સાથે જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે તેનાથી સાત ચક્ર પર અસર થાય છે.એક એક નાડી ખુલે છે અને સ્વાસ્થ્યલક્ષી લાભ થાય છે. પર્યાવરણ પર તેની ખૂબ સારી અસર થાય છે. હવનમાં ફક્ત સામગ્રી અને મંત્રોચ્ચારનું મહત્ત્વ નથી સાથે બેસીએ છીએ ત્યારે એકતા આવે છે, હવનમાં હોમ કરીએ છીએ ત્યારે ત્યાગનો ભાવ આવે છે,આંતરિક શુદ્ધિ પણ થાય છે. હવનની રાખમાંથી પ્યોર ફર્ટિલાઇઝર બને છે તે વૃક્ષ-છોડમાં ઉપયોગી છે તેમજ કોઈને વાગ્યું હોય તેમાં પણ વાપરી શકાય છે. તે પ્યોર ઇકો ફ્રેન્ડલી છે.

બહેનો દરરોજ નાનકડો હવન કરે તે ફાયદાકારક
બહેનોને હવન બાબત તેઓએ જણાવ્યું કે, ‘સામાન્ય રીતે બહેનો ઘરમાં ધૂપ,દીપ,પૂજન,અર્ચન કરતા હોય છે જો તેઓ નિયમિત રીતે નાનકડો હવન કરે તો સમગ્ર ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે. આ હવનમાં ભાવ ખૂબ જ મહત્ત્વનો છે અને બહેનોમાં ભાવનાત્મક પાસુ મજબૂત હોય છે તેથી જો બહેનો ઘરમાં નિયમિત હવન કરે તો ચોક્કસ ઘરનું વાતાવરણ દિવ્ય અને તેજસ્વી થઈ શકે. આ હવન માટે નાનકડા પાત્રમાં ફક્ત છાણાનો ટુકડો, કપૂર, અજમા ,જવ, ઘી વગેરેથી ફક્ત દસ મિનિટ આહુતિ આપવામાં આવે તો પણ અદ્દભુત પરિણામ મળે છે.’

written by: Bhavna Doshi

રાષ્ટ્રીય

શાકભાજીના પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન: કૃષિમંત્રી પટેલ

Published

on

By


દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળકી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂૂ. 20,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂૂ. 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે. મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે 5000 હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય ઉઇઝના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Continue Reading

રાષ્ટ્રીય

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં મહેસૂલ વિભાગમાં બદલીનો દૌર : રાજ્યના 30 મામલતદારની બદલી

Published

on

By

ચૂંટણી વિભાગમાં ફરજ બજાવતા મોટાભાગના મામલતદારોને ડિઝાસ્ટર વિભાગમાં નિમણૂક અપાઈ


લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યભરમાં ચોમાસાએ વેગ પકડ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પંચમાં નિમણુંક પામેલા મોટાભાગના મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢ્યો છે. જેમાં રાજ્યમાં 30 જેટલા મામલતદારોની બદલી કરી મોટાભાગના મામલતદારોને ડિઝાસ્ટાર વિભાગમાં નિણુંક આપવામાં આવી છે.
રાજ્યભરના 30 જેટલા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

જેમાં વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી, બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી, કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી, પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી, રાકેશકુમાર મોદીની દાહોદથી ભરૂૂચ બદલી, મનીષ પટેલની વડોદરાથી ભાવનગર બદલી, પ્રવિણસિંહ રાજપૂતની અરવલ્લીથી બનાસકાંઠા બદલી, વિશાલ પટેલની અડાજણથી દ્વારકા બદલી, જિગ્નેશ જીવાણીની સુરત ગ્રામ્યથી ગીરસોમનાથમાં બદલી, બી.ટી સવાણીની જામનગરના ચીટનીસ વિભાગમાંથી ગીરસોમનાથ ડિઝાસ્ટરમાં બદલી, પૌલ ખ્રિસ્તીની જૂનાગઢના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, સી.આર. નિમાવતની મહેસાણાથી કચ્છમાં બદલી, એ.એમ. ગાવીતથી નવસારીના ચૂંટણી વિભાગમાં ડિઝાસ્ટર વિભાગમાં બદલી, એ.બી. દેસાઈની વડોદરાથી પોરબંદર બદલી, એચ.એલ. ચૌહાણની રાજકોટના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, તૃપ્તિ ગામીતની વલસાડથી સુરત ડિઝાસ્ટર વિભાગમાં બદલી, દુષ્યંતકુમાર મહેતાની વડોદરાના ચૂંટણી વિભાગમાંથી વડોદરા ડિઝાસ્ટર વિભાગમાં બદલી, મહમદ અસલમ મંસુરીની વલસાડથી તાપી જિલ્લામાં બદલી, નસીફા શેખની સુરતથી વલસાડ બદલી, એમ.જે. ભરવાડની ડાંગ આહવાના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, એ.પી. પટેલની વડોદરાના કરજણથી આણંદ ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

Continue Reading

રાષ્ટ્રીય

લખતર પાસે 1400 બોટલ વિદેશી દારૂ-બીયર ભરેલી કાર રેઢી મળી

Published

on

By

કાર માટીમાં ફસાઈ જતાં ચાલક રેઢી મુકી નાસી છૂટ્યો : 7.53 લાખનો મુદ્દામાલ કબજે

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બુટલેગરો ફરી બેફામ બન્યા છે. ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરના લખતર નજીક વિદેશી દારૂ ભરેલી કાર વરસાદના કારણે માટીના પાળામાં ફસાઈ જતાં બુટલેગરો કાર રેઢી મુકી નાશી છુટ્યા હતાં. તેનાપગલે પોલીસને બગાસુ ખાતા મોઢામાં પતાસુ આવી ગયું હતું. અને વિદેશી દારૂ ભરેલ કાર કબ્જેકરી 7.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


આ અંગેની જાણવા મળતી વિગત મુજબ લખતરના સદાદ ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નર્મદા કેનાલ પર વોચ ગોઠવવામાં આવી હતી. દારૂ ભરેલી સ્કોર્પિયો કારના ચાલકે પોલીસને જોઈ સ્કોર્પિયો સદાદ ગામ તરફ વાળી દીધી હતી. પરંતુ રેલવે ફાટક બંધ હોય ખેતરના રસ્તેથી ભાગવા જતાં કાર માટીના પાળામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે આરોપી સ્કોર્પિયો કાર રેઢી મુકી નાશી ગયો હતો.


પોલીસે રેઢી પડેલી સ્કોર્પિયો કારની તલાશી લેતા તેમાંથી નાની મોટી રૂા. 2,29,320ની કિંમતની 1,392 બોટલ વિદેશી દારૂ, રૂા. 14,400ની કિંમતના 144 નંગ બિયરના ટીન, બે મોબાઈલ ફોન અને પાંચ લાખની સ્કોર્પિયો મળી કુલ 7,53,720નો મુદ્દામાલ કબ્જે કરી નાશી છુટેલા શખ્સોની મોબાઈલફોનના આધારે શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી લખતરના પીએસઆઈ એન.એ. ડાભી સહિતના સ્ટાફે કરી હતી. જ્યારે સ્કોર્પિયો કારમાંથી ડુપ્લીકેટ નંબર મળી આવતા પોલીસે બુટલેગર અનેકાર ચાલક સહિતના શખ્સો સામે અલગથી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

Trending