Connect with us

ગુજરાત

નકલી મિનિટ્સ બુકમાં 21 કર્મીઓએ સહી કર્યાનો ધડાકો

Published

on

મિનિટ્સ બુકમાં કર્મચારીઓની સહીઓ તપાસવા હસ્તાક્ષર નિષ્ણાંતની મદદ લેવાશે: પૂર્વ ટીપીઓ સાગઠિયાનોં જેલમાંથી કબજો લઈ 7 દિવસના રિમાન્ડ મગાયા

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાનો જેલમાંથી કબજો લઈ સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. મીનીટ્સ બુકમાં છેડછાડ કરવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતાં આ નકલી મીનીટ્સ બુક કે જે પૂર્વ ટીપીઓ સાગઠીયાના કહેવાથી બનાવવામાં આવી હતી. તેમાં ટીપી શાખાના 21 કર્મચારીઓએ સહીઓ કરી હોવાનો ધડાકો થયો છે. આ મામલે હવે ક્રાઈમ બ્રાંચે આગળ તપાસ ધપાવી નકલી મીનીટ્સ બુકમાં કરેલી 21 કર્મચારીઓની સહી સાચી છે કે ખોટી તે ? તે જાણવા હસ્તાક્ષર નિષ્ણાંતોની મદદ લેવામાં આવશે. આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે જરૂરી પડયે જે 21 કર્મચારીઓની સહી નકલી મીનીટ્સ બુકમાં છે તે તમામને પુછપરછ માટે બોલાવવામાં આવશે.


ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાની ધરપકડ બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ મામલે તપાસમાં ટીપી શાખાના અધિકારી દ્વારા ખોટુ રેકર્ડ ઉભુ કરી મીનીટ્સ બુકમાં છેડછાડ કરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું. રિમાન્ડ ઉપર રહેલા એટીપી રાજેશ મકવાણા અને આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરીએ ગુનાની કબુલાત આપી હતી. તેમજ આ પ્રકરણની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં પૂર્વ ટીપીઓ સાગઠીયાએ આગ લાગ્યાની ઘટનાની રાત્રે જ પોલીસ પુછપરછથી બચવા માટે અને ધરપકડ ન થાય તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને મીનીટ્સ બુકમાં ટીપી શાખાના કર્મચારીઓને સહી કરવા દબાણ કર્યુ હતું અને આ નકલી મીનીટ્સ બુક પૂર્વ ટીપીઓ સાગઠીયા દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. આ મામલે જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો ક્રાઈમ બ્રાંચે લીધો છે અને હવે આ અંગે વિશેષ તપાસ માટે તેની સાત દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.


આગ કાંડની ઘટનામાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરનાર પૂર્વ ટીપીઓ સાગઠીયાના આ કરતૂત અંગે સજ્જડ પુરાવા મેળવી ક્રાઈમ બ્રાંચે તેનો જેલમાંથી કબજો મેળવ્યો છે. સાગઠીયાએ નકલી મીનીટ્સ બુક તૈયાર કરી હોય જેમાં ટીપી શાખાના વોટસએપ ગ્રુપમાં તાત્કાલીક મીટીંગ બોલાવી તે મીનીટ્સ બુકમાં ધરાર તમામ કર્મચારીઓને સહી કરવા દબાણ કર્યુ હતું. જો કે આ મામલે કેટલાક કર્મચારીઓએ સહી કરવાની ના પાડી દીધી હોય ત્યારે નકલી મીનીટ્સ બુકમાં જે 21 કર્મચારીઓની સહી છે તે સાચી છે કે સાગઠીયા અને તેના મળતીયાઓ દ્વારા નકલી સહીઓ કરવામાં આવી છે ? તે જાણવા માટે હવે ક્રાઈમ બ્રાંચ આ નકલી મીનીટ્સ બુકને હસ્તાક્ષર નિષ્ણાંતો પાસે તપાસ અર્થે મોકલશે અને સહી કરનાર ટીપી શાખાના 21 કર્મચારીઓની સહીના નમુના સાથે તે મેચ કરવામાં આવશે.


અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાની આ નકલી મીનીટ્સ બુક પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ આ મામલે એસીબી પણ સાગઠીયાની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરી રહી છે. સાગઠીયાએ પોતાના બચાવમાં ટીપી શાખાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વિવિધ મીટીંગોની મીનીટ્સ બુક પુરાવા તરીકે રજુ કરી હતી જેમાં અલગ અલગ તારીખે યોજાયેલી મીટીંગની નોંધ હતી અને તેમાં 21 જેટલા ટીપી શાખાના કર્મચારીઓની સહી લેવામાં આવી હોય તેમાં એટીપી, સર્વેયર સહિતના કર્મચારીઓની સહી છે આ મામલે હવે જો તપાસમાં 21 કર્મચારીઓની સહીમાંથી નકલી સહી કરવામાં આવી હશે તો તે બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે.

એટીપી મકવાણા અને આસિ. ઈજનેર ચૌધરીની ખોટું રેકર્ડ ઊભું કર્યાની કબૂલાત
અગ્નિકાંડની ઘટનામાં પોતાને બચાવવા માટે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાએ પોતાના તાબા હેઠળનાં કર્મચારીઓને ડરાવી, ધમકાવીને આ ઘટનામાં પોતાની ધરપકડ ન થાય તે માટેનો પ્લાન ઘડી કાઢયો હોય તેમાં ટીપી શાખાના કેટલાક અધિકારીઓએ સાગઠીયાનો સાથ આપ્યો હોય જેમાના તત્કાલીન એટીપી રાજેશ મકવાણા અને આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરીની તાજેતરમાં ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચે રિમાન્ડ પર પુછપરછ શરૂ કરી છે. જેમાં એટીપી રાજેશ મકવાણા અને એન્જીનીયર જયદીપ ચૌધરીએ ટીપી શાખાના અધિકારીના કહેવાથી ખોટુ રેકર્ડ ઉભુ કરી જુનુ રજીસ્ટર સળગાવી નાખ્યાની કબુલાત આપી દીધી છે ત્યારે હવે આ બન્ને સાથે આ પ્રકરણમાં અન્ય કોની કોની સંડોવણી છે ? તે ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

દસ્તાવેજોમાં ચેડાં કરવાનો પ્લાન એટીપી ગૌતમ જોષીએ ઘડયો’તો
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ પોતાના બચાવમાં આવી ગયા હોય ત્યારે ટીઆરપી ગેમઝોન કે જે ગેરકાયદેસર હતું તે ઈમ્પેકટ ફી વસૂલી કાયદેસર કરવાનું કાવતરું રચાયું હોય આ કાવતરાનો મુખ્ય સુત્રધાર એટીપી ગૌતમ જોષી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગેમઝોન સંચાલકોએ જે ઈમ્પેકટ ફીનો પ્લાન રજુ કર્યો હતો. તે મુળ ગેરકાયદેસર હતો છતાં અગ્નિકાંડ બાદ પોતાને બચાવવા સાગઠીયા અને તેના મળતીયાઓએ જુની તારીખમાં આ પ્લાન ઈનવર્ડ કરાવ્યો હોવાનું અને દસ્તાવેજો સાથે ચેડા કર્યાનું ખુલ્યું હતું. આ સમગ્ર પ્રકરણનો આઈડીયા અગાઉ સાગઠીયા સાથે જ ધરપકડ કરાયેલા એટીપી ગૌતમ જોષીનો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ પ્રકરણમાં તેની સાથે કોણે કોણે સંડોવાયેલું છે ? તે મામલે તપાસ બાદ ચોંકાવનારી હકીકત સામે આવી શકે છે.

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

લીમડાલેન વિસ્તારમાં વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો: વીજપુરવઠો ખોરવાયો

Published

on

By

તંત્રએ તાત્કાલિક વીજપુરવઠો પૂર્વવત કરતા પ્રજાને રાહત


જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં કોંગ્રેસ ભુવનપાસે આવેલા ટ્રાન્સફોર્મર અને વીજ કેબલમાં આજે એકાએક સ્પાર્ક થયા પછી ભારે તણખા જર્યા હતા, અને ટ્રાન્સફોર્મર તેમજ કેબલ બળી જતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજતંત્રની ટુકડીએ વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મર તેમજ કેબલ વગેરે બદલીને યુદ્ધના ધોરણે કામગીરી પાર પાડી હતી, અને વીજ પુરવઠો રાબેતા મુજબ બનાવ્યો છે.

જામનગર ના લીમડા લાઈન વિસ્તાર માં કોંગ્રેસ ભવન ની બાજુમાં આવેલ 200 કેવી ટ્રાન્સફોર્મરસાથે જોડાયેલો 150 એમ.એમ.નો કેબલ વરસાદમાં ઇનસ્યુલેશન ડેમેજ થતાં બળી ગયો હતો, અને સ્પાર્ક સાથે ધડાકા થયા હતા.જ્યાં તાત્કાલિક અસરથી પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન વિભાગની ટીમ દ્વારા કેબલ બદલાવવાની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી કરવાની જરૂૂરિયાત ઊભી થઇ હોવાથી સલામતીના સાધનો અને સલામત કાર્યપદ્ધતિ સાથે ટેકનીકલ ટીમ તથા જુનિયર ઇજનેર ની હાજરીમાં સ્થળ પર આ ટ્રાન્સફોર્મર યુદ્ધના ધોરણે ટ્રાફિક વાળા વિસ્તારમાં ચાલુ વરસાદ દરમ્યાન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો તૂરતજ રાબેતા મુજબ બનાવી દેવાયો હતો.

Continue Reading

Trending