ક્રાઇમ
પેસેન્જર વાનમાં ગોવાથી દારૂ ભરી જૂનાગઢ જતાં બે સુરતીલાલા ઝડપાયા
પોલીસને ચકમો આપવા પેસેન્જર પણ બેસાડ્યા છતાં કઈઇએ ઝડપી લીધા
રાજકોટ શહેરમાં તહેવાર પૂર્વે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પેંતરાઓ અજમાવી રહ્યાં છે. આમ છતાં પોલીસની સુઝબુઝથી બુટલેગરોને દારૂના જથ્થા સાથે પકડી લેવામાં આવી રહ્યાં છે ત્યારે રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા કાળીપાટ નજીકથી એક ટુરીસ્ટ વાનમાં પેસેન્જર બેસાડી દારૂની હેરાફેરી કરતાં સુરતના બે શખ્સોને ઝડપી રૂા.11.60 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બન્નેની પુછપરછમાં દારૂનો જથ્થો જૂનાગઢના બુટલેગરને આપવાનો હોવાનું જણાવ્યું હતું.
વધુ વિગતો મુજબ, રાજકોટ શહેરના ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની ટીમ એલસીબી ઝોન-2ના પીએસઆઈ બી.વી.બોરીસાગર, મનરૂપગીરી ગૌસ્વામી, હિતેશભાઈ પરમાર, સત્યજીતસિંહ જાડેજા, વિજેન્દ્રસિંહ ઝાલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી કે માલીયાસણ ગામથી ભાવનગર રોડ તરફ નવા રીંગ રોડ-2ના ખુણે કાળીપાટ નજીક એક દારૂ ભરેલી ટુરીસ્ટ વાન પસાર થવાની છે બાતમીને આધારે પોલીસે ટુરીસ્ટ ટાટા વીંગર કારને અટકાવી તલાસી લેતાં સૌપ્રથમ કાઈ જોવા મળ્યું ન હતું. ત્યારબાદ પેસેન્જરને ઉતારી સીટ નીચે તપાસ કરતાં વિદેશી દારૂની 306 બોટલ મળી આવી હતી.
ત્યારબાદ પોલીસે પેસેન્જરને જવા દઈ અને તેમના ચાલક અને કંડકટરને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં. બન્નેની પુછપરછ કરતાં તેઓ સુરતના કામરેજમાં રહેતા ધર્મેશ ગોવિંદભાઈ કાથરોટીયા અને કંડકટર દિક્ષીત મનસુખભાઈ સતાસિયા હોવાનું જણાવ્યું હતું.બન્ને ગોવાથી દારૂનો જથ્થો ભરી જૂનાગઢના કાળુ નામના વ્યક્તિને દારૂનો જથ્થો આપવા જતાં હતાં. તેમજ પોલીસથી બચવા આરોપીઓ પેસેન્જરને બેસાડતાં હતાં જેથી પોલીસને શંકા ન જાય કે ટુરીસ્ટ વાનમાં દારૂનો જથ્થો ભર્યો છે. આ ઘટનામાં દિક્ષીત અગાઉ ચાર વાર દારૂના ધંધામાં ઝડપાઈ ચુકયો છે. તેમજ દિક્ષીત હિરાઘસવાનું કામ કરતો હોય હાલ ધંધો ચાલતો ન હોય પોતે મિત્ર ધર્મેશને સાથે રાખી દારૂનો ધંધો શરૂ કર્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.
ક્રાઇમ
વાપીના આસિ. પી.એફ.કમિશનર અને સુપ્રભાત રંજન પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ
વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખના લાંચ કેસમાં પકડ્યા છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.
બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહિ હોવાથી તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. આજરોજ એસીબીની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબી ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.
ટ્રેપ કરવામાં એસીબી પીઆઈ જે. આર. ગામીત અને તેમની ટીમ સામેલ હતી. જ્યારે સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક સુરત આર. આર. ચૌધરી હતા.
ક્રાઇમ
અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ
અમદાવાદ ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
એક બિઝનેસમેનને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46,29,082 ની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી. સમગ્ર મામલે બિઝનેસમેન જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી. આ સમયે આસિ. ડાયરેકટર કમલકાંત મીણાએ મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રક્ઝકના અંતે 3 લાખ નક્કી કર્યા હતા. જ્યારે નોટિસની રકમ 46,29,082 રૂપિયામાંથી 2 લાખ કરી આપવાની ખાતરી કમલકાંત મીણાએ આપી હતી. બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહિ હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો.
આજ રોજ અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. કમલકાંત મીણાએ રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા એસીબી ટીમે તેમને ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.
એસીબી અમદાવાદના પીઆઈ શ્રીમતી એ. કે. ચૌહાણ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે પીઆઈ એન. બી. સોલંકી તેમની મદદમાં હતા. સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક જી. વી. પઢેરીયા રહ્યાં હતાં.
ક્રાઇમ
રાજકોટમાં પોલીસ પણ અસલામત!, પોલીસના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં-રોકડની ચોરી
ભગવતીપરાના જયનંદન સોસાયટીમાં બનાવ; સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
રાજકોટ શહેરમાં સાતમ-આઠમના તહેવાર પૂરા થયા બાદ પણ ચોરીના ઘટનાઓ સામે આવી રહી છે. થોડાક દિવસો પહેલા ગ્રામ્ય વિસ્તારમાં ચડીધારી ગેંગ દ્વારા અનેક કારખાનાઓને નિશાન બનાવી ચોરી કરી હતી.
આ ટોળકી હજુ પોલીસ પકડથી દુર છે. તેવામાં રાજકોટ શહેરમાં જાણે પોલીસ પણ અસલામત હોય તેમ ગઇકાલે ભગવતીપરા મેઇન રોડ પર આવેલી જયનંદન સોસાયટીમાં રહેતા પોલીસ પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના-ચાંદીના ઘરેણા અને રોકડ સહિત અડધા લાખની મતા ચોરાઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.
વધુ વિગતો મુજબ, ભગવતીપરા શેરી નં.22માં આવેલી જયનંદન સોસાયટીમાં રહેતા ગીતાબેન જયેશભાઇ રાઠોડ નામના મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓના પતિ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવે છે. ગઇ તા.6/9ના રોજ સાંજના સમયે પોતે પોતાના ઘરને તાળુ મારી કુવાડવા રોડ પર આવેલા રોહીદાસ પરા શેરી નં.2માં રહેતા તેમના સાસુ-સસરાને ત્યાં ગયા હતા. ત્યાં પતિ અને બન્ને સંતાનો એમ બધા ત્યાં જ રોકાયા હતા. ત્યાર બાદ તા.8ના રોજ ગીતાબેન તેમજ તેમના દિકરી ઘરે આવી ઘરનું તાળુ ખોલી અંદર પ્રવેશ કરતા ઘરમાં રહેલા મુખ્ય દરવાજાનું તોળુ તુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ અંદર રૂમમાં રહેલો સામાન વેર-વિખેર હાલતમાં હતો.
ત્યાર બાદ તે ચોરીમાં જોતા તેમા રહેલી સોનાની પેન્ડલ, સોનાની બુટી, રૂ.40,400, ચાંદીની બંગડી બે નંગ, રોકડા રૂપિયા 5 હજાર તે ચોરીમાં જોવામાં આવ્યા નહીં.
આ ઘટના અંગે તુંરત ગીતાબેને તેમના પતિ જયેશભાઇ તેમજ તેમના પિતા ઉકાભાઇ પરમારને જાણ કરી હતી. ત્યાર બાદ પિતાજી પાસેથી બીલ સાથે રાખી બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધવી હતી. ચોરીની ઘટના અંગે બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તેમજ આ ચોરીની ઘટનામાં કોઇ જાણ ભેદુ શંકાની આધારે તે દીશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
-
ગુજરાત13 hours ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
ગુજરાત17 hours ago
સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ
-
કચ્છ14 hours ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
ગુજરાત22 hours ago
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ
-
ગુજરાત18 hours ago
દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
-
ગુજરાત18 hours ago
તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!
-
ગુજરાત18 hours ago
જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો
-
Sports14 hours ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી