Connect with us

મોરબી

વાંકાનેરમાં દુકાનોના ઓટલા સહિતના દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફર્યુ

Published

on

વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી શહેરોમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર પાલિકાની ટીમ દ્વારા જે.સી.બી. તથા ટ્રેક્ટરને સાથે રાખી ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આજે ચોથા દિવસે ખુદ ચીફ ઓફિસર પાલિકા ટીમ સાથે જોડાઈ શહેરના અડચણરૂપ દબાણો જે.સી.બી. દ્વારા હટાવવામાં આવ્યા હતા. આ કામગીરીનો પ્રારંભ દિવાનપરા, માર્કેટ ચોક, હરીદાસ રોડ, ચાવડી ચોક, મેદાન બજાર, ભમરિયા કુવા વિસ્તાર, જૂની દાણાપીઠ, ગ્રીન ચોક, સીટી સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમુક લારી, કેબીનો થળા ધંધાર્થીઓએ સ્વેચ્છાએ હટાવીપાલીકાને સહકાર આપ્યો હતો.
આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે આ સાથે તેમણે વધુમાં શહેરીજનોને અપીલ કરતા જણાવ્યુ ંહતું કે, શહેરભરના તમામ વેપારીઓ નાગરિકો આ ઝુંબેશમાં સંપૂર્ણ સાથ સહકાર આપી સ્વેચ્છાએ દબાણો દૂર કરે જેથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય અને આગામી દિવસોમાં નગર પાલિકાદ વારા ખુલ્લી જગ્યાઓ પર પાર્કિંગ વ્યવસ્થા બનાવવાની તૈયારીઓ પણ દર્શાવી હતી.
આ દબાણ હટાવવાની કામગીરી ચીફ ગિરિશભાઈ સરૈયા, હેડ ક્લાર્ક હાર્દિકભાઈ સરૈયા, મહેશબાઈ મકવાણા (એન્જીનીયર), પાર્થભાઈ સચાણિયા, અશોકભાઈ રાવલ, સેનેટરી ઓફિસર નવિનભાઈ સહિતના કર્મચારીઓ જોડાયા હતાં.

ક્રાઇમ

મોરબીમાં મહિલાના ઘરે જઈ નરાધમ શખ્સે દેહ અભડાવ્યો

Published

on

By

મોરબી શહેરમાં મહિલા સાથે એક ઈસમે બળજબરીથી શરીર સુખ માણ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતી એક મહિલાએ આરોપી સુલતાનભાઈ મુસ્લીમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીએ ના કહેવા છતા તેમની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી તેમના ઘરના સભ્યોને પતાવી દેવાની ધાક ધમકી આપી ફરીવાર ફરિયાદિને પોતાના ઘરે બોલાવી ફરીયાદી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇપીસી કલમ -376(2) એન 506(2), તથા એટ્રોસીટી એક્ટ કલમ -3(2)(5), 3(2)(5-એ), 3(1)(ૂ)(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં ચોર સમજી યુવાનની હત્યા કરનાર બે શખ્સો ઝડપાયા

Published

on

By


મોરબી તાલુકાના ભરતનગર ગામે ચોર સમજી લોકોએ અજાણ્યા પુરુષને માર મારતા તેનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


ગત તા. 30 જુનના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં તા. 28 જુનના રાત્રીના આશરે આઠેક વાગ્યે સોમનાથ મહાદેવ હોટેલ સામે આવેલ પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રક નીચે એક વ્યક્તિ છુપાયેલ હોય અને આરોપી ગુંજારીયાભાઈ રહે મૂળ મધ્યપ્રદેશ વાળાએ ચોર સમજી પાર્કિંગમાંથી બહાર કાઢતા ભરતનગર ગામ તરફ આવતા ગ્રામજનો ભેગા થયા હતા અને પૂછપરછ કરતા કાઈ બોલતો ના હતો જેથી શંકા જતા અજાણ્યા ઈસમને જતા રહેવાનું કહેવાછતાં વે બ્રીજ આજુબાજુમાં તેમજ ભરતનગર ગામની શેરીમાં આંટા ફેરા કરતો હતો જેથી હાઇવે પર લાવી પોલીસને ટેલીફોનથી જાણ કરતા અજાણ્યો ઇસમ ભાગવા જતા આરસીસી રોડ પર પડી જતા આરોપીઓ પકડતા છટકવા માટે કોશિશ કરતા ઝપાઝપી થઇ હતી અને પીસીઆર વાહન આવતા તેને માથામાં ઈજા થયાનું જણાઈ આવતા પોલીસ કર્મચારીઓએ સારવાર માટે લઇ જતા હતા જ્યાં રસ્તામાં જ આંચકી આવતા 108 બોલાવી મોરબી સિવિલ ખસેડાયો હતો અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.


જે બનાવ વાળા સ્થળના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોને આધારે ગુનામાં ભૂમિકા ભજવનાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી તેમજ મૃતકની ઓળખ થઇ ના હોય જેથી ઓળખ મેળવવા માટે તપાસ ચલાવી હતી જેમાં અજાણ્યા પુરુષની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ગુંજારીયા વેલજીયા જુગડાભાઈ સસ્તીયા (ઉ.વ.30) રહે હાલ ભરતનગર મૂળ રહે મધ્યપ્રદેશ અને આનંદ વિઠલભાઈ ભુવા (ઉ.વ.25) રહે ભરતનગર મોરબી એમ બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

Continue Reading

ક્રાઇમ

ચામાં ઘેનના ટીકડાં નાખી પત્નીએ પતિને પતાવી દીધો, ભાઈ સાથે મળી લાશને નદીમાં ફેંકી

Published

on

By

માળિયાની મચ્છુ નદીમાંથી 55 વર્ષીય આધેડનો મૃતદેહ ડોકમાં ચુંદડી બાંધેલ અને એક છેડો બાઈક સાથે બાંધેલ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રજકોટ ખસેડ્યો હતો જેમાં હત્યા થયાનું ખુલતા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે આરોપી પત્ની અને સાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે બંને આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે.


માળિયાના જુના અંજીયાસર ગામના રહેવાસી સાહિલ હાજીભાઇ મોવર નામના યુવાને આરોપી શેરબાનું હાજીભાઇ મોવર (રહે જુના અંજીયાસર) અને ઇમરાન હૈદર ખોડ (હે ખીરઈ તા. માળિયા વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સાહિલના પિતા હાજી અબ્દુલ મોવર (ઉ.વ.55) પોતાની દીકરી પર અવારનવાર નજર બગાડતા હોય જેથી ફરિયાદીની માતા શેરબાનુંએ એ બાબતનો ખાર રાખી પિતા હાજીભાઇની ચા અને શાકમાં ઘેનના ટીકડા નાખી બેભાન કરી ગળે ચુંદડી વડે ગળેફાંસો દઈને મોત નીપજાવ્યું હતું.


તેમજ આરોપી ઇમરાન હૈદર ખોડ જે ફરિયાદીના મામા થતા હોય જેને ફરિયાદીની માતાને ગુનામાં મદદગારી કરી હતી જે રીક્ષા લઈને આવી મૃતક હાજી મોવરને રીક્ષામાં બેસાડી મચ્છુ નદીના કાંઠે તલાવડીના પાણીમાં બાઈક સહીત મૃતદેહ ફેંકી દઈને પુરાવાનો નાશ કરી ગુનામાં મદદગારી કરી હતી માળિયા પોલીસે આરોપી પત્ની અને સાળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના ગુનામાં આરોપી પત્ની શેરબાનું મોવર અને સાળો ઇમરાન ખોડ એમ બંને આરોપીને ઝડપી લઈને માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

Continue Reading

Trending