ક્રાઇમ
સીરપકાંડમાં વધુ એકની તબિયત લથડી, યોગેશ સિંધીની ફેક્ટરીમાંથી લોલંલોલ પકડાયું
![](https://gujaratmirror.in/wp-content/uploads/2023/12/Capture-16.jpg)
ખેડામાં વધુ એક યુવકની સિરપના કારણે તબિયત લથડી છે. મરીડાના કર્મવીર સોસાયટીમાં રહેતા હેમંત ચૌહાણ નામના યુવકને ગુસ્સામાં આવી નદીમાં પડેલી સિરપ પીધી હતી જે બાદ યુવકની તબિયત લથડતા 108ની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ તબીબે પોલીસને જાણ કરતા આ સિરપ ક્યાથી લાવ્યા તેવુ પુછતા હેમંતે કહ્યું કે હરિઓમ આશ્રમ શેઢી નદીમાંથી મળી હતી તે મે પીધી હતી.
આ વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જીલ્લા પોલીસ વડાને જાણ કરતા પોલીસ કાફલો શેઢી નદીએ પહોંચ્યો હતો અને નદી સહિત ચારે બાજુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન તરતી સિરપની બોટલો પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી હતી. જો કે વહેલી સવારે ફાયરબ્રિગેડ અને ડિઝાસ્ટરની ટીમની મદદથી નદીમા હજુ વધારે સિરપની બોટલો હોય તો તેને શોધવા સર્ચ કરશે.
ખેડા સિરપકાંડ કેસના મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની ફેક્ટરીમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગઈકાલે હાથ ધરાયેલી તપાસમાં ફેક્ટરીમાંથી શંકાસ્પદ હાલતમાં ખાલી સેનિટાઈઝરની બોટલો મળી છે. આમળા અને એલોવેરા જ્યૂસનો જથ્થો મળી આવ્યો છે. જેના સેમ્પલ તપાસ માટે મોકલી યોગી ફાર્માનો પ્લાન્ટ સીલ કરવામાં આવ્યો છે.
યોગેશ સિંધી ઉર્ફે યોગી ઉપર પ્રશાસનના અધિકારીઓની રહેમનજર ભારે પડી છે. 2021થી ચાલતી ફેકટરીમાંથી અત્યાર સુધી કોઇ સેમ્પલ લેવાયુ ન હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે યોગી ફાર્મા, યોગી ડેરી એન્ડ બેવરેજીસ સાથે યોગી ટ્રેડિંગના નામે કુલ ત્રણ લાયસન્સ આપ્યા હતા. યોગ્ય સમયે તપાસ થઈ હોત તો લોકોના જીવ બચી શક્યા હોત.
યોગેશ સિંધી આ ફેક્ટરીમાં જ નશાકારક જીવલેણ સિરપ બનાવતો હોવાની આશંકા છે. ફેક્ટરી માલિક યોગેશ સિંધીને આલ્કોહોલના સ્ટોરેજ માટે મંજૂરી હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી.
ક્રાઇમ
‘તું ભણેલી છો, નોકરી કરે છે એટલે ઘરકામ કરતી નથી’, કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/images-19.jpeg)
કોઠારીયા રોડ નિલકંઠ પાર્કમાં રહેતી શિક્ષિકા ચાંદનીબેન વિશાલભાઇ ધામેલીયા (ઉ.વ.37)એ તેમના પતિ વિશાલ, સસરા કિશોર મનજીભાઇ, સાસુ માયાબેન કિશોરભાઇ, જેઠ રાજનભાઇ અને જેઠાણી પરિતાબેન (રહે.બ્લોક નં.4 ડોકટર સોસાયટી, સાધુ વાસવાણી રોડ) વિરૂધ્ધ ત્રાસ અંગેની ફરીયાદ નોંધાવી હતી.
ચાંદનીબેને ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા તેમને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે અને છેલ્લા સાતેક મહીનાથી તેણી માવતરે રહે છે. લગ્નના અમુક વર્ષ બાદ પતિ ત્રાસ આપતો અને ચારિત્ર્ય પર શંકા કરતો હતો તેમજ બદનામ કરવાની ધમકી આપી પોતે શિક્ષિકાની નોકરી કરતી હોય તેમનો પગાર પતિ લઇ લેતો હતો.તેમજ નોકરીના સ્થળે ધજાગરા કરવાની અને પગારથી મકાનના હપ્તા ભરાવતો હતો. તેમજ આપઘાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી દઇશ તેવી ધમકી આપતો હતો. સાસુ અને જેઠાણી કહેતા કે તું ભણેલી છો, નોકરી કરે છે એટલે ઘરકામ કેમ કરતી નથી? તેઓ પતિને ચડામણી કરે તો પતિ મારકુટ કરતો હતો.
લગ્ન બાદ પિતા અને કૌટુંબીક પિતરાઇ ભાઇ ઘરે આવે ત્યારે સાસરીયાઓને ગમુત નહીં અને અપમાન કરતા હતા. જુલાઇ-2020માં ચાંદનીબેનના ખાતામાંથી રૂા.10 લાખની હોમલોન લેવડાવી પતિએ મકાનની ખરીદી કરાવી અને મકાનના દસ્તાવેજમાં દાદાગીરીથી નામ જોઇન્ટ કરાવ્યું હતું અને મકાનનું ફર્નીચર રૂા.7 લાખનું પણ ચાંદનીબેને કરાવ્યું હતું. ત્યારબાદ ચાંદનીબેને લીધેલી બલેનો કાર પણ પતિએ પડાવી લીધી હતી. પિતરાઇ ભાઇ હિમાંશુના લગ્ન હોય સાસરીયા પાસેથી દાગીના પહેરવા માંગ્યા તો તેઓએ આપ્યા નહી. ત્યારબાદ પતિએ મકાનના દસ્તાવેજમાંથી નામ રદ કરાવી નાખવાની અને દાગીના અને કપડા લઇ જવાની વાત કરતા ચાંદનીબેને છુટાછેડા કરવાની ના પાડી હતી તેમજ સાસરીયાઓએ ચાંદનીબેનને કાઢી મુકતા તેમજ સાસરીયાઓ સમાધાન કરવા માંગતા નહોય અંતે પોલીસમાં ત્રાસ અંગે ફરીયાદ નોંધાવી હતી.
ક્રાઇમ
રાજકોટ જેલમાંથી કોર્ટ મુદતે ગયેલા હત્યાનો આરોપી અને સિપાહી દારૂ પીધેલા પકડાયા
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/b25c905b-ce33-419c-8e5d-4c2e4870ae83.jpeg)
કચ્છ બાદ રાજકોટમાં કેદીઓને જેલ સ્ટાફ દ્વારા અપાતી સુવિધાનો ભાંડો ફૂટયો, બન્ને સામે ગુનો નોંધાયો
કચ્છની ગળપાદર જેલમાં કેદીઓને સુવિધા અપાતી હોવાનો ભાંડો ફુટયા બાદ કચ્છની જેલમાં બંધ કુખ્યાત આરોપી યુવરાજસિંહ જાડેજા સહિતના કેદીઓની જેલ બદલી કરવામાં આવી છે ત્યારે રાજકોટની જેલમાં બંધ હત્યાના આરોપીને જેલના સ્ટાફ દ્વારા સુવિધા અપાતી હોવાનો ભાંડો ફુટયો છે. રાજકોટ જેલમાંથી કોર્ટ મુદતે ગયેલા હત્યાના આરોપી અને જેલનો સિપાઈ દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે. જેમાં બન્ને વિરૂધ્ધ જેલરે ફરિયાદ કરતાં ગુનો નોંધી પ્ર.નગર પોલીસે બન્નેની ધરપકડ કરી છે.
રાજકોટ મધ્યસ્થ જેલનાં ઈન્ચાર્જ જેલર ગ્રુપ-2 વી.કે.પારઘીએ નોંધાવેલી ફરિયાદમાં રાજકોટ જેલમાં હત્યાના ગુનામાં રહેલા કાચા કામના કેદી રાજકોટનાં થોરાળા વિસ્તારમાં સરસ્વતી શીશુ મંદિર પાસે રહેતા અવેશ અયુબ ઓડીયા (ઉ.27) અને રાજકોટ જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતાં પોલીસ હેડ કવાર્ટર ખાતે રહેતા પરેશ મનસુખ વાઘેલા સામે ગુનો નોંધાતા બન્નેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પ્રાથમિક તપાસમાં અને પુછપરછમાં જાણવા મળતી માહિતી મુજબ, હત્યાના ગુનામાં જેલમાં રહેલો આરોપી અવેશ અયુબ ઓડીયાને રાજકોટના છઠ્ઠા એડીશનલ સેસન્સ કોર્ટમાં મુદત હોય તેને જેલના સિપાઈ પરેશ વાઘેલાના જાપ્તામાં કોર્ટ મુદતે લઈ જવામાં આવ્યો હતો અને સાંજે 4.45 કલાકે પરત આવતાં આરોપી અવેશ ઓડીયા અને પરેશ વાઘેલા બન્ને દારૂ પીધેલા મળી આવ્યા હતાં. જેથી આ બન્ને સામે ઈન્ચાર્જ જેલર વી.કે.પારઘીએ ફરિયાદ નોંધાવી છે. બન્નેની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે કોર્ટ મુદતે ગયેલા આરોપીએ કયાં દારૂ પીધો ? તેમજ પરેશ વાઘેલાએ પણ તેની સાથે મહેફીલ માણી હોય જેલમાંથી કોર્ટ મુદતે કે સારવારમાં હોસ્પિટલે લઈ જવાતા કેદીઓને જેલ સ્ટાફ દ્વારા અપાતી આ સુવિધાનો ભાંડો ફુટયો છે. તાજેતરમાં જ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં પોલીસ ચેકીંગમાં છ કેદીઓ દારૂ પીધેલા મળી આવ્યા હતાં અને તેની સાથે મોબાઈલ અને રોકડ પણ મળી આવી હોય ત્યારબાદ આ કેદીઓને અલગ અલગ જેલમાં બદલી કરવામાં આવી હોય રાજકોટ જેલના સ્ટાફ દ્વારા કેદીઓને અને આરોપીઓને અપાતી સુવિધાનો ભાંડો ફુટયો છે ત્યારે તપાસમાં અનેક જેલ સિપાઈઓ સુધી રેલો આવે તેવી શકયતા છે.
ક્રાઇમ
જસદણના ખડવાવડી ગામે દારૂનું કટિંગ ચાલુ હતુ ત્યારે પોલીસ ત્રાટકી : બે શખ્સો ઝડપાયા
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/content_image_5d645fb4-cebb-46b9-bb9c-d3084878253a.jpeg)
રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓએ ફરી માથુ ઉચક્યું છે. શ્રાવણમાસના તહેવારો નજીક આવી રહ્યા છે.
ત્યારે બહારના રાજ્યમાંથી મોટાપાયે દારૂનો જથ્થો મગાવવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે જસદણના ખડવાવડી ગામની સીમમાં સરકારી ખરાબામાં વિેદેશી દારૂનું કટીંગ ચાલતુ હોવાની બાતમી પરથી ભાડલા પોલીસે દરોડો પાડી 1 લાખની કિંમતનો વિદેશી દારૂ, બીયર અને કાર મળી કુલ 1.69 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ અંધારાનો લાભ લઈ નાશી ગયો હતો.
જસદણના ખડવાવડી ગામે સરકારી ખરાબામાં ચાલતા દારૂના કટીંગ પર મોડીરાત્રે પોલીસે દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની 1,00,800ની કિંમતની 846 બોટલ વિદેશી દારૂ, 4,800ની કિંમતની 48 બિયર અને મારૂતિકાર અને ત્રણ મોબાઈલફોન મળી 1.69.600ના મુદ્દામાલ સાથે ખડવાવડી ગામના પ્રકાશ વાઘજી મકવાણા, સંદીપ રવજી મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી.
જ્યારે કિરણ કલાભાઈ મકવાણા અંધારાનો લાભ લઈ નાશી છુટ્યો હતો.
જેતપુરના રૂપાવટી રોડ ઉપર આવેલ ત્રાકુડિયાપરા વિસ્તારમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે મકાનમાં છાપો મારી રૂા. 41,840ની કિંમતની 69 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલફોન સહિત હાર્દિક જયંતિભાઈ ગોહિલની એલસીબીએ ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે મુદ્દે પુછપરછ હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય4 days ago
બજેટમાં સોના-ચાંદી પર મોટી જાહેરાત, આટલા રૂપિયા થયું સસ્તુ
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
રાષ્ટ્રીય1 week ago
માતા બની હેવાન…માસૂમ પુત્રની છાતી પર ચઢી, ઢોર માર માર્યો, જુઓ વિડીયો
-
ગુજરાત8 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ક્રાઇમ7 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર7 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત