Connect with us

રાષ્ટ્રીય

બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી અથડાઈ, 15નાં મોત, 60 ઘાયલ

Published

on

એક્સપ્રેસ રંગાપાની રેલવે સ્ટેશને ઊભી હતી ત્યારે જ પાછળથી માલગાડી અથડાઈ: મૃત્યુઆંક વધવાની આશંકા, બચાવ-રાહત કાર્ય હાથ ધરાયું

પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડીમાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ, અહીં સવારે 9.30 વાગે એક માલગાડી કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 15નાં મોત, 60થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જ્યારે કેટલાક મુસાફરોમાં મોત પણ નિપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ કંચનજંગા એક્સપ્રેસ સિયાલદહ તરફ જઈ રહી હતી. ત્યારે પાછળથી માલગાડીએ ટક્કર મારી. જેના કારણે પેસેન્જર ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટના બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને રાહત અને બચાવ કાર્ય શરૂૂ કરી દેવામાં આવ્યું છે.


રંગપાની અને નિજબારી પાસે થયેલા અકસ્માતમાં ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે. રેલવે ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. દુર્ઘટના બાદ રેલવેની કામગીરી ઠપ થઈ ગઈ છે. આ ઘટના બાદ રેલવે અધિકારીઓ કંઈપણ જણાવવાનો ઈન્કાર કરી રહ્યા છે.


આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે? આ વાતની પુષ્ટિ થઈ નથી કહેવાય છે કે સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ રંગપાની સ્ટેશન પર ઉભી હતી. દરમિયાન પાછળથી આવતી માલગાડીએ તેને ટક્કર મારતાં ગાર્ડ બોગી અને એસએલઆર તેમજ જનરલ બોગીને ભારે નુકસાન થયું હતું. ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા છે. જેના કારણે 200 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત 5નાં મુસાફરોના મોત પણ નિપજ્યા હોવાનું નજરે જોનાર લોકોમાંથી જાણવા મળી રહ્યું છે.


ઉત્તરપૂર્વ સીમા રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સબ્યસાચી ડેએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે આ અંગે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, અત્યારે કેટલા ઘાયલ થયા છે. આ બાબત પ્રકાશમાં આવી નથી. આ ઘટનામાં કેટલા મુસાફરોના મોત થયા છે? આ પણ જાણી શકાયું નથી.

આ દુર્ઘટના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવાથી એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે માહિતી મળી હતી. મને આઘાત લાગ્યો છે. જો કે સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે એક ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

મૃતક યાત્રીના પરિવારને 12 લાખની અને ઘાયલોને 3 લાખ રૂપિયાની સહાય જાહેર
આજે આ દુર્ઘટના બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે રેલ્વેએ જલપાઈગુડી ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને 10-10 લાખ રૂૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે ઓછા ઘાયલોને 50 50 હજાર રૂૂપિયા આપવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે પીએમઓએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂૂપિયાની સહાયનું વચન આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય

23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે કેન્દ્રીય બજેટ

Published

on

By

નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બજેટ સત્રની તારીખોની જાહેરાત કરતા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારની ભલામણ પર 22 જુલાઈ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી બજેટ સત્ર બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે.

ચૂંટણી પરિણામો બાદ નવી સરકારનું સંપૂર્ણ બજેટ ગૃહમાં રજૂ થવાનું છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જે 44.90 લાખ કરોડ રૂપિયા હતી. જેમાં 11.11 લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચ તરીકે રાખવામાં આવ્યા હતા. જાણકારોના મતે આ વખતે સરકારી બજેટનું કદ વધુ વધી શકે છે. વચગાળાના બજેટમાં નાણામંત્રીએ આ વર્ષે પણ મૂડી ખર્ચ માટે રાજ્યોને પચાસ વર્ષની વ્યાજમુક્ત લોન આપવાની યોજના ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ માટે કુલ 1.3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

બજેટની રજૂઆત સાથે જ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ એક મોટો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. તે દેશના પહેલા નાણામંત્રી બનશે જે સતત 7મી વખત બજેટ રજૂ કરશે. હાલમાં તેઓ ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબર છે, જેમણે સતત 6 બજેટ રજૂ કર્યા હતા. એકવાર તેણી સંસદમાં 2024નું બજેટ રજૂ કરશે, તે પછી તે મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે અને સતત 7 બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બનશે. નિર્મલા સીતારમણ મોદી સરકારના 2014 અને 2019ના બંને કાર્યકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

Continue Reading

રાષ્ટ્રીય

બિહારમાં વીજળીનો કહેર, એક જ દિવસમાં 18નાં મોત

Published

on

By

સમગ્ર દેશમાં મેઘમહેર વચ્ચે બિહારથી એક દુ:ખદ અને ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વાસ્તવમાં શુક્રવારે વીજળી પડવાથી 18 લોકોના મોત થયા હતા. વિગતો મુજબ બિહારના ભાગલપુરમાં 4 અને બેગુસરાય અને જહાનાબાદમાં 3-3 લોકોના મોત થયા છે. મધેપુરા-સહરસામાં 2-2 લોકોના મોત થયા છે. કરકટ, વૈશાલી અને છપરામાં 1-1 વ્યક્તિનું મોત થયું છે.


આ તરફ બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને અપીલ કરી છે કે, ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરોમાં કે રસ્તા પર ન રોકાય. કોઈ પાક્કા મકાનમાં રહે.


આ બધાની વચ્ચે હવામાન વિભાગે ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આકાશ હજુ પણ વાદળછાયું છે, આકાશમાં ઘેરા વાદળો દેખાઇ રહ્યા છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને ગાજવીજની પણ શક્યતા છે. હવામાન વિભાગે લોકોને આ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે.

Continue Reading

રાષ્ટ્રીય

મોબાઇલ કં.ઓ ગ્રાહકો પાસેથી 34824 કરોડ ખંખેરશે

Published

on

By


ભારતમાં અગ્રણી મોબાઈલ સેવા આપતી કંપનીઓએ રિચાર્જમાં બેફામ વધારો કર્યો છે. આ વધારાને લઈને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.

ભારતની ત્રણ મોટી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ટેરિફ રેટમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે વિપક્ષે કેન્દ્ર સરકાર અને ટીઆરએઆઇ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ પોસ્ટ કરીને કહ્યું કે, ખાનગી મોબાઈલ ઓપરેટરોને એકપક્ષીય રીતે ટેરિફ વધારવાની મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારને પ્રશ્ન કરવા જોઈએ.


સેલ ફોન રિચાર્જના ટેરિફ રેટમાં વધારાને લઈને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારને કેટલાક મોટા પ્રશ્નો પૂછ્યા છે. પાર્ટીએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી અને લખ્યું કે, જ્યારે ખાનગી મોબાઈલ ઓપરેટરોએ તેમના આર્થિક માપદંડો અલગ હોવા છતાં ટેરિફમાં 15-16 ટકાનો વધારો કર્યો ત્યારે સરકારે આંખ આડા કાન કેમ કર્યા?


પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા 109 કરોડ યુઝર્સના ગ્રાહક આધાર સાથે તેમના ટેરિફમાં સરેરાશ 15 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે સામાન્ય માણસ પર ખર્ચનો વધારાનો બોજ 34,824 કરોડ રૂૂપિયા વધી જશે.
રણદિવ સુરજેવાલાએ જણાવ્યું કે, બે બાબતો અલગ છે. પ્રથમ ટેરિફ વધારાની જાહેરાતની તારીખ સ્પષ્ટપણે ત્રણેય કંપનીઓ એકબીજા સાથે પરામર્શ કરતી હોવાનું જણાય છે. વધેલા ટેરિફની અસરકારક અમલીકરણની તારીખ સમાન છે.

સરકારને કોંગ્રેસના પાંચ પ્રશ્ર્નો

  • શું મોદી સરકારે 109 કરોડ સેલફોન વપરાશકર્તાઓ પર આશરે 35 હજાર કરોડનો બોજ લાદતા પહેલા કોઈ તપાસ કરી?
  • શું મોદી સરકારે હરાજી દ્વારા સ્પેક્ટ્રમની ખરીદી પર કોઈ અસરનો અભ્યાસ કર્યો છે?
  • શું મોદી સરકારે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પર અગાઉની છૂટની અસરનો અભ્યાસ કર્યો?
  • તે કેવી રીતે બની શકે કે તમામ સેલ ફોન કંપનીઓ તેમના ટેરિફમાં 15-20% વધારો કરે, જ્યારે તેમનું રોકાણ, ગ્રાહક આધાર વગેરે બધું જ અલગ
Continue Reading

Trending