Connect with us

કચ્છ

કચ્છી પાટીદારોએ રિવાજો બદલ્યા, ક્રાંતિકારી સામાજિક પરિવર્તન

Published

on

પ્રિ-વેડિંગ ફોટો શૂટ, હલદી રસમને તિલાંજલી, ભોજન સમારંભમાં પણ નક્કી કરેલા મહેમાનોને જ આમંત્રણ

વરરાજાને ફેન્સી દાઢી રાખવાની પણ મનાઈ, સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભ લેવાશે


આજના જમાનામાં લગ્ન કે સામાજિક પ્રસંગો દેખાદેખીના થઈ ગયા છે. ખાસ લગ્નમાં ધુમ ખર્ચાઓ ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. લગ્નના તાંતણે બંધાવાનો પ્રસંગ ધાર્મિક ઓછો અને સામાજિક વધુ બની ગયો છે. અને આજે તો તેમાં પ્રિ-વેન્ડિંગ, જાતભાતની ફેશનો અને વ્યસનોને કારણે તે ટોક ઓફ ટાઉન બનતા હોય છે. ત્યારે કચ્છના કડવા પાટીદાર સમાજે એક અનોખી પહેલ કરી છે. લગ્નમાં વ્યસન અને ફેશન, હલ્દી રસમ અને પ્રિ-વેન્ડિંગને તિલાંજલી આપવી ફેશનેબલ દાઢી નહીં રાખવા સહિતના નિર્ણયો લેવાયા હતાં.


લગ્ન એટલે સાત જનમોને સાથ. લગ્ન એટલે એક-બીજાના થવાનો પવિત્ર સંબંધ…લગ્ન એટલે અગ્નિની સાક્ષીએ જનમો જનમ સાથે રહેવાનું અપાતું વચન. એકબીજા પ્રત્યેના પ્રેમને લગ્નના પવિત્ર તાંતણે બાંધી નવો જીવનસંસાર શરૂૂ કરતાં આજના યુગલો દેખાદેખીમાં ધૂમ ખર્ચાઓ કરે છે. જાતભાતની નવી નવી રસમો ઉભી કરીને લગ્નને એક દેખાદેખીનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે. પહેલાના લગ્નમાં હલદી રસમ કે પ્રિ-વેન્ડિંગ જેવું કંઈ નહતું, છતાં પણ આજે એ તમામ લોકો સુખી સંસાર માણી રહ્યા છે. પરંતુ આજના આધુનિક લગ્નો પાછળ લાખોનો ખર્ચ છતાં પણ અનેક લગ્નો તુટી જાય છે. ત્યારે કચ્છના કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન આગામી અખાત્રીજના દિવસે યોજાવાના છે. આ લગ્નમાં પાટીદાર સમાજે એક એવી પહેલ કરી છે જેની બિરદાવવા લાયક છે.


કચ્છના ઉમિયા માતાજીના સંસ્થાન વાંઢાય ખાતે યોજાનારા આ સમૂહલગ્નમાં સમાજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેની વાત કરીએ તો, કોઈ વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખે, કોઈ પણ યુગલ પ્રિ-વેન્ડિંગ ફોટાશૂટ નહીં કરાવે, હલદી રસમ નહીં રાખે, લગ્ન બાદ ફેશન અને વ્યસનથી મુક્ત રહેશે. અખાત્રીજના દિવસે યોજાનારા આ સમૂહલગ્નમાં 22 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્ન પહેલાં ઉમિયા માતાજી સમક્ષ તમામ વરઘડિયાઓને આ નિર્ણયની જાણકારી આપવામાં આવી. સાથે જ ઉમિયા માતાજીની સાક્ષીએ વ્યસન અને ફેશનથી મુક્ત રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા.


પાટીદાર સમાજના આ સમૂહલગ્નમાં કોઈ દેખાદેખીથી બિનજરૂૂરી ખોટા ખર્ચા નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. ક્ધયાઓને પાનેતર અને વર પક્ષને તલવાર દાતાઓને સહયોગથી આપવામાં આવ્યા છે. કોઈ ક્ધયા પોતાની રીતે પાનેતરની ખરીદી નહીં કરી શકે. તો ભોજન સમારંભમાં પણ નક્કી કરેલા મહેમાનોને જ લાવવાનું રહેશે. તો જે પણ યુગલ આ સમૂહલગ્ન સમારંભ લગ્નના તાંતણે બંધાશે તેમને સાત ફેરા અને કુંવરબાઈની મામેરુ જેવી વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.


કચ્છ કડવા પાટીદાર સમાજની આ પહેલ ખરેખર બિરદાવવા લાયક છે. આવી પહેલ આજના દરેક સમાજે કરવી જોઈએ. તો જે લોકો સમૂહલગ્ન નથી કરતાં અને લાખોનો ખર્ચ કરીને ચર્ચાનું કેન્દ્ર બને છે તેવા લોકોએ શીખ લેવી જોઈએ. દેખાદેખીના લગ્નનો પૈસાનો વેડફાટ જ થાય છે. તેથી ગુજરાતની તમામ જ્ઞાતિઓ અને સમાજોએ એક થઈને કચ્છના કડવા પાટીદાર સમાજની માફક પહેલ કરીને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

કેવા નિર્ણયો કરાયા
કોઈ વરરાજા ફેશનેબલ દાઢી નહીં રાખે
કોઈ પણ યુગલ પ્રિ-વેન્ડિંગ ફોટાશૂટ નહીં કરાવે
હલદી રસમ નહીં રાખે
લગ્ન બાદ ફેશન અને વ્યસનથી મુક્ત રહેશે
ફેશન-વ્યસનને તિલાંજલી
દેખાદેખીથી નહીં સંસ્કારોથી લગ્ન માટે પહેલ

કચ્છ

માંડવી શહેર કોલેરાગ્રસ્ત જાહેર

Published

on

By

પાણીની લાઇનમાં ગંદાપાણી ભળી જતા ઝાડા-ઊલટીનો રોગચાળો


કોરોનાના કકળાટ પછી ગત વર્ષે બિપોરજોયે તાલુકાના જીવ અદ્ધર કરી દીધા તેમાંથી માંડ કળ વળે ત્યાં અપૂર્વ રીતે સમગ્ર શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં જનતાને ધ્રાસકો પડયો છે તેની સમાંતરે ગઈકાલે નગર સેવા સદન તંત્રે લોહાર ચોક પાસેના રામ મંદિર નજીક ગંદાં પાણીની ભેળસેળવાળા પેયજળને વહન કરતી લાઈનો ફોલ્ટ પોઈન્ટ શોધી અને લાઈન બંધ કરી દીધી હોવાનો દાવો કરાયો હતો.


ગરબી ચોક વિસ્તારમાંથી જૂના સ્વામિનારાયણ મંદિર, હવેલી ચોક, ખુની ચકલો વગેરે વિસ્તારને પાણીનો પુરવઠો પુરો પાડતી 18 ઈંચનો વ્યાસ ધરાવતી એ મુખ્ય લાઈન લોખંડના બંધિયા વડે બંધ કરીને સિમેન્ટ વડે સુરક્ષિત કરાઈ છે. એ સિવાયના શંકાસ્પદ એરિયા સેન્ટ્રલ બેંક પાસે ફોલ્ટ શોધવાનું અભિયાન જારી રખાયું છે. સમાંતરે માંડવી-મસ્કા વચ્ચે રહેણાક વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં ગટરલાઈન વ્યવસ્થા નહીં હોવાથી ગંધાતું પાણી ગંદુ જળાશય બિહામણા રોગચાળા વેળાએ જનઆરોગ્ય સામે ખતરાની ઘંટી હોવાનું જાગૃતોએ ભવાં ચડાવતાં દર્શાવ્યું હતું. દરમ્યાન કોલેરા નિયંત્રણ અધિકારી અને મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ પરિસ્થિતિ કાબુમાં હોવાનો સધિયારો આપતાં તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.


પાલિકાના ઓ. એસ. ચેતનભાઈ જોશી, પાણી પુરવઠા વિભાગના રાજેશ ગોરે લોહાર ચકલા પાસે મુખ્ય લાઈન પસાર થાય છે ત્યાં મોટી ક્ષતિ શોધી શકાઈ હોવાનો દાવો કરીને શંકાના દાયરામાં આવતા અન્ય વિસ્તારો ઉપર ફોલ્ટ શોધ જારી હોવાનું કહેતા સુપર કલોરીનેશન કામગીરી તેજ બનાવાઈ હોવાનું જણાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે જ્યાંથી પોઝીટીવ કેસ મળી આવ્યા છે અને ઝાડા ઉલ્ટીના કેસો પાધરા થયા છે એવો વિસ્તાર ગરીબ, રંક આબાદીનો છે.

આરોગ્ય કમિશનર દોડી આવ્યા
માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં તકેદારી લેવા રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદભાઇ પટેલ સ્થાનિકે દોડી આવ્યા હતા. સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ અને સાવચેતીનાં પગલાં લેવા તથા ઝાડા-ઊલટીના કેસોને નિયંત્રણમાં લાવવા અને વધે તો શું શું તૈયારી રાખવી જે અંગે તંત્રને વાકેફ કર્યા હતા. સરકારી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ તથા દાખલ થયેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા, તે અંગે સ્થિતિ જાણી હતી. તેમજ પૂર્વે મામલતદાર ઓફિસમાં પણ આરોગ્ય વિભાગની ટીમ, મામલતદાર, સુધરાઇની ટીમ અને તંત્ર વચ્ચે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યાં હતાં તેમણે જણાવેલ કે, ઝાડા-ઉલ્ટીના કુલ 78 કેસો નોંધાયા છે, જેમાંથી માત્ર એક કેસ કોલેરાગ્રસ્ત નોંધાયો છે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા આરોગ્યની 25ટીમ કાર્યરત છે

Continue Reading

કચ્છ

નખત્રાણામાં મેઘરાજાનો તાંડવ: આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય, બજારોમાં ફરી વળ્યા પાણી, જુઓ વિડીયો

Published

on

By

હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જીલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે કચ્છના નખત્રાણામાં મેઘરાજાનું રોન્દ્ર સવરૂપ જોવા મળ્યું છે. નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસતા બજારમાં નદીની માફક પાણી વહેતાં થયાં છે. નખત્રાણાના બજારોમાં પાણી ફરી વળ્યા હતા. નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી ફરી વળતા, બસ સ્ટેશન પાસેના વોકળામાં બાઇક તણાઈ હતી. જો કે બાઈક ચાલકને બચાવી લેવામાં આવ્યા હતો.

https://fb.watch/sZ78fsztZR

નખત્રાણામાં ભારે વરસાદ પડતાં મુખ્ય બજારોમાં નદીની જેમ પાણી વહેતાં થયાં છે. બપોરે ત્રણ કલાકે શરૂ થયેલો વરસાદ સતત દોઢ કલાક સુધી અવિરત વરસતાં નખત્રાણા શહેરમાં અંદાજીત દોઢ ઇંચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ ખાબકી પડતા નખત્રાણામાંથી પસાર થતો ભુજ લખપત ધોરીમાર્ગ પર વોકડો વહી નીકળતા બન્ને તરફ વાહનોની રફતાર થંભી ગઈ હતી. તો કેટલાય લોકોના વાહનોમાં પાણી ઘૂસી જતા બંધ પડી ગયા હતા. શહેરમાં જળ બંબાકારની સ્થિતિ નિર્માણ પામતી હોય છે.

Continue Reading

કચ્છ

ભારે વરસાદની આગાહી: NDRFની ટીમ રાજકોટ પહોંચી

Published

on

By

મોરબી રોડ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરીએ કમાન્ડર સહિત 47 જવાનો રહેશે ખડેપગે


સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ જામતો જાય છે ત્યારે હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે. જેના કારણે કોઈ અનિચ્છિનીય ઘટના ન બને ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ ફાળવી દીધી છે. જેમાં આજે કંપની કમાન્ડર સહિત 47 જવાનોની એનડીઆરએફની ટીમ રાજકોટ આવી પહોંચી છે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ જામતો જાય છે ત્યારે પુર સહિતની પરીસ્થિતિઓ વચ્ચે લોકોને તાત્કાલીક મદદ મળી રહે તે માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એનડીઆરએફની અલગ અલગ પાંચ ટીમ ફાળવવામાં આવી છે. જેમાં આજે કંપની કમાન્ડર સહિત 47 જવાનોની એનડીઆરએફની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી અને મોરબી રોડ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી કાર્યરત કરી દેવામાં આવી છે.


એનડીઆરએફની ટીમ પોતાની સાથે પૂરની પરીસ્થિતિને પહોંચી વળવા માટે નાની બોટ, ટ્યુબ, દોરડા સહિતની તમામ સાધન સામગ્રીઓ સાથે રાજકોટ આવી પહોંચી છે. સૌરાષ્ટ્રભરમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફની ટીમ રાજકોટ આવી પહોંચી છે અને સૌરાષ્ટ્રમાં ગમે તે સ્થળે પુરમાં ફસાયેલા કે નદીમાં તણાયેલા લોકોની બચાવકામગીરી કરવા માટે એનડીઆરએફના જવાનો હંમેશા તત્પર રહેશે.


ભારે વરસાદ, પૂર તેમજ વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે લોકોના જાન-માલનું રક્ષણ થાય તે માટે એનડીઆરએફના જવાનો હંમેશા ખડેપગે રહેતો હોય છે અને તેઓને આવી અસામાન્ય પરિસ્થિતિને કેમ પહોંચી વળવા તેની તાલીમ પણ આપવામાં આવતી હોય છે.

Continue Reading

Trending