Connect with us

રાષ્ટ્રીય

લીડરશિપથી ડરો નહીં…લીડર બનો…લીડર બનાવો

Published

on

સમગ્ર ભારતમાં 6થી 7 હજાર વુમન ડિરેક્ટર છે જેની સંખ્યા ઘણી ઓછી છે

મહિલાઓમાં મલ્ટિટાસ્કિંગનો ગુણ છે ત્યારે વધુમાં વધુ વુમન લીડર્સ અને વુમન લીડરશિપ કોચ
તૈયાર થાય તે જરૂરી: માનસી ઠક્કર

છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં માનસી ઠક્કરે જુદા જુદા વિષય પર 600થી વધુ સેશન લીધા છે

‘ભારતમાં મહિલાઓ કંપનીમાં ડિરેક્ટર પદ પર કામ કરે તે માટે વિશાળ તકો છે પણ મહિલાઓ આ બાબત અજાણ છે.લિસ્ટેડ કંપનીમાં એક મહિલા ડિરેક્ટર રાખવાનો નિયમ છે.જે કંપનીમાં મહિલા ડિરેક્ટર નથી તેઓ પેનલ્ટી ભરે છે,તો શા માટે આ તક ઝડપી ન લેવી? કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરમાં મહિલાનું નામ ફક્ત સાઇન કરવા માટે જ રાખવામાં આવે છે.આવું શા માટે? આગળ આવો અને તમારી ટેલેન્ટનો પરિચય આપો.

મહિલાઓમાં મલ્ટિટાસ્કિંગનો ગુણ છે પરંતુ ત્રણ બાબતના કારણે તેઓ પાછળ રહી જાય છે જેમાં લેક ઓફ સેલ્ફ અવેરનેસ,લેક ઓફ નોલેજ,લેક ઓફ ગ્રોથ માઈન્ડ સેટ છે.આ બાબતે મહિલાઓએ જાગૃત થવાની જરૂર છે.સમગ્ર ભારતમાં 6 થી 7 હજાર વુમન ડિરેક્ટર છે જેની સંખ્યા ઘણી ઓછી કહેવાય.આ ફિલ્ડમાં તક છે પૈસો છે પાવર છે તો તેનો લાભ જરૂરથી લો’. આ શબ્દો છે લીડરશિપ કોચ, પોડકાસ્ટર અને લિન્ક્ડ ઈન સ્ટ્રેટેજીસ્ટ માનસી ઠક્કરના. છેલ્લા 12 વર્ષથી લીડરશિપ સહિત વિવિધ વિષયોના 600થી વધુ સેશન લેનાર તેઓની ફરિયાદ છે કે દરેક પ્રોગ્રામમાં વુમન સ્પીકર તથા વુમન લીડર ઓછા જોવા મળે છે.


છેલ્લા 3 દાયકાથી ચેમ્બુર સ્થિત માનસીબેનનો જન્મ અને અભ્યાસ મુંબઈમાં થયો.ચેમ્બુરમાં ડિપ્લોમા ઈન ITકર્યું. મુંબઈ યુનિવર્સિટી પિલ્લાઈ કોલેજમાંથી BE.IT કર્યું. M.A. ઇન લીડરશિપ સાયન્સ ફ્રોમ ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ લીડરશિપ સ્ટડીઝ યુનિવર્સિટી ઓફ મુંબઈથી કર્યું.શૈક્ષણિક અભ્યાસ સાથે સાથે પોતાની જાતને અપડેટ રાખવા દર વર્ષે જુદા-જુદા વિષયના ત્રણથી ચાર કોર્સ કરે છે તેનો અમલ કરી સફળ થયા છે.18 વર્ષની ઉંમરથી જ લીડરશિપ અને અન્ય વિષયને લઈને સેશન લેવાનું શરૂૂ કર્યું ત્યારે ઘણા લોકો તેમની ટેલેન્ટને નજર અંદાજ કરતાં.નાની ઉંમર હોવાના કારણે પણ લોકો એકદમ વિશ્વાસ મૂકતા નહીં,પરંતુ એક વખત તેઓના હાથમાં માઇક આવે અને તેમની અસ્ખલિત વાણી અને મૂલ્યો તેમજ અનુભવની વાતો સાંભળતા ત્યારે તેમનો અભિગમ બદલાઈ જતો.પોતાના વિશે લોકો કંઈ પણ માને પરંતુ પોતાની પાસે જે નોલેજ છે તેનો ઉપયોગ કરીને લોકો આગળ વધે તેવી તેમની ઈચ્છા રહેતી. તેમનું માનવું છે કે બિઝનેસ હોય કે સામાજિક જીવન ચાણક્ય નીતિ દરેક જગ્યાએ ઉપયોગી થાય છે.ચાણક્ય નીતિ અને ચાણક્ય અર્થશાસ્ત્ર તેઓએ પોતાના જીવનમાં પણ ઉતાર્યા છે તેથી જ તેઓ લોકોને પણ તે શીખવે છે અને તેનો જીવનમાં અમલ કરવા માટે સૂચન કરે છે.


પોતાની સફળતાનો શ્રેય તેઓ પરિવારજનોને આપે છે.તેઓ જણાવે છે કે, ‘પરિવાર અને તેના સહયોગ વગર કોઈ આગળ વધી શકતું નથી.હું ખૂબ જ નસીબદાર છું કે મને આવો સ્નેહાળ પરિવાર મળ્યો છે. માતા નયનાબેન,પિતા યોગેશભાઈ અને દાદી ચંદાબેન પાસેથી પણ જીવન મૂલ્યોના અનેક પાઠ શીખવા મળ્યા છે.દાદી હંમેશા કેરિયર માટે પ્રોત્સાહિત કરતા. માતાએ સંબંધો સાચવવા તેમજ સકારાત્મક વલણ અપનાવતા શીખવ્યું તેમ જ પિતાજીએ દરેક બાબતમાં સહયોગ આપ્યો કોઈપણ કોર્સ હોય, ગમે તેટલી ફીઝ હોય તેઓએ ક્યારેય ના પાડી નથી. પરિવારમાં કાકા, ભાઈ બધાએ મને પ્રોત્સાહિત કરી છે’.


પોતે મેળવેલ નોલેજ વધુમાં વધુ લોકોને શીખવવા માગતા માનસી ઠક્કર લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર બનવા માટે તૈયારી કરે છે આવતા મહિને લીડરશિપ પર તેમની યુ ટ્યુબ ચેનલ અને પોડકાસ્ટ લોન્ચ થશે.તેમનું સ્વપ્ન છે કે વધુમાં વધુ વુમન લીડર્સ અને વુમન લીડરશિપ કોચ તૈયાર થાય.તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

WRIITEN BY: Bhavna doshi

ધાર્મિક

વાદળો પર આવેલા આ મંદિરમાં ભગવાન કાર્તિકેયની અસ્થિની કરવામાં આવે છે પૂજા, જાણો શું છે રહસ્ય

Published

on

By

ઉત્તરાખંડમાં ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે, અહીં દેવી-દેવતાઓના પ્રાચીન અને ભવ્ય મંદિરો પણ આવેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્તરાખંડમાં પ્રકૃતિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળે છે. કાર્તિક સ્વામી મંદિર ઊંચા શિખર પર આવેલું છે. આ મંદિરની ભવ્યતા, પૌરાણિક કથા અને મહત્વ તો માત્ર તેનું મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ સાથે જ મંદિરની આસપાસનો નજારો પણ ભક્તોને આકર્ષે છે.

કાર્તિક સ્વામી મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. તે રુદ્રપ્રયાગ-પોખરી રોડ પર કનક ચૌરી ગામ નજીક 3050 મીટરની ઉંચાઈ પર ક્રૌંચ ટેકરીની ટોચ પર આવેલું છે. ઉત્તર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જ્યાં ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેય બાળ સ્વરૂપમાં વિરાજમાન છે.

દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવે તેમના બે પુત્રો કાર્તિકેય અને ગણેશને બ્રહ્માંડની 7 પરિક્રમા કરવા કહ્યું. પિતાની આજ્ઞા મળતાં જ કાર્તિકેય બ્રહ્માંડની 7 પરિક્રમા કરવા નીકળી પડ્યા. તે જ સમયે, ગણેશજીએ તેમના માતા-પિતાના સાત ફેરા લીધા અને કહ્યું કે તમે મારું સમગ્ર બ્રહ્માંડ છો.

ભગવાન ગણેશની વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ ખુશ થયા અને આશીર્વાદ આપ્યા કે આજથી વિશ્વમાં તેમની પ્રથમ પૂજા કરવામાં આવશે. બીજી તરફ, જ્યારે કાર્તિક બ્રહ્માંડના 7 પરિક્રમા પૂર્ણ કરીને પાછો ફરે છે, ત્યારે તેને આ માહિતી મળે છે. આ પછી કાર્તિકે આ સ્થાન પર પોતાના શરીરનો ત્યાગ કર્યો અને પોતાના અસ્થિઓ ભગવાન શિવને અર્પણ કર્યા.

દર વર્ષે કાર્તિક સ્વામી મંદિરના દર્શને આવતા ભક્તોની સંખ્યા વધી રહી છે. ભગવાન કાર્તિક સ્વામી દક્ષિણ ભારતમાં સ્થિત કાર્તિક મુરુગન સ્વામી તરીકે પણ ઓળખાય છે. મંદિર પરિસરમાં લટકતી સેંકડો ઘંટડીઓનો સતત અવાજ લગભગ 800 મીટરના અંતરે સંભળાય છે. અહીં રોડ પરથી 80 સીડીઓ ચઢીને મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી શકાય છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

INSTAGRAM એકવાર ફરી થયું ડાઉન, સોશિયલ મીડિયા પર હાહાકાર મચ્યો

Published

on

By

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ઈન્સ્ટાગ્રામ ડાઉન થયું હતું. ભારત સહિત સમગ્ર વિશ્વમાં હજારો અને લાખો વપરાશકર્તાઓ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ ફીડ જોઈ શકતા નથી, રીલ જોવામાં કે અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામના ઘણા ફીચર્સનો ઉપયોગ કરવામાં પણ સમસ્યા આવી રહી છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી છે.

DownDetector, એક વેબસાઇટ કે જે ઓનલાઈન આઉટેજ પર નજર રાખે છે, તેણે 29 જૂન, 2024 ના રોજ બપોરે 12.02 વાગ્યે ભારતમાંથી 6,500 અહેવાલો રેકોર્ડ કર્યા, જેમાં વપરાશકર્તાઓએ નોંધ્યું કે તેમને Instagramના ઘણા લક્ષણોનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. 58% એટલે કે મોટાભાગના યુઝર્સને ઈન્સ્ટાગ્રામની ન્યૂઝ ફીડ જોવામાં તકલીફ થઈ રહી હતી.

તે જ સમયે, 32% લોકોએ કહ્યું કે તેમને એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે, જ્યારે 10% વપરાશકર્તાઓએ કહ્યું કે તેમને સર્વર કનેક્શનમાં મુશ્કેલી આવી રહી છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર, આ પીક ટાઈમ હતો જ્યારે ઈન્સ્ટાગ્રામ ડાઉન હતું.

ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની સમસ્યા ભારતના ઘણા શહેરોમાં જેમ કે દિલ્હી, જયપુર, લખનૌ, મુંબઈ, અમદાવાદ, લખનૌ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈમાં પણ જોવા મળી છે. આ તમામ શહેરોના યુઝર્સે ફરિયાદ નોંધાવી છે. આ શહેરો સિવાય અન્ય ઘણા શહેરોના યુઝર્સને પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

કેટલાક યુઝર્સે X (Twitter) પર લખ્યું છે કે તેઓ ન્યૂઝ ફીડ જોઈ શકતા નથી, લોગઈન કરી શકતા નથી, લોગઈન કર્યા પછી સ્ક્રોલ કરી શકતા નથી. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામે આ સમસ્યા વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી અને ન તો આ સમસ્યાનું કારણ જણાવ્યું છે.

Continue Reading

રાષ્ટ્રીય

બજેટ પહેલાં સરકારને રાહત, બે માસમાં રાજકોષિય ખાધ કુલ અંદાજના માત્ર 3 ટકા

Published

on

By


બજેટ 2024 પહેલા દેશની અર્થવ્યવસ્થાને લઈને સતત સારા સમાચાર આવી રહ્યા છે. જ્યાં વિદેશી રેટિંગ એજન્સીઓ દેશના જીડીપી અંદાજમાં વધારો કરી રહી છે. બીજી તરફ કેટલીક એજન્સીઓએ પણ રેટિંગ વધાર્યું છે. શુક્રવારે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે દેશની ગઠબંધન સરકારને પણ રાહતનો શ્વાસ મળી શકે છે.


હકીકતમાં, નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં દેશની રાજકોષીય ખાધ કુલ અંદાજના માત્ર 3 ટકા જ જોવા મળી છે, જે મોટી રાહતના સમાચાર છે. લોકસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ થવાને કારણે સરકારી ખર્ચ ઘણો ઓછો રહ્યો છે. જેના કારણે રાજકોષીય ખાધમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.


રાજકોષીય ખાધ, સરકારના ખર્ચ અને કમાણી વચ્ચેનો તફાવત, ગયા નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં 2023-24ના બજેટ અંદાજના 11.8 ટકા હતો. વર્તમાન નાણાકીય વર્ષ (2024-25) માટે સરકારનો અંદાજ છે કે રાજકોષીય ખાધ રૂ. 16,85,494 કરોડ એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદન (ૠઉઙ)ના 5.1 ટકા રહેશે. કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (ઈૠઅ) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, એપ્રિલ-મે 2024ના સમયગાળામાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ રૂ. 50,615 કરોડ હતી, એટલે કે નાણાકીય વર્ષ 2024-25ના કુલ બજેટ અંદાજના 3 ટકા. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં, તે બજેટ અંદાજના 11.8 ટકા હતું. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ચોખ્ખી કર આવક રૂ. 3.19 લાખ કરોડ હતી એટલે કે નાણાકીય વર્ષ 2024-25ના બજેટ અંદાજના 12.3 ટકા. નાણાકીય વર્ષ 2023-24ના સમાન સમયગાળામાં તે 11.9 ટકા હતો. મે 2024 ના અંતમાં સરકારનો કુલ ખર્ચ 6.23 લાખ કરોડ રૂૂપિયા હતો એટલે કે વર્તમાન નાણાકીય વર્ષના બજેટ અંદાજના 13.1 ટકા. એક વર્ષ અગાઉના સમયગાળામાં તે ઇઊ ના 13.9 ટકા હતો. ઓછા સરકારી ખર્ચનું કારણ એ છે કે ચૂંટણી દરમિયાન આચારસંહિતા લાગુ હોય ત્યારે સરકાર નવા પ્રોજેક્ટ પર ખર્ચ કરવાનું ટાળે છે.

Continue Reading

Trending