Connect with us

સૌરાષ્ટ્ર

કાલાવડના આણંદપર ગામે ખેડૂતના ઘરમાંથી રૂા.95 લાખની રોકડ ચોરી

Published

on

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતા દીપકભાઈ જેસડીયા નામના ખેડૂતના ઘરે 95 લાખ રૂૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આ ખેડૂતે તેમની જમીનનું વેચાણ કર્યું હતું જેમાં તેમને 2 કરોડ રૂૂપિયા રોકડા મળ્યા હતા, તેમાંથી 95 લાખ રૂૂપિયાની ચોરી થઈ છે. ખેડૂત પરિવાર સગાઇના પ્રસંગે રાજકોટ ગયા હતા ઘરે આવતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો. તપાસ કરતા ઘરના કબાટમાં રાખેલા પૈસાની ચોરી થવાની જાણ થઇ હતી.
બંધ મકાનનો લાભ લઇ ચોરોએ ચોરીને ઘટનાને અંજામ આપ્યો છે. ખેડૂત દ્વારા પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કાલાવાડ ગ્રામ્ય પોલીસ સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
આ ઘટના વિશે ડીવાયએસપી જયવિર સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે ગઇકાલે બપોરે 2.30થી 7 વાગ્યા દરમિયાન એક ચોરીની ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદ દીપકભાઇ જેસડીયાના ઘરે અજાણ્યા ઇસમ દ્વારા તેમના ઘરે પડેલી રોકડ રકમ આશરે 95 લાખ રૂૂપિયાની ચોરી થઇ છે. જેની ફરિયાદ કાલાવાડ ગ્રામ્ય પોલીસમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતે સમગ્ર વિસ્તારમાં તપાસ ચાલું છે. જેટલા પણ હિસ્ટ્રીશીટર કે શકમંદ છે તેમને રાઉન્ડઅપ કરી પૂછપરછ ચાલું છે.
તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ફરિયાદી દ્વારા તાજેતરમાં જ કોઇ જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં કટકે-કટકે તેમની પાસે આ રૂૂપિયા આવ્યા હતા.

ગુજરાત

ટંકારા અને લોધિકા પંથકમાં ઝેરનાં પારખાં કરનાર સગીરા સહિત બેના સારવારમાં મોત

Published

on

By

ગોંડલ પંથકમાં ત્રણ યુવાને આપઘાતના પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયા

આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોની ઘટના વધી રહી હોય તેમ દરરોજ અનેક લોકો આત્મઘાતી પગલાં ભરતા હોવાની અનેક ઘટના સામે આવી રહી છે. ત્યારે ટંકારાના સજનપરમાં સગીરાએ અને લોધિકામાં શ્રમિક યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા બંને પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ટંકારાના સજ્જન પર ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી નિરાલીબેન પપ્પુભાઈ ડામોર નામની 16 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યાં સગીરાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી હતી. બીજા બનાવમાં મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ લોધિકામાં ખેત મજૂરી મરતા છોટુ ધુલિયાભાઈ વસુનીયા નામના 34 વર્ષના યુવાને ત્રણ દિવસ પૂર્વે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવારમાં મોત પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક છોટુ વસુનીયા ત્રણ ભાઈ છ બહેનમાં વચ્ચેટ હતો. અને તેના છૂટાછેડા થઈ ગયા હતા અને છોટુ વસુનીયાએ દારૂના નશામાં દવા પી લેતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત અન્ય બનાવમાં ગોંડલ પંથકમાં ત્રણ યુવાને કોઈ અગમ્ય કારણસર આપઘાતના પ્રયાસ હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલમાં સેન્ટ્રલ જેલ સામે ક્વાર્ટરમાં રહેતા શ્યામ મહેશભાઈ દુધરેજીયા (ઉ.વ.35)એ ફિનાઈલ, ગોંડલના હડમતીયા ગામે મનસુખભાઈની વાડીએ ખેત મજૂરી કરતા અજય મંગુભાઈ મસાડીયા (ઉ.વ.20) અને મોટી ખીલોરી ગામે કિશોરભાઈની વાડીએ કેશરામ જેરામભાઈ ચૌહાણ (ઉ.વ.20)એ ઝેરી દવા પી લીધી હતી. ત્રણેય યુવકને ઝેરી અસર થતા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

પરિવારના આગ્રહના કારણે આત્મહત્યા નહોતી જાહેર કરવામાં આવી: સોખડા મંદિરની સ્પષ્ટતા

Published

on

By

હરિધામ, સોખડાના સંત ગુણાતીતચરણ સ્વામીએ એપ્રિલ 2022માં બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હતી તે બાબતે દાખલ થયેલ ગુન્હાના સમાચારો અંગે સ્પષ્ટતા કરતાં શ્રી હરિ આશ્રમ, હરિધામ, સોખડાના સેક્રેટરી જે. એમ. દવેએ જણાવ્યું છે કે, હરિધામ-સોખડાના અધિષ્ઠાતા બ્રહ્મસ્વરૂૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અક્ષરધામગમન પછી એપ્રિલ 2022માં એક જુથ અલગ થવાથી ઉદાસ રહેતા અને કેટલાક સમયથી બીમાર એવા ગુણાતીતચરણ સ્વામીએ રૂૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ વાતની જાણ તેમની રૂૂમમાં રહેતા પ્રભુપ્રિય સ્વામીને થતાં તેઓ ગભરાઈ ગયેલ અને તેમણે વડીલ સંત જ્ઞાનસ્વરૂૂપ સ્વામીને જાણ કરી હતી. બન્નેએ ગુણાતીતચરણ સ્વામી જીવિત હોવાની શક્યતાને ધ્યાને લઈને તેમને લટકતી અવસ્થામાંથી નીચે ઉતાર્યા હતા. પરંતુ તેઓનું મૃત્યુ થઈ ગયું હતું. આથી ગુણાતીતચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતરાઈ ભાઈ હરિપ્રકાશ સ્વામીને જાણ કરી હતી. રાત્રે મોડું થયું હોવાથી હરિપ્રકાશ સ્વામીએ સવારે ગુણાતીતચરણ સ્વામીના સગા ભાઈ કિશોરભાઈને બનાવની હકીકત જણાવી હતી. પરંતુ કિશોરભાઈએ પોતાના ભાઈ બેંતાલીસ વર્ષથી સાધુ હોય તેમનું ખરાબ ન લાગે તે માટે આત્મહત્યાની વાત જાહેર ન કરવા આગ્રહ કર્યો હતો.


ગુણાતીતચરણ સ્વામીના ભાઈનો આગ્રહ સ્વીકારીને મંદિરના વડીલોએ કુદરતી મોત થયાનું જાહેર કર્યું હતું અને કોઈપણ ઉતાવળ કર્યા સિવાય સંપ્રદાયની પરંપરા પ્રમાણે અંતિમવિધિની તૈયારી કરી હતી. દિવંગત સંતના પરિવારના લોકોની રાહ જોવાઈ રહી હતી ત્યારે જ પોલીસને જાણ થતાં પોસ્ટમોર્ટમ કરાવવાની વિધિ કરવામાં આવી હતી.


બનાવ બાદ તરત જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ મંદિરના વડીલોએ કયા સંજોગોમાં બનાવ જાહેર કરવામાં ન આવેલો તેની ખરી હકીકત પોલીસને જણાવી દીધી હતી અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. આ એકવારની તપાસ પૂર્ણ થયા પછી ગુણાતીતચરણ સ્વામીના દૂરના ભત્રીજાએ હરિધામથી અલગ થયેલ જૂથના પ્રભાવમાં આવીને અરજી કરતાં પોલીસે બીજીવાર તપાસ કરી હતી. પરંતુ, બનાવ આત્મહત્યાનો જ હોવાનું તારણ નીકળ્યું હતું. તે પછી તેમણે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરતાં પોલીસ તપાસ કરીને ગુન્હો દાખલ થઈ શકે તેમ છે કે નહીં? ન થઈ શકે તેમ હોય તો અરજદારને જાણ કરવા આદેશ થયો હતો.


ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ફરીથી પોલીસ તપાસ હાથ ધરી હતી. તેમાં પણ મંદિર પ્રશાસને સંપૂર્ણ સહકાર આપ્યો છે. જાણવા મળ્યા મુજબ પોલીસે નોન કોગ્નીઝિબલ ગુનો દાખલ કર્યો છે.


સદગત ગુણાતીતચરણ સ્વામીની આત્મહત્યા દૂ:ખદ ઘટના છે. તેમના ચાર દાયકાના સાધુજીવન અને પરિવારની લાગણીને ધ્યાનમાં રાખીને મંદિરના વડીલોએ જે તે સમયે નિર્ણય કર્યો હતો. હરિધામથી અલગ થયેલ જુથ દ્વારા પચાસથી વધુ લિટીગેશન ઉભા કરીને બ્રહ્મસ્વરૂૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની તપોભૂમિને બદનામ કરવાના પ્રયાસ થાય છે તેમાં આ ઘટના અંગે પણ બે વર્ષથી વધુ સમયબાદ લિટીગેશન ઉભું કરાવીને મૃત્યુની મર્યાદા જાળવવામાં નથી આવી તે ખેદજનક છે.

Continue Reading

અમરેલી

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી દુર્ઘટના, ઘઉંની બોરી ઉતારતા વખતે 5 શ્રમિકો દબાયા, 1 નું મોત

Published

on

By

અમરેલી માર્કેટયાર્ડમાં આજે મોટી દુર્ઘટના સર્જાઇ છે. યાર્ડમાંઘઉંની બોરીઓ ઉતારતી વખતે 5 મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત થયું છે. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના લઇને મજૂરો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓ 5 મજૂરોના ઉપર પડી હતી અને મજુરો દટાયા હતાં. ત્યારબાદ મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક મજુરનું મોત થયું છે. જયારે 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

આ દુર્ઘટનામાં ખીજડિયાના વિપુલ દિનેશ કનક નામના મજૂરનું મોત થયું હતું જ્યારે અન્ય 4 મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા.

Continue Reading
ક્રાઇમ10 hours ago

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

રાષ્ટ્રીય11 hours ago

UP: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 20 લોકો દટાયા, SDRF-NDRF ઘટનાસ્થળે પહોંચી

ક્રાઇમ11 hours ago

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

આંતરરાષ્ટ્રીય11 hours ago

કેનેડામાંથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, પરિવારજનો શોકમાં

આંતરરાષ્ટ્રીય11 hours ago

ચીનમાં ‘યાગી’ વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

ગુજરાત11 hours ago

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

ગુજરાત11 hours ago

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

ગુજરાત11 hours ago

રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી

રાષ્ટ્રીય11 hours ago

ચાલુ ટ્રેને પેન્ટ્રી કારના કર્મચારી દ્વારા અપંગ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત11 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

રાષ્ટ્રીય1 day ago

અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને ભેટમાં આપ્યો સોનાનો મુગટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત1 day ago

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

રાષ્ટ્રીય19 hours ago

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

રાષ્ટ્રીય1 day ago

પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું

રાષ્ટ્રીય2 days ago

‘યુદ્ધ માટે તૈયાર રહો…’, સંરક્ષણ મંત્રી રાજનાથે કમાન્ડરોને આપ્યો આદેશ

Sports1 day ago

પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત1 day ago

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

ગુજરાત1 day ago

રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?

રાષ્ટ્રીય19 hours ago

સુનિતા વિલિયમ્સ વિના પૃથ્વી પર પરત ફર્યા સ્ટારલાઈનર, જાણો ક્યાં અને કેવી રીતે થયું લેન્ડિંગ?

Trending