Connect with us

રાષ્ટ્રીય

મનમોહનસિંહે આર્થિક ઉદારીકરણનો નિર્ણય કરી વિકાસનો પાયો નાખ્યો-અદાણી

Published

on

ગૌતમ અદાણીએ ક્રિસિલના એક કાર્યક્રમમાં કહ્યું કે મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણનો સાહસિક નિર્ણય લઈને લાયસન્સ રાજનો અંત લાવ્યો. જેના કારણે દેશમાં વેપાર ધંધામાં પ્રગતિ થઈ શકે છે.


અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વખાણ કરતા કહ્યું કે વર્ષ 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણની નીતિના પગલાં લઈને દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા બતાવી હતી. અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું કે આર્થિક ઉદારીકરણના આ સાહસિક પગલાએ ભારતના વિકાસનો પાયો નાખ્યો. આ પાયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતની પ્રગતિની ગાથા લખી છે.


મુંબઈમાં ક્રિસિલના એક કાર્યક્રમને સંબોધતા ગૌતમ અદાણીએ કહ્યું કે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની તૈયારીઓ 1991માં જ શરૂૂ થઈ ગઈ હતી. 1991 થી 2014 નો સમયગાળો અર્થતંત્ર માટે પાયો અને રનવે તૈયાર કરવામાં ખર્ચવામાં આવ્યો હતો. વિકાસના એરક્રાફ્ટે 2014 થી 2024 વચ્ચે આ રનવે પર ઉડાન ભરી છે. તેમણે કહ્યું કે મનમોહન સિંહે દેશમાં લાયસન્સ રાજનો અંત લાવ્યો. તેની મદદથી ભારતમાં બિઝનેસ શરૂૂ થયો. રોકાણ, ક્ષમતા વધારવા અને કિંમતો નક્કી કરવા માટે સરકારની મંજૂરીની જરૂૂર નથી.


ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો જબરદસ્ત વિકાસ થયો છે. તેમણે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન (NIP) વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે તેને આગળ લઈ જવા માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે સાથે આવવું પડશે. દેશમાં ઉર્જા, લોજિસ્ટિક્સ, પાણી, એરપોર્ટ અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જબરદસ્ત કામ કરવામાં આવ્યું છે.

Sports

જયસ્વાલ, ગિલ, અભિષેક, રાહુલ, ગાયકવાડ, કોણ બનશે ભારતનો ઓપનર બેટર

Published

on

By


રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. એક તરફ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ, પરંતુ થોડા સમય પછી રોહિત શર્માએ પણ ઈન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તેની ગેરહાજરીમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા કોણ ભજવશે ? રોહિતે ઓપનર તરીકે ભારત માટે 124 મેચોમાં 3,750 રન બનાવ્યા છે, તેથી તેની જગ્યા લેવી કોઈ પણ ખેલાડી માટે આસાન કામ નહીં હોય.

યશસ્વી જયસ્વાલને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. માત્ર એક વર્ષમાં તેણે ભારત માટે 17 ટી20 મેચમાં 502 રન બનાવીને પોતાની છાપ છોડી દીધી છે. તેણે એક સદી અને 4 અર્ધસદી પણ ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 162ની આસપાસ છે. જયસ્વાલે ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકામાં રમીને સારો દેખાવ કર્યો છે. તે રોહિત શર્માની જેમ ઝડપી રન બનાવવામાં સક્ષમ છે.


2019માં ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ શુભમન ગિલ વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. 2023 ઓડીઆઇ ક્રિકેટ વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા તેણે 9 મેચમાં 354 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટના ગિલ પરના વિશ્વાસનું પરિણામ છે કે તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાં 5 ટી20 મેચોની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ 5 મેચમાં પોતાના પ્રદર્શનના આધારે તે ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.


અભિષેક શર્મા હંમેશા ઝડપી ઈનિંગ્સ રમ્યો છે. પરંતુ તેણે ઈંઙક 2024માં તેના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારો પર ઊંડી છાપ છોડી છે. અભિષેકે આ સિઝનમાં 16 મેચમાં 204ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે. અભિષેકની બેટિંગ સ્ટાઈલ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સ્થિતિમાં પણ ઝડપી શરૂૂઆત કરવામાં મદદરૂૂપ થઈ શકે છે.


કે.એલ.રાહુલે ભારત માટે તેની છેલ્લી ટી20 મેચ ટી20 વર્લ્ડ કપ 2022 ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જો કે તે પછી પસંદગીકારોએ તેને ટૂંકા ફોર્મેટમાં તક આપી નથી, પરંતુ અનુભવના આધારે તેને રોહિત શર્માની જગ્યા આપવામાં આવી શકે છે. રાહુલે ભારત માટે 54 ટી20 મેચમાં ઓપનિંગ કરતા 1,826 રન બનાવ્યા છે. રાહુલના આવવાથી ટીમ ઈન્ડિયાને રોહિત જેવો અનુભવી બેટ્સમેન ટોપ ઓર્ડરમાં મળી શકે છે.


જો કે રુતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં વધુ તક મળી નથી, પરંતુ આઈપીએલની છેલ્લી બે સીઝનમાં તેણે ઈજઊં માટે 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે ઈંઙક 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 19 ઝ20 મેચોમાં 500 રન બનાવીને બતાવ્યું છે કે તે એક વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન છે.

Continue Reading

Sports

વિરાટ કોહલી, રોહિત, જાડેજા ગરિમાપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે

Published

on

By

ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે જાડેજા પણ આ બંને ક્રિકેટરો સાથે જોડાઈ ગયો અને તેણે પણ ઈન્ટરનેશનલ ટી 20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ત્રણ ધુરંધરો પૈકી સૌથી પહેલાં વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ વિરાટ કોહલીએ પ્રેઝન્ટેશન વખતે એલાન કરી દીધું કે, આ મારો છેલ્લો ટી 20 વર્લ્ડ કપ હતો અને ભારત માટે પણ આ મારી છેલ્લી ટી 20 મેચ હતી. વિરાટની જાહેરાતના એકાદ કલાક પછી કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. પ્રેઝન્ટેશન સેરેમની પતી પછી રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ છે અને ઈન્ટરનેશનલ ટી 20 ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આ બંને દિગ્ગજોની જાહેરાત પછી બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ પણ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ત્રણેયે એક સાથે નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને નાન઼કું સરપ્રાઈઝ આપી દીધું છે એમ કહી શકાય કેમ કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં લોકો ઝડપથી ખસતા જ નથી.

તેના જોરે બીજા ચાર-છ મહિના આરામથી ખેંચી શકે તેમ છે પણ એવું કરવાના બદલે તેમણે ગૌરવભેર ખસી જવાનું નક્કી કરીને ખરેખર બહુ શાણપણ બતાવ્યું છે. કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી નિવૃત્ત થવું બહુ અઘં હોય છે ને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજાએ ત્રણેયે એ અઘરૂ કામ કરી બતાવ્યું એ બદલ તેમને સલામ મારવી જોઈએ. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેયે સમયસર અને લોકોની નજરમાં હીરો છે ત્યારે જ નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની કારકિર્દીને વધારે યશસ્વી બનાવી દીધી છે એમ કહી શકાય. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા એ ત્રણેય ક્રિકેટરો છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે બોજ બનતા જાય છે એવી ટીકા થતી હતી. રોહિત અસાતત્યપૂર્ણ બેટિગ કરે છે જ્યારે વિરાટ ટી 20 માટે જરૂરી ઝડપે રમી શકતો નથી એવી ટીકાઓ થતી. જાડેજા મેચ વિનર બોલર કે બેટ્સમેન નથી એવું કહેવાતું. જાડેજાના વિકલ્પરૂપે અક્ષર પટેલ તૈયાર છે જ્યારે રોહિત અને વિરાટના વિકલ્પ તરીકે તો બહુ બધા બેટ્સમેન છે તેથી તેમની ખોટ નહીં સાલે પણ વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેય ગૌરવપૂર્ણ રીતે નિવૃત્તિ લેનારા ક્રિકેટરો તરીકે હંમેશાં યાદ રહેશે.

Continue Reading

રાષ્ટ્રીય

શેફાલીની બેવડી સદી બાદ સ્નેહા રાણાની ઘાતક બોલિંગ, ભારતે સા.આફ્રિકાને 10 વિકેટે હરાવ્યું

Published

on

By


ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું હતું. આ રીતે ભારતે ટેસ્ટ સીરીઝ 1-0થી જીતી લીધી હતી. ભારતને બીજી ઇનિંગમાં જીતવા માટે 37 રન બનાવવાના હતા. ભારત તરફથી ઓપનર શેફાલી વર્મા 24 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. જ્યારે શુભા સતીષે 13 રન બનાવ્યા હતા.


આ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 6 વિકેટે 603 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી શેફાલી વર્માએ 205 રન બનાવ્યા હતા. જ્યારે સ્મૃતિ મંધાનાએ 149 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમિમાહ રોડ્રિગ્સે 55 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 69 રનનું યોગદાન આપ્યું હતું. રિચા ઘોષે 86 રનની સારી ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેલ્મી ટકરે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય એનડીની ડી ક્લાર્ક, તુમી સેખુખુને અને નોલ્કુકુલેકો માલાબાએ 1-1 વિકેટ લીધી હતી.


ભારતના 603 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 266 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી સુને લુસે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. આ સિવાય એનેકે બોશ અને નેડિની ડી ક્લાર્કે 39-39 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. સ્નેહ રાણાએ 8 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે દીપ્તિ શર્માએ 2 વિકેટ લીધી હતી.


આ પછી ભારતે દક્ષિણ આફ્રિકાને ફોલોઓન કરવાની ફરજ પાડી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં સારી લડત બતાવી હતી. દક્ષિણ આફ્રિકા માટે લૌરા વૂલવર્ટ અને સુને લુસે સદીનો આંકડો પાર કર્યો હતો. લૌરા વૂલવર્ટે 122 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સુને લુસે 109 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય નેડિની ડી ક્લાર્કે 61 રનની સારી ઇનિંગ રમી હતી.


ભારત તરફથી સ્નેહ રાણા, દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા અને હમનપ્રીત કૌરે 1-1 વિકેટ લીધી હતી.

Continue Reading

Trending