રાષ્ટ્રીય
શેરબજારમાં તોફાની તેજી, નિફ્ટી પ્રથમ વખત 23,500ને પાર, સેન્સેક્સ પણ ઓલ ટાઈમ હાઈ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/6UDnFzGeF1yKig6elm8172TgKQvdZ7L8E7xSI7Sy.jpg)
ભારતીય શેરબજાર સતત ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 77,326ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં તે 150થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,150ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે NSEની નિફ્ટીએ પણ ઓલટાઈમ હાઈ સાથે 23,570ની સપાટીને કૂદાવી ગઈ છે. આ રીતે નિફ્ટીએ પ્રથમ વખત 23500ની સપાટી વટાવી છે.
બીએસઈનો સેન્સેક્સ 242.54 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 77,235.31 પર ખુલ્યો હતો અને એનએસઈનો નિફ્ટી 105.20 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 23,570.80 પર ખુલ્યો હતો.નિફ્ટીએ આજે ઈતિહાસમાં પહેલીવાર 23500ની જાદુઈ સપાટીને ક્રોસ કરી હતી. વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે જૂન એક્સપાયરી સિરીઝમાં નિફ્ટી 24000નું લેવલ જોઈ શકે છે. આજે નિફ્ટીએ 23570ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોચ્યો છે, જ્યારે સેન્સેક્સ 77,327ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે.
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન સતત નવા રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યું છે અને તે 437.22 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. આ તેનો રેકોર્ડ હાઈ છે. જો યુએસ ડોલરમાં જોવામાં આવે તો BSE મેકેપ $5.23 ટ્રિલિયન થઈ ગયો છે. હાલમાં, BSEમાં 3419 શેરનો વેપાર થઈ રહ્યો છે, જેમાંથી 2106 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 1168 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે 145 શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. 194 શેર પર અપર સર્કિટ અને 67 શેર પર લોઅર સર્કિટ લાદવામાં આવી છે.
મિડકેપ ઈન્ડેક્સ પણ રેકોર્ડ હાઈ પર છે
આજે ભારતીય શેરબજારમાં મિડકેપ ઈન્ડેક્સ પણ રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો છે અને આ પરાક્રમ સતત ચાલુ છે. તે પ્રથમ વખત 55,400 થી ઉપર ગયો છે અને મિડકેપ શેર્સની તેજી ચાલુ છે.
બેન્ક નિફ્ટીમાં અદભૂત ઉછાળો ચાલુ છે
બેન્ક નિફ્ટીનો અદભૂત ઉછાળો ચાલુ છે અને આજે તે 50,194.35 પર ખુલ્યો છે જ્યારે તે 50,204.75 સુધીના ઊંચા સ્તરે જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટીના 12માંથી 10 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 2 શેર એવા છે જે ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સના શેરનું અપડેટ
સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં વધારો અને 5માં ઘટાડો જોવા મળી રહ્યો છે. M&M 2.80 ટકા અને વિપ્રો 2.36 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યા હતા. ટાઇટન 2.08 ટકા, પાવર ગ્રીડ 1.31 ટકા અને SBI 1.19 ટકા ઉપર છે. ઘટતા શેરોમાં મારુતિ 1.86 ટકા ઘટીને ટોપ લુઝર રહી હતી જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ 0.52 ટકા ઘટી હતી. એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.17 ટકા અને કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં 0.12 ટકાનો ઘટાડો થયો છે. આજે ઘટી રહેલા શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ સામેલ છે અને તે 0.12 ટકાની નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
Sports
વિરાટ કોહલી, રોહિત, જાડેજા ગરિમાપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/sd.jpg)
ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે જાડેજા પણ આ બંને ક્રિકેટરો સાથે જોડાઈ ગયો અને તેણે પણ ઈન્ટરનેશનલ ટી 20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ત્રણ ધુરંધરો પૈકી સૌથી પહેલાં વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ વિરાટ કોહલીએ પ્રેઝન્ટેશન વખતે એલાન કરી દીધું કે, આ મારો છેલ્લો ટી 20 વર્લ્ડ કપ હતો અને ભારત માટે પણ આ મારી છેલ્લી ટી 20 મેચ હતી. વિરાટની જાહેરાતના એકાદ કલાક પછી કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. પ્રેઝન્ટેશન સેરેમની પતી પછી રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ છે અને ઈન્ટરનેશનલ ટી 20 ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આ બંને દિગ્ગજોની જાહેરાત પછી બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ પણ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ત્રણેયે એક સાથે નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને નાન઼કું સરપ્રાઈઝ આપી દીધું છે એમ કહી શકાય કેમ કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં લોકો ઝડપથી ખસતા જ નથી.
તેના જોરે બીજા ચાર-છ મહિના આરામથી ખેંચી શકે તેમ છે પણ એવું કરવાના બદલે તેમણે ગૌરવભેર ખસી જવાનું નક્કી કરીને ખરેખર બહુ શાણપણ બતાવ્યું છે. કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી નિવૃત્ત થવું બહુ અઘં હોય છે ને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજાએ ત્રણેયે એ અઘરૂ કામ કરી બતાવ્યું એ બદલ તેમને સલામ મારવી જોઈએ. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેયે સમયસર અને લોકોની નજરમાં હીરો છે ત્યારે જ નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની કારકિર્દીને વધારે યશસ્વી બનાવી દીધી છે એમ કહી શકાય. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા એ ત્રણેય ક્રિકેટરો છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે બોજ બનતા જાય છે એવી ટીકા થતી હતી. રોહિત અસાતત્યપૂર્ણ બેટિગ કરે છે જ્યારે વિરાટ ટી 20 માટે જરૂરી ઝડપે રમી શકતો નથી એવી ટીકાઓ થતી. જાડેજા મેચ વિનર બોલર કે બેટ્સમેન નથી એવું કહેવાતું. જાડેજાના વિકલ્પરૂપે અક્ષર પટેલ તૈયાર છે જ્યારે રોહિત અને વિરાટના વિકલ્પ તરીકે તો બહુ બધા બેટ્સમેન છે તેથી તેમની ખોટ નહીં સાલે પણ વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેય ગૌરવપૂર્ણ રીતે નિવૃત્તિ લેનારા ક્રિકેટરો તરીકે હંમેશાં યાદ રહેશે.
રાષ્ટ્રીય
શેફાલીની બેવડી સદી બાદ સ્નેહા રાણાની ઘાતક બોલિંગ, ભારતે સા.આફ્રિકાને 10 વિકેટે હરાવ્યું
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/After-Shefalis-double-century-Sneha-Ranas-lethal-bowling-India-beat-South-Africa-by-10-wicket.png)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું હતું. આ રીતે ભારતે ટેસ્ટ સીરીઝ 1-0થી જીતી લીધી હતી. ભારતને બીજી ઇનિંગમાં જીતવા માટે 37 રન બનાવવાના હતા. ભારત તરફથી ઓપનર શેફાલી વર્મા 24 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. જ્યારે શુભા સતીષે 13 રન બનાવ્યા હતા.
આ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 6 વિકેટે 603 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી શેફાલી વર્માએ 205 રન બનાવ્યા હતા. જ્યારે સ્મૃતિ મંધાનાએ 149 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમિમાહ રોડ્રિગ્સે 55 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 69 રનનું યોગદાન આપ્યું હતું. રિચા ઘોષે 86 રનની સારી ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેલ્મી ટકરે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય એનડીની ડી ક્લાર્ક, તુમી સેખુખુને અને નોલ્કુકુલેકો માલાબાએ 1-1 વિકેટ લીધી હતી.
ભારતના 603 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 266 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી સુને લુસે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. આ સિવાય એનેકે બોશ અને નેડિની ડી ક્લાર્કે 39-39 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. સ્નેહ રાણાએ 8 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે દીપ્તિ શર્માએ 2 વિકેટ લીધી હતી.
આ પછી ભારતે દક્ષિણ આફ્રિકાને ફોલોઓન કરવાની ફરજ પાડી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં સારી લડત બતાવી હતી. દક્ષિણ આફ્રિકા માટે લૌરા વૂલવર્ટ અને સુને લુસે સદીનો આંકડો પાર કર્યો હતો. લૌરા વૂલવર્ટે 122 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સુને લુસે 109 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય નેડિની ડી ક્લાર્કે 61 રનની સારી ઇનિંગ રમી હતી.
ભારત તરફથી સ્નેહ રાણા, દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા અને હમનપ્રીત કૌરે 1-1 વિકેટ લીધી હતી.
રાષ્ટ્રીય
શાકભાજીના પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન: કૃષિમંત્રી પટેલ
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/dfg.webp)
દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળકી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂૂ. 20,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂૂ. 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે. મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે 5000 હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય ઉઇઝના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
-
ગુજરાત7 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
ક્રાઇમ6 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર6 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
-
પોરબંદર6 months ago
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો
-
પોરબંદર7 months ago
પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત