ગુજરાત
લોકદરબારમાં પૂર્વ મેયર અને કોંગી અગ્રણી વચ્ચે તુતુ-મેંમેં
વોર્ડ નં.12માં યોજોલ લોકદરબારમાં કોંગ્રેસ અને આપના આગેવાનોએ શાસકો ઉપર ખુલ્લેઆમ આક્ષેપો કર્યા
મેયર તમારે દ્વાર અંતર્ગત રોજે રોજ વોર્ડવાઈઝ લોકદરબાર યોજી શાસકપક્ષ દ્વારા લોકોની ફરિયાદ સાંભળવામાં આવી રહી છે. જેમાં થોડા સમયથી પ્રશ્ર્નોતરીમાં લોકો ઉગ્ર બની રહ્યા હોય વિપક્ષોએ પણ તેમને સાથ આપવાનું શરૂ કરી આજે વોર્ડ નં. 12માં યોજાયેલ લોકદરબારમાં પૂર્વ મેયર પ્રદિપ ડવ અને પૂર્વ કોંગી કોર્પોરેટર સંજય અજુડિયા વચ્ચે લોકોના કામ થતા ન હોવાના પ્રશ્ર્ને તુતુ…મેંમેં… થઈ હતી. તેમજ મોકાનો ફાયદો ઉઠાવી આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ અમારા વિસ્તારમાં કામ ન કરી શાસકપક્ષ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરતા લોકોના પ્રશ્ર્નો અને વિપક્ષોના પ્રહારો વચ્ચે શાસકપક્ષ અને અધિકારીઓ અકળાઈ ઉઠ્યા હતાં.
વોર્ડ નં. 12માં આજરોજ યોજાયેલા લોકદરબારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામી પડી હતી. ત્યારે ફરિયાદો કરવા એકઠા થયેલા લોકોએ પણ આ રાજકીય તમાશો જોયો હતો. લોકો દ્વારા આજે અલગ અલગ પ્રકારની 46 ફરિયાદો કરવામાં આવી હતી. જેનું નિવારણ તુરંત થશે તેમ અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવેલ છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનોએ વિકાસના કામોમાં ભાજપ દ્વારા ફક્ત વાતો જ કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતાં.
આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, વોર્ડ નં.12ના કોર્પોરેટર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોપોરેટર અને પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, કોર્પોરેટર મિતલબેન ાઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર જે.ડી.ડાંગર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સહાયક કમિશનર સમીર ધડુક, સીટી એન્જીનીયર કુંતેશ મહેતા, એંક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયા, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાજા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વોર્ડ નં.12ના વોર્ડ એન્જીનિયર અમિત ડાભી, રોશની શાખાના ડેપ્યુટી એન્જી. રાજેશ જલુ, એ.ટી.પી. શૈલેષ સીતાપરા, વોર્ડ નં.12ના વોર્ડ ઓફિસર નીરજ રાજ્યગુરુ, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.12ના પ્રભારી જયદીપભાઈ કાચા, પ્રમુખ યોગેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી ધીરજભાઈ મૂંગરા, જયેશભાઈ પંડ્યા, વોર્ડ નં.12નાં પૂર્વ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, અગ્રણી મૌલિકભાઈ દેલવાડીયા, ચેતનભાઈ લાઠીયા તથા વોર્ડ નં.12ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.12ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-46 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી.
વોર્ડ નં.12માં યોજાયેલ મેયર તમારા દ્વારે લોક દરબારિીજ્ઞિ;ંમાં વાવડી વિસ્તારમાં માઠા પ્રસંગે નાહવા માટેના બાથરૂૂમ બનાવવા, વાવડી વિસ્તારમાં નવા સ્મશાન માટે જગ્યા ફાળવવા, વોર્ડ નં.12 નાગરિકો દ્વારા ગાર્બેજ કલેક્શન બાબત, વાવડીમાં નવું બસ સ્ટેન્ડ બનાવવા બાબત, કાંગશીયાળી મેઈન રોડ બનાવવા માટે, સંસ્કાર સોસાયટી પાસે વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા બાબત, રોડ ખુલ્લો કરવા બાબત, વાવડી ઇન્ડસ્ટ્રીઝમાં રોડ બનાવવા બાબત, રસુલપરામાં પેવિંગ બ્લોક નાખવા બાબત, શ્રીનાથજી શેરી નં.14માં ભૂગર્ભ ગટર ઓવરફ્લો બાબત, વરસાદી પાણી ભરાવા બાબત, ગાયત્રી પાર્ક શેરી નં.5માં ગટર ઓવરફ્લો બાબત, ગોકુલધામ અને દ્વારિકાધીશ વિસ્તારમાં ટ્રાફિક બાબત, દ્વારિકાધીશ વિસ્તારમાં રોડ રસ્તા બનાવવા અને લારીઓનું દબાણ દૂર કરવા બાબત, મવડી ચોકડીએ વરસાદી પાણીનો નિકાલ કરવા બાબત, આસ્થા સોસાયટી પાછળ રોડ પહોળો કરવા બાબત, વોર્ડ નં.12માં નવી વોર્ડ ઓફીસ બનાવવા બાબત, વાવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ બનાવવા બાબત, વાવડી વિસ્તારમાં આવેલ નદીમાં નિયમિત સફાઈ કરવા બાબત, નંદનવન સોસાયટીમાં આવેલ સ્ટ્રીટલાઈટ શરૂૂ કરવા બાબત, ઝાડનું ટ્રીમિંગ કરવા બાબત, કોમન પ્લોટમાં બાળકોના રમત-ગમતની વ્યવસ્થા કરી આપવા બાબત, વાવડી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝનું પાણી રેસિડેન્ટ વિસ્તારમાં આવે છે વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ. આ લોક દરબારની શરૂૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કાર્યક્રમ સ્થળની બાજુમાં ચાલતું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા લગત અધિકારીને સૂચના આપી હતી.
ગેરકાયદેસર બાંધકામ તોડી પાડો: સ્ટેન્ડિંગ ચેરમેન
વોર્ડ નં. 12માં યોજાયેલ લોકદરબારમાં હાજરી આપવા માટે નિકળેલા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને ફરિયાદ મળેલ કે, તમે નિકળવાના છો તે રસ્તે વોર્ડ નં. 13માં ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ ગયું છે. આથી જયમીનભાઈએ આ બાંધકામ પાસે કારથોભાવી તપાસકરતા માલુમ પડેલ કે, સંપૂર્ણ બાંધકામ ગેરકાયદે છે આથીતેમને તુરંત સ્થળ પરથી ટાઉનપ્લાનીંગ વિભાગને આદેશ કરી આજે જ આ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી તેમ જણાવ્યું હતું. પરંતુ ફરિયાદી પાસેથી જાણવા મળેલ વિગત મુજબ આ બાંધકામ અંગેની ફરિયાદ બે દિવસપહેલા કરવામાં આવી હતી. જેને યાદ રાખી ચેરમેને તુરંત આજે પગલા લીધા હતાં.
લોકદરબાર બની રહ્યો છે રાજકીય રણસંગ્રામ
મેયર તમારે દ્વાર અંતર્ગત દરેક વોર્ડમાં લોકોના પ્રશ્ર્નોનું સ્થળ ઉપર નિરાકરણ કરવા માટે શાસકપક્ષ દ્વારા વોર્ડવાઈઝ લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.વોર્ડ નં. 1થી 9 સુધી બરોબર ચાલ્યું હતું. પરંતુ વોર્ડ નં. 10ના લોકદરબારમાં વિપક્ષોએ પણ ફરિયાદો કરવાનું શરૂ કર્યુ છે. લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં નવુ બળ આવ્યું હોય તેમ હવે રોજે રોજ શાસકપક્ષની અણ આવડત અને તેમની ખામીઓ શોધી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં દિવસે દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ થતું જાય છે. જનો પુરાવો આજેવોર્ડ નં. 12ના લોકદરબારમાં જોવા મળ્યો હતો. લોકોના પ્રશ્ર્ન માટે પુર્વ મેયર પ્રદિપ ડવ અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સંજય અજુડિયા વચ્ચે તુતુ…. મેં.મેં. … થઈ ગઈ હતી. જેના લીધે લોકદરબાર રાજકીય રણસંગ્રામ બનતું જતું હોય તેવી ચર્ચા જાગી છે.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી