Connect with us

ગુજરાત

સલામતીના કાયદા કાગળ પર, બે વર્ષમાં 227 શ્રમિકોનાં મોત

Published

on

સરકારી તંત્ર દ્વારા ચેકિંગના નામે મીંડું, અનેક પગલાં છતાં અકસ્માતો અટકતા નથી


કડી તાલુકાના જાસલપુર ગામમાં બાંધકામ દરમિયાન મૃત્યુ પામેલા 9 શ્રમિકોના મૃત્યુ બાદ કામના સ્થળે બાંધકામ કામદારોની સલામતી મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા અને દુર્ઘટના માટે જવાબદાર માલિક અને બેજવાબદારી માટે અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાની બાંધકામ મજદૂર સંગઠનોના અગ્રણીઓએ માગણી કરી છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ 227 બાંધકામ શ્રમિકોના મૃત્યુ થયા છે ત્યારે સરકારી વિભાગ આ મામલે સાઇટ ઉપર સુરક્ષાને લગતું ચેકિંગ વધારે તેવી માગ પણ કરાઇ છે.


બાંધકામ શ્રમિક સંકલન સમિતિ દ્વારા જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં તાજેતરમાં બાંધકામ સાઇટ ઉપર બેદરકારીથી શ્રમિકો ઉપર જોખમ વધી રહ્યું હોવાનું જણાવાયું હતું. બે વર્ષ પૂર્વે અમદાવાદમાં ગુલબાઇ ટેકરામાં બાંધકામ સાઇટ ઉપર અકસ્માતમાં 7ના મૃત્યુ પછી જાસલપુરમાં 9 કામદારોના મૃત્યુ થયા છે. 2022માં ગુજરાતમાં 119 અને અમદાવાદમાં 55 તેમજ 2023માં ગુજરાતમાં 108 અને અમદાવાદમાં 30 કામદારો અકસ્માતે મૃત્યુ પામ્યાની અધિકૃત માહિતી છે. સૌથી વધુ મૃત્યુ ચાલુ કામ દરમિયાન ઉપરથી નીચે પડવાથી અને ભેખડ ધસી પડવાના કારણે થઇ રહ્યા છે. 2008થી 2023 સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ શ્રમિકોએ જીવ ગૂમાવ્યા હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે.


રાજ્યમાં સ્થળાંતરિત આદિવાસી બાંધકામ કામદારો અસલામત સ્થિતિ વચ્ચે કામ કરી રહ્યા હોવાનું કહેતા સમિતિના સંયોજક વિપુલ પંડ્યાએ જણાવ્યું હતું કે પરિવાર માટે વળતરની જાહેરાત થાય અને ફોજદારી કેસ દાખલ કરાય પછી બધુ ભૂલી જવાતું હોય છે. જીડીસીઆર-2021 મુજબ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર જ્યારે બાંધકામની રજા ચિઠ્ઠી આપે ત્યારે સાવચેતી રાખવાની લેખિત બાંહેધરી બિલ્ડર કે ઓનર-ડેવલપર્સ પાસેથી મેળવતા હોય છે. કામદારોની સુરક્ષા સહિતની બાબતોના પાલન માટે સિવિલ એન્જીનીયરીંગની ડિગ્રી મેળવેલા 14 નિરીક્ષકની નિમણૂક કરાઇ છે તેમ છતાં અકસ્માતો અટકતા નથી હોવાનું કહેતા કાયદા કાગળ ઉપર જ રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું. બાંધકામ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર જોખમી સાબિત થતો હોવાનું પણ તેમણે કહ્યું હતું. કામદાર બોર્ડમાં નોંધાયેલા ન હોય તો પણ તેને વળતર ચૂકવાય તેવી માગણી પણ તેમણે કરી હતી.

શ્રમિકોનાં મોતની ઘટનાઓમાં પોલીસ દ્વારા કાયદાનો મનઘડત અમલ
બાંધકામ સાઇટ કે, મોટા ઇન્ડસ્ટ્રીઝમાં અકસ્મીક મોતની ઘટનાઓમાં ફોજદારી કાયદાની વ્યાખ્યાઓ પણ અલગ-અલગ કરવામા આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં માલિકોના બદલે મેનેજર કે સુપરવાઇઝરો સામે ગુનોનોંધી પ્રકરણ પૂરૂ કરી દેવામાં આવે છે. જ્યારે અમૂક જ બનાવોમાં માલિકો સામે ગુનો નોંધવામા આવે છે જેના કારણે શ્રમિકોની સેફટી બાબતે માલિકો ગંભીરતા દાખવતા નથી. હાઇકોર્ટ ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં શ્રમિકોની આકસ્મીક મોતની ઘટનાઓમાં માલિકો સામે ગુનો નોંધવા ચૂકાદા આપ્યા છે. પરંતુ પોલીસ તંત્ર કાયદાનું મનધડત અર્થઘટન કરે છે.

ગુજરાત

દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર

Published

on

By

વધુ 310 જગ્યાઓ પણ કરાર આધારિત ભરવામાં આવશે

દિવાળીના તહેવાર પહેલા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મધ્યાહન ભોજનમાં 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મધ્યાહન ભોજન સુપરવાઈઝરને 15 હજારની જગ્યાએ દર મહિને 25 હજાર રૂૂપિયાનો પગાર મળશે. તહેવારો પહેલા સરકારે આ જાહેરાત કરી છે.
પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે.


રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી. એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે.

Continue Reading

ગુજરાત

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Published

on

By

વિવિધ સેવાઓ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એક જ જગ્યાએ ફરિયાદ થઈ શકશે, ફરિયાદ નોંધાવવા જતાં હવે ચાર્જ કપાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફરિયાદ નિવારણ પદ્ધતિ(કોલ સેન્ટર)માં કરવામાં આવેલ આધુનિકરણનું લોન્ચિંગ કાર્યક્રમ આજ તા.16/10/2024, બુધવાર સવારે 10:30 કલાકે અમીન માર્ગ સિવિક સેન્ટર, અમીન માર્ગખાતે યોજાયો.

ભારત સરકારના Ministry of Communication Information Technology“p Department Of Teleco mmunications (DOT દ્વારા ભારતની તમામ મહાનગર પાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદ માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂૂ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરના નંબર 0281-2450077 તેમજ ટોલ-ફ્રી નંબર 1800-123-1973ના સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે આ નંબર 155304ને ઈફયિંલજ્ઞિુ1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાતપણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે. તેમજ – અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે જઝઉ ઈજ્ઞમય પર પણ અવેલેબલ થશે.


આ ઉપરાંત કોલ સેન્ટરની હાલની સેવાઓને રાજકોટ મહાનગરપાલિકાના પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 ઞતયિ જઈંઙ કશક્ષય) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને રાજકોટ મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.


આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો 0281-245007 અને 1800-123-1973 ને બદલે એક જ શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી, સરળતાથી નોંધાવી શકશે. જો કે, આ નંબર ટોલફ્રી ન હોવાથી નાગરિકોના ફોનમાંથી ચાર્જ કપાશે.

અગાઉના નંબર 0281-245007 અને 1800-123-1973ની સેવા બંધ કરાશે

રાજકોટ મનપા દ્વારા નવો કમ્પ્લેઈન નંબર જાહેર કરાતા અગાઉ ફરિયાદ નોંધાવા માટે વપરાતા નંબર 0281-245007 અને ટોલફ્રી નંબર 1800-123-1973ની જગ્યાએ લોકોએ હવે 155304 નંબર પર ફરિયાદ નોંધાવી પડશે અગાઉના બંને નંબરની જગ્યાએ હવે એક જ નંબર પર રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગની સેવાઓ અંગેની ફરિયાદ નોંધાવી શકાશે.

Continue Reading

ગુજરાત

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

Published

on

By

આયોજકો તંત્ર સામે લડી લેવાના મૂડમાં: અરજીના 15 દિવસ બાદ પણ જવાબ નહીં મળ્યો હોવાના આક્ષેપ

દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતી દ્વારા શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટ મનપા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા ગ્રાઉન્ડ બાબતે કોઇ જવાબ નહીં આપતા આયોજકો દ્વારા આજે સાંજે ધરણા કરી અને વિરોધ પ્રદર્શન કરી માતાજીની આરતી કરાશે.


આ અંગે આયોજક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પૂર્વ સૈનિક નટુભા ઝાલા, નલીનભાઇ ચૌહાણ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિના પ્રમુખ હેમાબેન કક્કડ, લીગલ એડવાઇઝર ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા 24 વર્ષથી શરદ પૂર્ણિમાએ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે 15 દિવસ અગાઉ ગ્રાઉન્ડ માટેની અરજી કરવા છતા પણ મહાપાલિકા અને હાઇસ્કુલના મેનેજમેન્ટ દ્વારા મંજુરી માટે કોઇ જાણ કરવામાં આવી નથી. અનેક વખત જાણકારી માંગવા છતા પણ જવાબ આપવામાં આવતો નથી અને અરજીની પ્રક્રીયા કેટલે પહોંચી તે અંગે પણ જણાવવામાં આવતું નથી.


કોર્પોરેશન દ્વારા અર્વાચીન ગરબા માટે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવે છે કોઇ ચોકકસ સમાજને આપો છો ત્યારે અમે લોકો સર્વે સમાજની દિકરીઓ અને બહેનો માટે આયોજન કરીએ છીએ. તેમાં પણ તંત્ર દ્વારા રોડા નાખવામાં આવે છે. આવતીકાલે શરદોત્સવ હોય અમને હજુ સુધી ગ્રાઉન્ડ ફાળવવા બાબતે કોઇ જવાબ આપવામાં આવ્યો નથી જેથી અમારા આયોજન અંગે પણ મુંઝવણ ઉભી થાય છે. છતા પણ અમે આજે સાંજે હાઇસ્કુલ ખાતે તંત્રની તાનાશાહી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને માતાજીની આરતી પણ કરાશે.
વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ધક્કા ખાવા છતા પણ મનપા અને હાઇસ્કુલના સતાધીશો દ્વારા કોઇપણ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી અને અરજીની પ્રક્રીયા અંગે પણ માહિતી આપવામાં આવતી નહી હોવાથી આ પ્રશ્ન આગામી દિવસોમાં મુખ્યમંત્રી દ્વારા યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં મુકવામાં આવશે.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

યોગી-રાજનાથ સહિત આ VIPની સુરક્ષામાં મોટો ફેરફાર, NSG કમાન્ડોને હટાવીને CRPF તહેનાત કરવામાં આવશે

રાષ્ટ્રીય9 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

રાષ્ટ્રીય9 hours ago

3 દિવસમાં 12 ફ્લાઈટને બોમ્બની ધમકી…ફેક ઈન્ફર્મેશન આપનારને મળશે આવી સજા

મનોરંજન10 hours ago

રકુલ પ્રીત સિંહને બેલ્ટ વિના 80 કિલો વજન ઉંચકવું પડ્યું ભારે, પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા

આંતરરાષ્ટ્રીય10 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય10 hours ago

સ્પેકટ્રમ વોર, જિયો- એરટેલનો મસ્ક-બેઝોસ સામે ખુલ્લો વિરોધ

ગુજરાત10 hours ago

દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર

રાષ્ટ્રીય10 hours ago

દિવાળી 31 ઓક્ટોબરે ઉજવાશે, ધાર્મિક સભામાં લેવાયો નિર્ણય

ગુજરાત10 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

રાષ્ટ્રીય10 hours ago

નશાબંધી રાજ્ય બિહારમાં લઠ્ઠાકાંડ સાતથી વધુ મોત, 12 ગંભીર

ક્રાઇમ1 day ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય1 day ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત1 day ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત1 day ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત1 day ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત1 day ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

આંતરરાષ્ટ્રીય1 day ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય1 day ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

રાષ્ટ્રીય9 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય1 day ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

Trending