રાષ્ટ્રીય
ઈદ પહેલા ડુંગળીની માંગ વધી, ભાવમાં 50 ટકા સુધીનો વધારો
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/06/285261-onionreuters.avif)
છેલ્લા પખવાડિયામાં ડુંગળીના ભાવમાં 30-50 ટકાનો વધારો થયો છે. જેનું મુખ્ય કારણ પુરવઠો ઓછો હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) પહેલા ડુંગળીની માંગ વધી ગઈ છે. બીજી તરફ વેપારીઓએ ડુંગળીનો સ્ટોક રાખવાનું શરૂ કરી દીધું છે. વેપારીઓને આશા છે કે કેન્દ્ર સરકાર કિંમતોને કાબૂમાં લેવા માટે પોતાનો હસ્તક્ષેપ ઘટાડી શકે છે. બીજી તરફ જો સરકારી ડેટાની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં 10 દિવસમાં ડુંગળીના ભાવમાં 12 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે.
ડુંગળી કેટલી વધી?
સોમવારે નાસિકની લાસલગાંવ મંડીમાં ડુંગળીની સરેરાશ જથ્થાબંધ કિંમત 26 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે 25 મેના રોજ આ જ કિંમત 17 રૂપિયા પ્રતિ કિલો હતી. રાજ્યના ઘણા જથ્થાબંધ બજારોમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ, જે કુલ ટ્રેડેડ વોલ્યુમમાં થોડો હિસ્સો ધરાવે છે, તે 30 રૂપિયાને પાર કરી ગયો છે. ભાવમાં તાજેતરના વધારાનું મુખ્ય કારણ માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત છે. જૂન મહિનાથી બજારોમાં આવતી ડુંગળી ખેડૂતો અને વેપારીઓ દ્વારા રાખવામાં આવેલા સ્ટોકમાંથી આવે છે. 2023-24ના રવિ પાકમાં સંભવિત ઘટાડાને કારણે ભાવમાં વધારો થવાની અપેક્ષા હોવાથી ખેડૂતો તેમનો સ્ટોક ઑફલોડ કરી રહ્યા છે.
ડુંગળીના ભાવ કેમ વધી રહ્યા છે
જો કે 40 ટકા નિકાસ જકાતના કારણે નિકાસ પણ નોંધપાત્ર રીતે ઘટી રહી છે. વેપારીઓનો દાવો છે કે 17 જૂને ઈદ-ઉલ-અઝહા પર ડુંગળીની સ્થાનિક માંગ મજબૂત છે. મહારાષ્ટ્રના નાસિકના ડુંગળીના વેપારી વિકાસ સિંહે એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રથી ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાંથી ડુંગળીની જોરદાર માંગ છે. હોર્ટિકલ્ચર પ્રોડક્ટ્સ એક્સપોર્ટર્સ એસોસિયેશનના પ્રમુખ અજીત શાહે એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભાવમાં વધારાનું એક મુખ્ય કારણ એ છે કે ખેડૂતો અને સ્ટોકિસ્ટોને આશા છે કે કેન્દ્ર સરકાર નિકાસ ડ્યૂટી દૂર કરી શકે છે. આ માન્યતાના આધારે તેઓ ભાવ વધશે તેવી આશાએ ડુંગળી પકડી રહ્યા છે.
રાષ્ટ્રીય
બિહારમાં 20 મીનીટમાં 20 કરોડની લૂંટ…બદમાશોએ બંદુકની અણીએ તનિષ્કનો શોરૂમ લૂંટ્યો, જુઓ CCTV
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/d07b3b22-eb6b-4b4f-bc61-ed46a2eaaa31.jpeg)
બિહારના પૂર્ણિયામાં આજે ફિલ્મી સ્ટાઈલમાં કરોડોની લૂંટ ચલાવવામાં આવી હતી. બિહારના પૂર્ણિયામાં તનિષ્કના શોરૂમમાં 6 લૂંટારુઓએ 20 કરોડથી વધુની કિંમતના હીરા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. દરેક પાસે હથિયાર હતાં. એમાં 10 કરોડથી વધુની કિંમતના ડાયમંડ જ્વેલરી છે. બાકીના સોનાના દાગીના હોવાનું કહેવાય છે. આ ઘટના આજે લગભગ 12 વાગ્યે બની હતી. શોરૂમમાં ઘટનાને અંજામ આપ્યા બાદ આ લૂંટારુઓ બાઇક પર ફરાર થઇ ગયા હતા.
આ ઘટની મળતી માહિતી અનુસાર પહેલા ત્રણ ગુનેગારો ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશ્યા હતા. આ પછી વધુ ત્રણ અંદર ગયા. પછી બધાએ ગનપોઇન્ટ પર લૂંટ ચલાવી. લૂંટ દરમિયાન બદમાશોએ ઉપરના માળે શોરૂમના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવ્યા હતા. આ ઘટના પૂર્ણિયાના સહાયક ખજાનચી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાક બંગલા ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાં બની હતી.બદમાશોએ કુલ 20 મિનિટમાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાના cctv પણ સામે આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા લૂંટારાઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે. સ્પષ્ટ દેખાય રહ્યું છે કે બંદૂકધારી પહેલા સામાન્ય વ્યક્તિની જેમ જ્વેલરીના શોરૂમમાં પ્રવેશ કરે છે. શોરૂમના કર્મચારીઓ સામાન્ય દિવસોની જેમ તેમના કામમાં વ્યસ્ત છે, આ દરમિયાન એક વ્યક્તિ શોરૂમમાં ઘુસી ગયો અને કર્મચારીઓ પર બંદૂક તાકી. બધા કામદારોને બાજુ પર જવા માટે કહે છે. કાઉન્ટરની અંદરના કર્મચારીને ઘરેણાં આપવાનું કહે છે.
આ મામલે પોલીસનું કહેવું છે કે માહિતી અનુસાર ગુનેગારો તનિષ્ક જ્વેલરીના શોરૂમમાં ઘૂસ્યા હતા અને તેને લૂંટીને ભાગી ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અત્યાર સુધીમાં 5 થી 6 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે જેમાંથી 4 અંદર અને 2 બહાર ઉભા હતા. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને પકડવા કાર્યવાહી કરવામાં આવશે.
રાષ્ટ્રીય
પાંચ વર્ષમાં 288 OBC 140 જઈ અને 68 SC IAS IPS અનેIFS અધિકારીઓની નિમણૂક
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/ips.png)
ટ્રેઇની IAS પૂજા ખેડકર વિવાદ વચ્ચે સંસદમાં સરકારે આપી માહિતી
આ દિવસોમાં દેશમાંIAS ઓફિસરોની ઘણી ચર્ચા છે. ટ્રેઇનીIAS ઓફિસર પૂજા ખેડકર કેસે ઞઙજઈ પર ઘણા ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાસ્તવમાં, પૂજા પર સિલેક્ટ થવા માટે માહિતી છૂપાવવાનો અને ઘઇઈ નોન-ક્રિમીલેયર ક્વોટા અને વિકલાંગતા સર્ટિફિકેટની મદદ લેવાનો આરોપ છે. ત્યારે આજે આપણે પૂજા ખેડકર વિશે નહીં પરંતુ વર્ષ 2018 થી 2022 દરમિયાન દ્વારા પસંદ કરાયેલા OBCજઈ અને SC,IAS, ઈંઙજ અને ઈંઅઋજ અધિકારીઓની સંખ્યા વિશે જાણીશું.
સંસદમાં સરકારને IAS, અનેIFSની સંખ્યા અંગે પૂછવામાં આવ્યું હતું. સરકારને પૂછવામાં આવ્યું કે જઈ, SC અને ઘઇઈમાંથી અત્યાર સુધીમાં કેટલાIAS, ઈંઙજ અનેIFS અધિકારીઓ છે. મોદી સરકારમાં મંત્રી ડો. જિતેન્દ્રસિંહે આ પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ભારતીય વહીવટી સેવા (ઈંઅજ), ભારતીય પોલીસ સેવા (ઈંઙજ) અને ભારતીય વન સેવા (ઈંઋજ)માં ભરતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (ઞઙજઈ) દ્વારા કરવામાં આવે છે. તે નિયમો અનુસાર કરવામાં આવે છે.
હાલની સૂચનાઓ અનુસાર,IAS, ઈંઙજ અનેIFS ની ભરતીમાં, અનુસૂચિત જાતિ (જઈ), અનુસૂચિત જનજાતિ (SC) અને અન્ય પછાત વર્ગ (ઘઇઈ) ને 15%, 7.5% અને 27% ના દરે અનામત મળ્યું છે.
સંસદમાં આપેલા પોતાના જવાબમાં મોદી સરકારના મંત્રી ડો. જીતેન્દ્રસિંહે કહ્યું કે વર્ષ 2018માં ઘઇઈમાંથી 54IAS, 40 ઈંઙજ અને 40IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે, આ વર્ષે જઈ ક્વોટામાંથી 29IAS, 23 ઈંઙજ અને 16IFS ની ભરતી કરવામાં આવી હતી. SC ક્વોટા વિશે વાત કરીએ તો, વર્ષ 2018 માં SC ક્વોટામાંથી 14IAS, 9 ઈંઙજ અને 8IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.
2019ની વાત કરીએ તો ઘઇઈ ક્વોટામાંથી 61IAS, 42 ઈંઙજ અને 33IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જઈ ક્વોટામાંથી 28IAS, 24 ઈંઙજ અને 13IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે SC ક્વોટામાંથી 14IAS, 9 ઈંઙજ અને 7IFS અધિકારીઓની ભરતી કરવામાં આવી હતી. 2020 માં, 61IAS, 41 ઈંઙજ અને 31IFS અધિકારીઓની ઘઇઈમાંથી ભરતી કરવામાં આવી હતી. જઈ ક્વોટાની વાત કરીએ તો આ ક્વોટામાંથી 25IAS, 23 ઈંઙજ અને 13IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. SC ક્વોટામાંથી 13IAS, 10 ઈંઙજ અને 6IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.
2021 અને 2022ની વાત કરીએ તો વર્ષ 2021માં ઘઇઈમાંથી 54IAS, 57 ઈંઙજ અને 34IFSની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022 માં, 58IAS, 49 ઈંઙજ અને 40IFS અધિકારીઓની ઘઇઈ કેટેગરીમાં પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 2021 માં જઈ ક્વોટામાંથી 30IAS, 28 ઈંઙજ અને 13IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે 2022માં 28IAS, 25 ઈંઙજ અને 16IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. SC ક્વોટાની વાત કરીએ તો વર્ષ 2021માં SC ક્વોટામાંથી 13IAS, 14 ઈંઙજ અને 7IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી. 2022ની વાત કરીએ તો, SC ક્વોટામાંથી 14IAS, 20 ઈંઙજ અને 8IFS અધિકારીઓની પસંદગી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય
સેન્સેક્સ 1300થી વધુ પોઇન્ટની તેજી સાથે 81 હજારને પાર
![](https://gujaratmirror.in/wp-content/uploads/2024/07/download-1-3.jpeg)
વૈશ્ર્વિક સંકેતોને પગલે તમામ શેરોમાં ધૂમ લેવાલી, નિફ્ટીમાં 447 પોઇન્ટનો વધારો
શેરબજારમાં છેલ્લા પાંચ કારોબારી દિવસોના ઘટાડા બાદ આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજીને પગલે બંન્ને નવા ઓલટાઇમ હાઇની નજીક પહોંચી ગયા છે. સવારે વૈશ્ર્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો આવતા જ ભારતીય શેર માર્કેટમાં પણ આજે જોરદાર તેજી છવાઇ ગઇ હતી. ગઇકાલે 80039ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 119 પોઇન્ટ ઉછળીને 801588 પર ખુલ્યો હતો. પરંતુ બપોરે સાડા બાર બાદ માર્કેટમાં જોરદાર તેજીથી સેન્સેક્સમાં 1382 પોઇન્ટનો ઉછાળો આવતા 81421ના લેવલે પહોંચી ગયો હતો. નિફ્ટીમાં ગઇકાલના 24406ના બંધ સામે આજે મામૂલી 17 પોઇન્ટના વધારા સાથે 24423 પર ખુલ્લી હતી. બાદમાં જોરદાર તેજીથી નિફ્ટીમાં 447 પોઇન્ટનો વધારો નોંધાતા ઓલટાઇમ હાઇથી એક પોઇન્ટ દુર 24853 પર પહોંચી હતી.
બીએસઇ સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 25 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 5 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ ઉછાળો ઈન્ફોસિસ, ભારતી એરટેલ, ઝઈજ, ઉંજઠ સ્ટીલ અને સન ફાર્માના શેરમાં જોવા મળ્યો હતો. જ્યારે ટેક મહિન્દ્રા અને એચડીએફસી બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે બેંક નિફ્ટીમાં લગભગ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
એક દિવસ પહેલા વૈશ્વિક બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે ભારતીય શેરબજાર પણ પ્રભાવિત થયું હતું. જોકે, આજે વૈશ્વિક સ્તરેથી સારા સંકેતો મળ્યા છે, જેના કારણે ભારતીય શેરબજાર પણ ગ્રીન ઝોનમાં છે. આ ઉપરાંત બજેટ બાદ શેરબજારમાં દરરોજ ઘટાડો નોંધાયો છે. દરમિયાન, રિટેલથી લઈને મોટા રોકાણકારો ખરીદી કરી રહ્યા છે, જેના કારણે નિફ્ટી અને સેન્સેક્સમાં વધારો થઈ રહ્યો છે.
મિડકેપ સ્ટોક વિશે વાત કરીએ તો, જઉંટગ શેર 8 ટકાથી વધુ વધીને રૂૂ. 152 પર છે. અશોક લેલેન્ડનો શેર લગભગ 6 ટકા વધીને રૂૂ. 246 થયો હતો. ખાફશતફ લગભગ 6 ટકા વધ્યો. સ્મોલ કેપમાં, ઝેન્સાર ટેક્નોલોજીનો શેર 5.5 ટકા વધીને રૂૂ. 816 પ્રતિ શેર થયો હતો. ઈન્ડિયન ઓવરસીઝ બેંક લગભગ 4 ટકા વધીને રૂૂ. 68 પર હતો. ફાઇવ સ્ટાર બિઝનેસ 3.4 ટકા વધીને રૂ.749 થયો હતો.યુકો બેન્ક પણ 3 ટકાથી વધુ વધીને રૂૂ. 1504 પર લગભગ 4 ટકા વધી હતી. ટાટા પાવર 3.5 ટકા વધીને રૂ.438 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે દિવીની લેબ્સના શેરમાં 3 ટકાથી વધુનો વધારો થયો હતો.
-
રાષ્ટ્રીય4 days ago
બજેટમાં સોના-ચાંદી પર મોટી જાહેરાત, આટલા રૂપિયા થયું સસ્તુ
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
રાષ્ટ્રીય1 week ago
માતા બની હેવાન…માસૂમ પુત્રની છાતી પર ચઢી, ઢોર માર માર્યો, જુઓ વિડીયો
-
ગુજરાત8 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ક્રાઇમ7 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર7 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત