ગુજરાત
મહાનગરપાલિકાના કર્મચારીઓ હવે ઈચ્છા મુજબ માગી શકશે બદલી
વિભાગ, વોર્ડ અને ઝોનમાં 3 વર્ષથી વધુ સમય થયેલ હોય તેવા કર્મચારીઓ આજે રાત સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે, પ્રથમ એસ.એસ.આઈને લાભ
મહાનગરપાલિકામાં કમિશનર ડી.પી. દેસાઈએ થોડા સમયમાં મોટા ભાગના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની અરસ પરસ બદલીઓ કરી છે. જેના લીધે અમુક અધિકારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. કામનો અનુભવ ન હોય તેવા વિભાગમાં બદલી થયેલ હોય ત્યારે અમુક અધિકારીઓએ આ વિભાગની કામગીરી ન સોંપવામાં આવે તેવું પણ જણાવ્યું છે. આથી મ્યુનિસિપલ કમિશનરે નવો અભિગમ અપનાવી વહીવટી સરળતા ખાતર હવે કર્મચારીઓ પોતાની ઈચ્છા મુજબ પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિભાગોમાં બદલીની માંગણી કરી શકશે. જેના માટે ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે.
મનપાના કમિશનર ડી.પી. દેસસાઈએ નવો અભિગમ અપનાવી દરેક વિભાગમાં અનુભવીઓ દ્વારા કામગીરી થઈ શકે તેવું પગલું ભર્યુ છે. રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓમાં સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની વહીવટી સરળતા ખાતર એક જ શાખા/વોર્ડ/ઝોનમાં 03 વર્ષથી વધુ સમય થયેલ હોય તેવા સેનેટરી સબ ઇન્સ્પેકટરની બદલી ઓનલાઈન પોર્ટલ માધ્યમથી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓમાં સેનેટરી સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાની બદલીની માંગણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે અને જેઓએ અગાઉ બદલી માટે અરજી કરેલ છે તેઓએ પણ ઓનલાઈન પોર્ટલમાં પોતાની અરજી કરવાની રહેશે. આ માટે ઓનલાઈન ગૂગલ ફોર્મમાં માંગવામાં આવેલ વિગતો રજુ કરવાની રહેશે જે ચછ ભજ્ઞમય સ્કેન કરી, બદલી માટેનું ગુગલ ફોર્મ તા.16/09/2024 સુધીમાં ભરવા આથી પરિપત્ર કરવામાં આવે છે.
બદલી માટે હાલની કામગીરીનો વોર્ડ જે ઝોનમાં આવતો હોય તે સિવાયના ઝોનની વોર્ડ ઓફીસ અથવા અન્ય શાખા/વોર્ડ ઓફીસ સિવાયના કાર્યક્ષેત્રની કુલ 15 પસંદગી કરવાની રહેશે. ” હાલની કામગીરીનો વોર્ડ જે ઝોનમાં આવતો હોય તે જ ઝોનની વોર્ડ ઓફીસ પસંદગી કરેલ હશે તો તેવી પસંદગી માન્ય રાખવામાં આવશે નહી. એક કરતાં વધુ વખત ગુગલફોર્મથી બદલી અરજી કરશે તો છેલ્લી કરેલ અરજી ધ્યાને લેવામાં આવશે. (4)બદલી સમયે નીચે મુજબના કેટેગરીના કર્મચારીઓને નીચેના ક્રમ અનુસાર અગ્રતા આપવામાં આવશે.
વિધવા બહેનો હોય તેમને અગ્રતા સૌ પ્રથમ આપવામાં આવશે. તેઓએ વિધવા હોવા તેમજ પુન:લગ્ન ન કર્યા હોવા બાબતનું રૂૂ.50- ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ તથા પતિના મૃત્યુનો દાખલો અપલોડ કરવાનો રહેશે. ઇ.ગંભીર બિમારીઓ :- જે કર્મચારીને પોતાને અથવા પતિ/પત્નિ/બાળકોને નીચે દર્શાવેલ પૈકી કોઈ બીમારી હશે તો તેને દ્વિતિય અગ્રતા ક્રમ આપવામાં આવશે સારવાર ચાલુ હોવા તો તે બાબતનું જે તે સબંધિત ડોકટરનુ/સરકારી સિવિલ હોસ્પીટલના મેડીકલ કેન્સર ઓફિસરનું સારવાર ચાલુમાં છે તે અંગેનુ પ્રમાણપત્ર અપલોડ કરવાનુ રહેશે.
જે કર્મચારી 40% થી વધુ દિવ્યાંગ હશે તેમને તૃતીય અગ્રતા ક્રમમાં આપવામાં આવશે. આ માટે તેઓએ દિવ્યાંગતા અંગેનુ સીવીલ સર્જનનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. 40% થી ઓછી દિવ્યાંગતાને તેમની સામાન્ય સિનિયોરીટીમાં ગણવામાં આવશે. ઉ. પતિ-પત્નિ નોકરી :- પતિ-પત્નિની નોકરીના કિસ્સામાં જે કર્મચારી પતિ/પનિ કેન્દ્ર સરકાર, રાજય સરકાર, પંચાયત સેવા, નગરપાલીકા, બોર્ડ, કોર્પોરેશનમાં અલગ અલગ મુખ્યમથકમાં નોકરી કરતા હોય તેમને ચતુર્થ અગ્રતા ક્રમ આપવામાં આવશે. પતિ/પત્નિ જે વિભાગ/કચેરીમાં નોકરી કરતા હોય ત્યાંના સક્ષમ અધિકારીનુ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે તેમજ લગ્નનું પ્રમાણપત્ર/રૂૂ.50- ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ અપલોડ કરવાનો રહેશે. અગ્રતા ક્રમનો લાભ લેવા માટે જરૂૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જવાબદારી લગત કર્મચારી પોતાની રહેશે, તેમજ લગત કર્મચારીનાં ડોક્યુમેન્ટની ખરાઇ કરતાં ખોટા/બોગસ રજુ થયેલ હશે અથવા રજુ થયાનુ ધ્યાને આવશે તો રજુ કરનાર લગત કર્મચારી સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી