ગુજરાત
સગીર પથ્થરબાજો 3 કિ.મી દૂરથી આવ્યા, મુખ્ય કાવતરાખોરની તપાસ: ગેહલોત
સુરતના સૈયદપુરામાં રવિવારે રાતે ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ હાલ અત્યારે શાંતિનો માહોલ છે. દરમિયાન સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ઘટનામાં સામેલ સગીર પથ્થરબાજો ઘટના સ્થળથી ત્રણ કિમી દુર રહે છે અને આટલી દુરથી કોઇ બાળકો આવી ના શકે જેથી સગીરોને ઉશ્કરણી કરનારા તત્વોની શોધખોળ કરાઇ રહી છે.તેમણે કહ્યું કે ચાલુ રિક્ષામાંથી પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ ગુના નોંધાયા છે અને 28 આરોપીની ધરપકડ કરાઇ છે.
તેમણે કહ્યું કે ઘટના સંદર્ભે અલગ અલગ 3 ગુના નોંધાયા છે, જેમાં રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ પર હુમલાની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.
લાલગેટ વિસ્તારમાં બે વાહનો સળગાવવામાં આવ્યા હતા. બનાવ અંગે 6 જેટલી ટીમો તપાસ કરી રહી છે.
અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે તમામ આરોપીઓ વિરૂૂદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ગત રોજ પોલીસ કંટ્રોલ રૂૂમને 13 જેટલા ફેક કોલ આવ્યા હતા. જેની ખરાઈ કરવામાં આવી હતી. જે સગીરો છે,તે ઘટના સ્થળથી ત્રણ કિલોમીટર દૂર રહે છે. આટલી દુરથી કોઇ બાળકો આવી ના શકે. સગીરોને ઉશ્કેરણી કરનારા તત્વોની શોધખો કરાઇ રહી છે. આ ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. સગીરોના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા છે,જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.સગીરો પોતે સમજી શકતા નથી કે તેઓ ધાર્મિક લાગણી દુભાવી રહ્યા છે,જેની પાછળ કોણ છે તેની તપાસ કરાશે .ઘટનામાં છ સગીર વયના બાળકો છે. જે 12 થી 13 વર્ષની ઉમરના છે. આ તમામ બાળકો અભ્યાસ કરે છે.
ગુજરાત
અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય
રાજકોટ સહિત ગુજરાતભરમાં દસ દિવસ ધૂમ મચાવ્યા બાદ આજે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાએ ભાવભરી વિદાય લીધી હતી. રાજકોટ શહેરમાં આજે સવારે ઠેર-ઠેર ગણપતિ વિસર્જન યાત્રા નિકળી હતી અને ભક્તોએ ‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ જલ્દી આના’ના નારા સાથે દાદાને ભાવભેર વિદાય આપી હતી. શહેરની આસપાસ આઠ સ્થળે મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમયે મહાનગરપાલિકાએ ક્રેન અને તરવૈયાઓ સહિતની વ્યવસ્થા તૈનાત રાખી હતી. તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. (તસવીર : મુકેશ રાઠોડ)
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
ગુજરાત
કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા
તાલુકાના મીઠી રોહર નજીક ઓવર બ્રિજ પાસે આવેલા ભંગારના વાડામાં પોલીસે કાર્યવાહી કરી વિદેશથી આવેલા 2 ટન જેટલા ફૂટેલા કાર્ટીસ જપ્ત કર્યા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી ટીમ ગત તા.14/9ના ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદના તહેવારો અંતર્ગત પેટ્રોલીંગમાં હતી આ ટીમ ગાંધીધામ ભચાઉ ધોરીમાર્ગ ઉપર મીઠી રોહર નજીકના ઓવરબ્રિજ પાસે પહોંચી હતી. દરમ્યાન મીઠી રોહર સીમ સર્વે નંબર 554/5માં આવેલ સાક્ષી ઈમ્પેક્ષ નામની કંપનીમાં વિદેશથી આયાત કરેલા ક્રેપ (ભંગાર)માં આધુનિક હથીયારમાં ઉપયોગમાં લેવામાં આવતા કાર્ટીઝ આવેલા છે અને મોટી માત્રામાં છે.
કંપનીના સંચાલક હરિઓમ સુભાષચંદ્ર શુક્લા અને પ્રદિપ યદુનાથ પાન્ડેએ યમનથી ભંગારના ક્ધટેઈનર મંગાવ્યા હતા જેમાં આ વસ્તુ આવી ગઈ હતી. પોલીસે અહીં તપાસ કરતા અહીં 2 ટન ભંગારમાં ઓટોમેટીક અને મોટા હથીયારનો ગોળીના કેટલા ભાગ, ખાલી કેસ વગેરે મળી આવ્યું હતું. જુની થઈ ગયેલી ફૂટેલી આ ગોળીઓ ઉપર લખાણ પણ બરોબર વંચાતું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બે ટનમાંથી એકેય જીવંત કાર્ટીઝ મળ્યા નથી. તેમજ મળેલા કાર્ટીઝને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવશે તેવું પી.આઈ. ડી.ડી. ઝાલાએ જણાવ્યું હતું. આ શહેર અને સંકુલમાં આવેલા અમુક શંકાસ્પદ ભંગારના વાડાઓની તપાસ હાથ ધરવામાં આવે તો અનેક શંકાસ્પદ વસ્તુઓ મળે તેમ છે. પરંતુ આવું કરાતું નથી.
તે પણ હકીકત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ અહીં કંડલા બંદરે પણ વિસ્ફોટક વસ્તુઓ આવી ગઈ હતી. થોડા વર્ષો પહેલાં ઈફકો (ઉદયનગર) વસાહતમાંથી રોકેટ લોન્ચરનો ફૂટેલો સેલ મળ્યો હતો. ડીપીએ પ્રસાશનીક કચેરી પાછળ બાવળની ઝાડીમાંથી પણ આવા સેલ મળ્યા હતા. ભંગારના વાડાઓમાં વસ્તુઓ તોડતી વખતે બ્લાસ્ટ થવાના બનાવો પણ અહીં બની ચૂક્યા છે. ત્યારે ખરેખર આવા અમુક વાડાઓમાં નિતિમત્તાથી તપાસની જરૂૂરીયાત હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
-
રાષ્ટ્રીય23 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય24 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત19 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ગુજરાત19 hours ago
રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા